________________
૬૬
પ્રવચન સાથે આ સમસ્ત ઘટના લખેલી છે.
Please read once Mummy.
આ બધાં જ્ઞાન વગર આપણે સાવ જ અંધારામાં હોઈએ છીએ,
અને અંધારામાં કોઈ પણ નિર્ણય લેવામાં
સંયમ કબ હી મિલે ?
પૂરે પૂરું જોખમ સમાયેલું હોય છે.
આ Storyમાં મમ્મી તે માર્ક કર્યું હશે -
મા-દીકરો જ અંતિમ ભવમાં પતિ-પત્ની બનવા જઈ રહ્યા હતા,
This is સંસાર.
આ તો જાતિસ્મરણ જ્ઞાન થયું, ને બંને અટકી ગયા,
બાકી અનાદિ સંસારમાં આવી ઘટના અનંતવાર બની ચૂકી હોય છે.
વૈરાગ્યશતકમાં કહ્યું છે
जणणी जायइ जाया जाया माया पिया य पुत्तो य । अणवत्था संसारे कम्मवसा सव्वजीवाणं ॥
-
માતા મરીને પત્ની થાય છે
પત્ની મરીને માતા થાય છે.
પિતા મરીને પુત્ર થાય છે.
આ સંસારમાં કોઈ જ વ્યવસ્થા નથી. સિસ્ટમ નથી. કારણ કે બધાં જ જીવો કર્મવશ છે.
સાવ જ પરાધીન છે.
પ્રશમરતિમાં પણ કહ્યું છે
माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे ।
व्रजति सुतः पितृतां भ्रातृतां शत्रुतां चैव ॥
માતા મરીને દીકરી થાય છે...એ મરીને બહેન થાય છે...