Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004683/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત ડ્રાઈગ્રહનિવૃતિદ્વાબ્રિઝા શબ્દશઃ વિવેચન ત્રેવીસમી બત્રીશી વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાચિંશદ્વાચિંશિકા અંતર્ગત કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર જ લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શન વેત્તા પ્રાવચનિક-પ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ જ વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - 9 સંકલન-સંશોધનકારિકા છે. પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : પ્રકાશક : માતથ - ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃતિહાવિંશિકા શબ્દશઃ વિવેચન વિવેચનકાર છે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૪ વિ. સં. ૨૦૬૪ આવૃત્તિઃ પ્રથમ જનકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૪૫-૦૦ NO . : ૦ ૦ ૦ ૦ F આર્થિક સહયોગ | “પરમારાથ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી સિદ્ધહસ્ત લેખક પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય. પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તપસ્વી મુનિરાજ શ્રી પ્રશમપૂર્ણવિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી શ્રી આલવાડા જૈન સંઘ તરફથી આ પુસ્તકના પ્રકાશનમાં જ્ઞાનખાતાની રકમ મળી છે.” ૦ ૦ ૦ ૦ ૦ ૦ જૂ થ | મુખ્ય પ્રાપ્તિસ્થાન : માતા ના ૮૩ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક : નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૭૦૪૦૧ (ઘર) ૨૬૬ ૧૪૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ મેં : પ્રાપ્તિસ્થાન : * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ૨ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. * (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. : (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ *સુરત ઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૧ (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (0) 22875262, (R) 22259925 શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. * (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. * (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. ૧ (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. - (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ __ પ્રકાશકીય .. “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે : પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું લય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધતી વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા, ૩. સગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ [ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત] ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો લેખક :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? Page #7 -------------------------------------------------------------------------- ________________ हिन्दी व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. ३. श्रावक के बारह व्रत एवं विकल्प ४. प्रश्नोत्तरी १. जैनशासन स्थापना २. चित्तवृत्ति તેલળ :- પ. પૂ. ખિવર્ય શ્રી યુગભૂષળવિનયની (નાના પંડિત) મ.સા. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ENGLISH Lecturer : H. H.GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author : H. H, GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. ‘Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ * * ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો ગુજરાતી વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ g, વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્થંગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદૃષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાત્રિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાત્રિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાત્રિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન & Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચના ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સક્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાબિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૫. યોગલક્ષણદ્વાચિંશિકા–૧૦ શબ્દશઃ વિવેચન ૩૬. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૭. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૮. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૧. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૩. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૪. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૫. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશ: વિવેચન ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા'ના || શબ્દશઃ વિવેયન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩ર અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ દ્વાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. “દ્વાત્રિશદ્વાર્નાિશિકા' ગ્રંથ સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમન ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા ગુંથી છે. જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી, જિનાગમનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર, સમર્થ શાસ્ત્રજ્ઞ, સૂરિપુંગવ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પ્રત્યે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને અનહદ ભક્તિ અને આદર હતો અને તેઓશ્રીના શાસ્ત્રગ્રંથોનો તલસ્પર્શી બોધ પણ હતો. સાંગોપાંગ યોગમાર્ગને દર્શાવનારા મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિંશિકા, યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય ઇત્યાદિ ગ્રંથરત્નોના પદાર્થો મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તર્કબદ્ધ રીતે સંકલન સ્વરૂપે, સમવતાર સ્વરૂપે અને સંવાદી સ્વરૂપે સ્વગ્રંથોમાં સંગૃહીત કર્યા છે. જેમાં મુખ્યત્વે ‘યોગદૃષ્ટિસમુચ્ચય” ગ્રંથના પદાર્થોનો અનુપમ સંગ્રહ, વિશદીકરણ અને વિવેચન આ ‘ધાáિશદૂદ્ધાત્રિશિકા' ગ્રંથની ૨૦ થી ૨૪ એમ કુલ પાંચ કાત્રિશિકામાં કરેલ છે. કુતર્કગ્રહનિવૃત્તિકાત્રિશિકા' આ ગ્રંથનું ૨૩મું પ્રકરણ છે. ‘મિત્રાદૃષ્ટિધાત્રિશિકા-૨૧” અને “તારાદિત્રયદ્વત્રિશિકા-૨૨'માં આઠ યોગ દૃષ્ટિ પૈકી પ્રથમની ચારનું વર્ણન કર્યું અને બાકીની સમ્યક્તના સંબંધવાળી Page #11 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/પ્રસ્તાવના સ્થિરાદિ ચાર દૃષ્ટિનું વર્ણન ૨૪મી “સદ્દષ્ટિઢાત્રિશિકા'માં કર્યું. ‘તારાદિત્રયધાત્રિશિકા'માં અંતે કહ્યું કે, “અવેદ્ય-સંવેદ્યપદ જીતવું જોઈએ. આ પદ જીતવાથી પદાર્થ જેવો હોય તેવું જ યથાર્થ દર્શન-યથાર્થ વેદના થાય છે અને તેથી કુતર્કની નિવૃત્તિ થાય છે.” તેથી જિજ્ઞાસા થાય કે કુતર્ક એટલે શું? કુતર્ક શુષ્કતર્કના અભિનિવેશરૂપ છે અર્થાત્ તત્ત્વથી પદાર્થનું દર્શન કરવાના બદલે કુતર્ક સ્વમાન્યતા અનુસાર, સ્વરૂચિ અનુસાર પદાર્થને જોડવા પ્રવર્તે છે. તેથી કુતર્કની નિવૃત્તિ આવશ્યક છે. સર્વ અનર્થોનું કારણ એવો કુતર્ક વર્તતો હોવાથી જ ચાર દૃષ્ટિ સુધીના જીવો મોક્ષના અર્થી હોવા છતાં “વેદસંવેદ્યપદ' પ્રાપ્ત કરી શકતા નથી. તેથી અવિદ્યાજનિત કદાગ્રહજનક આ કુતર્કનો આગ્રહ છોડી સર્વજ્ઞના વચનરૂપ શ્રુત-શીલ અને સમાધિમાં યત્ન કરી તત્ત્વની પ્રાપ્તિ કરી સર્વ ઉદ્યમથી યોગમાર્ગના પરમાર્થને જાણવો જોઈએ, જેથી યોગમાર્ગનો જીવનમાં પક્ષપાત વધતા યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રતિબંધક કર્મોનું વિગમન થાય અને શક્તિ અનુસાર યોગમાર્ગનું સેવન થતાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ દ્વારા શીધ્ર સંસારનો અંત થાય. કુતર્કનો ત્યાગ 2 મિથ્યાત્વનો નાશ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કુતર્કથી પીડિતને પ્રત્યક્ષ નુકસાનનું દષ્ટાંત - ન્યાયશાસ્ત્ર (તર્કશાસ્ત્ર)નો અભ્યાસ કરી રહેલ કોઈ વિદ્યાર્થી રસ્તા ઉપરથી પસાર થતો હતો. સામેથી ઉન્મત્ત બનેલો, મહાવતના અંકુશથી રહિત હાથી આવી રહ્યો હતો. મહાવતે બૂમ પાડી “જલદી દૂર ભાગ, નહીંતર હાથી તને મારી નાંખશે.' ન્યાયશાસ્ત્રનું પરિણમન નહીં થયેલ હોવાથી વિદ્યાર્થી કહે છે : અરે મૂર્ખ ! યુક્તિ વિનાનું કેમ બોલે છે ? શું હાથી સ્પર્શલાને મારશે કે નહીં સ્પર્શેલાને ? જો સ્પર્શલાને મારે તો તે સ્પર્શેલો હોવાથી પહેલાં તને જ મારશે, અને નહીં અડકેલાને મારે તો આખું જગત નહીં અડકેલું હોવાથી જગતના બધા લોકોને મારશે.” આટલું બોલે છે ત્યાં હાથીએ સુંઢમાં તે વિદ્યાર્થીને પકડ્યો ને મહામુસીબતે મહાવત વડે મુક્ત કરાયો. અસ્થાને યોજેલા કુતર્કોથી જીવો પ્રત્યક્ષ કેવી નુકસાની અને વિનાશ નોતરી શકે છે, તેનું આ દ્વાર્કિંશિકામાં બતાવેલ સચોટ દૃષ્ટાંત છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/પ્રસ્તાવના એક યા બીજી રીતે આખી બત્રીશીમાં કુતર્કને છોડવાની હિતશિક્ષા આપી છે; કેમ કે, કુતર્ક ઉપશમરૂપ બગીચાની અગ્નિવાળા છે', જ્ઞાનકમળ માટે હિમ છે', “શ્રદ્ધા માટે શલ્ય છે', સદ્દષ્ટિની અર્ગલા છે. વળી કુતર્ક સ્વદર્શન કે સ્વઅભિપ્રાયનો દૃઢ આગ્રહ કરાવે, તેથી અન્ય પાસેથી તત્ત્વ કે ઉપદેશ સાંભળી ન શકે, તેને તત્ત્વની જિજ્ઞાસાદિ ક્યાંથી પ્રગટે ? તો આત્મવિકાસ પણ ક્યાંથી થાય ? તેથી કુતર્કમાં આગ્રહ ન રાખતાં શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ રાખવો. આ કુતર્કગ્રહનિવૃત્તિ વિષયનું વિશદ વર્ણન યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના ૨૨૮ શ્લોકો પૈકી લગભગ ૮૮ શ્લોકપર્યત કરેલ છે અર્થાત્ બાકીના ૧૪૦ શ્લોકોમાં ૮ દૃષ્ટિનું નિરૂપણ અને ઉપસંહાર આવી જાય છે, જે આ વિષયના અત્યંત મહત્ત્વને બતાવે છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ.પ. પૂ. મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના તથા પ. પૂ. યશોવિજયજી મહારાજ સાહેબના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક મને પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત મારી પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે. આ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા'ના ગુજરાતી લેખનના પ્રફસંશોધનાદિ કાર્યમાં હૃતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિભાઈ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સાદ્યત પ્રફસંશોધનાદિ કાર્યમાં સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. આ ત્રિશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંપાદનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ ગ્રંથના પઠન-પાઠનશ્રવણ-મનન-ચિંતન અને નિદિધ્યાસનથી સહુ કોઈ કુતર્કરૂપી ગ્રહનો ત્યાગ કરી અનાદિકાળથી વિપર્યાસ કરાવી સંસારમાં જકડી રાખનાર મિથ્યાત્વનો નાશ કરવા દ્વારા અવેઘસંવેદ્યપદ ઉપર વિજય મેળવી વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરી પાવન મુક્તિપંથે આગળ વધી વહેલી તકે પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની મંગલ કામના. ૪ ‘લ્યાામતુ સર્વનીવાનામ’ વિ. સં. ૨૦૭૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા ૫. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહેચ્છુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી 5) Page #14 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/સંકલના A ‘દ્વાદિંશદ્ધાત્રિશિકા' ગ્રંથની ૨૩મી “કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના પૂર્વની રરમી “તારાદિત્રયાત્રિશિકા'માં અવેદ્યસંવેદ્યપદ જીતવાનું કહ્યું. હવે અવેદ્યસંવેદ્યપદના જયથી થતી કુતર્કની નિવૃત્તિને આ ૨૩મી દ્વાáિશિકામાં બતાવે છે. સર્વજ્ઞના વચનથી વિપરીતરૂપે પદાર્થને જોવાની અનિર્મળ દૃષ્ટિ અવેદ્યસંવેદ્યપદ છે, અને તેના નાશથી જીવમાં માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રગટે છે, જેથી ક્યાંય કુતર્ક પ્રવર્તતો નથી. વળી, ચાર દૃષ્ટિ સુધીના જીવો મોક્ષના અર્થી હોવા છતાં પણ વેદસંવેદ્યપદને પ્રાપ્ત કરી શકતા નથી, કેમ કે સર્વ અનર્થોનું કારણ એવો કુતર્ક તેઓમાં વર્તે છે. આથી મુક્તિ ઇચ્છનારા જીવોએ કુતર્કમાં આગ્રહને છોડીને સર્વજ્ઞના વચનરૂપ શ્રત, અને સર્વજ્ઞના વચન અનુસાર આચરણારૂપ શીલ, અને ધ્યાનના ફળભૂત સમાધિમાં આગ્રહ રાખવો જોઈએ, જેથી અદ્યસંવેદ્યપદ જાય અને તેના કારણે કુતર્કની નિવૃત્તિ થાય. જો શ્રત, શીલ અને સમાધિનો આગ્રહ છોડીને તત્ત્વપ્રાપ્તિ અર્થે વાદપ્રતિવાદમાં યત્ન કરવામાં આવે તોપણ તત્ત્વની પ્રાપ્તિ થાય નહીં, છતાં સ્વદર્શનની માન્યતા અનુસાર પદાર્થને સ્થાપન કરવા માટે કુતર્કો પ્રવર્તે છે. તે કુતર્કો સ્વદર્શનના રાગથી પ્રવર્તીને કઈ રીતે એકાન્તવાદનું સ્થાપન કરે છે, તે વાત શ્લોક-૯ થી ૧૧ સુધીમાં વિસ્તારથી બતાવેલ છે. તેથી એ ફલિત થાય કે અતીન્દ્રિય પદાર્થોમાં વિચાર્યા વગર સ્વદર્શનના રાગથી તત્ત્વને પ્રાપ્ત કરવા માટે કરાતા યત્નથી તત્ત્વની પ્રાપ્તિ થતી નથી, પરંતુ શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ રાખીને ધર્મમાર્ગમાં યત્ન કરવામાં આવે તો તત્ત્વની પ્રાપ્તિ થાય છે; અને જેઓ શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ રાખીને મધ્યસ્થભાવથી તે તે દર્શનકારો સાથે ધર્મવાદનો યત્ન કરે છે, તેઓને સર્વ દર્શનકારોનાં વચનો કઈ રીતે યોગપ્રાપ્તિનાં કારણો છે, તેનો પારમાર્થિક બોધ થાય છે. માટે કુતર્કને છોડીને મોક્ષના અર્થીએ સર્વ ઉદ્યમથી Page #15 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/સંકલના યોગમાર્ગના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ, અને યોગમાર્ગને જાણીને જીવનમાં સેવન કરવા યત્ન કરવો જોઈએ, જેથી કુતર્કની નિવૃત્તિ થાય અને શીધ્ર સંસારનો અંત થાય. છમસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ” માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #16 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/અનુક્રમણિકા & અનુક્રમણિકા 85 પાના નં.] ૧-૪ ૪-૭ ૭-૧૦ ૪-૫. ૧૦-૧પ ૧૫-૪૨ ૪૨-૪૪ ४४-४८ બ્લોક નં. વિષય અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કનો જય. કુતર્કનાં અનર્થકારી ફળો. અવેદ્યસંવેદ્યપદને જીતવા અર્થે કુતર્કમાં અભિનિવેશનોત્યાગ કરીને શ્રત, શીલ અને સમાધિમાં અભિનિવેશ આવશ્યક. કુતર્કના ત્યાગ માટે પતંજલિઋષિનો ઉપદેશ. ૬ થી ૧૦. | કુતર્કનું સ્વરૂપ. ૧૧. | જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થનો અપલાપ કરનાર, જ્ઞાનાતવાદી બૌદ્ધથી પ્રવૃત્ત થતા કુતર્કનું સ્વરૂપ. | ૧૨-૧૩. અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં કુતર્ક અનુપયોગી, અને શાસ્ત્રથી જ અતીન્દ્રિય અર્થોની સિદ્ધિ. ૧૪. , (i) મોક્ષમાર્ગને કહેનારાં સર્વદર્શનોનાં શાસ્ત્રો ધર્મવાદની અપેક્ષાથી એક તત્ત્વને બતાવનારાં, (ii) ધર્મવાદની અપેક્ષાએ સર્વદર્શનોનાં શાસ્ત્રો એક હોવા છતાં અજ્ઞાનના કારણે સર્વદર્શનોના પ્રણેતાઓનો ભિન્નરૂપે સ્વીકાર. સર્વદર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક. છઘને સર્વજ્ઞની વિશેષથી અપ્રાપ્તિ. સર્વજ્ઞના સ્વીકાર અંશને આશ્રયીને સર્વદર્શનોના યોગીઓ એક જિનના ઉપાસક. સર્વદર્શનોમાં વર્તતા યોગીઓ દૂર-આસન્નાદિ ભેદથી એક જિનના ઉપાસક. દેવની ચિત્ર-અચિત્ર ભક્તિના વિભાગથી પણ યોગમાર્ગમાં પ્રવૃત્ત સર્વ યોગીઓની એક જિનની ઉપાસકતા. ૧૫. ૪૮-૫૪ ૫૪-૫૮ ૫૮-૬૦ ૧ ૩. ૧૭. ૬૦-૬૨ ૧૮. ૬૨-૬૬ ૧૮. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬૯-૭૧ ૮૮-૯૧ ૨૬. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાસિંચિકા/અનુક્રમણિકા શ્લોક નં.' વિષયા પાના નં.) ૨૦. સંસારના પરિભ્રમણને અનુકૂળ કરાતી સર્વજ્ઞની ભક્તિ પણ અર્થથી સંસારી દેવોની ભક્તિ. મોક્ષને અનુકૂળ ભગવદ્ભક્તિ અને સંસારને અનુકૂળ ભગવદ્ભક્તિ વચ્ચેનો ભેદ. ૭૧-૭૩ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મનું સ્વરૂપ અને ફળ. ૭૩-૭૭ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનું સ્વરૂપ. ૭૭-૮૩ અનુષ્ઠાનનું લક્ષણ. ૮૩-૮૮ (i) બુદ્ધિપૂર્વકના ધર્મઅનુષ્ઠાનથી પણ સંસારની પ્રાપ્તિ. (ii) જ્ઞાનપૂર્વકના ધર્મઅનુષ્ઠાનથી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ. અસંમોહથી કરાયેલ ધર્મઅનુષ્ઠાનથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ. (૯૧-૯૯ ૨૭-૨૮. સર્વજ્ઞનો ભેદ નહીં હોવા છતાં સર્વજ્ઞ એવા કપિલાદિની અને સર્વજ્ઞ એવા બુદ્ધાદિની દેશનાભેદની પ્રાપ્તિનું કારણ. કપિલાદિ ઋષિઓના અભિપ્રાયને જાણ્યા વગર તેઓના વચનને મિથ્યા કહેવાથી મહાપાપની પ્રાપ્તિ. અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞના વચનના અવલંબન વગર તત્ત્વની અપ્રાપ્તિમાં ભર્તુહરિનું વચન. સર્વજ્ઞના વચન વિના યુક્તિથી પણ અતીન્દ્રિય પદાર્થોની અપ્રાપ્તિ. ૧૧૭-૧૧૮ અતીન્દ્રિય પદાર્થોમાં સ્વમતિ અનુસાર કરાતી યુક્તિઓરૂપ કુતર્કની ત્યાજ્યતા. ૧૧૯-૧૨૧ ૯૯-૧૧) ૧૧૦-૧૧૪ ૧ ૧૪-૧૧૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ છે ી ૩ નમ: | ॐ ह्रीँ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । જે નમ: | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका-२३ પૂર્વદ્વાચિંશિકા સાથે સંબંધ : अनन्तरमवेद्यसंवेद्यपदं जेयमित्युक्तं अत्र तज्जयेनैव कुतर्कनिवृत्तिर्भवति सैव चात्यन्तमादरणीयेत्याह - અર્થ - અવેધસંવેદ્યપદ જીતવું જોઈએ, એ પ્રમાણે અનંતર આગળની ‘તારાદિત્રયદ્વાáિશિકા' નામની બત્રીશીમાં, કહેવાયું. અહીં-આ ૨૩મી કુતર્કગ્રહનિવૃત્તિદ્વાáિશિકામાં, તેના જયથી જ અવેધસંવેદ્યપદના જયથી જ, કુતર્કની નિવૃત્તિ થાય છે, અને તે જ=કુતર્કનિવૃત્તિ જ, અત્યંત આદરણીય છે, ત્તિ એને કહે છે – ભાવાર્થ : પૂર્વે ૨૨મી બત્રીશીના ૩૨મા શ્લોકમાં પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને કહ્યું કે “અવેદ્યસંવેદ્યપદ જીતવું જોઈએ અને અવેદ્યસંવેદ્યપદનો જય કરવાથી જીવમાં કુતર્કની નિવૃત્તિ થાય છે, કેમ કે અવેદ્યસંવેદ્યપદ જીતવાથી પદાર્થ જેવો છે તેવું યથાર્થ વેદન થાય છે. તેથી અનુભવને અનુરૂપ પદાર્થને Page #19 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧ જોડવા માટેનો પ્રયત્ન થાય છે, પરંતુ સ્વરુચિ અનુસાર પદાર્થને જોડવા માટેનો કુતર્ક પ્રવર્તતો નથી. વળી, કુતર્કની નિવૃત્તિ જીવ માટે અત્યંત આદરણીય છે, તેથી હવે કુતર્કનિવૃત્તિદ્વત્રિશિકા કહે છે. અવતરણિકા : કુતર્કની નિવૃત્તિ કેમ અત્યંત આદરણીય છે ? તે બતાવવા માટે કહે છે - શ્લોક : जीयमानेऽत्र राजीव चमूचरपरिच्छदः। निवर्तते स्वतः शीघ्रं कुतर्कविषमग्रहः।।१।। અન્વયાર્થ: રાશીવ રમૂવર પરિછ =રાજા જિતાયે છતે જેમ સૈનિકોનો સમુદાય રિવર્તન પામે છે, તેમ સત્ર નીયમને અન્ નીયમને આ જિતાયે છ0= અવેધસંવેદ્યપદ જિતાયે છતે વિષમગ્ર કુતર્કવિષમગ્રહ સ્વતા=સ્વયં શીઘ્ર શીધ્ર નિવર્તત તિવર્તન પામે છે. [૧] શ્લોકાર્ચ - રાજા જિતાયે છતે જેમ સૈનિકોનો સમુદાય નિવર્તન પામે છે, તેમ અવેધસંવેધપદ જિતાયે છતે કુતર્કવિષમગ્રહ સ્વયં શીધ્ર નિવર્તન પામે છે. III ટીકાઃ जीयमान इति-जीयमाने अत्र=अवेद्यसंवेद्यपदे महामिथ्यात्वनिबन्धने पशुत्वादिशब्दवाच्ये, स्वत एवात्मनैवापरोपदेशेन शीघ्रं, कुतर्क एव विषमग्रहो दृष्टापायहेतुत्वेन क्रूरग्रहः, कुतर्कस्य विषमग्रहः कुटिलावेशरूपो वा निवर्तते, राज्ञि जीयमान इव चमूचरपरिच्छदः ।।