________________
૫૮
સંયમ કબ હી મિલે?
પરીષહો પર વિજય અને કષાયોનો પરાજય સુખેથી સુખમાં જ ઠરીઠામ થઈ જવા માટે આથી વધુ બીજું શું જોઈએ ? માણસ દુઃખી થાય છે. એનું કારણ આનાથી વિપરીત પરિસ્થિતિ જ હોય છે. શ્રમણની પરિસ્થિતિ એવી નથી, અને એટલા માટે એમને માત્ર ને માત્ર સુખ જ હોય છે. મમ્મી, જ્ઞાનસાર જેને મોક્ષો નૈવ મહાત્મનામ્ કહે છે તે આ દશા છે. આપણે મહાત્માને મહારાજ કહીએ છીએ ને? તે એકદમ સાચું છે, દુનિયાના બેતાજ બાદશાહ કોઈ હોય તો એ મહાત્મા છે - Won't you like Mummy to look me as a super king ? પ્રશમરતિ કહે છે – विषयसुखनिरभिलाषः, प्रशमगुणगणाभ्यलङ्कृतः साधुः । द्योतयति यथा न तथा, सर्वाण्यादित्यतेजांसि ॥ વિષયસુખની જેને લેશ પણ ઇચ્છા નથી પ્રશમ, ક્ષમા, કોમળતા, સરળતા, સત્ય વગેરે ગુણોથી જે શોભાયમાન છે, એ મહાત્મા જેવા પ્રકાશે છે એવું તો સર્વ સૂર્યોનું તેજ પણ પ્રકાશતું નથી. મમ્મી,