________________
સંયમ કબ હી મિલે ?
પણ એમાં આ અણમોલ અવસર હાથમાંથી નીકળી જતો હોય છે.
दुल्लहं मणुअत्तं समुद्दपडिअरयणलाभतुल्लं ।
દરિયાપાર જવા નીકળેલા વહાણમાં એક વેપારી બેઠો છે.
એણે જે કમાણી કરી હતી એ બધી જ એક રત્નમાં લગાવી છે.
અબજો રૂપિયાના મૂલ્યવાળું છે એ રત્ન.
વહાણની ધારે બેસીને એ એ રત્નને જોઈ રહ્યો છે
ને ત્યાં જ એ રત્ન એના હાથમાંથી છટકે છે
ને જતું રહે છે દરિયાના અગાધ પાણીમાં.
હવે ? ફરી પાછું મળે એ રત્ન ? કદાચ મળે તો કઈ રીતે મળે ? જેટલી મહેનતથી એ રત્ન મળે...જેટલું દુર્લભ એ રત્ન હોય, એટલો જ દુર્લભ છે મનુષ્ય ભવ.
મમ્મી,
ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં જુદાં જુદાં પદાર્થો દ્વારા મનુષ્યભવની દુર્લભતાનો જે ચિતાર આપ્યો છે
એ જાણીને ખરેખર ચક્કર આવી જાય એવું છે,
આકાશ, પાતાળ એક કરીને...લોહી-પાણી એક કરીને P.M.ની Seat મળી હોય
ને એ મળ્યા પછી એ P.M. એક જ મિનિટમાં રાજીનામું આપી દે, એના જેવી આજે મોટા ભાગના મનુષ્યોની સ્થિતિ છે.
તેઓ તો બિચારાં મૂઢ છે, અજ્ઞાની છે, અંધારામાં છે, આપણે શું જાણીને પણ એવી જ ભૂલ કરશું ? મમ્મી,
૧૭