१।। ટીકાર્ચ - ની માને ....... પરિચ્છ | રાજા જિતાયે છતે જેમ સૈનિકોનો સમુદાય નિવર્તન પામે છે, તેમ આ જિતાયે છતે મહામિથ્યાત્વનું કારણ, પશુવાદિ Page #20 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૧ 3 શબ્દથી વાચ્ય અવેધસંવેદ્યપદ જિતાયે છતે, સ્વતઃ જ=પર ઉપદેશ વિના પોતાના વડે જ, શીઘ્ર કુતર્કવિષમગ્રહ નિવર્તન પામે છે. કુતર્કવિષમગ્રહ કેવો છે ? તે બતાવે છે —— કુતર્ક જ વિષમગ્રહ છે=દૃષ્ટ અપાયનું હેતુપણું હોવાને કારણે ક્રૂર ગ્રહ છે. ‘અથવા'થી કુતર્કવિષમગ્રહનો બીજો અર્થ કરે છે ઃ અથવા કુતર્કનો કુટિલ આવેશરૂપ વિષમગ્રહ તે કુતર્કવિષમગ્રહ છે. ।।૧।। * ‘પશુત્વાવિશનવાજ્યે’ અહીં ‘વિ’ થી સંમૂર્ચ્છિમપણાનું ગ્રહણ કરવું. ભાવાર્થ:અવેધસંવેધપદના જયથી કુતર્કનો જય ઃ આત્માને જે રીતે વેદન કરવા યોગ્ય નથી, તે રીતે બાહ્ય પદાર્થોનું સંવેદન થાય છે જે પદમાં=જે આશયસ્થાનમાં, તે અવેઘસંવેદ્યપદ છે. આ અવેઘસંવેદ્યપદરૂપ આશયસ્થાન વિપરીત બોધરૂપ છે, અને વિપરીત બોધ મહામિથ્યાત્વનું કારણ છે; કેમ કે વિપરીત બોધ ઉત્તરોત્તર અધિક વિપરીત બોધનું કારણ છે. વળી આ અવેઘસંવેદ્યપદ પશુત્વાદિ શબ્દથી વાચ્ય છે અર્થાત્ પશુ જેમ વિવેક વગર પ્રવૃત્તિ કરે છે, તેમ અવેઘસંવેદ્યપદવાળા જીવો આત્માના હિતની પ્રવૃત્તિ છોડીને પશુની જેમ અહિતમાં પ્રવૃત્તિ કરે છે. આ અવેઘસંવેદ્યપદ પ્રથમની ચાર દૃષ્ટિ સુધી કંઈક જીવે છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં રહેલું અવેઘસંવેદ્યપદ જો દૂર ન કરવામાં આવે તો મહામિથ્યાત્વનું કારણ બને તેવું છે, અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો સત્પુરુષોના યોગથી અને આગમના સંબંધથી અવેઘસંવેદ્યપદને જીતવા માટે યત્ન કરે તો તે જિતાય છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો સ્વદર્શનનો રાગ અને પરદર્શનનો દ્વેષ દૂર કરીને સર્વ દર્શનો પ્રત્યે મધ્યસ્થભાવ રાખે અને તત્ત્વ પ્રત્યેનો રાગ રાખે અને અતત્ત્વનો દ્વેષ રાખે, અને તે રીતે ઉપયુક્ત થઈને તત્ત્વની પ્રાપ્તિ માટે સત્શાસ્ત્રોનું અધ્યયન કરે કે વિશિષ્ટ પુરુષો પાસેથી તત્ત્વ સમજવા પ્રયત્ન કરે, તો પોતાનામાં રહેલ વિપરીત બોધરૂપ અવેઘસંવેદ્યપદ દૂર થાય અને વેદ્યસંવેદ્યપદ પ્રગટે. તેથી જે કંઈ પોતાનું જ્ઞાન છે તે જ્ઞાન Page #21 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ શાસ્ત્રવચનાનુસાર વેદન કરનારું બને, પરંતુ શાસ્ત્રથી અન્ય રીતે પદાર્થનું વેદન કરે નહીં. આવો નિર્મળ બોધ થાય ત્યારે બીજાના ઉપદેશ વગર કુતર્કરૂપ વિષમ ગ્રહ સ્વતઃ નિવર્તન પામે છે. જેમ યુદ્ધાદિમાં રાજા જિતાયે છતે રાજાના સૈનિકોનો સમુદાય જિતાઈ જાય છે, પરંતુ રાજાને જીત્યા પછી તેના સૈનિકોને જીતવા માટે અન્ય કોઈ યત્ન કરવાનો રહેતો નથી; તેમ અવેદ્યસંવેદ્યપદ જિતાઈ ગયા પછી જીવમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે છે. તેથી અવેદ્યસંવેદ્યપદ વગરના જીવો કોઈપણ પદાર્થનો નિર્ણય કરવા માટે સ્વદર્શનના રાગથી વિકલ્પોને પાડીને કુતર્ક કરતા નથી, પરંતુ તત્ત્વને સ્પર્શે તે રીતે મધ્યસ્થ બુદ્ધિથી પદાર્થને સમજવા યત્ન કરે છે, જેથી શાસ્ત્રઅધ્યયન દ્વારા અધિક-અધિક સૂમ પદાર્થોની તેઓને પ્રાપ્તિ થાય છે; જ્યારે અવેદ્યસંવેદ્યપદવાળા જીવો તત્ત્વના અર્થી હોય અને તત્ત્વપ્રાપ્તિ માટે શાસ્ત્રઅધ્યયન કરતા હોય, તોપણ જો ઉપયોગમાં સ્વદર્શનનો રાગાંશ પ્રવૃત્ત થાય તો અવેદ્યસંવેદ્યપદની અસર નીચે સ્વદર્શનના પદાર્થને કુતર્કથી જોવા માટે યત્ન થાય છે, પરંતુ મધ્યસ્થભાવથી તત્ત્વની પ્રાપ્તિ માટેનો યત્ન થતો નથી; પરંતુ જો તેઓ તત્ત્વને અભિમુખ રહીને અને સ્વદર્શનના રાગને વશ થયા વગર તત્ત્વને જોવા માટે યત્ન કરે, તો શાસ્ત્રવચન દ્વારા યથાર્થ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, અને સ્વદર્શનના રાગને કારણે જે કંઈ વિપરીત બોધ હતો તે નિવર્તન પામે છે અને વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. આવા અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે અવેધસંવેદ્યપદ જિતાયે છતે કુતર્ક વિવર્તન પામે છે. તેથી હવે કુતર્કના અર્થો બતાવે છે, જેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો કુતર્કની નિવૃત્તિના અભિલાષી થાય, અને કુતર્કની નિવૃત્તિના ઉપાયભૂત અવેધસંવેદ્યપદને જીતવા માટે યત્ન કરે – શ્લોક - शमारामानलज्वाला हिमानी ज्ञानपङ्कजे । श्रद्धाशल्यं स्मयोल्लास: कुतर्कः सुनयार्गला ।।२।। Page #22 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨ ગમાર,માનતખ્તાલા=શમરૂપી બગીચામાં અગ્નિની જ્વાળા, જ્ઞાનવને દિમાની=જ્ઞાનરૂપી કમળમાં બરફનો સમૂહ, શ્રદ્ધાશi=શ્રદ્ધામાં શલ્ય, મોનાસ =અહંકારનો ઉલ્લાસ, સુનયાર્નના=સુનય માટે અર્ગલા=ભોગળ દ્યુત :=કુતર્ક છે. રા તર્જી શ્લોકાર્થ : અન્વયાર્થ: શમરૂપી બગીચામાં અગ્નિની જ્વાળા, જ્ઞાનરૂપી કમળમાં બરફનો સમૂહ, શ્રદ્ધામાં શલ્ય, અહંકારનો ઉલ્લાસ, સુનય માટે ભોગળ કુતર્ક છે. III ટીકા ઃ શમેતિ-વ્યઃ ।। શ્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા કરેલ નથી. ।।૨।। ૫ ભાવાર્થ: કુતર્કનાં અનર્થકારી ફળો : (૧) ગમારામાનલખ્યાતા :- કુતર્ક શમરૂપી બગીચામાં અગ્નિની જ્વાળા છે. પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં સશ્રદ્ધાસંગત બોધ છે, તેથી કંઈક મિથ્યાત્વની મંદતા થયેલી છે. આથી પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો શમપરિણામમાર્ગમાં ચાલનારા છે, અને તે જીવોમાં વર્તતા શમપરિણામરૂપ બગીચામાં કુતર્ક અગ્નિની જ્વાળા છે. જેમ બગીચામાં અગ્નિની જ્વાળા લાગે તો બગીચો વિનાશ પામે છે, તેમ પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો પણ સ્વદર્શનના વલણથી કુતર્કમાં પ્રવર્તે ત્યારે તેઓમાં વર્તતો શમપરિણામરૂપ બગીચો વિનાશ પામે છે. અહીં શમપરિણામને બગીચાની ઉપમા આપી છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ બગીચો ખીલેલો હોવાના કારણે રમ્ય દેખાય છે, તેમ જીવમાં વર્તતો શમપરિણામ જીવની રમ્યતાને બતાવે છે; અને તે જીવમાં સ્વદર્શનના રાગથી Page #23 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકાશ્લોક-૨ જ્યારે કુતર્ક પ્રવર્તે છે, ત્યારે તે શમપરિણામ નાશ પામે છે, અને ધીરે ધીરે યોગદૃષ્ટિથી પાત પણ પામે, અને કુતર્ક પ્રત્યે અભિનિવેશ થાય તો જીવ યોગદૃષ્ટિની બહાર પણ નીકળી જાય. (૨) જ્ઞાનપને દિનાની - કુતર્ક જ્ઞાનરૂપી કમળમાં બરફનો સમૂહ છે. પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને શાસ્ત્રવચનથી યોગમાર્ગનું જ્ઞાન થયું છે, અને તે જ્ઞાન તે જીવની ઉત્તમતાને બતાવે છે, તેથી તે જ્ઞાન કમળ જેવું રમ્ય છે; અને જ્યારે જીવમાં કુતર્ક પ્રવર્તે ત્યારે આ શાસ્ત્રાનુસારી જ્ઞાન પણ વિનાશ પામે છે. તેથી જ્ઞાનરૂપી કમળમાં કુતર્ક બરફનો સમૂહ છે. (૪) શ્રદ્ધાન્ચ :- કુતર્ક શ્રદ્ધામાં શલ્ય છે. પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને સાચી શ્રદ્ધાથી યુક્ત બોધ છે; કેમ કે સર્વજ્ઞના વચનમાં તેઓને રુચિ વર્તે છે અને સર્વજ્ઞએ બતાવેલા યોગમાર્ગને તેઓ રુચિપૂર્વક સેવે છે. તે ઉત્તમ શ્રદ્ધામાં જ્યારે કુતર્ક પ્રવેશ પામે છે, ત્યારે શલ્યનું કામ કરે છે અર્થાત્ દેહમાં પ્રવેશેલું શલ્ય દેહનો વિનાશ કરે, તેમ કુતર્ક જીવમાં વર્તતી સાચી શ્રદ્ધાનો વિનાશ કરે છે. (૪) મોન્સાસ :- કુતર્ક અહંકારનો ઉલ્લાસ છે. જેમ જીવમાં વર્તતો અહંકાર “જે કરું છું તે બરાબર છે' તેવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેમ કુતર્કવાદીના માથામાં પોતાને જે પદાર્થ દેખાતો હોય તે બરાબર છે, એવું અભિમાન થાય છે, અને તે રીતે જ સ્થાપન કરવા માટે તે યત્ન કરે છે, પરંતુ આગમવચનના પરમાર્થને જાણવા માટે યત્ન કરતો નથી. તેથી પ્રત્યક્ષથી દેખાતા વિરોધની પણ ઉપેક્ષા કરીને સ્વમતિ અનુસાર પદાર્થને સ્થાપન કરવા યત્ન કરે છે. માટે પોતાનામાં રહેલ અભિમાનનો ઉદ્રક કુતર્ક છે. (૫) સુનયાના:- કુતર્ક સુનય માટે અર્ગલા=ભોગળ છે. શાસ્ત્રવચન દ્વારા આત્મામાં સુનયનો પ્રવેશ થાય છે, જ્યારે કુતર્ક, જીવમાં તે સુનયના પ્રવેશને અટકાવવા માટે અર્ગળાનું કાર્ય કરે છે અર્થાત્ કુતર્ક સુનયને પ્રવેશ કરવા દેતો નથી. આશય એ છે કે દરેક નય ઉચિત સ્થાને જોડાયેલ હોય તો તે સુનય બને છે, અને શાસ્ત્રઅભ્યાસથી જીવમાં નયોને ઉચિત સ્થાને જોડવાની પ્રજ્ઞા આવે છે, Page #24 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨-૩ તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો શાસ્ત્રઅભ્યાસ કરીને નયોની માર્ગાનુસારી પ્રજ્ઞાને ખીલવતા હોય છે. આમ છતાં જો પ્રથમની ચાર દ્દષ્ટિવાળા જીવો પણ સ્વમાન્યતા પ્રત્યેના વલણવાળા થઈને કુતર્કનો આશ્રય કરે, તો શાસ્ત્રવચનથી આત્મામાં સુનયની પ્રાપ્તિ થવાની હતી તે પ્રાપ્તિ થતી અટકે છે. તેથી કુતર્ક સુનય માટે અર્ગલા છે. ||શા અવતરણિકા : પ્રથમ શ્લોકમાં કહ્યું કે અવેઘસંવેદ્યપદ જિતાયે છતે કુતર્ક સ્વતઃ નિવર્તન પામે છે. ત્યારપછી શ્લોક-૨માં કુતર્કની નિવૃત્તિ કેમ અત્યંત આદરણીય છે, તે બતાવવા અર્થે કુતર્ક કેવો અનર્થકારી છે તે બતાવ્યું. હવે કુતર્કની નિવૃત્તિ માટે અવેઘસંવેદ્યપદની નિવૃત્તિ આવશ્યક છે, અને અવેધસંવેદ્યપદની નિવૃત્તિ માટે વિશિષ્ટ સત્પુરુષોનો સંગ અને આગમ કારણ છે, તેમ પૂર્વની બત્રીશીમાં બતાવેલ. તેથી હવે વિશિષ્ટ પુરુષોનો સંગ અને આગમ અવેધસંવેદ્યપદને ક્યારે જિતાડી શકે ? તે બતાવવા માટે કહે છે શ્લોક ઃ कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिमिच्छताम् । युक्तः पुनः श्रुते शीले समाधौ शुद्धचेतसाम् ।।३।। અન્વયાર્થ ઃ તત્તસ્માત્ તે કારણથી=શ્લોક-રમાં બતાવ્યું એ રીતે કુતર્ક અનર્થકારી છે તે કારણથી, મુિિમચ્છતામ્ શુદ્ધચેતસામ્=મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓને દ્યુત-કુતર્કમાં અમિનિવેશ:=અભિનિવેશ ન યુવતઃ=યુક્ત નથી. પુનઃ=વળી શ્રુતે=શ્રુતમાં શીતે=શીલમાં સમો=સમાધિમાં યુન્ત:= અભિનિવેશ યુક્ત છે. ।।૩।। શ્લોકાર્થ ઃ તે કારણથી મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓને કુતર્કમાં અભિનિવેશ યુક્ત નથી. વળી શ્રુત, શીલ સમાધિમાં અભિનિવેશ યુક્ત છે. II3II -M Page #25 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩ . ટીકા : તર્જ કૃતિ-શ્રુતે=આમે, શીતે-પરદ્રોવિરતિ ક્ષળે, સમાયો=ધ્યાન તમૂતે ।।3।। ટીકાર્થ ઃ कुतर्क ધ્યાનળમૂતે ।।શ્રુતમાં=આગમમાં, પરદ્રોહવિરતિરૂપ શીલમાં અને ધ્યાનના ફ્ળભૂત સમાધિમાં અભિનિવેશ યુક્ત છે. ।।૩।। ભાવાર્થ: ..... અવેધસંવેધપદને જીતવા અર્થે કુતર્કમાં અભિનિવેશનો ત્યાગ કરી શ્રુત, શીલ અને સમાધિમાં અભિનિવેશ આવશ્યક : શ્લોક-૨માં કુતર્કની અનર્થકારિતા બતાવી. તેથી મોક્ષને ઇચ્છતા શુદ્ધ ચિત્તવાળાઓએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં અર્થાત્ અતીન્દ્રિય કોઈપણ પદાર્થવિષયક ‘આ આમ છે' તેવો સ્વમતિ અનુસાર વિકલ્પ ઊઠે તેમાં તે પદાર્થવિષયક ‘આ તે પ્રકારે જ છે' એ પ્રકારના ગ્રહણરૂપ વિકલ્પ ક૨વો તે અભિનિવેશ છે; અને આવો અભિનિવેશ મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ કરવો જોઈએ નહીં. તો પ્રશ્ન થાય કે મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ ક્યાં અભિનિવેશ કરવો જોઈએ ? તેથી ગ્રંથકાર કહે છે (૧) અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવા માટે આગમમાં અભિનિવેશ કરવો જોઈએ અર્થાત્ સ્વમતિ પ્રમાણે પોતાને આ અતીન્દ્રિય પદાર્થ ‘આમ છે’ તેમ જણાયો હોય, તો તે પદાર્થ ‘તેમ જ છે કે નહીં' તેનો નિર્ણય ક૨વા માટે આગમમાં અભિનિવેશ કરવો જોઈએ, જેથી પોતાને જણાયેલો પદાર્થ જો આગમાનુસારી હોય તો ‘તે આમ છે’ તેમ માનવું ઉચિત ગણાય, અને જો તે આગમાનુસારી ન હોય તો આગમમાં અભિનિવેશ હોવાને કારણે સ્વમતિમાં ઊઠેલા વિકલ્પમાં અભિનિવેશ થાય નહીં, પરંતુ આગમાનુસાર યથાર્થ બોધ થાય. તેથી કુતર્કમાં અભિનિવેશના પરિહાર માટે મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ આગમમાં અભિનિવેશ કરવો જોઈએ. Page #26 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૩ (૨) વળી જેમ અતીન્દ્રિય પદાર્થનો બોધ કરવા માટે આગમ ઉપકારક છે, માટે તેમાં અભિનિવેશ કરવો જોઈએ; તેમ આત્મહિત માટે અત્યંત કારણભૂત એવા શીલમાં પણ મુક્તિવાદીએ અભિનિવેશ કરવો જોઈએ, જેથી મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ કરીને જીવ હિત સાધી શકે. અહીં શીલનો અર્થ કર્યો કે “પરદ્રોહની વિરતિસ્વરૂપ' શીલ છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે જે સાધુ મન-વચન-કાયાને ભગવાનના વચનાનુસાર સંવૃત કરીને ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તાવે છે, તે સાધુ જગતના જીવમાત્રના દ્રોહથી વિરામ પામેલા એવા શીલવાળા છે; કેમ કે અસંવૃત એવા મન-વચન-કાયાના યોગોથી જગતના જીવોની હિંસા થાય છે, જીવોને પીડા થાય છે, જીવોના કષાયના ઉદ્રકમાં પોતે નિમિત્ત બને છે, જેથી પરના અહિતને અનુકૂળ એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ બને છે. તેનાથી વિરામ પામવું તે શીલ છે, અને આવા શીલમાં અભિનિવેશ રાખવાથી સ્વમતિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો કુતર્ક ઊઠતો નથી, પરંતુ આત્માને સંવૃતચારી બનાવવાનું કારણ બને છે. (૩) વળી મોક્ષને ઇચ્છનારા જીવોએ જેમ મોક્ષના ઉપાયભૂત આગમ અને શીલમાં અભિનિવેશ કરવો જોઈએ, તેમ ધ્યાનના ફળભૂત સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ; જેથી સમાધિ નિષ્પન્ન થાય તે રીતે અપ્રમાદભાવે ધ્યાનઅધ્યયનાદિમાં પ્રવૃત્તિ થાય, અને ક્રમે કરીને નિર્લેપદશા પ્રગટે, કે જેથી જીવ વીતરાગ થઈને આ સંસારથી પર એવા મોક્ષરૂપ ફળને પામે. સંક્ષેપથી પ્રસ્તુત શ્લોકનું તાત્પર્ય એ છે કે અતીન્દ્રિય પદાર્થમાં સ્વમતિ અનુસાર “આ આમ છે” તેવો વિકલ્પ ઊઠે તો તેમાં અભિનિવેશ કરવો જોઈએ નહિ, પરંતુ મોક્ષપ્રાપ્તિના એક ઉપાયભૂત શાસ્ત્ર, શાસ્ત્રાનુસારી ઉચિત ક્રિયારૂપ શીલ, અને ધ્યાનના ફળભૂત એવી નિર્લેપદશારૂપ સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ; જેથી તે ત્રણમાં યત્ન કરવાનું સત્ત્વ ઉલ્લસિત થાય, અને કુતર્કથી આત્માનું રક્ષણ થાય; અને આ રીતે પ્રયત્ન કરવામાં આવે તો જ પ્રથમની ચાર દૃષ્ટિવાળા મહાત્માઓ અવેદ્યસંવેદ્યપદને જીતી શકે. અહીં શ્લોકમાં કહ્યું કે “મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ શ્રતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩-૪ તે કથનમાં ‘મુક્તિને ઇચ્છનારા’ અને ‘શુદ્ધ ચિત્તવાળા' એ બે વિશેષણથી એ બતાવવું છે કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો મુક્તિની ઇચ્છાવાળા છે; આમ છતાં સ્વદર્શનના રાગથી પોતાને અભિમત માન્યતાને સ્થિર કરવામાં કુતર્ક કરતા હોય ત્યારે તેઓ શુદ્ધ ચિત્તવાળા નથી, પરંતુ પોતાના અવેઘસંવેદ્યપદને દૃઢ કરી રહ્યા છે; અને જ્યારે ઉપદેશાદિને સાંભળીને તત્ત્વને અભિમુખ થયા હોય છે ત્યારે તેઓ શુદ્ધચિત્તવાળા છે; અને તેવા શુદ્ધચિત્તવાળા જીવો જો શ્રુતશીલાદિમાં અભિનિવેશ કરે તો તેઓ અવેધસંવેદ્યપદને સુખે સુખે જીતી શકે. → કુતર્ક કરાવે → કુતર્કનું સ્વતઃ નિવર્તન કરાવે અવેદ્યસંવેદ્યપદનું કાર્ય અવેદ્યસંવેદ્યપદના નિવર્તનનું કાર્ય કુતર્કના અભિનિવેશના ત્યાગપૂર્વક શ્રુતશીલાદિના અભિનિવેશથી યુક્ત સાધકને સત્સંગ અને સદાગમ દ્વારા. અવતરણિકા : અવેઘસંવેદ્યપદની નિવૃત્તિ ૩ } શ્લોક-૨માં કહ્યું કે કુતર્ક ઘણા અનર્થવાળો છે. ત્યારબાદ શ્લોક-૩માં કે બતાવ્યું કે કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ શ્રુતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ, હવે એ કથન જેમ ગ્રંથકારશ્રી કહે છે, તેમ યોગમાર્ગના જાણનારા પતંજલિ ઋષિ વગેરે પણ કહે છે, તે શ્લોક-૪પથી બતાવે છે શ્લોક ઃ उक्तं च योगमार्गज्ञैस्तपोनिर्धूतकल्मषैः । भावियोगिहितायोच्चैर्मोहदीपसमं वचः ॥४॥ અન્વયાર્થ : ==પુન:=વળી તપોનિષ્કૃતભષે: યોગમાર્ગનેઃ=તપથી ધોઈ નાખ્યો છે મલ જેમણે એવા યોગમાર્ગના જાણનારાઓ વડે માવિયોનિહિતાય=ભવિષ્યમાં થનારા યોગીઓના હિત અર્થે ઉજ્જૈઃ અત્યંત મોદીપસમં=મોહરૂપી અંધકારના નાશ માટે દીવાસ્થાનીય વષ:-વચન તં=કહેવાયું. ।।૪।। Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૪-૫ શ્લોકાર્ધ : વળી તપથી ધોઈ નાંખ્યો છે. મળ જેમણે એવા યોગમાર્ગના જાણનારાઓ વડે ભાવિ યોગીના હિત અર્થે અત્યંત મોહરૂપી અંધકારના નાશ માટે દીવાસ્થાનીય વચન કહેવાયું. llll. નોંધ :- શ્લોકમાં ‘વ’ કાર પૂર્વશ્લોકના કથનના સમુચ્ચય માટે છે. ટીકા : उक्तं चेति-उक्तं च निरूपितं पुनः, योगमार्ग : अध्यात्मविद्भिः पतञ्जलिप्रभृतिभिः, तपसा निघृतकल्मषैः-प्रशमप्रधानेन तपसा क्षीणमार्गानुसारिबोधबाधकमोहमलैः, भावियोगिहिताय=भविष्यद्विवादबहुलकलिकालयोगिहितार्थं, उच्चैः अत्यर्थं, मोहदीपसमं-मोहान्धकारप्रदीपस्थानीयं, वचो वचनम् ।।४।। ટીકાર્ચ - =પુન: વળી, તપથી ધોઈ નાંખ્યો છે. મળ જેમણે એવા પ્રશમપ્રધાન તપ વડે ક્ષીણ કર્યો છેમાર્ગાનુસારી બોધમાં બાધક એવો મોહમળ જેમણે એવા, યોગમાર્ગના જાણનારાઓ વડે અધ્યાત્માદિના જાણનારા પતંજલિ આદિ યોગીઓ વડે, ભાવિ યોગીઓના હિત માટે=ભવિષ્યમાં થનારા વિવાદબહુલ કલિકાલના યોગીઓના હિત માટે શ્વે: અત્યંત મોહદીપ જેવું મોહરૂપ અંધકારના નાશ માટે દીવાસ્થાનીય, વચન કહેવાયું છે. સા. અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે પતંજલિ આદિ વડે કહેવાયું છે, શું કહેવાયું છે ? તે બતાવે છે – શ્લોક : वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद्गतौ ।।५।। અન્વયાર્થી: મતિ=ગતિના વિષયમાં વિપીનવ=તલને પીલનારા બળદની જેમ તથા=તે પ્રકારે નિશ્વિતાન વવશ્વ પ્રતિવષ્ય નિશ્ચિત એવા વાદ અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-પ પ્રતિવાદને વત્તાબોલતા તસ્વાતંત્રતત્વના અંતને, નૈવ કચ્છત્તિ પ્રાપ્ત કરતા નથી જ. Ifપા શ્લોકાર્થ : ગતિના વિષયમાં તલને પીલનારા બળદની જેમ, તે પ્રકારે નિશ્ચિત એવા વાદ અને પ્રતિવાદને બોલતા, તત્વના અંતને પ્રાપ્ત કરતા નથી જ. આપII ટીકા : वादांश्चेति-वादांश्च पूर्वपक्षरूपान्, प्रतिवादांश्च परोपन्यस्तपक्षप्रतिवचनरूपान्, वदन्तो-ब्रुवाणा:, निश्चितान् असिद्धानैकान्तिकादिहेत्वाभासनिरासेन, तथा तेन प्रकारेण तत्तच्छास्त्रप्रसिद्धेन सर्वेऽपि दर्शनिनो मुमुक्षवोऽपि, तत्त्वान्तमात्मादितत्त्वप्रसिद्धिरूपं, न-नैव गच्छन्ति प्रतिपद्यन्ते, (गतौ) तिलपीलकवत् तिलपीलक इव । निरुद्धाक्षिसञ्चारस्तिलयंत्रवाहनपरो यथा ह्ययं नित्यं भ्राम्यन्नपि निरुद्धाक्षतया न तत्परिमाणमवबुध्यते, एवमेतेऽपि वादिनः स्वपक्षाभिनिवेशान्धा विचित्रं वदन्तोऽपि नोच्यमानतत्त्वं प्रतिपद्यन्ते इति ।।