________________
સૂરત અને સૂરીશ્વરજી
- પરમ પૂજ્ય આગમ દ્વારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ પિતાનું આખું જીવન જૈનશાસનની સેવામાં વીતાવ્યું હતું અને પોતે અથાગ મહેનતથી શુદ્ધ કરેલા જિનાગોને મુદ્રણ કરાવીને, આરસ ઉપર કે તરાવીને અને તામ્રપત્ર ઉપર ઉપસેલા અક્ષરથી આરૂઢ કરીને ત્રણ પ્રકારે તેનો ઉદ્ધાર કર્યો તેમના ત્રીજા, ઉદ્ધારનું કાર્ય ભાગે સૂરતને સાંપડ્યું. તે તામ્રપત્ર ઉપર આરૂઢ કરેલા આગમે સુરતમાં એક દેરાસર બંધાવી તેની દીવાલ ઉપર લગાડવાનું નકકી થયું. આથી તે માટે અન્ય ધાર્મિક વહીવટ માટે ગુરૂદેવશ્રીને ઉપદેશથી એક પેઢી સ્થાપવાનું નકકી થયું અને શ્રી ચતુર્વિધ સંઘે સંવત ૨૦૦૨ના વૈશાખ સુદ ૧૧ ને શનિવારના દિવસે શ્રીઆગોદ્ધારક સંસ્થાની સ્થાપના કરી અને તે સંસ્થાદ્વારા સુરતમાં શ્રી વર્ધમાન જૈનતામ્રપત્ર આગમમંદિર બાંધવામાં આવ્યું.
ખાતમુહૂર્ત પ્રતિષ્ઠા - આ આગમમંદિર (દહેરાસરજી) બાંધવા માટે સુરતના સુપ્રસિદ્ધ રાવબહાદૂર નગીન ચ દ ઝવેરચંદ ઝવેરીના સુપુત્ર શેઠ સભાગચંદના સુપત્ની રતનબહેને આશરે રૂ. ૩૦,૦૦૦] અંકે ત્રીસ હજારની જમીન ભેટ આપી, અને તેના ઉપર આ દહેરાસર બાંધવા માટે સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને દિવસે ખાતમુહૂર્ત સંધવી શેઠ માણેક્લાલ મનસુખભાઈ અમદાવદિવાળાના હસ્તે કરાવી કામ શરૂ કર્યું અને નવ માસ જેટલા ટૂંકા સમયમાં જ આ દહેરાસરનું કામ પુરૂ કરી સંવત ૨૦૦૪ મહા સદ ને શુક્રવારે પરમ પૂજય અગાદ્ધારક આચાર્યદેવશ્રી
નવસાગરસૂરીશ્વરજીના વરદ હરતે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી આ દહેરાસર બાંધવામાં તથા પાછળથી દિવાલોમાં સો વગેરે પુરાવી ટેકોરેશન વિગેરે કરવામાં તેમજ તામ્રપત્ર ઉપર આગમો તૈયાર કરાવવા વિગેરેમાં કુલે લગભગ રૂ. ૫,૦૦,૦૦૦નો અંકે પાંચ લાખ રૂપિયા ખર્ચ થયે છે.