________________
સંયમ કબ હી મિલે ?
પરિવારમાં હવે બીજો કોઈ જ પુરુષ-સભ્ય બચ્યો ન હતો.
સિવાય એક પુત્ર.
એ ભાઈ જ્યારે ગુરુદેવને વંદન કરવા આવ્યા,
ત્યારે ગુરુદેવે તેમને આશ્વાસન આપ્યું -
“તમે ચિંતા નહીં કરતાં, જીગરની દીક્ષા આપણે પછી કરશું.” ભવસ્વરૂપને સમજેલા એ ભાઈએ જવાબ આપ્યો,
“સાહેબજી, હું આપને એ જ કહેવા આવ્યો છું,
કે જે મુહૂર્તે એની દીક્ષા છે,
એના કરતાં પણ વહેલું કોઈ મુહૂર્ત આવતું હોય,
તો એ મુહૂર્તે દીક્ષા આપી દો,
કારણ કે આયુષ્યનો કોઈ જ ભરોસો નથી.’’
પપ્પા,
જીવનને માથે મોત છે. સુખને માથે દુઃખ છે. સંયોગના માથે વિયોગ છે.
એકને લેવા જતાં બીજું અવશ્ય સાથે આવવાનું જ છે.
એ ન આવે ત્યાં સુધી પણ સતત માથે તોળાવાનું જ છે.
જેના આધારે આપણે સંસારમાં બેઠાં હોઈએ છીએ,
એ
ખુદ નિરાધાર હોય છે.
તા અતમિસ્ત્ય પકિવંધેī - તો પછી આવા સંસારના રાગથી સર્યું.
–
૩૭
વોહ મે અનુપાતૢ - પ્લીઝ, આપ મારા ઉપર કૃપા કરો
૩પ્નમહ ાં વુધ્ધિવિત્તણ્ - સંસારનો અંત લાવવા માટે આપ ઉદ્યમવંત
થાઓ.
પપ્પા,