५।। ટીકાર્ચ - તથા તે તે શાસ્ત્રપ્રસિદ્ધ એવા તે પ્રકારે બોદ્ધદર્શનના કે સાંખ્યાદિ દર્શનના તે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા, આત્માદિ તત્વ નિત્ય છે કે ક્ષણિક છે તે પ્રકારે, અસિદ્ધ, અનેકાનિક આદિ હેત્વાભાસના નિરાસ દ્વારા નિશ્ચિત એવા પૂર્વપક્ષરૂપ વાદને, અને પર વડે ઉપચસ્તકપ્રસ્થાપન કરાયેલ પક્ષના પ્રતિવચનરૂપ પ્રતિવાદને બોલતા મુમુક્ષુઓ એવા પણ, સર્વ પણ દર્શનવાળા પ્રાપ્તિના વિષયમાં ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિના વિષયમાં, તિલપીલકની જેમeતલને પીલનારા બળદની જેમ, આત્માદિ તત્વની પ્રસિદ્ધિરૂપ તત્ત્વના અંતને નૈવ છત્તિપ્રાપ્ત કરતા નથી જ. દૃષ્ટાંત- દાન્તિકભાવ સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે વિરુદ્ધ અક્ષિસંચારવાળા-આંખે પાટા બાંધેલા,તિનયંત્રવદિનપર તલ પીલવાના યંત્રને ચલાવવામાં પ્રવૃત્ત એવો આeતલને પીલનાર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૫ બળદ, નિત્ય ભમતો પણ વિરુદ્ધઅક્ષપણું હોવાને કારણે=આંખે પાટા બાંધેલા હોવાને કારણે, તેના પરિમાણને=પ્રાપ્તિના પરિમાણને, જાણતો નથી; એ રીતે સ્વપક્ષના અભિનિવેશમાં અંધ વિચિત્ર બોલતા પણ, આ પણ વાદીઓ મોક્ષમાં જવાની ઈચ્છાવાળા પણ વાદીઓ, ઉચ્યમાન તત્ત્વને પ્રતિપક્ષ દ્વારા કહેવાતા તત્વને, પ્રાપ્ત કરતા નથી. “તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. પંપા નોંધ :- શ્લોકમાં તો શબ્દ છે, તેથી ટીકામાં તિનપવિત્' શબ્દની પૂર્વમાં તો પાઠ હોવો જોઈએ. સર્વે અહીં ‘ગ' થી એ કહેવું છે કે કોઈ એક દર્શનવાળા તો વાદ-પ્રતિવાદ કરે છે, પરંતુ સર્વ પણ દર્શનવાળાઓ વાદ-પ્રતિવાદ કરે છે. જ ‘મુમુક્ષો' અહીં 'મા' થી એ કહેવું છે કે દૃષ્ટિ બહારના સ્વસ્વદર્શનમાં બદ્ધ આગ્રહવાળા જીવો તો વાદ-પ્રતિવાદ કરતા હોય છે, પરંતુ મોક્ષમાં જવાની ઇચ્છાવાળા ચાર દૃષ્ટિવર્તી જીવો પણ સ્વદર્શનના રાગથી અવિચારક રીતે વાદપ્રતિવાદ કરતા હોય છે. વમેતેડા' જેમ બળદ નિરુદ્ધ અક્ષપણાસ્વરૂપે ફર્યા કરે છે, તેમ આ પણ વાદીઓ=બળદ તો ફરે છે, પરંતુ આ પણ વાદીઓ, પોતાના પક્ષના અભિનિવેશથી, વાદપ્રતિવાદ કર્યા કરે છે, તેનો ‘વ’ થી સમુચ્ચય છે. “ વિત્ર વત્તોડ' અહીં ‘મપિ' થી એ કહેવું છે કે જેઓ અપટુ છે, અને વિચિત્ર પ્રકારની યુક્તિઓને બોલતા નથી, તેઓ તો કહેવાતા તત્ત્વને પામતા નથી, પરંતુ વિચિત્ર યુક્તિઓને બોલતા એવા પણ વાદીઓ પ્રતિવાદી દ્વારા કહેવાતા તત્ત્વને પ્રાપ્ત કરતા નથી. ભાવાર્થ - કુતર્કના ત્યાગ માટે પતંજલિ ઋષિનું વચન : શ્લોક-૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અવેદસંવેદ્યપદને જીતવા માટે કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ શ્રુતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ; અને શ્લોક-૪માં કહ્યું કે તેમાં માર્ગાનુસારી બુદ્ધિવાળા એવા પતંજલિ ઋષિએ ભવિષ્યમાં થનારા યોગીઓના હિત માટે મોહરૂપી અંધકારનો નાશ કરાવનારું વચન કહ્યું છે. તેથી હવે પતંજલિ આદિ ઋષિનું વચન બતાવે છે -- Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ કોઈ શાસ્ત્રો ભણીને વિદ્વાન થયેલા હોય અને બૌદ્ધદર્શનના કે સાંખ્યાદિ દર્શનના તે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા આત્માદિ તત્ત્વોનો સ્વદર્શન અનુસાર નિર્ણય કરીને નિશ્ચિત વાદ અને પ્રતિવાદ કરતા હોય, અને તેમાં અસિદ્ધ અનેકાંતિકાદિ હેત્વાભાસના નિરાસપૂર્વક પોતપોતાના દર્શનના પ્રસિદ્ધ પદાર્થને સ્થાપન કરતા હોય, તોપણ જો તેઓ સ્વદર્શનમાં અભિનિવેશવાળા હોય તો તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. જેમ ક્ષણિકવાદી પોતાના શાસ્ત્રમાં પ્રસિદ્ધ ક્ષણિક પદાર્થને સ્થાપન કરવા માટે અસિદ્ધ અનેકાંતિક હેત્વાભાસના નિરાસપૂર્વક નિશ્ચિત પોતાનો પક્ષ સ્થાપન કરે, અને પ્રતિવાદી તેની જેમ જ ક્ષણિકવાદના નિરાસ માટે અસિદ્ધ અને અનેકાંતિક હેત્વાભાસના નિરાસપૂર્વક નિશ્ચિત પ્રતિવાદને સ્થાપન કરે, અને આ રીતે બંને દર્શનના મુમુક્ષુ એવા પણ તે વાદી અને પ્રતિવાદી, વાદ અને પ્રતિવાદને કરતા હોય ત્યારે, આત્માદિ તત્ત્વો ક્ષણિક છે કે નિત્ય છે, તેવો કોઈ નિર્ણય તે બંને વાદી અને પ્રતિવાદી કરી શકતા નથી, પરંતુ સ્વસ્વદર્શન પ્રમાણે પોતપોતાના પદાર્થોનું સ્થાપન કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. જેમ તલને પીલનારો બળદ આંખે પાટા બાંધેલા હોવાથી ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિમાં પોતે કેટલું પરિભ્રમણ કર્યું, તે જાણતો નથી; તેવી રીતે આ વાદી અને પ્રતિવાદી પોતપોતાના દર્શનના અભિનિવેશવાળા હોવાથી શાસ્ત્રના પરમાર્થને જોવામાં અંધ છે. તેથી વિચિત્ર પ્રકારે પોતપોતાની માન્યતાને સ્થાપન કરતા તેવા આ બંને મુમુક્ષુઓ પણ પ્રતિવાદી દ્વારા કહેવાતા તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. આનાથી એ ફલિત થયું કે સ્વદર્શન પ્રત્યેનો રાગ છોડીને માત્ર તત્ત્વ પ્રત્યેનો રાગ હોય તો તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે. માટે સ્વદર્શનને સ્થાપન કરવા માટે કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ અતીન્દ્રિય પદાર્થને જાણવા માટે શ્રુતમાં, શીલમાં અને સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ. તેથી જે વાદી શ્રત, શીલ અને સમાધિમાં અભિનિવેશ રાખે અને વાદ-પ્રતિવાદ કરતા હોય તત્ત્વને પ્રાપ્ત કરવા માટે તો તેવા વાદી કે પ્રતિવાદીને તત્ત્વની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે -- ક્ષણિકવાદી પોતાના ક્ષણિકવાદને સ્થાપન કરવા માટે યુક્તિઓનો પ્રવાહ વાદમાં ચલાવતો હોય, અને પ્રતિવાદી ‘પદાર્થ ક્ષણિક નથી' તેવી યુક્તિઓનો Page #32 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫-૬ ૧૫ પ્રવાહ વાદમાં ચલાવતો હોય, અને બંને વાદી-પ્રતિવાદી સમર્થ હોય તો શુદ્ધ ઉદાહરણ, શુદ્ધ હેતુ વગેરે દ્વારા સ્વપક્ષનું સ્થાપન ક૨વા યત્ન કરતા હોય છે. આમ છતાં, જો તે વાદી અને પ્રતિવાદી બંને સ્વસ્વમાન્યતામાં બદ્ધ અભિનિવેશવાળા હોય, તો પ્રતિવાદી દ્વારા કહેવાયેલાં વચનોના પરમાર્થને જોવાને બદલે સ્વમાન્યતાના સ્થાપનના તર્કોને જોવામાં ઉપયુક્ત હોય છે, તેથી સ્વમાન્યતાને દૃઢ કરવા માટે પ્રયત્ન કર્યા કરે છે; પરંતુ જો તે વાદીને કે પ્રતિવાદીને શ્રુતાદિમાં અભિનિવેશ હોય, તો પોતે જે સ્થાપન કરે છે તે સ્થાપનમાં ક્યાં ત્રુટિ છે, તે પ્રતિવાદીના વચનથી પ્રાપ્ત કરી લે છે અને તત્ત્વને પ્રાપ્ત કરે છે. તેથી તે વાદી અને પ્રતિવાદી જો સ્વદર્શન પ્રત્યેના અવિચા૨ક રાગથી ઊઠેલા કુતર્કમાં અભિનિવેશ રાખ્યા વગર તત્ત્વની વિચારણા કરે તો તેઓને સાચા તત્ત્વની પ્રાપ્તિ થાય. માટે મુમુક્ષુઓએ શ્રુત-શીલાદિમાં અભિનિવેશ રાખવો જોઈએ, પરંતુ અવિચારક રીતે સ્વદર્શનના રાગને વશ થઈને કુતર્કમાં અભિનિવેશ રાખવો જોઈએ નહીં, એમ શ્લોક-૩ સાથે સંબંધ છે. II૪-પા અવતરણિકા : શ્લોક-૩માં કહ્યું કે મુમુક્ષુએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં; પરંતુ શ્રુતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ, અને તેની પુષ્ટિ પતંજલિ ઋષિના વચનથી શ્લોક-૪-૫માં કરી. તેથી જિજ્ઞાસા થાય કે કુતર્ક કેવો છે ? તે બતાવવા અર્થે કહે છે શ્લોક : -- विकल्पकल्पनाशिल्पं प्रायोऽविद्याविनिर्मितम् । तद्योजनामयश्चात्र कुतर्कः किमनेन तत् ॥ ६॥ અન્વયાર્થ: પ્રાયઃ=બહુલતાએ વિદ્યાવિનિર્મિતમ્=અવિદ્યાવિનિર્મિત વિત્ત્તત્વના શi= વિકલ્પકલ્પનાશિલ્પ છે, અત્ર ચ=અને અહીં=અતીન્દ્રિય પદાર્થમાં તદ્યોનનામયઃ= તેના યોજનામય=વિકલ્પના યોજનામય, ત:=કુતર્ક છે. તત્કૃતે કારણથી અનેન ર્જિ=આવા વડે શું ? અર્થાત્ કુતર્ક વડે સર્યું. ॥૬॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોકશ્લોકાર્ચ - પ્રાયઃ અવિદ્યાવિનિર્મિત વિકલ્પકલ્પનાશિલ્પ છે અને અહીં વિકલ્પના યોજનામય કુતર્ક છે, તે કારણથી કુતર્ક વડે શું ? અર્થાત્ કુતર્ક વડે સર્યું. llll ટીકા - विकल्पेति-विकल्पा: शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूपं शिल्पं, प्रायो बाहुल्येन, अविद्याविनिर्मितं-ज्ञानावरणीयादिकर्मसम्पर्कजनितं, तद्योजनामया-तदेकाधारात्मा चात्र कुतर्कः, तत् किमनेन मुमुक्षूणां, दुष्टकारणप्रभवस्य सत्कार्याहेतुत्वात् ।।६।। ટીકાર્ચ - પ્રાયઃ=બહુલતાથી, અવિદ્યાવિનિર્મિત=જ્ઞાનાવરણીયાદિ કર્મના સંપર્કથી ઉત્પન્ન થયેલ વિકલ્પકલ્પનાશિલ્પ છે. વિકલ્પકલ્પનાશિલ્પ સમાસનો અર્થ સ્પષ્ટ કરે છે – વિકલ્પો શબ્દવિકલ્પરૂપ અને અર્થવિકલ્પરૂપ છે, અને તેઓની વિકલ્પોની, કલ્પનારૂપ શિલ્પ તે વિકલ્પકલ્પનાશિલ્પ છે, અને અહીં અતીન્દ્રિય પદાર્થમાં, તો નનામી:તે એક આધારરૂપ વિકલ્પ એક આધારરૂપ કુતર્ક છે. ત=તે કારણથી આના વડે કુતર્ક વડે, મુમુક્ષુને શું ? અર્થાત્ મુમુક્ષુને કુતર્કથી સર્યું; કેમ કે દુષ્ટ કારણ પ્રભવ=અવિઘારૂપ દુષ્ટ કારણથી ઉત્પત્તિવાળા કુતર્કનું સત્કાર્યનું અહેતુપણું છે મોક્ષને અનુકૂળ સમ્યગ્બોધની નિષ્પતિરૂપ સત્કાર્યનું અહેતુપણું છે. ૬ “જ્ઞાનાવરણીયર્મિસમ્પનૈનિતં' અહીં દ્ર' થી દર્શનમોહનીયકર્મનું ગ્રહણ કરવું. ભાવાર્થ - કુતર્કનું સ્વરૂપ : યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લોક-૯૦માં બતાવ્યું છે તે પ્રમાણે કુતર્ક ગોમયપાસાદિ વિકલ્પ દ્વારા ત્ તત્ યોજનાત્મક છે. તેથી એ પ્રાપ્ત થાય કે “ગાયનું Page #34 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૬ ૧૭ માંસ ખવાય નહીં, તેમ ગાયનું દૂધ પિવાય નહીં.’ આ પ્રકારના યક્ તવ્ યોજન સ્વરૂપ કુતર્ક છે, જે પ્રામાણિક વ્યવહારનો બાધક છે; કેમ કે પ્રામાણિક વ્યવહાર પ્રમાણે ગાયનું માંસ ખવાતું નથી, તોપણ પ્રામાણિક વ્યવહાર પ્રમાણે ગાયનું દૂધ પીવાનું નિષિદ્ધ નથી. આમ છતાં અવિચારક જીવો સ્વમતિ પ્રમાણે કોઈક દૃષ્ટાંત લઈને પોતાને અભિમત પદાર્થની સિદ્ધિ કુતર્ક દ્વારા કરે છે. જેમ કોઈને ગાયનું દૂધ શાકાહાર તરીકે ઇષ્ટ નથી. તેઓ વિકલ્પ કરે છે કે જેમ ગાયના શરીરમાંથી નીકળેલું માંસ તે ગાયનું અંગ છે માટે ખવાય નહીં, તેમ ગાયના શરીરમાંથી નીકળેલું દૂધ પણ ગાયનું અંગ છે માટે પિવાય નહીં,’ આ કથનમાં વિકલ્પો બે પ્રકારના છે : (૧) શબ્દવિકલ્પ, (૨) અર્થવિકલ્પ. જેમ પ્રસ્તુત કથનમાં કહ્યું કે ‘ગાયનું માંસ ગાયનું અંગ હોવાથી ખવાય નહીં’ તે શબ્દવિકલ્પરૂપ છે, અને તેની જેમ ‘ગાયના શરીરમાંથી નીકળતું દૂધ પિવાય નહીં' તે અર્થવિકલ્પરૂપ છે; અને આ રીતે શબ્દવિકલ્પ અને અર્થવિકલ્પની કલ્પનારૂપ શિલ્પ પ્રાયઃ ક૨ીને અવિદ્યાથી નિર્મિત હોય છે. અહીં પ્રાયઃ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ક્યારેક વિદ્યાનિર્મિત પણ વિકલ્પકલ્પનાશિલ્પ હોય છે, જે કુતર્કરૂપ નથી, અને વિદ્યાનિર્મિત વિકલ્પ યોજનામય સુતર્ક છે; પરંતુ જે અવિદ્યાવિનિર્મિત વિકલ્પકલ્પનાશિલ્પ છે, તેની યોજનમય આ કુતર્ક છે. વળી ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં શ્લોક-૯૧માં બઠરના દૃષ્ટાંતથી દૃષ્ટ પદાર્થમાં અનુભવને બાધ ક૨ના૨ યક્ તવ્ ના યોજનાત્મક વિકલ્પ બતાવેલ છે. તેમજ શ્લોક-૯૨માં અતીન્દ્રિય પદાર્થમાં યર્ ર્ ના યોજનાત્મક વિકલ્પને બતાવેલ છે. આના દ્વારા આ ફલિત થયું કે (૧) પ્રામાણિક વ્યવહારને સામે રાખીને વિકલ્પો કરવામાં આવે તો તે કુતર્ક નથી, પરંતુ ઇષ્ટના સાધક છે; અને સ્વમતિ અનુસાર વિકલ્પો ક૨વામાં આવે તે કુતર્ક છે. (૨) દૃષ્ટ પદાર્થોમાં પ્રામાણિક અનુભવને અનુરૂપ વિકલ્પો ક૨વામાં આવે તો તે કુતર્ક નથી, પરંતુ ઇષ્ટના સાધક છે; અને દષ્ટ પદાર્થોમાં સ્વમતિ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૬ અનુસાર વિકલ્પો કરવામાં આવે તે કુતર્ક છે. (૩) અતીન્દ્રિય પદાર્થોમાં શાસ્ત્રાનુસારી વિકલ્પો કરવામાં આવે તે કુતર્ક નથી, પરંતુ ઇષ્ટના સાધક છે; અને અતીન્દ્રિય પદાર્થોમાં સ્વમતિ અનુસાર, વિકલ્પો કરવામાં આવે તે કુતર્ક છે. તેથી (૧) પ્રામાણિક વ્યવહારના બાધક, (૨) પ્રામાણિક અનુભવના બાધક અને (૩) શાસ્ત્રનિરપેક્ષ વિકલ્પો અવિદ્યાનિર્મિત છે, અને એવા વિકલ્પથી સ્વઅભીષ્ટ પદાર્થનું યોજન કરવામાં આવે તે કુતર્ક છે. ક્રમશઃ વિચારીએ – (૧) (i) પ્રામાણિક વ્યવહારસાધક વિકલ્પો અવિદ્યાનિર્મિત નથી. તે આ પ્રમાણે – જેમ કોઈ કહે કે “ગાયનું માંસ ખવાય નહીં, તેમ ગાયનું લોહી પણ પિવાય નહીં'. આ વિકલ્પ કુતર્કરૂપ નથી, પરંતુ પ્રામાણિક વ્યવહારસાધક વિકલ્પ હોવાથી સુતર્કરૂપ છે. (ii) પ્રામાણિક વ્યવહારબાધક વિકલ્પો કુતરૂપ છે. તે આ રીતે – ગાયનું માંસ ગાયનું અંગ હોવાથી ખવાય નહીં, તો ગાયનું દૂધ પણ ગાયનું અંગ હોવાથી પિવાય નહીં. આ વિકલ્પ પ્રામાણિક વ્યવહારબાધક હોવાથી કુતર્ક છે. (૨) (i) પ્રામાણિક અનુભવને અનુરૂપ વિકલ્પો કુતર્કરૂપ નથી. તે આ રીતે – (ii) પ્રામાણિક અનુભવબાધક વિકલ્પો અવિદ્યાનિર્મિત છે. તે આ પ્રમાણે - જેમ બઠર=અપરિણત ન્યાયશાસ્ત્રવાળો નૈયાયિક છાત્ર, હાથી હણે છે” તેના વિષયમાં પ્રાપ્તાપ્રાપ્ત વિકલ્પ કરે છે, તે અનુભવનિરપેક્ષ કરે છે. તેથી અવિદ્યાનિમિત છે. હાથી હણે છે'ના વિષયમાં કોઈ વિચારક વિકલ્પ પાડે કે “અગ્રાવજીંદેન'= અગ્રભાગથી પ્રાપ્તને હાથી હણે છે, “અન્યાવચ્છેદેન'=અન્ય ભાગથી પ્રાપ્તને હાથી હણતો નથી. માટે તોફાને ચઢેલ હાથી સન્મુખ પ્રાપ્ત પુરુષને હણે છે, તેમ હું પણ સન્મુખ પ્રાપ્ત થઈશ તો મને હણશે, તે અનુભવને અનુરૂપ વિકલ્પ છે. તેથી તે વિકલ્પ અવિદ્યાનિર્મિત નથી. માટે તે કુતર્ક નથી, પરંતુ સુતર્ક છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મા કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક (૩) (i) શાસ્ત્રસંમત વિકલ્પકલ્પનાશિલ્પ અવિદ્યાનિર્મિત નથી. તે આ પ્રમાણે – અનાદિકાળથી જીવ કર્મ સાથે બંધાયેલો છે, છતાં સાધના કરીને કર્મથી મુક્ત થઈ શકે છે. જેમ અનાદિકાળથી સુવર્ણ મલયુક્ત છે, છતાં શોધનની પ્રક્રિયાથી શુદ્ધ થઈ શકે છે. ત્યાં પણ યર્ તત્ નું યોજન છે. તે આ રીતે : જેમ અનાદિકાળથી અશુદ્ધ પણ સુવર્ણ શુદ્ધ થઈ શકે છે, તેમ અનાદિથી અશુદ્ધ એવો પણ આત્મા શુદ્ધ થઈ શકે છે. આવા પ્રકારનું યોજન થર્ તત્ નું યોજન સ્વમતિથી કરાયેલું નથી, પરંતુ સર્વજ્ઞકથિત શાસ્ત્રવચનથી કરાયેલું છે. તેથી તે યોજન અવિઘાનિર્મિત નથી. માટે આવી વિકલ્પકલ્પના ઉપર જે વિચારણા કરવામાં આવે તે સુતરૂપ છે. (૩) (ii) હવે શાસ્ત્રનિરપેક્ષ સ્વમતિ પ્રમાણે વિકલ્પકલ્પના કરવામાં આવે તે કુતર્કરૂપ છે. તે આ રીતે – જેમ ક્ષણિકવાદી કહે છે કે “આત્મા આદિ પદાર્થો એકાંત ક્ષણિક છે અને તેને સ્થાપન કરવા માટે તેઓ યુક્તિ આપે છે કે જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે, તેથી તે ભીંજવવાનું કાર્ય કરે છે, તેમ પદાર્થોનો સ્વભાવ ક્ષણિક છે માટે અર્થક્રિયા કરે છે. આ પ્રકારની તેના વિકલ્પની કલ્પના શાસ્ત્રનિરપેક્ષ છે, માટે કુતર્કરૂપ છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવવાના છે. કુતર્ક કઈ રીતે ઊઠે છે ? તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે જ્ઞાનાવરણીયવિવર્મસમ્પર્વનનિત' વિકલ્પકલ્પનાશિલ્પ છે અર્થાત્ તર્ક કરવાની શક્તિરૂપ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી અને તત્ત્વને જોવામાં બાધક એવા જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અને સ્વદર્શનના રાગરૂપ દર્શનમોહનીયકર્મના ઉદયથી કુતર્ક ઊઠે છે. જેઓ વ્યવહારાનુસારી, અનુભવાનુસારી અને શાસ્ત્રાનુસારી પ્રામાણિક વિકલ્પની કલ્પના કરે છે, તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય અને માર્ગાનુસારી બુદ્ધિજન્ય છે. ' વળી જેઓ પ્રામાણિક વ્યવહારને બાધ કરે, પ્રામાણિક અનુભવને બાધ કરે અને શાસ્ત્રને ન અનુસરે તેવા વિકલ્પની કલ્પના કરે છે, તે વિકલ્પો જ્ઞાનાવરણીયકર્મ નિર્મિત અને દર્શનમોહનીયકર્મ નિર્મિત છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કુતર્કગ્રહનિવૃત્તિહાત્રિશિકા/શ્લોક-૬-૭ સંક્ષેપથી એ અર્થ પ્રાપ્ત થાય કે વિકલ્પો અવિદ્યાનિર્મિત છે અને વિદ્યાનિર્મિત છે. વિદ્યાનિર્મિત વિકલ્પોથી કરાતી વિચારણા સુતર્કરૂપ છે અને અવિદ્યાનિર્મિત વિકલ્પોથી કરાતી વિચારણા કુતર્કરૂપ છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે મોક્ષના અર્થીને અતીન્દ્રિય પદાર્થમાં કુતર્કોથી સર્યું અર્થાત્ મુમુક્ષુએ કુતર્ક કરવા જોઈએ નહીં; કેમ કે કુતર્ક દુષ્ટ કારણથી ઉત્પન્ન થયેલો છે, તેથી સત્કાર્યનો હેતુ નથી. આશય એ છે કે અવિદ્યારૂપ દુષ્ટ કારણથી કુતર્ક ઉત્પન્ન થયેલો છે, તેથી સમ્યગ્બોધનો હેતુ નથી; અને અતીન્દ્રિય પદાર્થમાં સમ્યગ્બોધ શાસ્ત્રથી થાય છે, તેથી કુતર્ક કર્યા વગર શાસ્ત્ર અનુસાર સમ્યગ્બોધ કરવામાં આવે તો આત્માનું હિત સાધી શકાય; અને મુમુક્ષુ આત્મહિત માટે પ્રવૃત્ત છે, માટે મુમુક્ષુએ કુતર્કનો ત્યાગ કરવો જોઈએ. અહીં “મુમુક્ષુ” શબ્દથી યોગની ચાર દૃષ્ટિવાળા જીવો ગ્રહણ કરવાના છે. તેમને ઉદ્દેશીને કહે છે કે કુતર્કનો ત્યાગ કરીને શાસ્ત્રાનુસારી પદાર્થ ઉચિત રીતે જોડવામાં આવે તો સમ્યગ્બોધ થાય, અને સમ્યગ્બોધથી સમ્યપ્રવૃત્તિ થાય, તો મુમુક્ષુને ઇષ્ટ એવા મોક્ષફળની પ્રાપ્તિ થાય. માટે મોક્ષફળની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત કુતર્કથી સર્યું. IIકા અવતરણિકા: પૂર્વશ્લોકમાં કહ્યું કે અવિદ્યાનિર્મિત વિકલ્પના યોજનમય કુતર્ક છે. ત્યાં પ્રશ્ન થાય કે આ વિકલ્પ અવિદ્યાનિર્મિત છે, અને આ વિકલ્પ અવિદ્યાનિર્મિત નથી, તે કેવી રીતે નક્કી થાય ? તેથી અવિદ્યાનિર્મિત વિકલ્પો કેવા હોય ? તે બતાવે છે – શ્લોક : जातिप्रायश्च बाध्योऽयं प्रकृतान्यविकल्पनात् । हस्ती हन्तीतिवचने प्राप्ताप्राप्तविकल्पवत् ।।७।। અન્વયાર્થ: =અને હર્તા દત્તીતિવચનેહાથી હણે છે એ પ્રકારના વચનમાં પ્રતાપ્રાપ્તવિશ્વવપ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પની જેમ નાતિપ્રાય =જાતિપ્રાય મયંકકુતર્ક, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭ પ્રવૃતાવિત્પના=પ્રકૃતથી અન્યનું વિકલ્પ ન હોવાને કારણે વાધ્ય =બાધ્ય છે. કા. શ્લોકાર્ધ : અને “હાથી હણે છે એ પ્રકારના વચનમાં પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પની જેમ જાતિપ્રાય આ કુતર્ક પ્રકૃતથી અન્યનું વિકલ્પન હોવાને કારણે બાધ્ય છે. ISા. ટીકા - जातिप्रायश्चेति-जातिप्रायश्च-दूषणाभासकल्पश्च, बाध्या प्रतीतिफलाभ्यां अयं कुतर्कः, प्रकृतान्यस्य-उपादेयाद्यतिरिक्तस्य अप्रयोजनस्य वस्त्वंशस्य विकल्पनात्, हस्ती हन्तीति वचने हस्त्यारूढेनोक्ते प्राप्ताप्राप्तविकल्पवन्नैयायिकच्छात्रस्य, यथा ह्ययमित्थं वक्तारं प्रति-"किमयं हस्ती प्राप्त व्यापादयति ?" उताप्राप्तं ? आद्ये त्वामपि व्यापादयेत्, अन्त्ये च जगदपीति विकल्पयन्नेव हस्तिना गृहीतो मिण्ठेन कथमपि मोचितः । तथा तथाविधविकल्पकारी तत्तद्दर्शनस्थोऽपि कुतर्कहस्तिना गृहीत: सद्गुरुमिण्ठेनैव मोच्यत इति ।।