________________
સંયમ કબ હી મિલે ?
ત્રણ કરોડ સૈનિક...
બધું જ છોડીને...સંયમ સ્વીકારીને...એ રાજર્ષિ ચાલી નીકળ્યા.
એમને જેટલો ઝળહળતો વૈરાગ્ય હતો
એટલો જ બધાંને હજી એમના પર રાગ હતો.
હજી બધાં એમની દીક્ષાને સ્વીકારવા તૈયાર ન હતાં
દિવસોના દિવસો સુધી એ આખો ય પરિવાર
એ કરોડોનો રસાલો
એમની પાછળ ને પાછળ ફર્યો.
રાણીઓ ચોધાર આંસુએ રડે છે, પરિવાર વિલાપ કરે છે.
મંત્રીઓ વિનવે છે, હાથીઓ ને ઘોડાઓ ટપોટપ આંસુ પાડે છે,
બધાંની એક જ વાત છે - પાછાં ફરો.
“તમારા વિના અમે બધાં ય અનાથ છીએ, આપ અમને સનાથ કરો.
શું ગુનો છે અમારો કે આપ અમને છોડો છો,
આપના વિના અમારું કોણ ?
કૃપા કરો, પાછા ફરો.’’
પાછા ફરવાની વાત તો દૂર,
એ રાજર્ષિ આંખો ઊંચી કરીને જોતા સુદ્ધા
। નથી. હૈયું હચમચાવી દે એવી સામે કાકલૂદીઓ થઈ રહી છે ને એમનું એક રુંવાડું પણ ફરકતું નથી.
અંતરમાં વૈરાગ્યની અખંડ જ્યોત ઝળહળી રહી છે.
૪૫
ને એના અજવાળામાં એ રાજર્ષિને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,
કે જો આ લોકોની લાગણીમાં હું તણાયો,
જો એમના સ્નેહપાશમાં હું બંધાયો,