________________
૪૨
સાતે નરકના બધાં જ જીવોને મુક્ત કરી દઉં, નિગોદની જેલના દરવાજા ખોલી નાંખું, બધાં જ તિર્યંચોને સાધનામાં જોડી દઉં, બધાં જ દેવોને સાધુતાનો સ્પર્શ કરાવી દઉં,
પણ પપ્પા, I know, That's impossible,
Not possible at all.
આ તો મારી ભાવનાની વાત છે.
પણ મારા એકની બાબતમાં તો એ Possible છે જ ને,
અને જો આપ ઇચ્છો, આપ કૃપા કરો, આપ મારી વાત માનો,
તો આપ સહુના માટે પણ આ Possible છે જ.
ચાલો ને પપ્પા, આપણે . સહુ આપણે ખુદ સર્વદુઃખોથી મુક્ત થઈએ
અને બીજા પણ અનેક જીવોને મુક્ત કરીએ.
આજે મારી પાસે આ જ્ઞાન અને વૈરાગ્યની ભૂમિકા છે,
અને સંયમજીવનની પ્રાપ્તિ બાદ તો ગુરુમહારાજ બેઠાં જ છે.
સંયમજીવનની સાધના કરીએ,
સંયમ કબ હી મિલે ?
I know Papa,
આ ભવસાગરને માત્ર મારા બાવડાના જોરે નથી તરવાનો, ગુરુની કૃપાથી તરવાનો છે.
હું ખૂબ જ ભાગ્યશાળી છું
કે આ કાળમાં પણ મને ઊંચા ગુરુ મળ્યા છે
એમના ગુણો, એમની કરુણા, એમનું વાત્સલ્ય, એમનું પીઠબળ, એમનું આલંબન, એમની પ્રેરણા,
–