________________
સંયમ કબ હી મિલે ?
સંયમમાં એકતાન મન હોય
ને એ જીવનું આયુષ્ય પૂરું થાય
તો જીવ મોક્ષ પામી શકે
અને કદાચ મોક્ષ ન થાય
તો ય એ જીવ વૈમાનિક દેવલોક તો અવશ્ય પામે.
મમ્મી,
સંસારમાં આપણું મન ક્યાં ભમતું હોય છે
ને આપણે કેવા કેવા કામો કરવા પડતા હોય છે,
એ આપણે ક્યાં નથી જાણતા ?
આ ઘર-ધંધો-દુકાન ને સાંસારિક વ્યવહારો લઈને બેઠાં પછી
આર્તધ્યાન કેટલું બધું સુલભ બની જાય !
કઈ પળે આયુષ્યનો બંધ થઈ જાય,
ને આપણો આત્મા તિર્યંચગતિના રવાડે ચડી જાય
એનો શો ભરોસો !
મમ્મી,
એક બિલાડીનો ભવ મળશે
ને કબૂતરને ફાડીને એનું માંસ ખાતા ખાતા
ભયંકર રૌદ્રધ્યાનમાં આયુષ્યનો બંધ કરીને આપણે સીધા નરક ભેગા થઈ જઈશું. મમ્મી,
આ ઘર-સંસારમાં નરક બહુ જ સસ્તી છે.
આજે તું મોહાધીન થઈશ,
મને પીગળાવવાનો ને લાગણીવશ બનાવવાનો પ્રયાસ કરીશ,
૬૧