७।। ટીકાર્ય : નાતિપ્રાય .... મોશ્ચત તિ | અને જાતિપ્રાય=દૂષણાભાસ કલ્પન દૂષણ પ્રાપ્ત થતું હોવાને કારણે તર્કના આભાસ જેવો, બાધ્ય=પ્રતીતિ અને ફલ દ્વારા બાધ્ય એવો આ કુતર્ક છે; કેમ કે પ્રકૃતથી અન્યનું ઉપાદેયાદિથી અતિરિક્ત એવા અપ્રયોજનરૂપ વસ્તુઅંશનું-મુમુક્ષને યોગમાર્ગ ઉપાદેય છે અને સંસારમાર્ગ હેય છે, તેનાથી અતિરિક્ત એવા અપ્રયોજતવાળા સ્વસ્વમતિથી વિકલ્પિત એવા સ્વદર્શનના અસત્ પક્ષપાતરૂપ વસ્તુઅંશનું, વિકલ્પત છે. તેમાં દષ્ટાંત બતાવે છે – હાથી ઉપર આરૂઢ વડે=મહાવત વડે, હાથી હણે છે એ પ્રકારનું વચન કહેવાય છતે, વૈયાયિકછાત્રતા પ્રાપ્તાપ્રાપ્ત વિકલ્પની જેમ આ કુતર્ક બાધ્ય છે, એમ અવય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭ દષ્ટાંત સ્પષ્ટ કરે છે – યથા=જે પ્રમાણે રૂત્યં આ રીતે આગળમાં કહેવાશે એ રીતે, વક્તા પ્રત્યેકબોલનારા એવા મહાવત પ્રત્યે, “શું આ હાથી પ્રાપ્તને મારે છે ? કે અપ્રાપ્તને મારે છે ? પ્રથમમાં પ્રથમ વિકલ્પમાં, તને પણ મારે, અને અંત્યમાં=બીજા વિકલ્પમાં જગતને પણ મારે', એ પ્રમાણે વિકલ્પ કરતો જ એવો ભયંકઆeતૈયાયિકછાત્ર, હાથી વડે ગ્રહણ કરાયો, અને મહાવત વડે કોઈક રીતે મુકાવાયો. તથા તે પ્રમાણે જે પ્રમાણે તૈયાયિકછાત્ર મુકાવાયો તે પ્રમાણે, તેવા પ્રકારના વિકલ્પને કરનાર સ્વદર્શનના રાગને વશ થઈ પ્રતીતિનિરપેક્ષ અવિદ્યાનિર્મિત વિકલ્પ કરનાર, તે તે દર્શનમાં રહેલો પણ કુતર્કરૂપ હાથી વડે ગ્રહણ કરાયેલો પુરુષ, સદ્ગુરુરૂપ મહાવત વડે જ મુકાવાય છે. “તિ' શબ્દ શ્લોકના કથનની સમાપ્તિમાં છે. તત્તદર્શનોડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે દર્શનમાં નહીં રહેલા તો મિથ્યા વિકલ્પ કરીને કુતર્કતાથી વડે ગ્રહણ થાય છે, પરંતુ તે તે દર્શનમાં રહેલા પણ એવા પ્રકારના મિથ્યા વિકલ્પ કરનારા કુતર્કતાથી વડે ગ્રહણ થાય છે. ભાવાર્થ - કુતર્કનું સ્વરૂપ : પ્રસ્તુત શ્લોકમાં અનુમાન આ પ્રમાણે છે -- “નતિપ્રાય ૩N'=જાતિપ્રાય એવો આ=કુતર્ક, પક્ષ છે. વાધ્યા' એ સાધ્ય છે. ‘પ્રસ્તાવિત્પના' એ હેતુ છે. ‘સ્તી દૃન્તીતિ વરને પ્રાપ્તપ્રાપ્તવિકત્વવત્' એ દૃષ્ટાંત છે. કુતર્કરૂપ પક્ષનું વિશેષણ નાતિપ્રાય' છે, જે પ્રવૃત્તાવિત્પનાત્' રૂપ હેતુનું અભિવ્યંજક છે. આ અનુમાનથી કુતર્ક બાધ્ય છે, એમ સિદ્ધ થાય છે, અને બાધ્ય હોવાને કારણે આ કુતર્ક અવિદ્યાનિર્મિત છે એ સિદ્ધ થાય છે. અવિદ્યાનિર્મિત વિકલ્પો કુતકરૂપ છે, એમ પૂર્વશ્લોકમાં કહ્યું, અને તે કુતર્ક દૂષણપ્રાપ્ત હોવાને કારણે તર્ક નહીં હોવા છતાં તર્કના આભાસ જેવો છે. વળી આ કુતર્ક પ્રતીતિ અને ફળ દ્વારા બાધ્ય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭ ૨૩ જેમ ક્ષણિકવાદી પોતાના ક્ષણિકપણાને સ્થાપન કરવા માટે કહે છે કે “જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે, તેથી ભીંજવે છે', તેમ ‘પદાર્થનો સ્વભાવ ક્ષણિક છે, તેથી અર્થક્રિયા કરે છે.” આમ કહીને પાણીના દૃષ્ટાંતના બળથી ‘પદ્ તદ્ નું યોજન કરીને પદાર્થને એકાંત ક્ષણિક સ્થાપન કરે છે, અને એકાંત ક્ષણિક સ્થાપન કરવા માટેનો “યત્ તદ્' ના યોજનરૂપ આ પૂર્વપક્ષનો કુતર્ક પ્રતીતિ અને ફળ દ્વારા બાધ પામે છે. તે આ રીતે – પ્રતીતિ દ્વારા બાધ્ય કુતર્ક : દરેક વ્યક્તિને પ્રતીતિ છે કે “જે બાલ્યાવસ્થામાં હું હતો તે જ હું ઉત્તર અવસ્થામાં છું.' આમ છતાં પૂર્વપક્ષી કહે છે કે બાલ્યાવસ્થા યુવાવસ્થારૂપ અર્થક્રિયાને કરે છે, તેનું કારણ પદાર્થમાં રહેલો ક્ષણિક સ્વભાવ છે. તેથી બાલ્યાવસ્થાવાળી વ્યક્તિ નાશ પામે છે અને યુવાવસ્થાવાળી વ્યક્તિ ઉત્પન્ન થાય છે. પૂર્વપક્ષીનું આ વચન પ્રતીતિથી બાધ પામે છે; કેમ કે બાલ્યાવસ્થાવાળી વ્યક્તિ નાશ પામીને યુવાવસ્થાવાળી વ્યક્તિ ઉત્પન્ન થઈ નથી, પણ તે જ છે. ફળ દ્વારા બાળ કુતર્ક : વળી ફળ દ્વારા પણ પૂર્વપક્ષીનો કુતર્ક બાધ પામે છે. તે આ રીતે -- દરેક દર્શનકાર મોક્ષ માટેનો ઉપદેશ આપે છે, અને મોક્ષ અર્થે ઉપદેશ આપતા હોય ત્યારે ભોગની આસ્થા છોડાવવા માટે “પદાર્થ ક્ષણિક છે, તેમ કહેતા હોય છે, પરંતુ પદાર્થ સર્વથા ક્ષણિક છે' તેમ કહેતા નથી. તેથી આત્મા આત્મારૂપે નિત્ય હોવા છતાં મનુષ્યરૂપે ક્ષણસ્થાયી છે, એમ બતાવીને આત્મહિત માટે ઉપદેશ આપે છે; પરંતુ તેને બદલે આત્માને સર્વથા ક્ષણિક સ્વીકારવામાં આવે તો મોક્ષરૂપ ફળનો બાધ થાય; કેમ કે આત્મા ક્ષણિક હોય તો સાધના કરીને મોક્ષરૂપ ફળ મેળવે છે, તેમ કહી શકાય નહીં; અને મોક્ષરૂપ ફળ સર્વ દર્શનકારો સ્વીકારે છે. તેથી મોક્ષરૂપ ફળ સ્વીકારવાથી એકાંત ક્ષણિકનો બાધ થાય છે. " પ્રતીતિ અને ફળ દ્વારા આ કુતર્ક કેમ બાધ પામે છે ? તેમાં હેતુ આપ્યો કે પ્રકૃત એવા ઉપાદેયાદિથી અતિરિક્ત અપ્રયોજનવાળા એવા વસ્તુઅંશનું વિકલ્પન હોવાને કારણે પ્રતીતિ અને ફલ દ્વારા કુતર્ક બાધ પામે છે.” Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭ તેનો આશય એ છે કે સર્વદર્શનકારોને પ્રકૃતિ મોક્ષ છે, અને મોક્ષના ઉપાયરૂપે ઉપાદેય એવો યોગમાર્ગ અને હેય એવો સંસારમાર્ગ પણ પ્રકૃતિ છે. આ પ્રયોજનને છોડીને પદાર્થને એકાંત ક્ષણિક સ્થાપવારૂપ અપ્રયોજનરૂપ વસ્તુઅંશનું વિકલ્પન ક્ષણિકવાદી કરે છે. જો ઉપાદેયને અને હેયને સામે રાખીને ક્ષણિકવાદનું વિકલ્પન કરે તો એમ કહેવું જોઈએ કે “ભોગની આસ્થાના નિવર્તન અર્થે અને યોગમાર્ગમાં પ્રવૃત્તિ અર્થે ભગવાને પદાર્થોને ક્ષણિક કહ્યા છે, અને તે અર્થમાં ક્ષણિકવાદનું સ્થાપન કરે તો પ્રતીતિ અને ફળ દ્વારા તેનો ક્ષણિકવાદ બાધ પામે નહીં, પરંતુ તેને બદલે ‘પદાર્થ સર્વથા ક્ષણિક છે” એમ કહે છે, તે કથન ઉપાદેય એવા યોગમાર્ગ અને હેય એવા સંસારમાર્ગનું સાધક નથી, પરંતુ અપ્રયોજનરૂપ એવા વસ્તુઅંશના વિકલ્પનરૂપ છે અર્થાત્ શાસ્ત્રનિરપેક્ષ સ્વદર્શનના અવિચારક રાગને વશ થઈને એકાંત ક્ષણિકરૂપ વસ્તુઅંશના વિકલ્પનરૂપ છે; અને તેનાથી બાલ્યાવસ્થામાં જે હું હતો તે જ યુવાવસ્થામાં હું છું,’ એ પ્રકારની સર્વજનને જે પ્રતીતિ છે, તે પ્રતીતિનો બાધ થાય છે, અને યોગમાર્ગના ઉપદેશનું જ મોક્ષરૂપ ફલ તેનો બાધ થાય છે. માટે ક્ષણિકવાદિની પદાર્થના ક્ષણિકસ્થાપનની યુક્તિ કુતર્કરૂપ છે. પ્રસ્તુત અનુમાનમાં દૃષ્ટાંત આપે છે : હાથી ઉપર આરૂઢ એવા મહાવત વડે કોઈક નૈયાયિકછાત્રને સામે આવતો જોઈને કહેવાયું કે “હાથી હણશે માટે તું દૂર ખસ” ત્યારે તે છાત્ર વિકલ્પ પાડે છે, “હાથી શું પ્રાપ્તને હણે છે ? કે અપ્રાપ્તને હણે છે ? જો હાથી પ્રાપ્તને હણતો હોય તો તને જ હણવો જોઈએ, અને જો હાથી અપ્રાપ્તને હણે તો આખા જગતને હણે. આ પ્રકારે છાત્ર પદાર્થને વિચાર્યા વિના બોલે છે તે કુતર્ક છે. આવો તર્ક કરતો નૈયાયિકછાત્ર હાથી વડે ગ્રહણ કરાયો અને કોઈક રીતે મહાવત વડે મુકાવાયો. તેમ યોગમાર્ગમાં પ્રવૃત્ત છે તે દર્શનમાં રહેલા પણ યોગીઓ આ બઠરની જેમ તે પ્રકારે તત્ત્વનો વિચાર કર્યા વગર વિકલ્પ કરે છે. તે આ રીતે – જેમ ક્ષણિકવાદી પોતાના દર્શનના રાગને વશ થઈને બઠરની જેમ અનુભવને અનુરૂપ પદાર્થનો વિચાર કર્યા વગર તર્ક કરે છે કે “જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે માટે ભીંજવે છે,' તેમ “પદાર્થનો સ્વભાવ ક્ષણિક છે માટે અર્થક્રિયા કરે છે. આ રીતે વિકલ્પ કરતો, કુતર્કરૂપ હાથી વડે ગ્રહણ કરાયેલો Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૭-૮ એવો તે દર્શનવાદી, તત્ત્વમાર્ગથી વિમુખ થઈને સ્વદર્શનના રાગથી તર્ક-વિતર્ક જોડ્યા કરે છે. તેને કોઈ સદ્ગુરુ મળે તો તેને સમજાવે કે બુદ્ધ ભગવાને પણ ક્ષણિકવાદ કહીને મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો છે. તેથી જો આત્માને અન્વયવ્યતિરેકરૂપ ન સ્વીકારે અને એકાંત ક્ષણિક સ્વીકારે, તો મોક્ષમાર્ગનો ઉપદેશ આપી શકે નહીં. તેથી ભોગની આસ્થાવાળા જીવોને ભોગની આસ્થા છોડાવવા માટે આ ક્ષણિકવાદનો તેમનો ઉપદેશ છે. માટે અપ્રયોજનવાળા એવા એકાંત ક્ષણિકને સિદ્ધ કરવા માટે વિકલ્પો કરવા ઉચિત નથી; પરંતુ પદાર્થને પ્રામાણિક રીતે વિચારવો જોઈએ કે “બુદ્ધ ભગવાને મોક્ષ અર્થે ઉપદેશ આપ્યો છે, અને પદાર્થ ક્ષણિક છે, તેમ બતાવ્યું છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે આત્મા આત્મારૂપે નિત્ય છે અને મનુષ્યરૂપે અનિત્ય છે. માટે અનિત્ય એવા મનુષ્યભવની અને અનિત્ય એવા ભોગોની આસ્થા છોડીને નિત્ય એવા આત્માના હિત માટે પ્રવૃત્તિ કરવી જોઈએ, તે ક્ષણિકવાદના ઉપદેશનું તાત્પર્ય છે.” તેને છોડીને અન્ય રીતે ક્ષણિકવાદ સ્વીકારીને નિત્યવાદની યુક્તિઓના ખંડનમાં વ્યાપૃત થવું અને તત્ત્વને જોવા માટે યત્ન ન કરવો, તે આત્મહિતાર્થી માટે ઉચિત નથી; પરંતુ મધ્યસ્થતાથી વિચારવું જોઈએ કે સર્વ મુમુક્ષુઓ મોક્ષમાર્ગની વાતો કરે છે. આમ છતાં કોઈક પદાર્થને ક્ષણિક કહે છે, તો કોઈક પદાર્થને નિત્ય કહે છે, તો તે કહેવા પાછળનો તેમનો આશય શું હોઈ શકે ? અને તે આશયને સમજીને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તત્ત્વની પ્રાપ્તિ થાય. આ પ્રકારે અવેદ્યસંવેદ્યપદમાં રહેલા છે તે દર્શનવાળા જીવો સ્વદર્શનના રાગથી કુતર્કો કરતા હોય ત્યારે સદ્ગુરુ તેઓને યુક્તિથી પદાર્થ બતાવીને કહે કે કુતર્કમાં અભિનિવેશ રાખવા જેવો નથી, પરંતુ શ્લોક-૩માં બતાવ્યું તેમ શ્રુત, શીલ અને સમાધિમાં અભિનિવેશ રાખવા જેવો છે, જેથી તે તે દર્શનમાં રહેલા કુતર્કના અભિનિવેશવાળા જીવો કુતર્કથી મુકાવાય છે. llણા અવતરણિકા - શ્લોક-૬માં કુતકનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે અવિઘાથી ઉત્પન્ન થતા વિકલ્પો કુતર્કરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે આ વિકલ્પ અવિઘાથી ઉત્પન્ન થયો છે અને આ વિકલ્પ અવિદ્યાથી ઉત્પન્ન થયો નથી, તે કેમ નક્કી થાય ? તેથી શ્લોક-૭માં બતાવ્યું કે જે વિકલ્પ બાધ્ય હોય તે અવિઘાથી નિર્મિત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૮ છે. તેથી એ પ્રાપ્ત થયું કે યુક્તિ અને અનુભવથી બાધ્ય એવો વિકલ્પ કુતર્કરૂપ છે. હવે તે તે દર્શનમાં રહેલા જીવો કઈ રીતે કુતર્ક કરે છે ? અને તે કેમ કુતર્કરૂપ છે? તે બતાવવા અર્થે શ્લોક-૮-૯થી કહે છે – શ્લોક : स्वभावोत्तरपर्यन्त एषोऽत्रापि च तत्त्वतः । नार्वाग्दृग्ज्ञानगम्यत्वमन्यथान्येन कल्पनात् ।।८।। અન્વયાર્થ: સ્વમવોત્તરપર્વ:=“સ્વભાવ” ઉત્તર છે પર્યંતમાં જેને એવો, આ=કુતર્ક છે, ત્રાપ ચ=અને અહીં પણ=સ્વભાવમાં પણ તત્ત્વતા તત્વથી સર્વાજ્ઞાનાયત્વ–છપ્રસ્થજ્ઞાનગમ્યપણું ન=નથી; કેમ કે અન્યથા=અવ્ય પ્રકારે વાદીએ જે પ્રકારે સ્વભાવ બતાવ્યો તેનાથી અન્ય પ્રકારે અન્યનઅવ્ય વાદી વડે વાન=કલ્પના કરાય છે. Iટા શ્લોકાર્ચ - ‘સ્વભાવ' ઉત્તર છે પર્યંતમાં જેને, એવો આ અર્થાત્ કુતર્ક છે, અને અહીં પણ તત્ત્વથી છદ્મસ્થાનગચપણું નથી; કેમ કે અન્ય પ્રકારે અન્ય વાદી વડે કલ્પના કરાય છે. II II ટીકા :_स्वभावेति-एष कुतर्कः स्वभावोत्तरपर्यन्त: “अत्र च वस्तुस्वभावैरुत्तरं वाच्यं" इति वचनात् अत्रापि च स्वभावे नार्वाग्दृश: छ प्रस्थस्य ज्ञानगम्यत्वं तत्त्वतः अन्यथा क्लृप्तस्यैकेन वादिना स्वभावस्यान्येनान्यथाकल्पनात् ।।८।। ટીકાર્ચ - wત... થાવના છે. “સ્વભાવ' ઉત્તર છે પર્વતમાં જેને, એવો આ=કુતર્ક, છે; કેમ કે“અને અહીં=પદાર્થના ક્ષણિકત્વના સ્થાપનમાં વસ્તુસ્વભાવ વડે ઉત્તર કહેવો જોઈએ, એ પ્રકારનું ક્ષણિકવાદીઓનું વચન છે, અને અહીં પણ=સ્વભાવમાં પણ, તત્ત્વથી વૃશ:=છઘસ્થતા, જ્ઞાનથી ગમ્યપણું Page #44 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૮-૯ ૨૭ નથી; કેમ કે એક વાદી વડે અન્યથા સ્વીકારાયેલા સ્વભાવની, અન્ય વડે= અન્ય વાદી વડે અન્યથા કલ્પના કરાય છે. ||૮|| અવતરણિકા : तथाहि અવતરણિકાર્ય : પૂર્વમાં કહ્યું કે એક વાદી વડે અન્યથા સ્વીકારાયેલ સ્વભાવ, અન્ય વાદી વડે અન્યથા કલ્પના કરાય છે, માટે સ્વભાવ છદ્મસ્થતા જ્ઞાનનો વિષય નથી. તે ‘તથાર્દિ’થી બતાવે છે શ્લોક : — अपां दाहस्वभावत्वे दर्शिते दहनान्तिके । विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः किमुत्तरम् ।।९।। અન્વયાર્થ: વિપ્ર છેડવ્યયાત્તે=દૂર રહેલા પણ લોહચુંબકમાં સ્વાર્થશત્તે =સ્વાર્થશક્તિ હોવાને કારણે=લોઢાને આકર્ષવાની શક્તિ હોવાના કારણે વઇનાનિò= અગ્નિના સાંનિધ્યમાં ગપ-પાણીનું વાદસ્વમાવત્વે શિતે=દાહસ્વભાવપણું બતાવ્યે છતે=પ્રતિવાદી દ્વારા દાહસ્વભાવપણું બતાવ્યું છતે, મુિત્તર=શું ઉત્તર છે=વાદી દ્વારા શું ઉત્તર છે ? અર્થાત્ ઉત્તર નથી. ।।૯।। શ્લોકાર્થ ઃ દૂર રહેલા પણ લોહચુંબકમાં લોઢાને આકર્ષવાની શક્તિ હોવાના કારણે અગ્નિના સાંનિધ્યમાં પાણીનું દાહસ્વભાવપણું પ્રતિવાદી દ્વારા બતાવ્યે છતે શું ઉત્તર છે ? અર્થાત્ ઉત્તર નથી. IIII ટીકા ઃ अपामिति - अपां शैत्यस्वभावत्ववादिनं प्रति अपां दहनान्तिके दाहस्वभावत्वे दर्शिते, अध्यक्षविरोधपरिहारात्, विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः- लोहाकर्षण Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ शक्तेविप्रकर्षमात्रस्याप्रयोजकत्वात् किमुत्तरं? अन्यथावादिनः, स्वभावस्यापर्यनुयोज्यत्वाद्विशेषस्याविनिगमात् । ટીકાર્ચ - કપ શેત્યસ્વભાવ ..... વિનિમાત્ પાણીનું શૈત્યસ્વભાવપણું કહેનારા વાદી પ્રત્યે="પાણીનો સ્વભાવ શીત છે” એવું કહેનારા વાદી પ્રત્યે, કોઈ અલ્ય પ્રતિવાદી દ્વારા અગ્નિના સાંનિધ્યમાં પાણીનું બાળવાનું સ્વભાવપણું બતાવ્યું છતે, અન્યથાવાદી=પાણીનો બાળવાનો સ્વભાવ સ્વીકારનારા પ્રતિવાદીને, શું ઉત્તર છે ?-પાણીનો શીત સ્વભાવ સ્વીકારનાર વાદીનો પાણીનો દાહક સ્વભાવ સ્વીકારનાર વાદીને શું જવાબ છે ?=કોઈ જવાબ નથી; કેમ કે સ્વભાવનું અપર્યાયોજયપણું છે આવો સ્વભાવ કેમ છે? તે પૂછી શકાય તેમ નથી અર્થાત્ પદાર્થને ક્ષણિક માનસાર સ્વભાવવાદી પાણીનો શૈત્યસ્વભાવ સ્વીકારવા માટે “સ્વભાવવાદનો આશ્રય લે છે, તેની સામે અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ સ્વીકારનાર પ્રતિવાદી પણ “સ્વભાવનો' આશ્રય લે છે. તેથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહક સ્વભાવ કેમ સ્વીકારી શકાય ? તેવો પ્રશ્ન પાણીનો શૈત્યસ્વભાવ સ્વીકારનાર વાદી પ્રતિવાદીને કરી શકે નહીં. અહીં કોઈ કહે કે પાણીનો શૈત્ય સ્વભાવ અનુભવસિદ્ધ છે. તેથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ છે, તેમ સ્વીકારી શકાય નહીં. તેના નિરાકરણ માટે કહે છે – વિશેષસ્થાનિામ=વિશેષતો અવિનિગમ છે=પાણીનો શૈત્ય સ્વભાવ છે ? કે અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે ? એ રૂપ વિશેષનો અતિર્ણય છે. અધ્યક્ષવિરોધપરિદાર અહીં પ્રશ્ન થાય કે પાણીનો શીત સ્વભાવ પ્રતીત છે, આમ છતાં “પાણી દાહક સ્વભાવવાળું છે', એમ કહીએ તો પ્રત્યક્ષ વિરોધ થાય. તે પ્રત્યક્ષ વિરોધના પરિવાર અર્થે પ્રતિવાદીએ ‘અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહ સ્વભાવ છે એમ કહેલ છે. તેથી પ્રત્યક્ષ વિરોધનો પરિહાર થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ ૨૯ અહીં પ્રશ્ન થાય કે પાણી વિપ્રકૃષ્ટ=અતિ દૂર પણ ન હોય અને અતિ નજીક પણ ન હોય, અને અગ્નિ પાસે રહેલો હોય અને અગ્નિમાં હાથ નાંખવાથી દાહ થતો હોય, તેવા સમયે પ્રતિવાદી કહે કે “અગ્નિ બાળતો નથી, પરંતુ વિપ્રકૃષ્ટ રહેલું પાણી બાળે છે' તો વાદી દ્વારા તે કેમ સ્વીકારી શકાય ? તેથી પ્રતિવાદી પોતાના કથનની પુષ્ટિ માટે દૃષ્ટાંત આપે છે – વિપ્રવૃષ્ટડળયાને ... પ્રણોનવત્વી, દૂર રહેલું પણ લોહચુંબક સ્વાર્થશક્તિથી લોઢાને આકર્ષણ કરવાની શક્તિથી, કાર્ય કરતું હોવાને કારણે વિપ્રકર્ષમાત્રનું અપ્રયોજકપણું છે=અગ્નિના સાંનિધ્યમાં પાણી બાળવાના સ્વભાવવાળું છે, તેમ સ્વીકારવામાં, પાણીના વિપ્રકર્ષમાત્રનું ફળના વિઘટનમાં દાહસ્વભાવરૂપ કાર્ય કરવાના વિઘટનમાં, અપ્રયોજકપણું છે. ભાવાર્થ : અહીં ક્ષણિકવાદી મતવાળા સ્વદર્શનને આશ્રયીને કઈ રીતે કુતર્ક કરે છે ? અને કઈ રીતે પોતાનો એકાંત ક્ષણિકવાદ સ્થાપન કરે છે ? તે બતાવવા અર્થે કહે છે -- ક્ષણિકવાદી “પદાર્થ એકાંત ક્ષણિક છે' તેમ સ્થાપન કરવા માટે અનેક યુક્તિઓ આપે છે, અને તેમાં દીપકલિકાનું દૃષ્ટાંત પણ આપે છે; અને પ્રતિવાદી દ્વારા તે સર્વમાં જ્યારે દોષોનું ઉદ્દભાવન કરવામાં આવે, અને ક્ષણિકવાદી કોઈ રીતે પ્રતિવાદી દ્વારા ઉભાવન કરાયેલા દોષોનું નિરાકરણ ન કરી શકે, ત્યારે ક્ષણિકવાદી પોતાનું અંતિમ સાધન ‘તે પદાર્થનો તેવો સ્વભાવ છે એ કથનને આગળ કરીને પ્રતિવાદીને જવાબ આપે છે; અને વીવીપર્થનુયોર્ચસ્વી' અર્થાત્ “પદાર્થનો આવો સ્વભાવ કેમ છે ? તે પૂછી શકાય નહીં.” આવા પ્રકારનો સ્વભાવરૂપ જવાબ છે અંતમાં જેને એવો ક્ષણિકવાદીનો કુતર્ક છે; કેમ કે ક્ષણિકવાદની સિદ્ધિમાં “વસ્તુનો એ સ્વભાવ છે” એમ વસ્તુના સ્વભાવથી જવાબ કહેવો જોઈએ એ પ્રકારનું ક્ષણિકવાદનું વચન છે. , આશય એ છે કે ક્ષણિકવાદી પોતાની માન્યતાને સ્થાપન કરવા માટે કહે કે “પાણી શીતતાનો અનુભવ કરાવે છે, તે કાર્ય ઉપરથી પાણીનો શીત સ્વભાવ નક્કી થાય છે.” Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૮-૯ તેથી એ ફલિત થાય કે જેમ પાણી શીત સ્વભાવવાળું છે, માટે શૈત્યની પ્રતીતિરૂપ કાર્ય થાય છે; તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે અર્થક્રિયારૂપ કાર્ય થાય છે, અને જેમ બીજ ઉત્તર ક્ષણમાં અંકૂરરૂપ અર્થક્રિયાને કરે છે, તેથી નક્કી થાય છે કે પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે; અને પદાર્થનો ક્ષણિક સ્વભાવ કેમ છે ? તે પ્રશ્ન થઈ શકે નહીં, કેમ કે પાણીનો શીત સ્વભાવ કેમ છે ? તે પ્રશ્ન થઈ શકે નહીં, પરંતુ પાણીનો શીત સ્વભાવ છે, માટે પાણીથી શૈત્યના અનુભવરૂપ કાર્ય થાય છે, તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે પદાર્થ અર્થક્રિયા કરે છે. આ પ્રકારનો કુતર્ક ક્ષણિકવાદી કરે છે. ગ્રંથકારશ્રી આવો કુતર્ક કરનાર ક્ષણિકવાદીને કહે છે કે “પરમાર્થથી સ્વભાવમાં છબસ્થજ્ઞાનગમ્યપણું નથી'; કેમ કે એક વાદી દ્વારા અન્યથારૂપે સ્વીકારાયેલ સ્વભાવની અન્ય વાદી દ્વારા અન્યથા કલ્પના કરાય છે. આશય એ છે કે પદાર્થમાં ક્ષણિક સ્વભાવ રહેલો છે માટે અર્થક્રિયા કરે છે ? કે પદાર્થનો અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે માટે અર્થક્રિયા કરે છે ? તેનો નિર્ણય છગસ્થ કરી શકતા નથી. તેથી એ ફલિત થાય કે પરમાર્થથી પદાર્થમાં રહેલો સ્વભાવ છબસ્થના જ્ઞાનનો વિષય નથી, કેમ કે એક વાદી એક રૂપે સ્વભાવને સ્વીકારે, તો અન્ય વાદી અન્ય રૂપે સ્વભાવને સ્વીકારી શકે છે. તેથી અર્થથી એ ફલિત થાય કે સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી. હવે એક વાદીનો અન્યથા રૂપે સ્વીકૃત સ્વભાવ અન્ય વાદી દ્વારા અન્ય રૂપે કઈ રીતે કલ્પના કરાય છે ? તે સ્પષ્ટ કરવા માટે શ્લોક-૯માં કહે છે -- જેમ ક્ષણિકવાદીએ પાણીના શૈત્ય સ્વભાવને ગ્રહણ કરીને શૈત્યની પ્રતીતિરૂ૫ કાર્ય બતાવ્યું, અને પાણીના દૃષ્ટાંતના બળથી સ્થાપન કર્યું કે પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે પદાર્થમાં અર્થક્રિયારૂપ કાર્ય થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે પાણીનો શીતળ સ્વભાવ સ્વીકારનાર વાદી પ્રત્યે કોઈ પ્રતિવાદી કહે કે “અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ છે'; ત્યારે પાણીના શીતળ સ્વભાવનું દૃષ્ટાંત લઈને ક્ષણિકવાદી પદાર્થને ક્ષણિક સિદ્ધ કરતો હોય તો, પ્રતિવાદી દ્વારા કલ્પાયેલા પાણીના દાહક સ્વભાવનું તે Page #48 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૮-૯ ૩૧ ક્ષણિકવાદી કઈ રીતે નિવારણ કરી શકે ? અર્થાત્ નિવારણ કરી શકે નહીં; કેમ કે પ્રતિવાદીએ પ્રત્યક્ષના વિરોધના પરિહાર માટે કહ્યું કે ‘અગ્નિના સાંનિધ્યમાં પાણી બાળે છે તેવો પાણીનો સ્વભાવ છે, અર્થાત્ પાણી અત્યંત દૂર નહીં પણ થોડું દૂર રહેલું હોય અને અગ્નિમાં હાથ નાંખીએ તો જે દાહ ઉત્પન્ન થાય છે, તે દાહ અગ્નિની પાસે રહેલા પાણીથી થયેલ છે, અગ્નિથી થયેલો નથી, તેમ પ્રતિવાદી કહે, તો ક્ષણિકવાદી તેનું નિરાકરણ કરી શકે નહીં. અહીં ક્ષણિકવાદી કહે કે ‘પાણી દૂર છે અને અગ્નિ નજીક છે, તેથી દૂર રહેલું પાણી કેવી રીતે બાળી શકે ?' તેથી પ્રતિવાદી પોતાના સ્થાપન કરેલ કથનની પુષ્ટિ માટે કહે છે કે જેમ દૂર રહેલું લોહચુંબક લોઢાનું આકર્ષણ કરે છે, પરંતુ લોહચુંબક પોતાને સ્પર્શેલા લોઢાનું આકર્ષણ કરતું નથી, તેમ હસ્તાદિને સ્પર્શેલો અગ્નિ બાળતો નથી પરંતુ દૂર રહેલું પાણી બાળે છે, તેમ સ્વીકારી શકાય; કેમ કે ક્ષણિકવાદી દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારી શકે છે, તેમ પ્રતિવાદી પણ લોહચુંબકના દૃષ્ટાંતના બળથી પાણીનો બાળવાનો સ્વભાવ સ્થાપન કરી શકે છે; અને આ રીતે પ્રતિવાદી જ્યારે લોહચુંબકના દૃષ્ટાંતના બળથી પાણીનો બાળવાનો સ્વભાવ સ્થાપિત કરે ત્યારે પાણીનો શીતસ્વભાવ સ્વીકારનાર ક્ષણિકવાદી તેનું નિરાકરણ કરી શકે નહીં; કેમ કે ક્ષણિકવાદીના મતે આ પદાર્થનો આવો સ્વભાવ કેમ છે ? તેવો પ્રશ્ન થઈ શકે નહીં.” અહીં વાદી પ્રતિવાદીને કહે કે ‘પાણીનો શીતસ્વભાવ તો બધાને પ્રતીત છે, જ્યારે પાણીનો બાળવાનો સ્વભાવ કોઈને પ્રતીત નથી; તેથી પાણીનો શીતસ્વભાવ સ્વીકારી શકાય, પરંતુ પાણીનો બાળવાનો સ્વભાવ સ્વીકારી શકાય નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ‘વિશેષનો વિનિગમ નથી' અર્થાત્ પાણીનો શીતસ્વભાવ છે ? કે અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે ? તે રૂપ વિશેષનો નિર્ણય થઈ શકે તેવું કોઈ નિયામક તત્ત્વ નથી. તેથી જો દૃષ્ટાંતના બળથી વાદી પદાર્થના ક્ષણિક સ્વભાવની સિદ્ધિ કરી શકતો હોય તો લોહચુંબકના દષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ પણ સિદ્ધ થઈ શકે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કુતર્કગ્રહનિવૃતિહાવિંશિકા/શ્લોક-૮-૯ અહીં વિશેષ એ છે કે પ્રત્યક્ષથી દેખાતી સફેદ વસ્તુને જોઈને, ઉન્મત્તને છોડીને તેને સફેદને બદલે અન્ય રૂપે અર્થાત્ લાલ કે કાળા રંગરૂપે કોઈ સ્થાપિત કરી શકે નહીં. તેથી સફેદ રૂપ જેમ છમસ્થને પ્રત્યક્ષનો વિષય છે, તેમ પદાર્થમાં રહેલો સ્વભાવ કંઈ છમસ્થને પ્રત્યક્ષનો વિષય નથી. તેથી કોઈ વાદી તે પદાર્થનો સ્વભાવ એક રૂપે કહ્યું છે, તો કોઈ અન્ય વાદી તે પદાર્થનો સ્વભાવ અન્ય રૂપે કહ્યું છે. તેથી નક્કી થાય છે કે “પદાર્થનો સ્વભાવ છબસ્થના જ્ઞાનનો વિષય નથી. તેથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે તેથી અર્થક્રિયા કરે છે, કે પદાર્થનો અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે તેથી અર્થક્રિયા કરે છે, આ પ્રકારનો વિકલ્પ થઈ શકે છે. તેથી ‘પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે માટે અર્થક્રિયા કરે છે” તેમ સ્થાપન કરવું તે સ્વમતિકલ્પનારૂપ વિકલ્પ છે, એમ સ્થાપન કરવાનો ગ્રંથકારશ્રીનો આશય છે. અહીં ક્ષણિકવાદી કહે કે પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે તે છબસ્થનો વિષય નથી, પણ બુદ્ધ ભગવાને ક્ષણિક સ્વભાવ જોયો છે અને તદનુસાર પોતે ક્ષણિક સ્વભાવ સ્વીકારે છે અને તેની પુષ્ટિ કરવા માટે પાણીના શીત સ્વભાવનું દૃષ્ટાંત આપે છે. માટે ક્ષણિકવાદ સ્વીકારવામાં દોષ નથી. તેને ગ્રંથકાર સ્વયં આગળ કહેવાના છે કે સર્વજ્ઞ એવા બુદ્ધ ભગવાન ક્યારેય વસ્તુના યથાર્થ સ્વરૂપને જોનારા ન હોય તેવું બને નહીં, અને તેઓએ મોક્ષ અર્થે દેશના આપી છે. તેથી ફલિત થાય કે તેઓ પદાર્થને એકાંત ક્ષણિક કહેતા નથી; પરંતુ ભોગની આસ્થાવાળા જીવોને ભોગની આસ્થાને છોડાવવા માટે ક્ષણિકવાદનો ઉપદેશ આપેલ છે. તે અર્થને છોડીને એકાંત ક્ષણિકવાદી બુદ્ધના અનુયાયીઓ સ્વમતનું યથાતથા સ્થાપન કરવા પ્રયત્ન કરે છે, તે તેઓનો કુતર્ક છે. માટે કુતર્કનો ત્યાગ કરીને શ્રુત-શીલાદિમાં અભિનિવેશ કરવામાં આવે તો અવેદ્યસંવેદ્યપદની નિવૃત્તિ થાય અને તત્ત્વની પ્રાપ્તિ થાય. આ પ્રકારનો આગળના કથન સાથે પ્રસ્તુત શ્લોકનો સંબંધ છે. ટીકા : તદુ – “अतोऽग्निः क्लेदयत्यम्बु सन्निधौ दहतीति च । अबग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૮-૯ कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । વિપ્રત્કૃષ્ટોઽવ્યયસ્વાન્તઃ સ્વાર્થદૃશ્યતે યત:” ।। (યો.