Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 59
________________ સંયમ કબ હી મિલે ? સંસારમાં ડગલે ને પગલે લાચારી છે...ફિકાશ છે... સંયમમાં દેદીપ્યમાન તેજ છે. લોકો વિચારે છે કે ‘હાય હાય...આણે તો દીક્ષા લઈ લીધી, એ તો બધા વિષયસુખોથી આજીવન વંચિત થઈ ગયો, અરે...બિચારો...' પણ મમ્મી, એ લોકો એ નથી જોઈ શકતાં, કે વિષયસુખોને પામવાની ભૂતાવળમાં સંસારી જીવો કેટલાં હાંફળા ને ફાફળા થઈને જીવનભર દોડતા જ હોય છે, એ સુખો નથી મળતા તો માણસ તૃષ્ણાથી દુ:ખી હોય છે, મળે છે તો માણસ તુલનાથી દુ:ખી હોય છે. ‘એ મળે તો હું સુખી’ આવી મનોદશા જ પોતાના સુખને ગીરવે મુકવા જેવી હોય છે. જ્યાં સુધી કાંઈ જોઈએ છે, ત્યાં સુધી માણસ ભિખારી છે. દુઃખી અને ભૂખ્યો છે. ખરી શ્રીમંતાઈ, ખરું સુખ, ખરી અસ્મિતા એ બધું તૃપ્તિમાં છે. તૃપ્તિ. જ્યાં કશું જ જોઈતું નથી. હૃદયપ્રદીપ કહે છે तावत् सुखेच्छा विषयार्थभोगे, यावन्मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ॥ વિષયોની પાસેથી સુખની અપેક્ષા ત્યાં સુધી જ રહે છે, ૫૯

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84