Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 30
________________ ૩૦ સંયમ કબ હી મિલે? એ પણ આ વાસ્તવિકતાને પુરવાર કરે છે. આપણો આખો ય ભૂતકાળ આવી તકલીફોથી ભરેલો હતો. એકવાર થોડું સત્ત્વ ફોરવીએ, તો કાયમ માટે આપણે તકલીફોથી મુક્ત થઈ જઈશું. નાળિzસંપળ - મોક્ષમાં અનિસંયોગ નથી. ન ગમતું ઘણું બધું સંસારમાં માથે આવી પડે છે. કેટલુંય નભાવવું પડે, ચલાવવું પડે...મન મનાવવું પડે. મોક્ષમાં આ મજબૂરી નથી. न खुहा न पिवासा न अन्नो कोइ दोसो । નથી ભૂખ..નથી તરસ નથી બીજો કોઈ દોષ નથી કોઈ જ જાતનું દુઃખ..આ મોક્ષની મજા છે. મમ્મી, ત્રાજવાના એક પલ્લામાં આખા ય સંસારનું બધું જ સુખ રાખી દઈએ, અને બીજા પલ્લામાં મોક્ષનું સુખ રાખી દઈએ, તો મોક્ષનું સુખ વધી જાય. આગમમાં કહ્યું છે – तं णत्थि मणुस्साणं सुक्खं, ण वि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ સર્વ મનુષ્યોનું સુખ...રાજા-મહારાજા-ચક્રવર્તીઓનું સુખ... સર્વ દેવોનું સુખ... ઇન્દ્રો-અહમિન્દ્રોનું પણ સુખ મોક્ષના સુખની સામે પાણી ભરે. सुरगणसुहं समग्गं, सव्वद्धापिंडियं जइ हवेज्जा । ण वि पावइ मुत्तिसुहं, ऽणंताहिं वि वग्गवग्गेहिं ॥

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84