ટ્ટ.સ. ૧રૂ-૧૪) ||Ŕ|| ટીકાર્ય ઃ તવુń- યત:” ।। તે કહેવાયું છે=જે શ્લોક-૯માં ગ્રંથકારશ્રીએ કહ્યું તે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક-૯૩-૯૪માં કહેવાયું છે. ।।૯।। ઉદ્ધરણનો અન્વયાર્થ : શ્લોક-૯૩માં પરવાદી કહે છે અત:=આ કારણથી=અધિકૃત સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી, એ કારણથી તયો=તે બેનું=અગ્નિનું અને પાણીનું તત્ત્વામાવ્યાત્ તત્ત્વભાવપણું હોવાને કારણે=અગ્નિનું ભીંજવવાનું સ્વભાવપણું અને પાણીનું બાળવાનું સ્વભાવપણું હોવાને કારણે નિ=અગ્નિ અન્વસન્નિ=પાણીના સાંનિધ્યમાં વત્તેતિ=ભીંજવે છે, ==અને અમ્બુ=પાણી નિત્રિયો= અગ્નિના સાંનિધ્યમાં વૃતિ=બાળે છે, રૂતિએ પ્રમાણે ઉત્તે=કહેવાયે છતે=પરવાદી દ્વારા કહેવાયે છતે" - - શું ? એથી કરીને શ્લોક-૯૪માં કહે છે જોશપાનાવૃત=સોગંદ ખાધા વગર ત્ર=અહીં=સ્વભાવના કથનમાં અર્થાત્ અગ્નિ પાણીના સાંનિધ્યમાં ભીંજવે છે ઇત્યાદિ કથનમાં યુતિત:-યુક્તિથી જ્ઞાનોપાયઃ= જ્ઞાનનો ઉપાય નાસ્તિ=નથી; યતઃજે કારણથી વિપ્રકૃષ્ટોઽવ્યયસ્વાન્તઃ=કંઈક દૂર રહેલું પણ લોહચુંબક સ્વાર્થ સ્વાર્થને કરનારું=લોઢાને આકર્ષવારૂપ સ્વઅર્થને કરનારું દૃશ્યતે દેખાય છે. (યો. દ. શ્લોક-૯૩-૯૪) ॥૮॥૯॥ ઉદ્ધરણનો શ્લોકાર્થ : 44 શ્લોક-૯૩માં પરવાદી કહે છે 33 " “અધિકૃત સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી, એ કારણથી અગ્નિનું ભીંજવવાનું સ્વભાવપણું અને પાણીનું બાળવાનું સ્વભાવપણું હોવાને કારણે, અગ્નિ પાણીના સાંનિધ્યમાં ભીંજવે છે, અને પાણી અગ્નિના સાંનિઘ્યમાં બાળે છે, એ પ્રમાણે પરવાદી દ્વારા કહેવાયે છતે, શું ? એથી કરીને શ્લોક-૯૪માં કહે છે Page #51 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૮-૯ સોગંદ ખાધા વગર સ્વભાવના કથનમાં યુક્તિથી જ્ઞાનનો ઉપાય નથી; જે કારણથી દૂર રહેલું પણ લોહચુંબક સ્વાર્થને કરનારું દેખાય છે.” (યો.દ.સ. શ્લોક-૯૩-૯૪) Ile-II ૩૪ ભાવાર્થ:કુતર્કનું સ્વરૂપ : ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથના સાક્ષીરૂપે આપેલા શ્લોકોની પૂર્વના યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લોકોમાં ક્ષણિકવાદીએ સ્થાપન કર્યું કે ‘પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે, માટે ભીંજવે છે, અને અગ્નિનો સ્વભાવ બાળવાનો છે માટે બાળે છે, તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે અર્થક્રિયા કરે છે.’ તેને ગ્રંથકારશ્રી ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં કહે છે કે પદાર્થમાં રહેલો સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી; એ કારણથી દૃષ્ટાંતના બળથી ક્ષણિકવાદી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે તો ક્ષણિકવાદીની સામે કોઈ પ્રતિવાદી ‘અગ્નિનો પાણીના સાંનિધ્યમાં ભીંજવવાનો સ્વભાવ છે, અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે’ એમ કહે તો ક્ષણિકવાદીની પાસે સોગંદ સિવાય પ્રતિવાદીને યુક્તિથી સમજાવવા માટે કોઈ ઉપાય નથી અર્થાત્ ‘હું સોગંદ ખાઈને કહું છું કે પાણીનો ભીંજવવાનો સ્વભાવ છે, પરંતુ બાળવાનો સ્વભાવ નથી; અને અગ્નિનો બાળવાનો સ્વભાવ છે, પરંતુ ભીંજવવાનો સ્વભાવ નથી.' આ રીતે સોગંદથી પ્રતિવાદીને ક્ષણિકવાદી સમજાવી શકે, પરંતુ યુક્તિથી પ્રતિવાદીને ક્ષણિકવાદી સમજાવી શકે નહીં; કેમ કે જેમ ક્ષણિકવાદી પાણીના ભીંજવવાના સ્વભાવની કલ્પના કરીને પદાર્થના ક્ષણિક સ્વભાવની કલ્પના કરી શકે છે, તેમ પ્રતિવાદી પણ પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે તેવી કલ્પના કરી શકે છે. વળી આવા સ્વભાવની કલ્પના કરવા માટે પ્રતિવાદી પાસે દૃષ્ટાંત છે, જે યો.દ. શ્લોક-૯૪ના ઉત્તરાર્ધથી બતાવે છે વિપ્રકૃષ્ટ એવું લોહચુંબક પણ સ્વાર્થને કરનારું દેખાય છે અર્થાત દૂર રહીને લોખંડને આકર્ષણ કરનારું દેખાય છે. વળી લોખંડનું જ આકર્ષણ કરનારું દેખાય છે, પણ તામ્રાદિને આકર્ષણ કરનારું દેખાતું નથી; અને લોખંડનું આકર્ષણ Page #52 -------------------------------------------------------------------------- ________________ રૂપ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાäિશિકા/ગ્લો-૮-૯-૧૦ કરનારું દેખાય છે, પણ લોખંડને કાપનારું દેખાતું નથી. આ પ્રકારનો લોહચુંબકનો સ્વભાવ દેખાય છે, તેમ પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે, તેમ દૃષ્ટાંતના બળથી કહી શકાય. જેમ ક્ષણિકવાદીએ પાણીના ભીંજવવાના સ્વભાવનું દૃષ્ટાંત લઈને પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, તેમ સ્થાપન કર્યું. તેની જેમ પ્રતિવાદી પણ લોહચુંબકના દૃષ્ટાંતથી પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે ઇત્યાદિ સ્થાપન કરે તો તે પ્રતિવાદીને ક્ષણિકવાદી કોઈ રીતે યુક્તિથી સમજાવી શકે નહીં, પરંતુ કહે કે “હું સોગંદપૂર્વક કહું છું કે પાણીનો ભીંજવવાનો સ્વભાવ છે, પણ બાળવાનો સ્વભાવ નથી. અને જો પ્રતિવાદીને ક્ષણિકવાદી પ્રત્યે વિશ્વાસ હોય તો ક્ષણિકવાદીના સોગંદના બળથી ક્ષણિકવાદીનું વચન સ્વીકારી શકે; પરંતુ ક્ષણિકવાદી દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે છે, તેથી ક્ષણિકવાદી પ્રતિવાદી વડે દૃષ્ટાંતના બળથી સ્વીકારેલા સ્વભાવની કલ્પનાનું નિરાકરણ ક્યારેય કરી શકે નહીં. l૮-લા અવતરણિકા : શ્લોક-૮-૯થી સ્થાપન કર્યું કે ક્ષણિકવાદી પાણીના ભીંજવવાના સ્વભાવના દષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે' તેમ સ્થાપત કરે, તો પ્રતિવાદી અન્ય દષ્ટાંત દ્વારા પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ સ્થાપન કરે', ત્યારે ક્ષણિકવાદી તેનો ઉત્તર આપી શકે તેમ નથી. આ કથનથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – શ્લોક : दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन बाध्यताम् । स्वभावबाधने नालं कल्पनागौरवादिकम् ।।१०।। અન્વયાર્થ:' ત—તસ્મા–તે કારણથી શ્લોક-૮-૯માં બતાવ્યું તે પ્રમાણે ક્ષણિકવાદીની સામે પ્રતિવાદી પાણીના બાળવાના સ્વભાવની કલ્પના કરી શકે છે તે કારણથી, દૃષ્ટાન્તમાત્રસૌત્નમ્યા–દષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે Page #53 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ અયં=આ=પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે, એ પ્રકારનો કુતર્ક, જેન વાધ્યતામ્=કોના દ્વારા બાધ કરાવી શકાય ? અર્થાત્ ક્ષણિકવાદી દ્વારા બાધ કરાવી શકાય નહીં. સ્વમાવવાધને-સ્વભાવના બાધનમાં લ્પનાગૌરવાનિ=કલ્પનાગૌરવાદિ નાનં=સમર્થ નથી. ।।૧૦।। 39 શ્લોકાર્થ : તે કારણથી દૃષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે આ અર્થાત્ કુતર્ક, કોના દ્વારા બાધ કરાવી શકાય ? અર્થાત્ ક્ષણિકવાદી દ્વારા બાધ કરાવી શકાય નહીં. સ્વભાવના બાધનમાં કલ્પનાગૌરવાદિ સમર્થ નથી. 1|૧૦|I ટીકા ઃ दृष्टान्तेति दृष्टान्तमात्रस्य सौलभ्यात् तत् तस्मात्, अयम् = अन्यथास्वभावविकल्पकः कुतर्कः केन वार्यताम् ? | अग्निसन्निधावपां दाहस्वभावत्वे कल्पनागौरवं बाधकं स्यादित्यत आह- स्वभावस्योपपत्तिसिद्धस्य बाधने कल्पनागौरवादिकं नालं=न समर्थं, कल्पनासहस्रेणापि स्वभावस्यान्यथाकर्तुमशक्यत्वात्, अत एव न कल्पनालाघवेनापि स्वभावान्तरं कल्पयितुं शक्यमिति दृष्टव्यं, अथ स्वस्य भावः = अनागन्तुको धर्मो नियतकारणत्वादिरूप एव, स च कल्पनालाघवज्ञानेन गृह्यते, अन्यथागृहीतश्च कल्पनागौरवज्ञानेन त्यज्यतेऽपीति चेत्र, गौरवेऽपि अप्रामाणिकत्वस्य दुर्ग्रहत्वात् प्रामाणिकस्य च गौरवादेरप्यदोषत्वादिति વિઘ્ન ।।૨૦।। ટીકાર્ય : दृष्टान्तमात्रस्य ત્યાવિતિ વિજ્।। ત તે કારણથી=શ્લોક-૮-૯માં બતાવ્યું તે પ્રમાણે ક્ષણિકવાદીની સામે પ્રતિવાદી પાણીના બાળવાના સ્વભાવની કલ્પના કરી શકે છે તે કારણથી, દૃષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે આ=અન્યથા સ્વભાવના વિકલ્પરૂપ કુતર્ક અર્થાત્ પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે એ પ્રકારનો અન્યથા સ્વભાવના વિકલ્પરૂપ કુતર્ક, કોના દ્વારા વારણ કરી શકાય ? અર્થાત્ ક્ષણિકવાદી પોતાના Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ક્ષણિકવાદની સિદ્ધિ માટે જે પ્રમાણે વિકલ્પ કરે છે, તે પ્રમાણે વિકલ્પ કરનારને કોઈના વડે વારી શકાય નહીં. અહીં ક્ષણિક વાદી કહે કે અગ્નિના સાંનિધ્યમાં પાણીના દાહકસ્વભાવપણામાં કલ્પનાનું ગૌરવ બાધક થાય. એથી કહે છે=એથી ગ્રંથકારશ્રી કહે છે – ઉપપરિસિદ્ધ એવાયુક્તિસિદ્ધ એવા સ્વભાવના બાધનમાં કલ્પનાગૌરવાદિ સમર્થ નથી; કેમ કે હજાર કલ્પનાઓથી પણ સ્વભાવનું અવ્યથા કરવા માટે અશક્યપણું છે. આથી જ=હજારો કલ્પનાઓથી પણ સ્વભાવ અન્યથા થતો નથી આથી જ, કલ્પતાલાઘવથી પણ સ્વભાવાંતર કલ્પવો શક્ય નથી ઉપપરિસિદ્ધ સ્વભાવથી અન્ય સ્વભાવની કલ્પના કરવી શક્ય નથી, એ પ્રમાણે જાણવું. અહીં પૂર્વપક્ષી ક્ષણિકવાદી કહે કે સ્વનો ભાવ અનાગંતુક અર્થાત્ અચના સાંનિધ્યથી થયેલો નહીં, પરંતુ વસ્તુનો વાસ્તવિક, નિયત કારણત્યાદિરૂપ ધર્મ જ સ્વભાવ છે, અને તે=સ્વભાવ, કલ્પનાલાઘવના જ્ઞાન વડે ગ્રહણ કરાય છે, અને અત્યથાગૃહીત સ્વભાવ=પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાના સ્વભાવરૂપ અવ્યથાગૃહીત સ્વભાવ, કલ્પનાગૌરવના જ્ઞાનથી ત્યાગ પણ કરાય છે, એમ જો તું કહેતા હો તો, ગ્રંથકાર કહે છે ન તારી વાત બરાબર નથી; કેમ કે ગોરવ હોતે છતે પણ=પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે તે પ્રકારના સ્વીકારમાં કલ્પનાગૌરવ હોવા છતાં પણ, અપ્રમાણિકપણાનું દુર્રહપણું છે. “પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે' એ પ્રકારની કલ્પનામાં અપ્રામાણિકપણાનો નિર્ણય ન હોય, અને પૂર્વપક્ષીએ જેમ દષ્ટાંતના બળથી ક્ષણિકવાદનું સ્થાપન કર્યું. તેમ દષ્ટાત્તના બળથી પ્રતિવાદીએ પણ પાણીના બાળવાના સ્વભાવનું સ્થાપન કરે અને તે કલ્પનામાં અપ્રમાણિકપણાનો નિર્ણય ન થાય તો કલ્પનાગૌરવને કારણે પ્રતિવાદીના કથનનો ત્યાગ થઈ શકે નહીં તે બતાવવા કહે છે – અને જો પૂર્વપક્ષીનું કથન પ્રામાણિક છે, તેમ નક્કી થાય, તો શું પ્રાપ્ત થાય ? તે કહે છે – Page #55 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ અને પ્રામાણિક એવા ગૌરવઆદિનું પણ અદોષપણું છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ।।૧૦|| ૩. * ‘ત્વનાોરવિમ્' - અહીં ‘આર્િ’ થી શરીરકૃત ગૌરવ અને ઉપસ્થિતિકૃત ગૌરવનું ગ્રહણ કરવું. * ‘ત્પનાસહસ્ત્રવિ’ - અહીં ‘વિ’ થી એ કહેવું છે કે બે-ચાર કલ્પનાથી તો સ્વભાવ અન્યથા કરવો શક્ય નથી, પણ હજાર પણ કલ્પનાથી સ્વભાવ અન્યથા કરવો શક્ય નથી. • ‘ત્વનાભાવેનાપિ’ – અહીં ‘પિ’ થી એ કહેવું છે કે કલ્પનાલાધવ ન હોય તો તો સ્વભાવાંતર કલ્પના ન થાય, પરંતુ કલ્પનાલાઘવથી પણ સ્વભાવાંતરની કલ્પના ન થાય. ૢ ‘ત્યન્યતેઽપીતિ’ - અહીં ‘’િ થી એ કહેવું છે કે કલ્પનાગૌરવનું જ્ઞાન ન હોય તો ત્યાગ ન થાય, પરંતુ કલ્પનાગૌરવના જ્ઞાનથી ત્યાગ પણ થાય છે. * ‘ગૌરવેઽપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ગૌરવ ન હોય તો તો અપ્રામાણિકપણાનું દુર્રહપણું છે, પણ ગૌરવ હોય તોપણ અપ્રામાણિકપણાનું દુગ્રહપણું છે. * ‘ગોરવાવેરવોષત્વાત્’ - અહીં ‘નોરવાવે.’ ના વિ થી અનવસ્થાનું ગ્રહણ કરવું, અને ‘પિ’ થી એ કહેવું છે કે પ્રામાણિક એવા લાઘવનું તો અદોષપણું છે, પણ પ્રામાણિક એવા ગૌરવનું પણ અદોષપણું છે. ભાવાર્થ: કુતર્કનું સ્વરૂપ : શ્લોક-૮-૯માં સ્થાપન કરેલ કે જો ક્ષણિકવાદી પાણીના શૈત્યસ્વભાવના દૃષ્ટાંતથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરતો હોય તો પ્રતિવાદી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ પણ લોહચુંબકના દૃષ્ટાંતના બળથી સ્થાપન કરે તો ક્ષણિકવાદી તેને ઉત્તર આપી શકે નહીં. તેનાથી શું ફલિત થાય છે ? એ બતાવે છે દૃષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે, તે પ્રકારનો અન્યથાસ્વભાવના વિકલ્પરૂપ કુતર્ક કોના દ્વારા નિવારણ કરી Page #56 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ૩૯ શકાય ? અર્થાત્ જો ક્ષણિકવાદી દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરી શકતો હોય તો પ્રતિવાદી દ્વારા લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ સ્થાપન કરાય તો ક્ષણિકવાદી તેનું નિરાકરણ કરી શકે નહીં. અહીં ક્ષણિકવાદી કહે કે અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહક સ્વભાવ સ્વીકારવામાં કલ્પનાગૌરવ બાધક છે. આશય એ છે કે પાણીનો શૈત્યસ્વભાવ સ્વીકારવામાં કલ્પનાલાઘવ છે, અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહક સ્વભાવ સ્વીકારવામાં કલ્પનાગૌરવ છે. માટે પાણીનો શૈત્ય સ્વભાવ સ્વીકારવો ઉચિત છે, પરંતુ પાણીનો દાહક સ્વભાવ સ્વીકારવો ઉચિત નથી. આમ કહીને ક્ષણિકવાદીને એ સ્થાપન કરવું છે કે પાણીના શૈત્ય સ્વભાવના દૃષ્ટાંતથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉપપત્તિસિદ્ધ સ્વભાવના બાંધનમાં કલ્પનાગૌરવ આદિ સમર્થ નથી; કેમ કે હજાર કલ્પનાથી પણ સ્વભાવનું પરિવર્તન થઈ શકે નહીં. આશય એ છે કે જેમ ક્ષણિકવાદી પાણીના શૈત્ય સ્વભાવના દૃષ્ટાન્તના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરી શકતો હોય, તો તેની જેમ લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ છે, તેમ પ્રતિવાદી સિદ્ધ કરી શકે; અને જો ક્ષણિકવાદીની જેમ દૃષ્ટાંતના બળથી પાણીનો બાળવાનો સ્વભાવ સિદ્ધ થાય તો કલ્પનાગૌરવાદિ સિદ્ધ થયેલા એવા તે સ્વભાવનું પરિવર્તન કરી શકે નહીં. તેથી એ ફલિત થાય કે દૃષ્ટાંતના બળથી જેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારી શકાય, તેમ દૃષ્ટાંતના બળથી પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ પણ સ્વીકારી શકાય, અને તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકાર કહે છે કે કલ્પનાના લાઘવથી પણ સ્વભાવાંતર કલ્પવો શક્ય નથી. તાત્પર્ય એ છે કે અનંત આત્માઓને માનવાને બદલે એક આત્માને માનીએ તો કલ્પનાનું લાઇવ પ્રાપ્ત થાય, તોપણ કલ્પનાના લાઘવના બળથી આત્માના ઐક્યની કલ્પના થઈ શકે નહીં, કેમ કે દરેક આત્માને પ્રતીતિ પ્રત્યક્ષથી જુદી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ જુદી દેખાય છે. તેથી અનંત આત્માઓની કલ્પના કર્યા વગર તે પ્રતીતિ સંગત થાય નહીં. તેથી જેમ કલ્પનાલાઘવના બળથી અનંત આત્માઓનું ઐક્ય સ્વીકારી શકાય નહીં; તેમ દૃષ્ટાંતના બળથી ઉપપરિસિદ્ધ એવો પાણીનો દાહ સ્વભાવ છોડીને કલ્પનાના લાઘવના બળથી પાણીનો શૈત્ય સ્વભાવ સ્વીકારી શકાય નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે સ્વભાવ શબ્દનો અર્થ સ્વનો ભાવ, અને સ્વનો ભાવ એટલે અનાગંતુક ધર્મ, અને તે ધર્મ નિયત કારણત્વાદિરૂપ છે; આવો અર્થ કરીએ તો પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહસ્વભાવ છે, તેમ સ્વીકારી શકાય નહીં. આશય એ છે કે અન્યના બળથી આવતો ધર્મ આગંતુક ધર્મ છે. જેમ સ્ફટિકમાં જપાકુસુમના બળથી આવતી રક્તતા આગંતુક ધર્મ છે, અને તે આગંતુક ધર્મ સ્ફટિકનો સ્વભાવ નથી, પરંતુ અનાગંતુક ધર્મ અર્થાતુ અન્યના સાંનિધ્ય વગર થયેલો ધર્મ સ્વભાવ છે, એમ કહી શકાય. તેમ પાણીનો અગ્નિના સાંનિધ્યથી થનારો બાળવાનો સ્વભાવ અનાગંતુક ધર્મ નથી, પરંતુ અગ્નિના સાંનિધ્યથી આવનારો આગંતુક ધર્મ છે. માટે તેને સ્વભાવ કહી શકાય નહીં, અને પાણીમાં વર્તતો શૈત્ય-સ્વભાવ આગંતુક ધર્મ નથી, પણ પાણીમાં સ્વાભાવિક રહેનારો ધર્મ છે. માટે પાણીમાં શૈત્ય સ્વભાવ સ્વીકારવો ઉચિત ગણાય, પરંતુ અગ્નિના સાંનિધ્યમાં દાહ સ્વભાવ સ્વીકારવો ઉચિત ગણાય નહીં. આમ કહીને ક્ષણિકવાદીને એ સ્થાપન કરવું છે કે પાણીના શૈત્યસ્વભાવના દૃષ્ટાંતના બળથી અમે પદાર્થનો ક્ષણિક સ્વભાવ બતાવીએ છીએ તે દોષરૂપ નથી. ક્ષણિકવાદીના આ કથન દ્વારા ગ્રંથકારે પૂર્વમાં કહેલ કે પાણીના દૃષ્ટાંતના બળથી જો પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારવામાં આવે તો પ્રતિવાદી લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીના બાળવાના સ્વભાવની આપત્તિ આપશે, તો ક્ષણિકવાદી ઉત્તર આપી શકશે નહીં, તે પ્રશ્નનું નિરાકરણ થાય છે, કેમ કે ક્ષણિકવાદી બતાવે છે કે પાણીનો શૈત્ય સ્વભાવ અનાગંતુક ધર્મ છે, માટે તેને પાણીનો સ્વભાવ સ્વીકારી શકાય; પરંતુ પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહ સ્વભાવ તે આગંતુક ધર્મ છે, માટે તેને પાણીનો સ્વભાવ સ્વીકારી શકાય નહીં. Page #58 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ ૪૧ વળી જે સ્વભાવ હોય તે નિયત કારણત્વાદિરૂપ હોય એમ કહ્યું. તેનો આશય એ છે કે પાણીમાં શીતળતાના અનુભવનો સ્વભાવ સદા છે. તેથી શીતળતાના અનુભવનું કારણપણું શૈત્ય સ્વભાવમાં છે, અને તે સદા નિયત છે; અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ સ્વીકારીએ તો તેની જેમ અન્ય કોઈ પદાર્થના સાંનિધ્યમાં પાણીનો અન્ય સ્વભાવ પણ પ્રાપ્ત થાય. તેથી પાણીનો સ્વભાવ નિયતકારણત્વાદિરૂપ ન થાય, પરંતુ અગ્નિના સાંનિધ્યમાં બાળવાના સ્વભાવરૂપ થાય, અને અગ્નિના સાંનિધ્ય વગર શીત સ્વભાવરૂપ થાય, અને અન્ય કોઈના સાંનિધ્યમાં અન્ય સ્વભાવરૂપ થાય. તેથી જે નિયત કારણત્વાદિરૂપ ધર્મ હોય તે જ સ્વભાવ શબ્દથી ગ્રહણ થાય. આ પ્રકારનો ક્ષણિકવાદીનો આશય છે, અને તેની પુષ્ટિ કરવા માટે તે કહે છે કે આવો સ્વભાવ કલ્પનાલાધવના જ્ઞાનથી ગ્રહણ થાય છે, અને અન્યથા ગ્રહણ થયેલો હોય તો કલ્પનાના ગૌરવના જ્ઞાનથી ત્યાગ પણ કરાય છે. આશય એ છે કે પાણીનો શૈત્યસ્વભાવ છે, તેમ સ્વીકારવામાં કલ્પનાલાધવ છે, અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહસ્વભાવ છે, તેમ સ્વીકારવામાં કલ્પનાગૌરવ છે, અને કલ્પનાલાઘવજ્ઞાનના બળથી અનાગંતુક ધર્મ સ્વભાવરૂપ છે, એમ ગ્રહણ થાય છે; અને ક્યારેક પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે એવું અન્યથા ગ્રહણ થયેલું હોય, અને પછી ખ્યાલ આવે કે આ રીતે સ્વીકારવામાં કલ્પનાગૌરવ થાય છે, ત્યારે તે સ્વભાવનો ત્યાગ થાય છે, અને કલ્પનાલાઘવજ્ઞાનથી જે સ્વભાવ સિદ્ધ થતો હોય તે સ્વભાવ સ્વીકારાય છે. આ રીતે ક્ષણિકવાદીએ યુક્તિ આપી સ્થાપન કર્યું કે પોતે પાણીના શૈત્ય સ્વભાવના દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સિદ્ધ કરે, તેની સામે કોઈ પ્રતિવાદી દૃષ્ટાંતના બળથી પાણીનો દાહસ્વભાવ સ્થાપન કરી પદાર્થના ક્ષણિક સ્વભાવને અન્યથા સિદ્ધ કરી શકે નહીં. તેથી પોતે દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે છે, તે યુક્તિયુક્ત છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે ‘આ તારી વાત બરાબર નથી'; કેમ કે ગૌરવમાં પણ અપ્રામાણિકત્વનું દુગ્રહપણું છે અને પ્રામાણિક ગૌરવાદિનું અર્દોષપણું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ આશય એ છે કે અગ્નિના સાંનિધ્યમાં પાણીના દાહસ્વભાવને સ્વીકારવામાં ગૌરવપણું હોવા છતાં આ પ્રકારની કલ્પના અપ્રામાણિક છે તેવું કહી શકાય નહીં, કેમ કે જો દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સિદ્ધ કરી શકાય અને તે પ્રામાણિક છે તેમ સ્વીકારાય, તો લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહસ્વભાવ છે, તે અપ્રમાણિક છે, તેમ કહી શકાય નહીં. ફક્ત ગૌરવદોષ છે એટલા માત્રથી તે અપ્રમાણિક છે તેમ સિદ્ધ થાય નહીં, પરંતુ જો તે સ્વભાવ પ્રામાણિક હોય તો તે સ્વભાવ સ્વીકારવામાં ગૌરવદિ આવતાં હોય તોપણ દોષ નથી. જેમ એક આત્માને સ્વીકારવાને બદલે અનંત આત્માઓને સ્વીકારવામાં ગૌરવદોષની પ્રાપ્તિ છે, તોપણ અનંત આત્માઓ છે, તે પ્રામાણિક પ્રતીતિ છે. તેથી પ્રામાણિક પ્રતીતિવાળા પદાર્થમાં ગૌરવાદિ દોષ આવતા હોય તોપણ તે દોષરૂપ નથી; તેમ દૃષ્ટાંતના બળથી પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહ સ્વભાવ પ્રામાણિક રીતે સિદ્ધ થઈ શકતો હોય તો ગૌરવદોષમાત્રથી તે સ્વભાવ પાણીનો નથી, તેમ સ્થાપન કરી શકાય નહીં. II૧ol અવતરણિકા : શ્લોક-૩માં કહેલ કે મુક્તિને ઇચ્છનારાઓએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં. ત્યારપછી શ્લોક-૬માં કુતર્ક કેવો છે ? તે બતાવ્યું. ત્યારપછી ક્ષણિકવાદી કઈ રીતે કુતર્ક કરીને પદાર્થને ક્ષણિક સ્થાપન કરે છે, તે શ્લોક-૮માં બતાવ્યું, અને ક્ષણિકવાદીનું ક્ષણિક પદાર્થ સ્થાપન કરવાનું કથન કુતર્કરૂપ કેમ છે? તેની સિદ્ધિ શ્લોક-૯-૧૦ થી કરી. તેથી એ ફલિત થયું કે પાણીના દષ્ટાંતના બળથી ક્ષણિકવાદી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે છે, તે કુતર્ક છે. હવે બૌદ્ધ દર્શનના અન્ય વાદીઓ દૃષ્ટાંતના બળથી જ્ઞાનના વિષયભૂત પદાર્થ નથી, તેમ સ્થાપન કરે છે, તે પણ કુતર્ક છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક – द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः । धियां निरालम्बनतां कुतर्क: साधयत्यपि ।।११।। Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાબિંશિકા/શ્લોક-૧૧ અન્વયાર્થ : દિવસ્વMવિજ્ઞાનનિવર્શનવસ્થિતઃ બે ચંદ્રના વિજ્ઞાનના દષ્ટાંતના બળથી અને સ્વપ્નવિજ્ઞાનના દષ્ટાંતના બળથી ઊભો થયેલો તર્વ કુતર્ક થિયાંક બુદ્ધિની નિરાનનતામપિ=નિરાલંબનતાને પણ સાથયતિ સાધે છે. ll૧૧ાા બ્લોકાર્ચ - બે ચંદ્રના વિજ્ઞાનના દષ્ટાંતના બળથી અને સ્વપ્નવિજ્ઞાનના દષ્ટાંતના બળથી ઊભો થયેલો એવો કુતર્ક, બુદ્ધિની નિરાલંબનતાને પણ સાથે છે. ll૧૧ll સધાત્યપ' માં રહેલ ‘૩પ' શબ્દનું યોજન નિરાત્રતા સાથે છે, અને તે ‘પ' થી એ કહેવું છે કે દૃષ્ટાંતના બળથી ઊઠેલો કુતર્ક પદાર્થનો ક્ષણિક સ્વભાવ તો સ્થાપન કરે છે, પરંતુ દૃષ્ટાંતના બળથી ઊઠેલો કુતર્ક બુદ્ધિની નિરાલંબનતાનું પણ સ્થાપન કરે છે. ટીકા : द्विचन्द्र इति-द्विचन्द्रस्वप्नविज्ञाने एव निदर्शने उदाहरणमात्रे तबलादुत्थितः कुतर्कः धियां सर्वज्ञानानां, निरालम्बनताम्=अलीकविषयतामपि साधयति ।।११।। ટીકાર્ચ - વિન્દ્ર..... સથતિ બે ચંદ્ર અને સ્વપ્નનું વિજ્ઞાન જ નિદર્શન છેઃ ઉદાહરણમાત્ર છે. તેના બળથી=ઉદાહરણના બળથી, ઊભો થયેલો કુતર્ક બુદ્ધિની=સર્વ જ્ઞાનોની, નિરાલંબનતાને પણઅલીક વિષયતાને પણ સાધે છે. ll૧૧ ભાવાર્થ :જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ માત્રનો અપલાપ કરનાર જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધથી પ્રવૃત્ત થતા કુતર્કનું સ્વરૂપ : પાણીના દૃષ્ટાંતના બળથી ક્ષણિકવાદીએ પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કર્યો તે જેમ કુતર્ક છે, તેમ બૌદ્ધદર્શનના કેટલાક અનુયાયીઓ બે ચંદ્રનું જ્ઞાન Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૧૧-૧૨ થાય છે અથવા સ્વપ્નમાં પદાર્થોનું જ્ઞાન થાય છે, તે દષ્ટાંત લઈને સ્થાપન કરે છે કે જગતમાં બે ચંદ્ર નથી છતાં બે ચંદ્રનું જ્ઞાન થાય છે, તેની જેમ જ્ઞાનના વિષયભૂત પદાર્થ વગર પણ જ્ઞાન થઈ શકે છે; તેથી બાહ્ય પદાર્થો જગતમાં નથી, છતાં જ્ઞાન થઈ શકે છે. માટે જ્ઞાનથી અતિરિક્ત જગતમાં કોઈ વસ્તુ નથી, તે પ્રમાણે સ્વીકારીને જ્ઞાનાદ્વૈતનું સ્થાપન કરે છે. વળી તેની પુષ્ટિ માટે બીજું પણ દૃષ્ટાંત આપે છે કે સ્વપ્નમાં હાથી-ઘોડા દેખાય છે તોપણ પરમાર્થથી ત્યાં હાથી-ઘોડા નથી. તેથી પણ ફલિત થાય છે કે પદાર્થ વગર જ્ઞાન થઈ શકે છે. માટે જગતના જીવોને જ્ઞાનની પ્રતીતિ છે તે સાચી છે, પરંતુ જ્ઞાનના વિષયભૂત પદાર્થો નથી. આ રીતે દૃષ્ટાંતના બળથી જ્ઞાનથી અતિરિક્ત જગતમાં કોઈ પદાર્થ નથી, તેમ જ્ઞાનાતવાદી બૌદ્ધ કહે છે, તે કુતર્ક છે. વસ્તુતઃ સર્વજ્ઞએ સંસારના મોતના ત્યાગ અર્થે ન વિશેષનું આલંબન લઈને આ સંસાર સ્વપ્ન જેવો છે, તેમ સ્થાપન કર્યું છે, અને તેમના વચનને અવલંબીને ઊઠેલા એકાંતવાદીઓ સ્વદર્શનની રુચિના બળથી વિચન્દ્રાદિના દૃષ્ટાંતને લઈને જ્ઞાનના વિષયભૂત પદાર્થો એકાંતે નથી, તેમ સ્થાપન કરે છે. માટે દૃષ્ટાંતના બળથી જેમ ક્ષણિકવાદીએ પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કર્યો તે કુતર્ક છે, તેમ દૃષ્ટાંતના બળથી સર્વ જ્ઞાનોને નિરાલંબન સ્થાપન કરવાં તે પણ કુતર્ક છે. I૧૧II અવતારણિકા : શ્લોક-૬ થી કુતર્કનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો હતો. હવે તે કથનનું નિગમન કરતાં કહે છે – શ્લોક : तत्कुतर्केण पर्याप्तमसमञ्जसकारिणा । अतीन्द्रियार्थसिद्ध्यर्थं नावकाशोऽस्य कुत्रचित् ।।१२।। અન્વયાર્થ: ત—તે કારણથી પૂર્વમાં બતાવ્યું તેવો અસંબદ્ધ પ્રલાપ કરનાર કુતર્ક છે તે કારણથી, સમગ્ગારિVT jતા =અસમંજસકારી એવા કુતર્ક Page #62 -------------------------------------------------------------------------- ________________ કપ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧ર વડે પત=સર્યું; અતીન્દ્રિયાર્થસિદ્ધચર્થ અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે =આનો કુતર્કનો પુત્ર-ક્યાંય પણ નાવાશ=અવકાશ નથી. ૧૨ાા શ્લોકાર્ચ - તે કારણથી અસમંજસકારી એવા કુતર્ક વડે સર્યું; અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે ક્યાંય પણ આનો અર્થાત્ કુતર્કનો અવકાશ નથી. ૧ર ટીકા : तदिति-तदसमञ्जसकारिणा-प्रतीतिबाधितार्थसिद्ध्यनुधाविना पर्याप्तं कुतर्केण, अतीन्द्रियार्थानां धर्मादीनां सिद्ध्यर्थं नास्य-कुतर्कस्य कुत्रचिदવેશ: Jા૨ાા ટીકાર્ય : તસમક્ઝારિ ... ત્રચવવા મા તે કારણથી પૂર્વમાં બતાવ્યું એવો અસંબદ્ધ પ્રલાપ કરનાર કુતર્ક છે તે કારણથી, અસમંજસકારી= પ્રતીતિબાધિત પદાર્થની સિદ્ધિ માટે પ્રવર્તતા એવા, કુતર્ક વડે સર્યું; કેમ કે અતીન્દ્રિય અર્થરૂપ ધર્માદિની સિદ્ધિ માટે આલોકકુતર્કનો, ક્યાંય પણ અવકાશ નથી. ૧૨ાા ભાવાર્થ - અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં કુતર્ક અનુપયોગી : શ્લોક-૬ થી ૧૧માં સ્થાપન કર્યું તે પ્રમાણે કુતર્ક પ્રતીતિથી બાધિત અર્થની સિદ્ધિ માટે પ્રવર્તનારો છે. તેથી એવા કુતર્કથી સર્યું, કેમ કે અતીન્દ્રિય એવા ધર્માદિ પદાર્થો કુતર્કથી ક્યારેય સિદ્ધ થઈ શકતા નથી. માટે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે દૃષ્ટાંતના અવલંબનથી સ્વમતિ અનુસાર કલ્પના કરીને અતીન્દ્રિય પદાર્થોને સિદ્ધ કરવાનો પ્રયત્ન ઉચિત નથી. તો અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કઈ રીતે થઈ શકે ? તે ગ્રંથકાર સ્વયં આગળના શ્લોકમાં બતાવે છે. શા અવતરણિકા - પૂર્વશ્લોક-૧૨માં સ્થાપન કર્યું કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે કુતર્ક સમર્થ નથી; કેમ કે સ્વમતિકલ્પના પ્રમાણે પદાર્થ નક્કી કરીને દૃષ્ટાંતથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૩ તેની સિદ્ધિ થઈ શકે નહીં. તો અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ કઈ રીતે થઈ શકે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : शास्त्रस्यैवावकाशोऽत्र कुतर्काग्रहतस्ततः । शीलवान् योगवानत्र श्रद्धावांस्तत्त्वविद् भवेत् ।।१३।। અન્વયાર્થ : મત્ર=અહીં અતીન્દ્રિય અર્થતી સિદ્ધિમાં શાસ્ત્રચ્ચેવાવા: શાસ્ત્રનો જ અવકાશ છે. તત: તે કારણથી યુકતપ્રદ =કુતર્કતા અગ્રહથી ત્ર=અહીં શાસ્ત્રમાં, શ્રદ્ધાવાન્ટશ્રદ્ધાવાળો શીતવા-શીલવાળો યોજાવા=યોગમાં તત્પર તત્ત્વવિધર્માદિ અતીન્દ્રિય અર્થને જોનારો મ=થાય છે. ll૧૩માં શ્લોકાર્ચ : અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે. તે કારણથી કુતર્કના અગ્રહથી શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો, શીલવાળો, યોગમાં તત્પર, ધર્માદિ અતીન્દ્રિય અર્થને જોનારો થાય છે. I૧all ટીકા : शास्त्रस्येति-अत्रातीन्द्रियार्थसिद्धौ शास्त्रस्यैवावकाशः, तस्यातीन्द्रियार्थसाधनसमर्थत्वाच्छुष्कतर्कस्यातथात्वात् । तदुक्तं - “गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात्" ।। तत:-स्तस्मात् कुतर्काग्रहतोऽत्र, शास्त्रे श्रद्धावान्-शीलवान्=परद्रोहविरति (मान्), योगवान् सदा योगतत्परः, तत्त्वविद्धर्माद्यतीन्द्रियार्थदर्शी भवेत् ।।१३।। ટીકાર્ય : ત્રાતીન્દ્રિયાર્થ.. ભવેત્ ાઅહીં અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં, શાસ્ત્રનો જ અવકાશ છે; કેમ કે તેનું શાસ્ત્રનું, અતીન્દ્રિય અર્થને સાધવા માટે સમર્થપણું છે, શુષ્ક તર્કનું અતથાપણું છે-અતીન્દ્રિય અર્થને સાધવા માટે Page #64 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૧૩ ૪૭ અસમર્થપણું છે. તે કહેવાયું છે=જે શ્લોકમાં કહ્યું તે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક-૯૯માં કહેવાયું છે – ચંદ્ર, સૂર્યના ઉપરાગાદિને કહેનારા સંવાદિ આગમનું દર્શન હોવાથી ત:=તેનાથી= આગમથી, તેની ઉપલબ્ધિ હોવાને કારણે=અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિ હોવાને કારણે, વળી આગમનો જ ગોચર છે=અતીન્દ્રિય અર્થ આગમનો જ વિષય છે.” (યો.દ.સ. શ્લોક-૯૯) તત: અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે, તે કારણથી, કુતર્કના અગ્રહથી અહીં શાસ્ત્રમાં, શ્રદ્ધાવાળો, શીલવાળો પરદ્રોહવિરતિવાળો, યોગવાળો–સદા યોગમાં તત્પર, તત્વવિદ્ધમદિ અતીન્દ્રિય અર્થને જોનારો, થાય છે. ૧૩ નોંધ:- “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથની શ્લોક-૧૦૮ની ટીકા મુજબ ‘પદ્રોવિરતિ' શબ્દના સ્થાને પરદ્રોહવિરતિમાનું એ પાઠ હોવો જોઈએ. ભાવાર્થ - શાસ્ત્રથી અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ - અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે શાસ્ત્રનો જ અવકાશ છે, શુષ્ક તર્કનો નહીં', એમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે અતીન્દ્રિય પદાર્થો શાસ્ત્ર જે કહેતાં હોય તે શાસ્ત્રવચનનું સ્થાપન કરવા માટે દૃષ્ટાંત આપવામાં આવે, અને તે દૃષ્ટાંતના બળથી શાસ્ત્રીય પદાર્થો સ્થાપન કરવામાં આવે, તો તે પ્રમાણભૂત છે; અને તેના બદલે સ્વમતિમાં ઊઠેલ પદાર્થને દૃષ્ટાંતથી સ્થાપન કરવામાં આવે તો તે કુતર્કરૂપ બને છે; અને તેનાથી અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ થતી નથી. જેમ શાસ્ત્રકારોએ કહ્યું કે અનાદિકાળથી આત્માનો કર્મની સાથે સંબંધ છે, અને તે કર્મનો વિયોગ પણ થઈ શકે છે, અને તેમાં દૃષ્ટાંત આપ્યું કે અનાદિકાળથી સુવર્ણ અશુદ્ધ છે, છતાં શુદ્ધિની પ્રક્રિયાથી શુદ્ધ થઈ શકે છે. તેથી શાસ્ત્રમાં સ્વીકારાયેલા પદાર્થોને દૃષ્ટાંતથી સ્થાપન કરવા તે યુક્તિયુક્ત છે; કેમ કે સર્વજ્ઞએ જોયેલા પદાર્થો શાસ્ત્રમાં કહેવાયા છે, અને સર્વજ્ઞ કેવળજ્ઞાનમાં જુએ છે કે સાધના કરીને જીવ કર્મથી મુક્ત થઈ શકે છે; અને આત્મા સાધના કરીને કર્મથી મુક્ત થાય છે, એ પ્રમાણે કેવળજ્ઞાનીએ જોયેલા પદાર્થને લોકપ્રતીતિ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૧૩-૧૪ કરાવવા અર્થે સુવર્ણનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તેથી જો આત્મા કર્મથી મુક્ત થઈ શકે છે, તેમ સર્વજ્ઞ જોતા ન હોય તો સુવર્ણના દૃષ્ટાંતમાત્રથી આત્મા કર્મથી મુક્ત થઈ શકે છે, તેની સિદ્ધિ થઈ શકે નહીં. તેમ અહીં છદ્મસ્થ અતીન્દ્રિય પદાર્થ જોતા નથી, આમ છતાં ક્ષણિકવાદી શાસ્ત્રનિરપેક્ષ પોતાની મતિથી સ્વીકારાયેલ પદાર્થની સિદ્ધિ માટે પાણીનું ઉદાહરણ આપે છે, અને જ્ઞાનાતવાદી બૌદ્ધ દ્રિચંદ્રાદિનું ઉદાહરણ આપે છે, તે ઉદાહરણથી અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ થઈ શકે નહીં. માટે શાસ્ત્રથી નિર્ણત પદાર્થને દૃષ્ટાંતથી સમજાવવો તે યુક્તિયુક્ત છે; પરંતુ શાસ્ત્રનિરપેક્ષ પોતાને માન્ય પદાર્થને દૃષ્ટાંતમાત્રથી સિદ્ધ કરવો તે કુતરૂપ છે. આથી અતીન્દ્રિય પદાર્થોમાં કુતર્કનો અવકાશ નથી, શાસ્ત્રનો જ અવકાશ છે. આ રીતે અતીન્દ્રિય પદાર્થોમાં શાસ્ત્રનો જ અવકાશ છે. તેથી કુતર્કના અગ્રહથી શાસ્ત્રમાં જેમને શ્રદ્ધા છે, તેવા સાધક, અતીન્દ્રિય પદાર્થોને શાસ્ત્રના બળથી જાણવા પ્રયત્ન કરે, અને સર્વવિરતિરૂપ સંયમમાં યત્ન કરે, જે શીલરૂપ છે, અને જેના પાલનથી આત્માથી અતિરિક્ત સર્વ જીવોના દ્રોહની વિરતિ થાય છે, કેમ કે શીલવાન સાધુ ષટ્કાયના પાલનમાં ઉદ્યમવાળા હોય છે. વળી જેમ મોક્ષના અર્થી શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા હોય છે અને શીલવાળા હોય છે, તેમ યોગમાર્ગમાં તત્પર હોય છે અર્થાત્ મોક્ષસાધક એવા યોગોને સેવવામાં તત્પર હોય છે ઉદ્યમશીલ હોય છે, અને આવા સાધકો અતીન્દ્રિય અર્થને જોનારા થાય છે; કેમ કે શાસ્ત્રના વચનથી, શાસ્ત્રાનુસારી શીલની પ્રવૃત્તિથી અને યોગમાં કરાયેલા ઉદ્યમથી અતીન્દ્રિય પદાર્થોને પણ સાધક જોઈ શકે છે. ૧૩ અવતરણિકા : ननु शास्त्राणामपि भिन्नत्वात्कथं शास्त्रश्रद्धापि स्यादित्यत आह - અવતરણિકાર્ય - નનુ'થી શંકા કરે છે કે શાસ્ત્રોનું પણ ભિન્નપણું હોવાથી શાસ્ત્રની શ્રદ્ધા પણ કેવી રીતે થાય ? એથી કહે છે – ક શાસ્ત્રાપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે દરેક દર્શનના શાસ્તાઓ તો જુદા છે, પરંતુ દરેક દર્શનનાં શાસ્ત્રો પણ જુદાં છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૧૪ ૪૯ ‘શાસ્ત્રશ્રદ્ધપ' - અહીં ‘પિ' થી એ કહેવું છે કે જો દરેક દર્શનનાં શાસ્ત્રો એક અર્થને બતાવતાં હોય તો શાસ્ત્રમાં શ્રદ્ધા થઈ શકે, પરંતુ જ્યારે સર્વ શાસ્ત્રો પરસ્પર વિરુદ્ધ અર્થ બતાવતાં હોય તો શાસ્ત્રમાં શ્રદ્ધા પણ કેવી રીતે થાય ? ભાવાર્થ પૂર્વમાં સ્થાપન કર્યું કે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવામાં શાસ્ત્રનો જ અવકાશ છે. ત્યાં પ્રશ્ન થાય કે દરેક દર્શનનાં શાસ્ત્રો પણ ભિન્ન ભિન્ન હોવાથી અર્થાત્ ભિન્ન ભિન્ન અર્થને કહેનારાં હોવાથી શાસ્ત્રશ્રદ્ધા પણ કેવી રીતે થાય ? એથી કહે છે -- શ્લોક : तत्त्वतः शास्त्रभेदश्च न शास्तृणामभेदतः । मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ।।१४।। અન્વયાર્થ : અને શાસ્તુળા—શાખાઓનો=પ્રણેતાઓનો અમેત =અભેદ હોવાથી તત્ત્વતઃ–પરમાર્થથી શામે શાસ્ત્રનો ભેદ નથી.તતા તેથી તથrીનાં શાસ્ત્રમાં શ્રદ્ધાવાળાઓનું તાશ્રયuizતેના ભેદનું આશ્રયણ શાસ્તાના ભેદનો સ્વીકાર મોદી=મોહ છે-અજ્ઞાન છે. I૧૪તા. શ્લોકાર્ચ - અને શાસ્તાઓનો અભેદ હોવાથી પરમાર્થથી શાસ્ત્રનો ભેદ નથી. તેથી શાસ્ત્રમાં શ્રદ્ધાવાળાઓનું શાસ્તાના ભેદનું આશ્રયણ મોહ છે. ૧૪ શ્લોકમાં ‘વ’ પૂર્વશ્લોક સાથે સમુચ્ચયમાં છે. ટીકા - तत्त्वत इति-तत्त्वतो धर्मवादापेक्षया तात्पर्यग्रहात् शास्त्रभेदश्च नास्ति, शास्तृणां धर्मप्रणेतृणामभेदतः, तत्तनयापेक्षदेशनाभेदेनैव स्थूलबुद्धीनांतभेदाभिमानात्, अत एवाह-ततस्तस्मात्तदधिमुक्तीनां शास्तृश्रद्धावतां तद्भेदाश्रयणं= शास्तृभेदाङ्गीकरणं मोहः अज्ञानं, निर्दोषत्वेन सर्वेषामैक्यरूपात् । तदुक्तं - Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫o કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૪ “न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । મોદધિમુક્કીનાં તત્ત્વમેવાશ્રય તત:” | (વો . સ્નોવા-૨૦૨) ૨૪ ટીકાર્ય : તત્ત્વતો તત:” iા અને ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્યનું ગ્રહણ હોવાને કારણે તત્વથી શાસ્ત્રભેદ નથી; કેમ કે શાખાઓનો ધર્મપ્રણેતાઓનો અભેદ છે. અહીં પ્રશ્ન થાય કે સર્વદર્શનના ધર્મપ્રણેતાઓ જુદા જુદા છે, એવું લોકને પ્રતીત છે. તેથી સર્વ ધર્મપ્રણેતાઓનો અભેદ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – તે તે નયની અપેક્ષાએ દેશનાભેદ હોવાને કારણે જસ્થૂલ બુદ્ધિવાળાઓને સ્કૂલ બુદ્ધિવાળા લોકોને, તેના ભેદનું અભિમાન હોવાથી=શાસ્તાઓના ભેદતો ભ્રમ હોવાથી, પરમાર્થથી શાસ્તાઓનો અભેદ છે, એમ અવય છે. આથી જ કહે છે–પરમાર્થથી શાખાઓનો અભેદ હોવાના કારણે શાસ્ત્રનો અભેદ છે, આથી જ કહે છે – તત=સ્મા–તે કારણથી શાસ્તાઓનો પરમાર્થથી અભેદ છે તે કારણથી, તદઅધિમુક્તિઓનું શાસ્તામાં શ્રદ્ધાવાળાઓનું સ્વસ્વદર્શનના પ્રણેતામાં શ્રદ્ધાવાળાઓનું, તેના ભેદનું આશ્રયણ શાસ્તાના ભેદનું આશ્રયણ અર્થાત્ આ દર્શનના શાસ્તા બુદ્ધ છે, અને આ દર્શનના શાસ્તા કપિલ છે, અને આ દર્શનના શાસ્તા વીર પરમાત્મા છે, એ પ્રકારના શાસ્તાના ભેદનું ગ્રહણ, મોહ છે-અજ્ઞાન છે; કેમ કે નિર્દોષપણા વડે સર્વેનું સર્વ શાસ્તાઓનું, એક્યરૂપપણું છે; અર્થાત્ જેમ વીર ભગવાન, ઋષભદેવ ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન નિર્દોષ હોવાને કારણે તે સર્વમાં એક્યપણું છે, તેમ ધર્મવાદને કરતારા એવા સર્વ શાસ્તાઓ પૂર્ણપુરુષ હોવાને કારણે સર્વનું એકરૂપપણું છે. તલુવતંત્રતે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે, ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૦૨માં કહેવાયું છે – Page #68 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૧૪ “તત્વથી પરમાર્થથી ભિન્ન અભિપ્રાયવાળા સર્વજ્ઞ નથી, જે કારણથી ઘણા છે જે કારણથી ઘણા સર્વજ્ઞ છે માટે ભિન્ન છે, એમ નથી, એ પ્રકારનો અર્થ છેતત:=તે કારણથી-તત્ત્વથી સર્વજ્ઞ ભિન્ન નથી તે કારણથી, તદધિમુક્તિઓનું પોતપોતાના ધર્મપ્રણેતાઓમાં શ્રદ્ધાવાળાઓનું, તેના ભેદનું આશ્રયણ=સર્વજ્ઞના ભેદનો સ્વીકાર, મોહ છે.” (યો.દ.સ. શ્લોક-૧૦૨).