________________
૫૦
એનું ચાલે તો એનો જાન દઈને ય વાછરડાને બચાવે. છોડાવનારનું ચાલે તો એ ગાયને ય છોડાવી દે. પણ એ શક્ય ન હોય,
તો ગાય માટે વાછરડાને સહર્ષ રજા આપવાનો
ને એના છૂટકારામાં રાજી થવાનો
એક જ વિકલ્પ હોઈ શકે ને ?
સંયમ કબ હી મિલે ?
મમ્મી,
સંસાર એક કતલખાનું છે.
મૃત્યુની અનંત પરંપરાઓ એ દ્રવ્ય કતલ છે. વિષય-કષાયોના પ્રહારો એ ભાવ કતલ છે. મમ્મી,
શું તું એવું ઇચ્છે છે કે હું આમાં કપાઈ જાઉં.
શું હું છૂટી જાઉં એમાં તું રાજી નહીં થાય ?
કદાચ સંયમજીવનના કષ્ટોમાં પણ તને કતલ જેવું લાગે,
અને એ કારણે મને અનુમતિ આપતા તારો જીવ અચકાય,
પણ મમ્મી, હકીકતમાં સંયમજીવનનું કષ્ટ એ કષ્ટ જ નથી, એ તો ઓપરેશન છે.
એના વિના કર્મોની ગાંઠો નીકળે તેમ જ નથી.
ને કર્મોની ગાંઠો નહીં નીકળે તો મારા ખૂબ ભૂંડા હાલ થવાના એ નિશ્ચિત છે.
કર્મોની ગાંઠો તો આત્મામાં લાગેલા Time-bombs છે.
સ્થિતિને અનુસારે એમનો વિપાક થશે
એટલે એવા Blasts થશે કે જેની મેં કલ્પના ય નહીં કરી હોય.