________________
સંયમ કબ હી મિલે ?
આ બધાં એવા ચિરત્રો છે, જેમાં ચારિત્રસાધનાને કારણે ભવોભવના સુખદ સંયોગોના ઢગલાબંધ ઉદાહરણો છે. ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈને આપણને કહ્યા છે.
મમ્મી, આપણે જેમની પૂજા કરીએ છીએ,
આપણે જેમને સર્વજ્ઞ માનીએ છીએ...કરુણાસાગર કહીએ છીએ,
એ ભગવાનની આ વાત છે.
જેઓ કોઈ મા-બાપને દુ:ખી કરવા માંગતા નથી.
એમની વાત તો સર્વ હિતની છે.
એમની આજ્ઞાના પાલનમાં સૌનું હિત છે એમાં કોઈ જ શંકા નથી. મમ્મી,
આપણી ઇચ્છા મુજબ ચાલીને જ તો આપણે સંસારમાં ભટકવા છીએ. આપણી બુદ્ધિએ જ તો આપણને નરકમાં દુઃખી દુઃખી કર્યા છે. અનંતકાળ સુધી અનંતાનંત દુઃખોને ભોગવ્યા પછી
અનંત પુણ્યના ઉદયથી આવો સાચો ધર્મ મળ્યો.
અનંત ઉપકારી દેવ-ગુરુ મળ્યા.
ને હજી ય આપણે એમનું નહીં માનીએ, તો ક્યારે એમનું માનીશું ? આ ભવમાં નહીં છૂટીએ, તો કયાં ભવમાં છૂટીશું ?
મમ્મી,
૧૩
છૂટવાની શક્યતા માત્ર મનુષ્યભવમાં જ છે. એ પણ ગર્ભજ ભવમાં. જ્યાં માતા-પિતા-પુત્ર-પતિ-પત્ની વગેરે સંબંધો હોય છે.
I can understand કે મોહ જરૂર હોય છે.
સંતાનો પ્રત્યેનું મમત્વ સૌને સતાવે.
પણ ક્યારેક તો...કોઈ ભવમાં તો સત્ત્વ દાખવવું જ પડશે.