________________
૫૩
સંયમ કબ હી મિલે? મને અંતરના આશીર્વાદોથી નવડાવી દેવાનો. મમ્મી, જો તારા જેવી સમજુ અને ધર્મી પાસેથી હું આવી અપેક્ષા નહીં રાખું, તો કોની પાસેથી રાખીશ? ellos 42711, Permit me. તારી અનુમતિ પણ તારું એવું જબરદસ્ત સુકૃત બની જશે, કે એનાથી તારો પણ શીધ્ર નિસ્વાર થશે. બાકી, તું મને મોહથી રોકી રાખે, તો હમણા કહ્યા એમાંથી એક પણ બ્લાસ્ટથી તું મને બચાવી શકવાની નથી. લાખો રૂપિયા આપી દેતા ય એક દુર્ઘટના અટકાવી શકાતી નથી. કરોડો રૂપિયા ધરી દેતા ય આવતો એટેક પાછો ફરતો નથી. મોહ તો ઉલ્ટો Time bombsના ગુણાકારો કરે છે એનાથી Blastsને ખાળવાની આશા શી રીતે રાખી શકાય ? મમ્મી, સંયમજીવનનો અર્થ છે શૂળીની સજા સોયથી. નરકમાં કરોડો વર્ષો સુધી વેદના ભોગવીને જે કર્મક્ષય થઈ શકે, તે સંયમજીવનમાં એક શ્વાસોચ્છવાસ માત્રથી થઈ શકે છે. મમ્મી, જેની નજર સામે આ વાસ્તવિકતા હોય, એને સંયમજીવનની ચર્યામાં કષ્ટ લાગે ? કે પછી મજા લાગે ? આખી દુનિયા રૂપિયા માટે લોહી-પાણી એક કરે છે, કેટલી ભાગદોડ, કેટલો પરિશ્રમ, કેટકેટલી ઉથલપાથલો કરે છે ! છતાં પણ આ બધું એના માટે કષ્ટજનક કે કંટાળાજનક નથી હોતું,