Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 65
________________ સંયમ કબ હી મિલે ? જાતિસ્મરણ જ્ઞાન પામે છે. પોતાની દુર્ગતિની ભયાનક પરંપરા જોઈને ચોંકી જાય છે. બંને ચારિત્રની સાધના કરીને દેવલોકમાં જાય છે. અંતિમ ભવમાં દીકરાનો જીવ યશોધર રાજકુમાર થાય છે. ‘મા’નો જીવ વિનયમત રાજકુમારી થાય છે. બંનેના વિવાહ નક્કી થાય છે. પરણવા જતા રસ્તામાં મુનિવરના દર્શન થયા. રાજકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવો જોયા. પરમ સંવેગ થયો. પિતા વગેરેને સમસ્ત ભવો જણાવ્યા. રાજકુમારી સુધી આ બધી વાત પહોંચી. તેને ય જાતિસ્મરણ જ્ઞાન થયું. હું જ એ માતાનો જીવ છું, એમ એણે બધાને કહ્યું. બંનેએ દીક્ષા લીધી અને આત્મકલ્યાણ કર્યું. જોયું ને મમ્મી, પુત્રમોહનું પરિણામ કેવું આવ્યું ! દીક્ષા માટે ફકત બે દિવસનો વિલંબ કરવા જતા કેટકેટલી હોનારતો સર્જાઈ ગઈ ! દીકરાનું પણ કેટલું ભયંકર અહિત થયું ! અને માતાની પણ કેટલી દયનીય દશા થઈ. This is nothing Mummy, સમરાદિત્ય કથામાં આ સમસ્ત કથાનો હૃદયવેધક ચિતાર છે. યશોધરમુનિચરિત્ર (Part 1 & 2) માં ૫

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84