________________
૧૮
પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે
दुल्हे खलु माणूसे भवे, चिरकालेण वि सव्वपाणीणं ।
गाढा य विवाग कम्पुणो, समयं गोयम ! मा पमायए ॥
હે ગૌતમ ! લાંબા સમયે પણ ફરી મનુષ્ય ભવ મળે
એ સર્વ જીવો માટે ખૂબ જ મુશ્કેલ છે.
કર્મોના વિપાકો ખૂબ જ આકરા હોય છે
=
સંયમ કબ હી મિલે ?
માટે તું આત્મહિતની સાધનામાં એક સમય માટે પણ પ્રમાદ ન કરીશ.
બીજા ભવોમાં આ સાધના થવી શક્ય જ નથી.
अइप्पभूआ अण्णे भवा दुक्खबहुला मोहंधयारा अकुसलाणुबंधिो ।
બીજા ભવો તો ઘણા છે, પણ એમાં દુઃખોનો પાર નથી,
ચારે બાજુ મોહનો અંધકાર છવાયેલો છે,
ને એ ભવો પછી જે પરંપરા ચાલે છે,
એમાં પણ શુભ કહી શકાય, એવું કશું જ નથી.
Tell me Mummy-Papa,
પગ તળે કચરાઈ જતી કીડી કઈ સાધના કરી શકે ?
બારીની ફાંટમાં બે ટુકડા થઈ જતી ગરોળી કઈ તપસ્યા કરી શકે ? કતલખાનામાં કરપીણ હત્યા પામતો પશુ શું સ્વાધ્યાય કરી શકે ? માછીમારની જાળમાં તરફડતી માછલી શું આત્મહિત કરી શકે ? સૂપ બની જતું ચિકન શું જિનાજ્ઞાપાલન કરી શકે ?
જયૂસ બની જતું ફ્રુટ શું મોક્ષયાત્રા કરી શકે ?
દર્દીલી ચીસો પાડતો નારક શું દીક્ષા લઈ શકે ?
વિરતિથી ધરાર વંચિત દેવો દુ:ખી થવા સિવાય બીજું શું કરી શકે ? કરી શકવાની વાત તો પછીની છે.