________________
સંયમ કબ હી મિલે ?
ત્યારે એના કરતાં અનંતગણી વેદના થતી હોય છે.
માતા અને પુત્ર બંને માટેની ‘નરક’ હોય છે જન્મ. શું તું ઇચ્છે છે, કે આપણે ફરી ફરી આ પીડાના ભોગ બનીએ ?
ચૌદ રાજલોકમાં મોક્ષ જ એવું સ્થાન છે, જ્યાં જન્મ નથી.
અને જન્મ નથી, એથી જ એની સાથે જોડાયેલી હાડમારીઓ પણ નથી. મોક્ષમાં ઘડપણ નથી.
न जरा -
ઘડપણ એ કદાચ ડબલ મોત છે.
અપેક્ષાઓ જ્યાં ખૂબ જ વધે છે
ને સાથે સાથે જ અપેક્ષાઓ જ્યાં ખૂબ જ તૂટે છે.
જાતે જ ઉછેરેલા...કાળજાની કોર ને આંખોના તારા ગણેલા
પોતાના જ સંતાનો જ્યારે પોતાનું જ અપમાન કરે,
ચૂપ રહેવાના ઓડર્સ આપે, રૂમની બહાર આવવાની મનાઈ કરે,
સાચી વાતને પણ ધડ્ દઈને કાપી નાખે,
જરૂરિયાતોની પણ ધરાર ઉપેક્ષા કરે,
ને લાગણીવશ બનેલા લાગણીભૂખ્યા હૈયાને ઊભે ઊભું ચીરી નાંખે. આ છે ઘડપણ.
પોતાના જ ઘરમાંથી પોતાની જ હકાલપટ્ટી થાય,
જે હકાલપટ્ટી કરનારા પાછા પોતાના જ હોય.
આપણે જેમની સાથે પૂરે પૂરા જોડાઈ ગયા હોઈએ,
એ આપણી સાથેથી પૂરે પૂરો છેડો ફાડી લે
આ વેદનાનું નામ છે ઘડપણ.
કોને દોષ આપવો ? સંસારનું આ જ સ્વરૂપ છે. આ જ ક્રમ છે.
ફફસો ચેવ સંમારો – સંસા૨ આવો જ હોય.
-
૨૭