________________
દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા'ના || શબ્દશઃ વિવેયન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩ર અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ દ્વાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
“દ્વાત્રિશદ્વાર્નાિશિકા' ગ્રંથ સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમન ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા ગુંથી છે. જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી, જિનાગમનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર, સમર્થ શાસ્ત્રજ્ઞ, સૂરિપુંગવ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પ્રત્યે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને અનહદ ભક્તિ અને આદર હતો અને તેઓશ્રીના શાસ્ત્રગ્રંથોનો તલસ્પર્શી બોધ પણ હતો. સાંગોપાંગ યોગમાર્ગને દર્શાવનારા મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિંશિકા, યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય ઇત્યાદિ ગ્રંથરત્નોના પદાર્થો મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તર્કબદ્ધ રીતે સંકલન સ્વરૂપે, સમવતાર સ્વરૂપે અને સંવાદી સ્વરૂપે સ્વગ્રંથોમાં સંગૃહીત કર્યા છે. જેમાં મુખ્યત્વે ‘યોગદૃષ્ટિસમુચ્ચય” ગ્રંથના પદાર્થોનો અનુપમ સંગ્રહ, વિશદીકરણ અને વિવેચન આ ‘ધાáિશદૂદ્ધાત્રિશિકા' ગ્રંથની ૨૦ થી ૨૪ એમ કુલ પાંચ કાત્રિશિકામાં કરેલ છે. કુતર્કગ્રહનિવૃત્તિકાત્રિશિકા' આ ગ્રંથનું ૨૩મું પ્રકરણ છે.
‘મિત્રાદૃષ્ટિધાત્રિશિકા-૨૧” અને “તારાદિત્રયદ્વત્રિશિકા-૨૨'માં આઠ યોગ દૃષ્ટિ પૈકી પ્રથમની ચારનું વર્ણન કર્યું અને બાકીની સમ્યક્તના સંબંધવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org