૧૪ ભાવાર્થ :ધર્મવાદની અપેક્ષાએ સર્વ દર્શનોનાં શાસ્ત્રોનો અભેદ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે દરેક દર્શનનાં શાસ્ત્રો ભિન્ન-ભિન્ન દિશામાં જનારાં છે. તેથી વિચારકને શાસ્ત્રશ્રદ્ધા પણ કઈ રીતે થઈ શકે ? તેથી કયા શાસ્ત્રને અવલંબીને પ્રવૃત્તિ કરવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય ? તેની સ્પષ્ટતા કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે “ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્યને ગ્રહણ કરીએ તો કોઈ શાસ્ત્રનો ભેદ નથી' અર્થાત્ કોઈપણ દર્શનમાં રહેલા શાસ્ત્રનો ભેદ નથી; કેમ કે સર્વદર્શનકારો “આત્માની મોક્ષ અવસ્થા સારી કહે છે, સંસાર અવસ્થા ખરાબ કહે છે, સંસાર અવસ્થાની નિષ્પત્તિનું કારણ રાગ-દ્વેષ અને મોહ કહે છે, અને તેના નાશ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કહે છે. તેથી તે રૂપ ધર્મવાદની અપેક્ષાએ શાસ્ત્રના તાત્પર્યને ગ્રહણ કરવામાં આવે તો કોઈ શાસ્ત્રનો ભેદ નથી; અને તેમાં યુક્તિ આપે છે કે “ધર્મપ્રણેતાઓનો અભેદ છે.” ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે સર્વ દર્શનકારોના ધર્મપ્રણેતા જુદા છે, તે રીતે લોકમાં પ્રસિદ્ધ છે. આમ છતાં બધા ધર્મપ્રણેતાઓમાં અભેદ છે, તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – જેમ વીર ભગવાન ધર્મપ્રણેતા છે અને ઋષભદેવ ભગવાન પણ ધર્મપ્રણેતા છે અને પાર્શ્વનાથ ભગવાન પણ ધર્મપ્રણેતા છે, તેમાં વ્યક્તિરૂપે ભેદ હોવા છતાં પરમાર્થથી ભેદ નથી, તેમ મોક્ષમાર્ગને કહેનારા બુદ્ધ, કપિલ આદિ સર્વ ધર્મપ્રણેતાઓમાં પરસ્પર ભેદ નથી. અહીં પ્રશ્ન થાય કે લોકમાં તેઓની બુદ્ધ, કપિલ, વીર આદિ પ્રણેતાઓની ભેદરૂપે પ્રસિદ્ધિ કેમ છે ? તેથી કહે છે – Page #69 -------------------------------------------------------------------------- ________________ પર કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૧૪ તે તે ન અપેક્ષાએ દેશનાના ભેદને કારણે જ સ્કૂલ બુદ્ધિવાળા લોકોને તેમના ભેદનું અભિમાન છે. આશય એ છે કે પદાર્થને ક્ષણિક કહેનારા બુદ્ધ જુદા ધર્મપ્રણેતા છે, અને આત્માને નિત્ય કહેનારા કપિલ જુદા ધર્મપ્રણેતા છે, તેવી લોકમાં ભેદનો વ્યવહાર છે. વસ્તુતઃ સર્વજ્ઞએ જ અમુક જીવોને ઉદ્દેશીને ભોગની આસ્થા છોડાવવા માટે પર્યાયાસ્તિકનયનું અવલંબન લઈને સર્વ પદાર્થો ક્ષણિક છે, તેમ સ્થાપન કરેલ છે; અને પોતે સદા સ્થાયી નથી, પરંતુ મૃત્યુ સુધી જ સ્થાયી છે, તેવી બુદ્ધિવાળા જીવોને આત્મકલ્યાણમાં ઉત્સાહિત કરવા માટે સર્વજ્ઞએ જ દ્રવ્યાસ્તિકનયનું અવલંબન લઈને “આત્મા નિત્ય છે' તેમ સ્થાપન કરેલ છે. તેથી તે સર્વ પ્રકારની દેશનાના પ્રણેતા એક સર્વજ્ઞ છે. તે એક સર્વજ્ઞ વીર ભગવાન હોય કે ઋષભદેવ ભગવાન હોય તોપણ સર્વજ્ઞરૂપે એક છે, અને તેવી પ્રરૂપણા કરનારાઓને કોઈ બુદ્ધ કહે કે કોઈ કપિલ કહે તોપણ નામભેદથી અતિરિક્ત સર્વજ્ઞમાં કોઈ ભેદ નથી. આમ છતાં સ્કૂલ બુદ્ધિવાળા જીવોને દેશનાભેદને કારણે જ તેમના ભેદનું અભિમાન છેઃનિત્યવાદના પ્રણેતા સર્વજ્ઞ જુદા છે, અને ક્ષણિકવાદના પ્રણેતા સર્વજ્ઞ જુદા છે, તેવું અભિમાન છે, પરમાર્થથી તેઓમાં ભેદ નથી. અહીં વિશેષ એ છે કે વર્તમાનમાં રહેલા વાદીઓએ કોઈએ વીર ભગવાનને પણ જોયા નથી કે ઋષભદેવ ભગવાનને પણ જોયા નથી, તેમ કપિલને પણ જોયા નથી કે બુદ્ધ ભગવાનને પણ જોયા નથી; પરંતુ તેમના વચનને અવલંબીને આ વચનને કહેનારા વીર ભગવાન છે કે ઋષભદેવ ભગવાન છે કે કપિલબુદ્ધાદિ ભગવાન છે તેમ કહે છે; અને તે સર્વ વચનો ઋષભદેવ ભગવાનથી પણ તેમ જ કહેવાયેલાં છે અને વીર ભગવાનથી પણ તેમ જ કહેવાયેલાં છે, તેથી તેમાં કોઈ ભેદ નથી. તે રીતે અન્ય દર્શનવાળા કપિલ-બુદ્ધાદિનાં પણ જે વચનો મોક્ષમાર્ગને બતાવનારાં છે, મોક્ષમાર્ગને પુષ્ટ કરે તેવી દ્રવ્યાસ્તિક નયની પ્રરૂપણા કરનારાં છે, અને મોક્ષમાર્ગને પુષ્ટ કરે તેવી પર્યાયાસ્તિક નયની પ્રરૂપણા કરનારાં છે, તે સર્વ વચનો પણ વીર ભગવાન કે ઋષભદેવ ભગવાનથી કહેવાયેલાં છે. આમ છતાં તે વીર ભગવાનને કોઈ બુદ્ધરૂપે સ્વીકારે તો કોઈ કપિલરૂપે સ્વીકારે તો તે નામમાત્રથી ભેદ છે; અને તે રીતે ભેદ કર્યા પછી Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૩. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ બુદ્ધથી કહેવાયેલા ક્ષણિકવાદના તાત્પર્યને ધર્મવાદની અપેક્ષાએ ગ્રહણ કર્યા વગર સ્વમતિ અનુસાર એકાંતથી જોડીને, કોઈક કુતર્ક કરે કે “જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે માટે ભીંજવે છે, તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે માટે અર્થક્રિયા કરે છે. આ રીતે કુતર્ક કરીને એકાંતવાદનું સ્થાપન કરે છે, તે ધર્મવાદ નથી, પરંતુ કુતર્કવાદ છે. ધર્મવાદની દૃષ્ટિએ ક્ષણિકવાદનું તાત્પર્ય ગ્રહણ કરીએ તો એ અર્થ પ્રાપ્ત થાય કે ભગવાન બુદ્ધ ભોગની આસ્થા છોડાવવા માટે ક્ષણિકવાદ બતાવ્યો છે, અને તે અપેક્ષાએ ક્ષણિકવાદના પ્રરૂપક બુદ્ધ ભગવાન વીર ભગવાનથી જુદા નથી; કેમ કે વીર ભગવાને પણ ભોગની આસ્થા છોડાવવા માટે ક્ષણિકવાદ બતાવેલ છે. વળી જેમ વીર ભગવાને ભોગની આસ્થા છોડાવવા માટે ક્ષણિકવાદ સ્થાપન કર્યો છે, તેમ ભોગની આસ્થા છોડાવવા માટે તે તે પ્રકારના જીવોને સામે રાખીને “જગતમાં દેખાતા સર્વ પદાર્થો ઇન્દ્રજાળ જેવા છે,' તેમ પણ કહેલ છે, અને બુદ્ધ ભગવાને પણ તે દૃષ્ટિથી ‘આ જગતમાં જ્ઞાનથી અતિરિક્ત કોઈ પદાર્થ નથી, પરંતુ દેખાતા પદાર્થો ઇન્દ્રજાળ જેવા છે,” તેમ કહેલ છે. છતાં કેટલાક કુતર્કવાદીઓ બુદ્ધ ભગવાનના તે વચનને એકાંત ગ્રહણ કરીને વિચંદ્રના અને સ્વપ્નના દૃષ્ટાંતના બળથી જ્ઞાનથી અતિરિક્ત પદાર્થ નથી, તેમ એકાંત સ્થાપન કરે છે, પરંતુ બુદ્ધ ભગવાનનાં તે એકાંત વચનો નથી; અને બુદ્ધ ભગવાને સંસાર પ્રત્યે વિરક્ત થવા માટે જે સંસારના પદાર્થોને ઇન્દ્રજાળ જેવા કહ્યા છે તે અપેક્ષાએ વીર ભગવાને પણ તેમ જ કહ્યા છે, એમ વિચારીએ તો બુદ્ધ ભગવાનનાં વચનો અને વીર ભગવાનનાં વચનોમાં કોઈ ભેદ નથી. તેથી સર્વ દર્શનના પ્રણેતાઓમાં ભેદ નથી; પરંતુ તે તે નયની અપેક્ષાએ તેઓના કથનને એકાંતે ગ્રહણ કરીને જે લોકો પોતાના પ્રણેતાનો ભેદ સ્વીકારીને પોતાના પ્રણેતાની માન્યતાને કુતર્ક દ્વારા એકાંત સ્થાપન કરે છે, તેઓએ પોતપોતાના પ્રણેતાઓનો ભેદ છે તેવું અભિમાન લોકોમાં ઉત્પન્ન કરાવ્યું છે, પરંતુ પરમાર્થથી શાસ્તાઓનો ભેદ નથી. તેથી સ્વસ્વદર્શનના શાસ્તાઓમાં શ્રદ્ધાવાળાઓને તેમના ભેદનું આશ્રયણ-અમારા દર્શનના શાસ્તા જુદા છે અને અન્ય દર્શનના શાસ્તા જુદા છે, એ પ્રકારના ભેદનો સ્વીકાર કરવો, તે અજ્ઞાન છે; કેમ કે દરેક દર્શનના શાસ્તાઓ રાગાદિથી પર હોવાથી નિર્દોષ છે અને Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૪ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ તેઓનું એકરૂપપણું છે; કેમ કે જેઓ રાગાદિથી પર થઈ ગયા છે, તેઓની પ્રરૂપણા શુદ્ધ યોગમાર્ગની છે, અને તે યોગમાર્ગની સહાયક એવી તે તે નયની પ્રરૂપણા છે. માટે સર્વ દર્શનોના શાસ્તાઓનો ભેદ નહીં હોવાને કારણે શાસ્ત્રોમાં પણ ભેદ નથી. તેથી મોક્ષમાર્ગને બતાવનારાં શાસ્ત્રવચનોને અવલંબીને અતીન્દ્રિય પદાર્થોને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે તો અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ થઈ શકે, તેમ પૂર્વશ્લોક સાથે આ શ્લોકનો સંબંધ છે. તેથી કુતર્કનો ત્યાગ કરીને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને શીલમાં યત્ન કરવો જોઈએ અને યોગમાર્ગમાં તત્પર રહેવું જોઈએ, જેથી અતીન્દ્રિય પદાર્થો યથાર્થ દેખાય. ૧૪ અવતરણિકા: પૂર્વશ્લોકમાં કહ્યું કે શાખાઓનો અભેદ છે, તેથી શાખાઓના ભેદનું આશ્રયાણ કરવું તે મોહ છે-અજ્ઞાન છે. હવે સર્વ ઉપાસકોના ઉપાસ્ય એવા શાસ્તાઓ કઈ રીતે એક છે ? તે બતાવે છે – શ્લોક - सर्वज्ञो मुख्य एकस्तत्प्रतिपत्तिश्च यावताम् । सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ।।१५।। અન્વયાર્થ મુક્યતાત્વિક આરાધનાનો વિષય એવા સર્વ: સર્વજ્ઞ =એક છે, ર=અને વાવતા—જેટલાઓને તત્વતિપત્તિ તેમની પ્રતિપત્તિ છે સર્વજ્ઞની ભક્તિ છે, તે સર્વેડપિ વુધા=પ્રાજ્ઞ એવા તે સર્વ પણ સામાન્યત=સામાન્યથી મુઠ્ઠાં તપત્ર = મુખ્ય એવા તેને પ્રાપ્ત થયેલા છે. ll૧૫II શ્લોકાર્થ – મુખ્ય સર્વજ્ઞ એક છે, અને જેટલાઓને તેમની પ્રતિપતિ છે, પ્રાજ્ઞ એવા તે સર્વ પણ સામાન્યથી મુખ્ય એવા તેને પ્રાપ્ત થયેલા છે. ૧૫ll ‘સર્વેડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે તે તે દર્શનમાં રહેલા કોઈક બુધો= બોધવાળા માત્ર નહીં, પરંતુ સર્વ પણ બોધવાળા પુરુષો તે મુખ્ય સર્વજ્ઞને પામેલા છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ટીકા : सर्वज्ञ इति-सर्वज्ञो मुख्या तात्त्विकाराधनाविषय एकः, सर्वज्ञत्वजात्यવિશેષાત્ ા ત – “सर्वज्ञो नाम यः कश्चित् पारमार्थिक एव हि । સ ા ણવ સર્વત્ર એડપિ તત્ત્વત:” | (ચો.કૃ.. સ્નો-૨૦૩) तत्प्रतिपत्ति: सर्वज्ञभक्तिश्च यावतां तत्तद्दर्शनस्थानां ते सर्वेऽपि बुधास्तं सर्वज्ञं मुख्यं सामान्यतो विशेषानिर्णयेऽप्यापन्ना=आश्रिताः, निरतिशयितगुणवत्त्वेन प्रतिपत्तेः वस्तुतः सर्वज्ञविषयकत्वात्, गुणवत्तावगाहनेनैव तस्या भक्तित्वाच्च । यथोक्तं - “प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् ।। તે સર્વેડપિ તમાપત્ર રૂતિ ચાયતિ: પરી” | (ચો.સ. સ્ન-૨૦૪) પારકા ટીકાર્ય : સર્વા મુસ્તાત્ત્વિ ..... પરા” | મુખ્યત્રતાત્વિક આરાધનાનો વિષય, સર્વજ્ઞ એક છે; કેમ કે સર્વજ્ઞત્વ જાતિ અવિશેષ છે=જેમ વીર ભગવાન કે ઋષભદેવ ભગવાન આદિમાં સર્વજ્ઞત્વ જાતિ એક છે, તેમ સર્વદર્શનના ઉપાસ્ય પૂર્ણ પુરુષમાં સર્વજ્ઞત્વ જાતિ સમાન છે. તે કહેવાયું છે= સર્વજ્ઞ મુખ્ય એક છે' તે ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૦૩માં કહેવાયું છે – જે કોઈ પારમાર્થિક જ સર્વજ્ઞ છે, તે વ્યક્તિનો ભેદ હોતે છતે પણ તત્ત્વથી સર્વત્ર=સર્વ ક્ષેત્ર ને સર્વ કાળમાં, એક જ છે.” (યો. સ. શ્લોક-૧૦૩) અને તેમની પ્રતિપત્તિ=સર્વજ્ઞની ભક્તિ, જેટલા તે તે દર્શનમાં રહેલાઓને છે, પ્રાજ્ઞ એવા તે સર્વ પણ, વિશેષનો અતિર્ણય હોવા છતાં પણ, સામાન્યથી તે મુખ્ય સર્વજ્ઞને આશ્રિત છે; કેમ કે વિરતિશય ગુણવાનપણારૂપે પ્રતિપતિનું પૂજાઉપચારરૂપ ભક્તિનું, વસ્તુતઃ સર્વજ્ઞવિષયપણું છે, અને ગુણવાનપણાથી અવગાહન વડે જ તેનું પ્રતિપત્તિનું, ભક્તિપણું છે. જે પ્રમાણે કહેવાયું છે – Page #73 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃતિહાવિંશિકા/શ્લોક-૧૫ તત તે કારણથી=પારમાર્થિક સર્વજ્ઞ એક છે તે કારણથી, તેની=સર્વજ્ઞની, સામાન્યથી જ જેટલાઓને પ્રતિપત્તિ =ભક્તિ છે, તે સર્વેડપિ તે સર્વ પણ તzતેને=મુખ્ય સર્વજ્ઞને, ઉપસા:=પામેલા છે. તિ એ પ્રકારે પરીચાયતિ:= સર્વોચ્ચ યુક્તિ છે.” (યો.દ.સ. શ્લોક-૧૦૪) ૧પ વિશેષનિવેડપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે વિશેષના નિર્ણયમાં તો મુખ્ય સર્વજ્ઞને આશ્રિત છે, પરંતુ વિશેષના અનિર્ણયમાં પણ સામાન્યથી મુખ્ય સર્વજ્ઞને આશ્રિત છે. ભાવાર્થ – સર્વ દર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક : ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્ય ગ્રહણ કરીને વિવિધ દર્શનમાં રહેલા જેઓ પોતાના ઉપાસ્યને પૂર્ણ પુરુષરૂપે માને છે અને પૂર્ણ પુરુષરૂપે તેમની ભક્તિ કરે છે, તેઓની તાત્ત્વિક આરાધનાનો વિષય સર્વજ્ઞ એક છે; કેમ કે જેમણે સંસારથી પર થવાનો યોગમાર્ગ બતાવ્યો છે, તે સર્વજ્ઞ છે, તે રૂપે બધા જ પોતાના ઉપાયને સ્વીકારે છે; અને તે માર્ગ બતાવનાર સર્વજ્ઞ વીર ભગવાન હોય કે ઋષભદેવ ભગવાન હોય, પણ તે સર્વમાં સર્વજ્ઞત્વ જાતિ સમાન છે; અને તે સર્વજ્ઞને ઉપાસ્ય તરીકે સ્વીકારીને કોઈ તેમને બુદ્ધ તરીકે ઉલ્લેખ કરે છે, તો કોઈ તેમને કપિલ તરીકે ઉલ્લેખ કરે છે, વસ્તુતઃ તેમની ઉપાસનાના વિષયભૂત વ્યક્તિમાં સર્વજ્ઞત્વ જાતિ સમાન છે. માટે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞા છે અને તે તે દર્શનમાં રહેલા જે કોઈને પૂર્ણ પુરુષરૂપે પોતાના ઉપાસ્ય એવા બુદ્ધાદિમાં સર્વજ્ઞરૂપે ભક્તિ છે, પ્રાજ્ઞ એવા તેઓ મુખ્ય સર્વજ્ઞને પામેલા છે. ‘તેઓ પ્રાજ્ઞ છે એમ કહ્યું, તેનાથી એ કહેવું છે કે જેઓ કુતર્કનો આશ્રય કરતા નથી અને સંસારના સ્વરૂપને જાણે છે તેથી સંસાર અસાર લાગે છે, વળી સંસારથી અતીત અવસ્થા સારભૂત લાગે છે, તેથી સંસારથી અતીત અવસ્થાની પ્રાપ્તિના ઉપાયભૂત યોગમાર્ગનો આશ્રય કરે છે, તે સર્વ પ્રાજ્ઞ છે; અને આવા પ્રાજ્ઞ પુરુષો જે વસ્તુમાં વિશેષ નિર્ણય ન કરી શકે તે વસ્તુમાં આગ્રહ રાખતા નથી, પરંતુ યોગમાર્ગનો આગ્રહ રાખે છે. તેવા બુધ પુરુષો પોતાને માન્ય એવા બુદ્ધ કે કપિલાદિને સર્વજ્ઞરૂપે માનીને તેમની ભક્તિ કરતા હોય તોપણ અર્થથી Page #74 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧પ પ૭ પૂર્ણ પુરુષની ઉપાસના કરે છે. તેઓ સર્વ દર્શનોનો અભ્યાસ કરીને સર્વનયો કહેનારા પૂર્ણપુરુષ છે તેવો નિર્ણય નહીં હોવા છતાં, કોઈ એક નય ઉપર ચાલતા પોતાના દર્શનને અવલંબીને સર્વજ્ઞની ઉપાસના કરે છે, તેથી તેઓ સામાન્યથી સર્વજ્ઞનો આશ્રય કરનારા છે; કેમ કે નિરતિશય ગુણવાનપણારૂપે ભક્તિનો વિષય સર્વજ્ઞ છે, અને તે તે દર્શનમાં રહેલા કદાગ્રહ વગરના અને સંસારથી અતીત તત્ત્વની પ્રાપ્તિના અર્થી, જે જીવો પોતાના ઉપાસ્યને નિરતિશય ગુણવાનપણારૂપે સ્વીકારીને તેઓની ભક્તિ કરે છે, તેઓની ભક્તિનો વિષય પરમાર્થથી સર્વજ્ઞ છે. અહીં પ્રશ્ન થાય કે કપિલ કે બુદ્ધ સર્વજ્ઞ નથી, તેવું જૈન દર્શનનાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આમ છતાં કપિલને કે બુદ્ધને સર્વજ્ઞરૂપે માનીને જેઓ તેમની ઉપાસના કરે છે, તેઓ સર્વજ્ઞના ઉપાસક છે, તેમ કેમ કહી શકાય? તેથી કહે છે - ગુણવાનપણારૂપે અવગાહન કરીને કરાતી તેમની ભક્તિ તે સર્વજ્ઞની ભક્તિ છે. તેથી અન્ય દર્શનવાળા કદાગ્રહ વગરના યોગીઓ પોતાના ઉપાસ્યને બુદ્ધ તરીકે ઉલ્લેખ કરે તોપણ રાગ-દ્વેષ અને મોહથી પર એવા બુદ્ધ ભગવાન છે, તે રીતે અવગાહન કરીને તેઓની ભક્તિ કરે છે; તેથી તેમની ભક્તિના વિષયભૂત પુરુષ રાગ-દ્વેષ અને મોહથી પર એવી સર્વજ્ઞ વ્યક્તિ જ પ્રાપ્ત થાય છે, માત્ર નામથી જ તેઓનો ભેદ પ્રાપ્ત થાય છે અર્થાત્ નામથી તેઓ બુદ્ધનો ઉલ્લેખ કરે છે કે કપિલનો ઉલ્લેખ કરે છે. વસ્તુતઃ ઉપાસ્યરૂપે તો પૂર્ણ પુરુષને જ કપિલ કે બુદ્ધ શબ્દથી ઉલ્લેખ કરીને ઉપાસના કરે છે, અને તે પૂર્ણ પુરુષ શુદ્ધ માર્ગના સ્થાપક તીર્થકરો જ છે, અન્ય કોઈ નહીં. અહીં વિશેષ એ છે કે તે તે દર્શનમાં રહેલા યોગમાર્ગને અનુસરનારા યોગીઓએ સર્વ દર્શનોનો અભ્યાસ કરીને સર્વજ્ઞકથિત સાંગોપાંગ માર્ગ ક્યાં છે ? તેનો નિર્ણય કર્યો નથી; આમ છતાં પોતાના દર્શનમાં રહેલા યોગમાર્ગનું અવલંબન લઈને, પોતાના ઉપાસ્યને પૂર્ણ પુરુષ માનીને તેમની ઉપાસના કરે છે, તેઓ સામાન્યથી સર્વજ્ઞ એવા તીર્થકરોનો ઉપાસ્યરૂપે આશ્રય કરનારા છે. વળી જેઓ સર્વ દર્શનોનો અભ્યાસ કરે છે, તેઓને નિર્ણય થયો છે કે સર્વ દર્શનોમાં તે તે નયઅપેક્ષાએ જે યોગમાર્ગ રહેલો છે, તે સર્વજ્ઞકથિત છે, અને Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫-૧૬ જૈન દર્શનમાં રહેલો યોગમાર્ગ પણ સર્વજ્ઞકથિત છે; આમ છતાં સર્વ દર્શનોમાં રહેલો યોગમાર્ગ પ્રાથમિક ભૂમિકાનો છે, અને જૈનદર્શનમાં રહેલો યોગમાર્ગ સર્વ નયોને ઉચિત સ્થાને જોડીને સાંગોપાંગ વર્ણન કરાયેલો છે, તેથી કષ-છેદ. અને તાપથી શુદ્ધ છે. આવો નિર્ણય દર્શનશાસ્ત્રના અભ્યાસથી જેઓને થયો છે, અને કોઈ દર્શનના પક્ષપાત વગર યોગમાર્ગના પક્ષપાતથી જેઓએ જૈન દર્શનનો સ્વીકાર કર્યો છે, તેવા યોગીઓને અન્ય દર્શનના યોગીઓ કરતાં સર્વજ્ઞનો વિશેષ નિર્ણય થયો છે, તેથી તેઓ અન્ય દર્શનવાળા યોગીઓ કરતાં કંઈક વિશેષથી સર્વજ્ઞને પામેલા છે; અને અન્ય દર્શનવાળા સર્વજ્ઞએ કહેલા પરિપૂર્ણ યોગમાર્ગને નહીં પામેલા હોવા છતાં સર્વજ્ઞથી કહેવાયેલા યોગમાર્ગની પ્રારંભિક ભૂમિકાને પામ્યા છે. તેથી અન્ય દર્શનવાળા સર્વજ્ઞના દૂરવર્તી ઉપાસકો છે, તોપણ તે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે. ૧૫ા અવતરણિકા : પૂર્વશ્લોક-૧૫માં કહ્યું કે જેઓને વિશેષનો નિર્ણય નથી એવા પણ તે તે દર્શનવાળા સામાન્યથી મુખ્ય સર્વજ્ઞને પામેલા છે. તેથી જિજ્ઞાસા થાય કે વિશેષથી સર્વજ્ઞને પામેલા કોણ છે ? માટે કહે છે શ્લોક ઃ न ज्ञायते विशेषस्तु सर्वथाऽ सर्वदर्शिभिः । अतो न ते तमापन्ना विशिष्य भुवि केचन ।। १६ ।। અન્વયાર્થ: — . ઞસર્વશિમિસ્તુ=વળી અસર્વદર્શી વડે=છદ્મસ્થો વડે સર્વથા=સર્વ પ્રકારે વિશેષઃ ન જ્ઞાતે-વિશેષ જણાતો નથી, અત:=આથી મુવિ=પૃથ્વી ઉપર તે ચન=તેઓ કોઈપણ ત=તેને=સર્વજ્ઞને વિશિષ્ટ=વિશેષ કરીને ન આપન્ના:= પામેલા નથી. ||૧૬|| શ્લોકાર્થ : વળી અસર્વદર્શી વડે સર્વ પ્રકારે વિશેષ જણાતો નથી, આથી જગતમાં તેઓ કોઈપણ સર્વજ્ઞને વિશેષ કરીને પામેલા નથી. ।।૧૬।। Page #76 -------------------------------------------------------------------------- ________________ પલ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૧૬ ટીકા : नेति-विशेषस्तु सर्वज्ञज्ञानादिगतभेदस्तु, असर्वदर्शिभिः छद्मस्थैः, सर्वथा= सर्व प्रकारैः, न ज्ञायते, अतो न ते सर्वज्ञाभ्युपगन्तारः, तं-सर्वज्ञम् आपन्ना: आश्रिताः, विशिष्य भुवि-पृथिव्यां केचन । तदुक्तं - "विशेषस्तु पुनस्तस्य कात्स्न्येनासर्वदर्शिभिः । સર્વેનું જ્ઞાયતે તેને તમાપત્રો ન કશ્વન" || (ચો.z.. -૨૦૧) Tદ્દા ટીકાર્થ – વિશેષતુ ...... અશ્વન" | વળી અસર્વદર્શી વડેઃછસ્થો વડે, વિશેષ સર્વજ્ઞના જ્ઞાનાદિગત ભેદ=અવ્ય છપ્રસ્થના જ્ઞાન-દર્શન-ચારિત્ર કરતાં સર્વજ્ઞમાં રહેલા જ્ઞાન-દર્શન-ચારિત્રનો ભેદ, સર્વથા સર્વ પ્રકારે જણાતો નથી. આથી વેચન=કોઈ અર્થાત્ સર્વને સ્વીકારનારા એવા કોઈ મુવિ પૃથ્વી ઉપર વિશિષ્ય =વિશેષ કરીને તંત્ર તેને=સર્વજ્ઞને માત્ર =આશ્રિત થયેલા નથી. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું તે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૦પમાં કહેવાયું છે. “વળી તેનો=સર્વજ્ઞનો, સંપૂર્ણ રીતે વિશેષÚ=ભેદ જ, સર્વ છબસ્થો વડે જણાતો નથી, તે કારણથી તેને=સર્વજ્ઞને, કોઈ છમસ્થ પામેલા નથી.” (યો. સ. શ્લોક૧૦૫) ૧૬ ‘સર્વજ્ઞાન તમે:'- અહીં ર’ થી સર્વજ્ઞના દર્શન અને ચારિત્રનું ગ્રહણ કરવું. ભાવાર્થ :છદ્મસ્થને સર્વજ્ઞની વિશેષથી અપ્રાપ્તિ : સર્વજ્ઞના આત્મામાં વર્તતા જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ચક્ષનો વિષય નથી, અને શ્રુતજ્ઞાન પણ તેના સ્વરૂપને સામાન્યથી બતાવે છે. તેથી છબસ્થ વડે સર્વજ્ઞની વિશેષતા સર્વ પ્રકારે જણાતી નથી, ફક્ત જીવ જ્યારે સર્વજ્ઞ બને ત્યારે જ સંપૂર્ણ રૂપે વિશેષથી સર્વજ્ઞના સ્વરૂપને જાણી શકે. આથી પૃથ્વી ઉપર સર્વજ્ઞને સ્વીકારનારા કોઈપણ છબી સર્વ પ્રકારે વિશેષથી સર્વજ્ઞને પામેલા નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ go કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૬-૧૭ આનાથી એ પ્રાપ્ત થાય કે અન્ય દર્શનવાળા પણ સર્વજ્ઞને સામાન્યથી પામેલા છે, તેમ જૈનદર્શનવાળા પણ સર્વજ્ઞને સામાન્યથી પામેલા છે, પરંતુ સર્વથા વિશેષથી તો સર્વજ્ઞ થયા પછી જ સર્વજ્ઞને જાણી શકાય; તોપણ કદાગ્રહ વિના સર્વ દર્શનનો અભ્યાસ કરીને જેઓ તત્ત્વના પારને પામેલા છે, અને જેઓએ સર્વ નયદૃષ્ટિથી સર્વજ્ઞનું આગમ કઈ રીતે કષ-છેદ-તાપથી શુદ્ધ છે, તેવું જાણ્યું છે, તેઓ અન્ય દર્શનના ઉપાસકો કરતાં કંઈક વિશેષથી સર્વજ્ઞને જાણનારા છે. આથી સર્વત્તના ઉપાસક સર્વ દર્શનોમાં રહેલા હોવા છતાં સામાન્યથી જાણનારા કરતાં કંઈક વિશેષથી જાણનારા વિશેષથી સર્વજ્ઞની ઉપાસના કરે છે, તોપણ સર્વથા વિશેષ પ્રકારે સર્વજ્ઞને જાણનારા જગતમાં સર્વજ્ઞ સિવાય કોઈ નથી. ૧વા અવતરણિકા : अत: सामान्यप्रतिपत्त्यंशेन सर्वयोगिषु परिशिष्टा तुल्यतैव भावनीयेत्याह - અવતરણિકાર્ચ - આથી=કોઈ છઘસ્થ સર્વજ્ઞના જ્ઞાનાદિગત વિશેષને સર્વ પ્રકારે જોઈ શકતા નથી આથી, સામાન્ય પ્રતિપત્તિ અંશથી=પોતાના ઉપાસ્ય નિરતિશય ગુણવાળા છે એ રૂ૫ સામાન્ય પ્રતિપત્તિ અંશથી, સર્વ યોગીઓમાં પરિશિષ્ટ તુલ્યતા જ ભાવન કરવી અવશિષ્ટ તુલ્યતા જ ભાવત કરવી અર્થાત્ સર્વથા વિશેષરૂપે સર્વજ્ઞતી કોઈને પ્રાપ્તિ નહીં હોવાથી સામાન્ય પ્રતિપત્તિ અંશથી સર્વ યોગીઓમાં અવશિષ્ટ તુલ્યતા જ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ભાવન કરવું. એને કહે છે – અવતરણિકામાં ‘તિ' શબ્દ તત્ અર્થમાં છે. શ્લોક : सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामलया धिया । निर्व्याजं तुल्यता भाव्या सर्वतन्त्रेषु योगिनाम् ।।