________________
૪૬
ને પાછો ફર્યો,
તો પછી મારું નરકગમન નિશ્ચિત છે.
દેખાતું આ બધું જ સુખસામ્રાજ્ય હકીકતમાં તો નરકનું ભાથું છે.
સાતમી નરકની કારમી પીડાઓમાં હું ભયંકર ચીસો પાડતો હોઈશ, ત્યારે આ બધામાંથી મને કોણ બચાવવા આવવાનું છે ?
कोइ किसी के काम न आये ।
કોઈ કોઈને કામ આવતું નથી.
હું મારા રસ્તે પડીશ. એ બધાં એમના રસ્તે પડશે.
सव्वे जीवा पुढो पुढो ममत्तं बंधकार
સંયમ કબ હી મિલે ?
પપ્પા,
બધાં જીવો જુદા જુદા છે...બધાં જ છૂટ્ટા છે...
એમના પ્રત્યેના મમત્વભાવથી જ આપણે બંધાયેલા રહીએ છીએ
સાધના કરવાની સ્વાધીનતા હોય છે,
ત્યારે જીવ આ બધી મથામણોમાં રચ્યો પચ્યો રહે છે.
જાત જાતની ફરજો નિભાવવામાં આત્મા પ્રત્યેની ફરજ ભૂલાઈ જાય છે.
અંતે વહેલા કે મોડા એ બધાં જ જીવો પોતપોતાના રસ્તે પડે છે
ને આપણો પોતાનો આત્મા પણ ભવભ્રમણમાં આગળ વધે છે, જ્યાં સાધનાની સ્વાધીનતા તો નથી જ હોતી
સમજ સુદ્ધા નથી હોતી.
धम्माराहणं खु हियं सव्वसत्ताणं ।
એની બદલે એક આત્મા સાધનાના માર્ગે જાય,
તો એનું પોતાનું પણ કલ્યાણ થાય છે
અને બીજાનું પણ કલ્યાણ થાય છે.