________________
સંયમ કબ હી મિલે ?
કારણ કે એ જેટલો સમય છે, એનાથી વધુ તો એ નથી.
જેટલો સમય નથી, એના અનંતમા ભાગના સમય માટે જ છે.
બહેતર છે સમજી લઈએ - એ નથી.
પૈસો નથી. પરિવાર નથી. સગાં-સંબંધીઓ નથી.
પપ્પા,
સંયમ પ્રાપ્તિ માટે હકીકતમાં આપણે કશું જ છોડવાનું નથી,
સિવાય ભ્રમણા
કે મારું કાંઈ છે.
પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર કહે છે
से हुदिप मुणी जस्स णत्थि ममाईअं
મોક્ષમાર્ગના દષ્ટા એ મુનિ છે, જેમને ‘મારું’ એવી ભ્રમણા નથી.
માણસ ભ્રમણામાં જ રાચે છે, ભ્રમણામાં જ જીવે છે.
ને એ ભ્રમણાને ચોટ લાગે ત્યારે આંસુઓ પાડીને રડે છે. પ્લીઝ પપ્પા,
આવું અદ્ભુત જિનશાસન પામીને પણ આપણે એવું જ કરશું ?
Why ? એવી આપણને શું જરૂર છે ?
આંખો બંધ રાખીને ગાડરિયા પ્રવાહમાં તણાઈને
આપણે ય કૂવામાં પડવું જ પડે,
એવી આપણને શી મજબૂરી છે ?
પપ્પા,
સંસારમાં આપણે જે જે વસ્તુને પકડીને બેઠાં હોઈએ છીએ,
તે તે વસ્તુનો અનુભવ તો થાય છે,
આપણને તે તે વસ્તુ મળી...તે તે વ્યક્તિ મળી...
33