Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 80
________________ ઉ૩ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ સર્વજ્ઞની ઉપાસના કરનારા સર્વ દર્શનોના યોગીઓ સમાન છે, તો તત્ત્વને જાણનારાઓને જૈનદર્શન પ્રત્યે વિશેષ પક્ષપાત કઈ રીતે હોઈ શકે ? અને જો તેમ પક્ષપાત ન હોય તો જૈનદર્શનને સ્વીકારનારા તત્ત્વને જાણનારા યોગીઓ પણ અન્ય દર્શનના દેવોને ઉપાસ્ય તરીકે સ્વીકારતા નથી, એટલું જ નહીં પણ સમ્યક્ત્વ ઉચ્ચરાવતી વખતે “અન્ય દેવોની પ્રતિમાઓને હું નમીશ નહીં' એ પ્રકારની પ્રતિજ્ઞા પણ કરે છે, તે કઈ રીતે સંગત થાય ? તેની સ્પષ્ટતા કરવા માટે અન્ય દર્શનવાળા ઉપાસકો સર્વજ્ઞના દૂરવર્તી ઉપાસકો છે, અને તત્ત્વને જાણનારા જેનદર્શનમાં રહેલા યોગીઓ સર્વજ્ઞના આસન્ન ઉપાસકો છે; તોપણ સામાન્ય રીતે સર્વ દર્શનોમાં રહેલા યોગીઓ એક સર્વજ્ઞના ઉપાસક છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, એ બતાવવા માટે કહે છે -- શ્લોક : दूरासनादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ।।१८।। અન્વયાર્ચ - દૂરાસન્નવિમેવોડદૂર-આસન્નાદિ ભેદ પણ તકૃત્યત્વે તેના મૃત્યપણાને સર્વજ્ઞના ઉપાસકપણાને નિત્તિ હણતો નથી, મિત્રાચારે áપિ=ભિન્ન આચારમાં પણ નામાવિમેવેન=કામાદિ ભેદથી વ: પ્રમુ=એક પ્રભુ છે=એક ઉપાસ્ય સર્વજ્ઞ છે. I૧૮ાા શ્લોકાર્ચ - દૂર-આસન્નાદિ ભેદ પણ સર્વાના ઉપાસકપણાને હણતો નથી. ભિન્ન આચારમાં પણ નામાદિ ભેદથી એક પ્રભુ છે અર્થાત્ એક ઉપાસ્ય સર્વજ્ઞ છે. II૧૮il. ક દૂરાસન્નમેરોડપિ' - અહીં “મરિ' થી આસન્નતર આસન્નતમનું ગ્રહણ કરવું અને ' થી એ કહેવું છે કે દૂરઆસન્નાદિ ભેદનો અભાવ તો સર્વજ્ઞના ઉપાસકપણાને હણતો નથી, પરંતુ દૂરઆસન્નાદિ ભેદ પણ સર્વજ્ઞના ઉપાસકપણાને હણતો નથી. નામેન' – અહીં ‘વ’ થી ઉપાસ્યની પ્રતિમાના આકારનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140