१७।। Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૧ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અન્વયાર્થ : ગમન થિયા=રાગ-દ્વેષમલરહિત બુદ્ધિ હોવાને કારણે કદાગ્રહ વગરના સર્વદર્શનના યોગીઓમાં અસત્ય પક્ષપાતરૂપ મલરહિત બુદ્ધિ હોવાને કારણે સર્વજ્ઞાતિપસ્વંશમશ્રત્ય-સર્વજ્ઞ પ્રતિપત્તિ અંશને આશ્રયીને સર્વતન્નેવું વોષિના—સર્વ તંત્રમાં રહેલા યોગીઓની નિર્ચાનં નિર્ચાજ વાસ્તવિક, તુન્યતા તુલ્યતા માવ્યા=ભાવન કરવી. /૧૭ના શ્લોકાર્ધ : રાગ-દ્વેષમલરહિત બુદ્ધિ હોવાને કારણે સર્વાની પ્રતિપતિના અંશને આશ્રયીને સર્વદર્શનમાં રહેલા યોગીઓની નિર્ધાતુલ્યતા ભાવન કરવી. II૧૭ના ટીકા : सर्वज्ञेति-सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्य अमलया-रागद्वेषमलरहितया धिया बुद्ध्या निर्व्याजमौचित्येन सर्वज्ञोक्तपालनपरतया तुल्यता भाव्या सर्वतन्त्रेषु सर्वदर्शनेषु, યોગિનાં મુમુક્ષુ તવું – "तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । નિર્ચાનું તુન્ય પ્રવાસો તેનાંશનેવ ધીમતા” 11 (ચો.કૃ.સ. ૧-૨૦૬) પાછલા ટીકાર્ય : સર્વજ્ઞાતિ .... થીમતા” મનયા વિવા=રાગ-દ્વેષમલરહિત બુદ્ધિ હોવાને કારણે અર્થાત્ પૂર્ણ પુરુષને ઉપાસ્ય સ્વીકારવા પ્રત્યે પક્ષપાત કરવામાં પ્રતિબંધક એવી રાગ-દ્વેષથી રહિત બુદ્ધિ હોવાને કારણે, અર્થાત્ નિર્ચાજ= અકાલ્પનિક વાસ્તવિક ઔચિત્યથી સર્વજ્ઞ ઉક્ત પાલનમાં તત્પરપણું હોવાને કારણે સર્વજ્ઞ પ્રતિપત્તિ અંશને આશ્રયીને સર્વ તંત્રમાં રહેલા યોગીઓની=સર્વ દર્શનમાં રહેલા મુમુક્ષુઓની, તુલ્યતા ભાવન કરવી. તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું તે “યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૦૬માં કહેવાયું છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭-૧૮ તે કારણથી=છદ્મસ્થ વિશેષથી સર્વજ્ઞને જાણતા નથી તે કારણથી, ય વ હિ=જે જ સામાન્યથી પણ ન=આને=સર્વજ્ઞને, નિર્વ્યાજથી સ્વીકારે છે, તે અંશથી જ=સામાન્યથી સર્વજ્ઞના સ્વીકારના અંશથી જ, બુદ્ધિમાનોને આ=સર્વજ્ઞના સ્વીકારનાર, તુલ્ય જ છે=સમાન જ છે અર્થાત્ બુદ્ધ, કપિલ કે વીર ભગવાનને સર્વજ્ઞ સ્વીકારનાર સામાન્ય અંશથી એક સર્વજ્ઞને સ્વીકારનાર છે. (યો.દ.સ. શ્લોક-૧૦૬) ૧૭।ા ભાવાર્થ: સર્વજ્ઞના સ્વીકાર અંશને આશ્રયીને સર્વદર્શનના યોગીઓ એક જિનના ઉપાસક ઃ કોઈપણ દર્શનમાં રહેલા યોગમાર્ગના પક્ષપાતી યોગીઓ તે તે દર્શનમાં રહેલા યોગમાર્ગને સેવતા હોય, અને પોતાના દર્શનના પ્રણેતા તરીકે કપિલ કે બુદ્ધને સ્વીકારતા હોય, અને તેઓ સર્વજ્ઞ છે તેમ માનતા હોય, છતાં તેઓની બુદ્ધિ સ્વદર્શનના રાગ અને પરદર્શનના દ્વેષથી રહિત હોય, અને સર્વજ્ઞના વચનાનુસાર નવિશેષથી કહેવાયેલ સ્વદર્શનમાં રહેલ યોગમાર્ગ પ્રત્યે પક્ષપાત વર્તતો હોય, તો સર્વજ્ઞની પ્રતિપત્તિના અંશને આશ્રયીને તુલ્ય જ છે–સામાન્ય અંશથી એક સર્વજ્ઞના ઉપાસક છે; કેમ કે ઔચિત્યપૂર્વક સર્વજ્ઞએ કહેલા આચારના પાલનમાં પરાયણ છે. આથી તે તે દર્શનમાં રહેલી જે જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ છે, તેનું પાલન કરીને તેઓ પરમાર્થથી જિનના ઉપાસક છે. II૧૭ના અવતરણિકા : अवान्तरभेदस्तु सामान्याविरोधीत्याह - અવતરણિકાર્ય : વળી અવાંતર ભેદ=સર્વજ્ઞની પ્રતિપત્તિ અંશમાં દૂર-આસન્નાદિ ભેદરૂપ અવાંતર ભેદ, સામાન્યનો અવિરોધી છે=દૂર-આસન્નાદિ ભેદમાં રહેલા સર્વ યોગીઓ સામાન્યથી એક સર્વજ્ઞના ઉપાસક છે એમ સ્વીકારવામાં અવિરોધ છે. એને કહે છે ભાવાર્થ : પૂર્વશ્લોક-૧૭માં કહ્યું કે સર્વ દર્શનોમાં રહેલા યોગીઓ સર્વજ્ઞની પ્રતિપત્તિના અંશને આશ્રયીને તુલ્ય છે, એમ ભાવન કરવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે જો Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉ૩ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ સર્વજ્ઞની ઉપાસના કરનારા સર્વ દર્શનોના યોગીઓ સમાન છે, તો તત્ત્વને જાણનારાઓને જૈનદર્શન પ્રત્યે વિશેષ પક્ષપાત કઈ રીતે હોઈ શકે ? અને જો તેમ પક્ષપાત ન હોય તો જૈનદર્શનને સ્વીકારનારા તત્ત્વને જાણનારા યોગીઓ પણ અન્ય દર્શનના દેવોને ઉપાસ્ય તરીકે સ્વીકારતા નથી, એટલું જ નહીં પણ સમ્યક્ત્વ ઉચ્ચરાવતી વખતે “અન્ય દેવોની પ્રતિમાઓને હું નમીશ નહીં' એ પ્રકારની પ્રતિજ્ઞા પણ કરે છે, તે કઈ રીતે સંગત થાય ? તેની સ્પષ્ટતા કરવા માટે અન્ય દર્શનવાળા ઉપાસકો સર્વજ્ઞના દૂરવર્તી ઉપાસકો છે, અને તત્ત્વને જાણનારા જેનદર્શનમાં રહેલા યોગીઓ સર્વજ્ઞના આસન્ન ઉપાસકો છે; તોપણ સામાન્ય રીતે સર્વ દર્શનોમાં રહેલા યોગીઓ એક સર્વજ્ઞના ઉપાસક છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, એ બતાવવા માટે કહે છે -- શ્લોક : दूरासनादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ।।१८।। અન્વયાર્ચ - દૂરાસન્નવિમેવોડદૂર-આસન્નાદિ ભેદ પણ તકૃત્યત્વે તેના મૃત્યપણાને સર્વજ્ઞના ઉપાસકપણાને નિત્તિ હણતો નથી, મિત્રાચારે áપિ=ભિન્ન આચારમાં પણ નામાવિમેવેન=કામાદિ ભેદથી વ: પ્રમુ=એક પ્રભુ છે=એક ઉપાસ્ય સર્વજ્ઞ છે. I૧૮ાા શ્લોકાર્ચ - દૂર-આસન્નાદિ ભેદ પણ સર્વાના ઉપાસકપણાને હણતો નથી. ભિન્ન આચારમાં પણ નામાદિ ભેદથી એક પ્રભુ છે અર્થાત્ એક ઉપાસ્ય સર્વજ્ઞ છે. II૧૮il. ક દૂરાસન્નમેરોડપિ' - અહીં “મરિ' થી આસન્નતર આસન્નતમનું ગ્રહણ કરવું અને ' થી એ કહેવું છે કે દૂરઆસન્નાદિ ભેદનો અભાવ તો સર્વજ્ઞના ઉપાસકપણાને હણતો નથી, પરંતુ દૂરઆસન્નાદિ ભેદ પણ સર્વજ્ઞના ઉપાસકપણાને હણતો નથી. નામેન' – અહીં ‘વ’ થી ઉપાસ્યની પ્રતિમાના આકારનું ગ્રહણ કરવું. Page #81 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિઢાત્રિશિકા/શ્લોક-૧૮ ‘મિન્નીવારેષ્યપ' - અહીં ‘આપ’ થી એ કહેવું છે કે એક આચારમાં રહેલાના તો એક ઉપાસ્ય છે, પરંતુ ભિન્નાચારમાં રહેલાઓના પણ એક ઉપાસ્ય છે. ટીકા : दूरेति-दूरासन्नादिभेदस्तु तद्भूत्यत्वं सर्वज्ञोपासकत्वं न निहन्ति, एकस्य राज्ञो नानाविधप्रतिपत्तिकृतामपि एकभृत्यत्वाविशेषवत् प्रकृतोपपत्तेः, भिन्नाचारेष्वपि तथाधिकारभेदेन नानाविधानुष्ठानेष्वपि योगिषु नामादीनाम्= अर्हदादिसंज्ञादीनां भेदेनैकः प्रभुः उपास्यः । तदुक्तं - “यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ।। सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ।। न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथानामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः" ।। (વો... સ્નોવા-૨૦૭-૨૦૮-૨૦૨) ના૧૮ાા ટીકાર્ચ - ફૂરસન્નમેિરૂં ... તન્મદાત્મfમ:” વળી દૂર-આસાદિ ભેદ તેના મૃત્યપણાને=સર્વજ્ઞના ઉપાસકપણાને, હણતો નથી; કેમ કે એક રાજાના જુદા જુદા પ્રકારની સેવા કરનારાઓના પણ એક “યત્વના અવિશેષની જેમ=એક રાજાના સેવકપણારૂપે સમાનતાની જેમ, પ્રકૃતમાં ઉપપત્તિ છેતે તે દર્શનમાં રહેલા સર્વ, એક સર્વજ્ઞના ઉપાસક છે એ રૂપ પ્રકૃતિની સંગતિ છે. મિત્રાચારવાળા હોતે છતે પણ તેવા પ્રકારના અધિકારના ભેદથી જુદા જુદા અનુષ્ઠાનવાળા પણ યોગીઓ હોતે છતે, નામાદિતા ભેદથી=અહંદાદિ સંજ્ઞાતિના ભેદથી, એક પ્રભુ છે એક ઉપાસ્ય છે. તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું તે “યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૦૭-૧૦૮-૧૦૯માં કહેવાયું છે – Page #82 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ઉપ જે પ્રમાણે જ એક રાજાના ઘણા પણ સમાશ્રિત છે, તે સર્વ જ દૂર-આસન્નાદિ ભેદમાં પણ તેના=તે રાજાના, સેવકો છે.” (યો.દ.સ. શ્લોક-૧૦૭) “તે પ્રમાણે સર્વજ્ઞતત્વનો અભેદ હોવાને કારણે ભિન્ન આચારમાં રહેલા પણ સર્વ સર્વજ્ઞવાદીઓ તત્તત્ત્વ : સર્વજ્ઞતત્ત્વ તરફ જનારા જાણવા.” (યો.દ.સ. શ્લોક-૧૦૮) તે પ્રકારે= તથાતા' ‘શિવ' ‘રિહંત' આદિ પ્રકારે, નામાદિનો ભેદ હોવા છતાં પણ તએ, તત્ત્વથી સર્વજ્ઞ મહાત્માઓનો ભેદ જ નથી એ, મહાત્માઓ વડે ભાવન કરવું જોઈએ.” (યો. સ. શ્લોક-૧૦૯) ૧૮ ભાવાર્થ - સર્વદર્શનમાં વર્તતા યોગીઓ દૂર-આસન્નાદિ ભેદથી એકજિનના ઉપાસક – અન્યદર્શનવાળા યોગીઓ જૈનદર્શનના આચારો કરતાં ભિન્નાચારવાળા દર્શનમાં રહેલા છે, અને તેઓની ચિત્તની તે પ્રકારની ભૂમિકા હોવાને કારણે યોગમાર્ગના સેવન માટેની તેઓમાં તેવા પ્રકારની અધિકારિતા છે. તેથી પોતાના અધિકારના ભેદથી જુદાં જુદાં અનુષ્ઠાનો તેઓ સેવે છે, અને પોતાના ઉપાસ્યને કોઈ અરિહંતની સંજ્ઞા આપે છે, તો કોઈ બુદ્ધની સંજ્ઞા આપે છે, તો કોઈ મહાદેવની સંજ્ઞા આપે છે; આમ છતાં તેઓ પૂર્ણ પુરુષની ઉપાસના કરે છે, તેથી એક સર્વજ્ઞના ઉપાસક છે. ફક્ત અન્ય દર્શનમાં રહેલા યોગીઓ જે યમાદિનું સેવન કરે છે, તે પ્રારંભિક ભૂમિકાના છે, સૂક્ષ્મ બોધ વગરના છે, તો પણ તે યોગીઓ મોક્ષમાર્ગને અનુકૂળ સ્થૂલ બોધથી યુક્ત છે, અને પોતાની ભૂમિકા પ્રમાણે તે બોધને અનુરૂપ સર્વજ્ઞના વચનાનુસાર તે તે દર્શનમાં રહેલા યોગમાર્ગનું સેવન કરીને વીતરાગતા તરફ જઈ રહ્યા છે, તેથી તે સર્વ યોગીઓ એક પૂર્ણ પુરુષના ઉપાસક છે; અને જૈનદર્શનમાં રહેલા અને જૈનદર્શનના પરમાર્થને જાણનારા યોગીઓ સર્વજ્ઞએ કહેલા વિશેષ પ્રકારના દેશવિરતિ કે સર્વવિરતિરૂપ આચારને સેવનારા છે, તેઓ અન્ય દર્શનવાળા યોગીઓ કરતાં સર્વજ્ઞના આસન્નતર ઉપાસક છે, તોપણ જૈનદર્શનના યોગીઓના અને અન્યદર્શનના યોગીઓના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે; ફક્ત તે ઉપાસ્યને જૈનદર્શનના યોગીઓ ‘અરિહંત' કહે છે, જ્યારે અન્યદર્શનના કોઈક યોગીઓ તથાતા' કહે છે, તો કોઈક યોગીઓ મહાદેવ” કહે છે, તોપણ જૈનદર્શનના યોગીઓના અને અન્યદર્શનના યોગીઓના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે; અને પૂર્ણ પુરુષની ઉપાસના કરીને જૈનદર્શનવાળા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ યોગીઓ વીતરાગતા તરફ જાય છે, તેમ અન્ય દર્શનના યોગીઓ પણ પૂર્ણા પુરુષની ઉપાસના કરીને વીતરાગતા તરફ જાય છે. તેથી જેમ એક રાજાના અનેક સેવકો હોય, તેમાં કોઈ મંત્રી સ્થાને હોય કે કોઈક કોટવાળ સ્થાને હોય; અને મંત્રીસ્થાને રહેલ રાજાનો નજીકનો સેવક કહેવાય, અને કોટવાળ રાજાનો દૂરવર્તી સેવક કહેવાય, તોપણ કોટવાળ કે મંત્રી આદિ સર્વ એક રાજાના સેવક છે; તેમ મોક્ષમાર્ગના અર્થી, યોગમાર્ગ પ્રત્યેના પક્ષપાતવાળા, સર્વ દર્શનમાં રહેલા યોગીઓ એક સર્વજ્ઞના ઉપાસક છે. તેમાં કોઈ ઋષભદેવ ભગવાનની ઉપાસના કરતા હોય, તો કોઈ વીર ભગવાનની ઉપાસના કરતા હોય, તોપણ ઉપાસ્યમાં ભેદ નથી, નામમાત્રનો ભેદ છે. તેમ સર્વ દર્શનોના ઉપાસ્યોમાં ભેદ નથી, નામમાત્રનો ભેદ છે. અહીં વિશેષ એ છે કે તે તે દર્શનના ઉપાસ્યના નામનો ભેદ છે, તેમ તે તે દર્શનના ઉપાસ્યની પ્રતિમાના આકારનો પણ ભેદ છે, તોપણ ઉપાયના સ્વરૂપનો ભેદ નથી. તેથી સર્વ દર્શનવાળા યોગીઓના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે. જૈનદર્શનમાં રહેલા યોગીઓ તત્ત્વના જાણનારા હોય તો સમ્યત્વને પામેલા હોવાથી સર્વજ્ઞના વિશેષ પ્રકારના ઉપાસક છે, અને તેના કરતાં પણ દેશવિરતિવાળા, સર્વવિરતિવાળા અને અસંગઅનુષ્ઠાનવાળા વિશેષતર વિશેષતમ ઉપાસકો છે; છતાં જૈનદર્શનમાં રહેલા સર્વ યોગીઓ એક સર્વજ્ઞની ઉપાસના કરે છે, તેમ અન્ય દર્શનમાં રહેલા પણ પોતાની અપુનબંધકદશારૂપ ભૂમિકાને ઉચિત છે તે દર્શનમાં રહેલા આચારોને સેવીને જૈનદર્શનના ઉપાસ્ય એવા સર્વજ્ઞની ઉપાસના કરે છે; કેમ કે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે. ll૧૮ના શ્લોક : देवेषु योगशास्त्रेषु चित्राचित्रविभागतः । भक्तिवर्णनमप्येवं युज्यते तदभेदतः ।।१९।। અન્વયાર્થ: વમ્ તમે ત =પૂર્વશ્લોક-૧૮માં બતાવ્યું એ રીતે નામાદિનો ભેદ હોવા છતાં પણ ઉપાસ્ય સર્વજ્ઞનો અભેદ હોવાને કારણે યોગશાસ્ત્ર શૈવદર્શનમાં યોગશાસ્ત્રોમાં વેણુ દેવોવિષયક-લોકપાલાદિ અને મુક્તાદિ દેવો વિષયક Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉ૭ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ વિત્રવિત્રવિમા તા=ચિત્ર-અચિત્ર વિભાગથી પવિત્તવનપભક્તિનું વર્ણન પણ યુતે ઘટે છે. ll૧૯I શ્લોકાર્ચ - આ રીતે નામાદિનો ભેદ હોવા છતાં પણ, ઉપાસ્ય સર્વજ્ઞનો અભેદ હોવાને કારણે શૈવદર્શનનાં યોગશાસ્ત્રોમાં દેવોવિષયક ચિત્ર-અચિત્ર વિભાગથી ભક્તિનું વર્ણન પણ, ઘટે છે. ll૧૯II ટીકા : देवेष्विति-एवमिष्टानिष्टनामभेदेऽपि, तदभेदता तत्त्वतः सर्वज्ञाभेदात्, योगशास्त्रेषु सौवा(शेवा)ध्यात्मचिन्ताशास्त्रेषु देवेषु, लोकपालमुक्तादिषु, चित्राचित्रविभागतो भक्तिवर्णनं युज्यते । तदुक्तं - "चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । પp: ઘોરાàપુ તતોડવેવમિદં સ્થિતમ્” I (યોસ. સ્નો-૨૨૦) પારા ટીકાર્ય : મિષ્ટાન ........ સ્થિતમ્ એ રીતે પૂર્વશ્લોક-૧૮માં કહ્યું એ રીતે, ઈષ્ટ-અનિષ્ટ નામનો ભેદ હોવા છતાં પણ ઉપાસ્યનું નામ કોઈકને અમુક ઈષ્ટ છે તો અન્ય અનિષ્ટ છે, તો વળી કોઈ અન્યને અન્ય ઈષ્ટ છે અને તેનાથી અન્ય અનિષ્ટ છે, એ પ્રકારે નામનો ભેદ હોવા છતાં પણ, તેનો અભેદ હોવાથીeતત્વથી ઉપાસ્ય એવા સર્વજ્ઞનો અભેદ હોવાથી, યોગશાસ્ત્રમાં શૈવદર્શનના અધ્યાત્મના ચિંતવનને બતાવનારાં શાસ્ત્રોમાં, દેવવિષયક ઉપાસ્ય એવા લોકપાલાદિ અને મુક્તાદિ દેવવિષયક, ચિત્ર અને અચિત્ર વિભાગથી=લોકપાલવિષયક ચિત્રભક્તિ અને મુક્તાદિવિષયક અચિત્રભક્તિ, એ પ્રકારના વિભાગથી, ભક્તિનું વર્ણન, ઘટે છે. તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું તે “યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૧૦માં કહેવાયું છે – “અને જે કારણથી સદ્યોગશાસ્ત્રોમાં દેવવિષયક ચિત્ર-અચિત્ર વિભાગથી= લોકપાલાદિ દેવોમાં ચિત્ર અને મુક્તાદિ દેવોમાં અચિત્ર વિભાગથી, ભક્તિ વર્ણન કરાઈ છે તે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ કારણથી, પણ વં=આ=સર્વજ્ઞરૂપ ઉપાસ્ય એક છે એ, ડ્વ=પૂર્વમાં વર્ણન કરાયું એ પ્રમાણે, સ્થિત છે.” (યો.દ.સ. શ્લોક-૧૧૦) ।।૧૯। *. તોપાલમુવર્સાવવુ આ શબ્દમાં ‘વિ’ શબ્દનું યોજન ‘ત્તોપાલ’ અને ‘મુવત’ એ બંને શબ્દ સાથે છે. તેથી ‘તોપાવ' માં રહેલ ‘વિ’ થી યમ, વરુણ આદિ અન્ય સંસારી દેવોનું ગ્રહણ કરવું અને ‘મુત્ત્તવ’ માં રહેલ ‘વિ’ થી બુદ્ધ કે અરિહંતનું ગ્રહણ કરવું. નોંધ :- ટીકામાં યોગશાસ્ત્રપુ' શબ્દનો અર્થ સૌવાધ્યાત્મચિન્તારશાસ્ત્રપુ' કર્યો, એ વચનને કહેનાર ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૧૦ની ટીકાના તાડપત્રીના પાઠમાં ‘સોવ’ ના બદલે ‘શેત્ર’ શબ્દ છે, અને તે શબ્દને અનુલક્ષીને ‘શૈવધ્યાવિન્નાશાસ્ત્રપુ’ એ પ્રમાણે અમે અર્થ કરેલ છે. અન્ય કોઈ પાઠશુદ્ધિ ઉપલબ્ધ થઈ નથી. ભાવાર્થ: દેવની ચિત્ર-વિચિત્ર ભક્તિના વિભાગથી પણ યોગમાર્ગમાં પ્રવૃત્ત સર્વ યોગીઓની એક જિનની ઉપાસકતા ઃ શૈવદર્શનમાં અધ્યાત્મના ચિંતવનને બતાવનારાં શાસ્ત્રોમાં કહ્યું છે કે લોકપાલદેવોમાં ઉપાસકની ચિત્ર પ્રકારની ભક્તિ હોય છે અર્થાત્ પોતાને અભિમત એવા લોકપાલ પ્રત્યે રાગ, અને અન્ય દેવ પ્રત્યે દ્વેષ, એ પ્રકારની ચિત્રભક્તિ હોય છે; અને મુક્તાદિ દેવોમાં અચિત્ર પ્રકારની ભક્તિ હોય છે અર્થાત્ શમપરિણામનું કારણ બને તેવા પ્રકારની ભક્તિ હોય છે, એ પ્રમાણે વર્ણન કરેલ છે. તે વર્ણન પણ શ્લોક-૧૮માં કહ્યું તેમ સ્વીકારીએ તો સંગત થાય. આશય એ છે કે સર્વદર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે, અને તેઓની ઉપાસના કરીને સર્વ દર્શનવાદીઓ મોક્ષમાર્ગનું અનુસરણ કરે છે. ફક્ત ઉપાસ્યનું નામ કોઈ બુદ્ધ કહે છે, તો કોઈક અરિહંત કહે છે; આમ છતાં તે સર્વના ઉપાસ્ય એક છે, તેમ સ્વીકારીએ તો શૈવદર્શનનું કથન સંગત થાય છે. અહીં વિશેષ એ છે કે કોઈપણ દર્શનમાં રહેલા યોગીઓ સ્વઅભિમત દેવ પ્રત્યે રાગ અને અન્ય દેવ પ્રત્યે દ્વેષ ધારણ કરતા હોય, અને ઉપાસ્ય તરીકે ‘વીર ભગવાન’ને કહેતા હોય, ‘તથાતા’ ને કહેતા હોય કે ‘સદાશિવ’ ને કહેતા N Page #86 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાબિંશિકા/શ્લોક-૧૦-૨૦ હોય, તોપણ તત્ત્વથી તેઓ લોકપાલના ઉપાસક છે; કેમ કે તેઓની ચિત્ર પ્રકારની ભક્તિ છે અર્થાત્ સ્વઅભીષ્ટ દેવ પ્રત્યે રાગ અને અન્ય દેવ પ્રત્યે દ્વેષ કરીને સાંસારિક દેવની ઉપાસના કરે છે, પરંતુ વીતરાગની ઉપાસના કરતા નથી; અને જેઓ મોક્ષના અર્થી છે, યોગમાર્ગનું સેવન કરે છે, તેઓને સ્વઅભીષ્ટ દેવ કોઈને વીર ભગવાન હોય, તો કોઈ અન્યને ‘તથાતા હોય, તો વળી કોઈ અન્યને “સદાશિવ' હોય; તોપણ તે સર્વ સ્વદેવ પ્રત્યે રાગ અને પરદેવ પ્રત્યે ‘ષ કરતા નથી. આથી તેવા યોગીઓ કોઈપણ દર્શનમાં રહેલા યોગમાર્ગને કહેનારી યુક્તિયુક્ત વાતો જાણવા યત્ન કરે છે, પરંતુ આ પરદર્શનનું કથન છે, માટે ખોટું છે, તેવી બુદ્ધિથી તેના પ્રત્યે દ્વેષ કરતા નથી. માત્ર તે ઉપાસના દ્વારા શમપરિણામનું અનુસરણ કરે છે. તેથી તેઓની ઉપાસ્ય વિષયક ભક્તિ અચિત્ર છે=એક પ્રકારની છે, અને તે અચિત્ર પ્રકારની ભક્તિ યોગમાર્ગના સેવન દ્વારા મોક્ષનું કારણ છે. તેથી તે સર્વના ઉપાસ્ય નામથી જુદા હોવા છતાં પણ પરમાર્થથી પૂર્ણ પુરુષ એવા તીર્થંકરો છે. ll૧૯ અવતરણિકા - પૂર્વશ્લોક-૧૯માં કહ્યું કે લોકપાલાદિમાં ચિત્ર પ્રકારની ભક્તિ છે, અને મુક્તાદિમાં અચિત્ર પ્રકારની ભક્તિ છે. તેથી હવે ચિત્ર પ્રકારની ભક્તિ કોને હોય છે ? અને અચિત્ર પ્રકારની ભક્તિ કોને હોય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ।।२०।। અન્વયાર્થ: તથમિના—તત્કામગામીઓની=સંસારી દેવકામગામીઓની, સંસારિવુ દિ સેવેy=સંસારી દેવામાં વિતા=ભક્તિ છે તાતીતાર્થવાયનાન્ પુનઃ વળી તદ્ અતીત અર્થમાં જનારાઓની સંસારથી અતીતમાર્ગમાં જનારાઓની, તકતીને તત્ત્વ=તેના અતીત તત્ત્વમાં=સંસારથી અતીત તત્વમાં ભક્તિ છે. ૨૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૨૦ શ્લોકાર્ય : તત્કામગામીઓની અર્થાત્ સંસારી દેવકામગામીઓની, લોકપાલાદિ સંસારી દેવોમાં ભક્તિ છે, વળી સંસારથી અતીતમાર્ગમાં જનારા યોગીઓની સંસારથી અતીત તત્ત્વમાં ભક્તિ છે. IlRoll ટીકા : संसारिष्वति-संसारिषु हि देवेषु लोकपालादिषु, भक्ति: सेवा, तत्कायगामिनां संसारिदेवकायगामिनां, तदतीते पुन: संसारातीते तु, तत्त्वे तदतीतार्थयायिनां संसारातीतमार्गगामिनां योगिनां भक्तिः ।।२०।। ટીકાર્ચ - સંસારિપુ ... માતત્કામગામીઓની=સંસારી દેવકામગામીઓની, લોકપાલાદિ સંસારીદેવોમાં ભક્તિ-સેવા છે. વળી તદ્અતીતઅર્થમાં જલારાઓની=સંસારથી અતીતમાર્ગમાં જવારા યોગીઓની ભક્તિ તેનાથી અતીતમાં=સંસારથી અતીત તત્વમાં છે. રા ભાવાર્થ : સંસારના પરિભ્રમણને અનુકૂળ કરાતી સર્વજ્ઞની ભક્તિ પણ અર્થથી સંસારી દેવોની ભક્તિ - “જેને જેના પ્રત્યે ભક્તિ હોય તે તેની સાથે તન્મય થઈને અંતે તે અવસ્થાને પામે છે' આ પ્રકારનો ન્યાય છે. તેથી જે ઉપાસકો અરિહંતની, બુદ્ધની કે સદાશિવની ઉપાસના કરતા હોય, પરંતુ તેમની ઉપાસનાના ફળરૂપે સંસારી દેવભવમાત્રની પ્રાપ્તિ થાય તેવી તેમની ઉપાસના હોય, તો તેઓની અરિહંતાદિમાં કરાયેલી ભક્તિ પણ પરમાર્થથી લોકપાલાદિ દેવોની છે, સર્વજ્ઞની ભક્તિ નથી; કેમ કે સ્વદર્શનના રાગ અને પરદર્શનના દ્વેષથી કરાયેલી તેમની ચિત્રભક્તિ છે. તે તત્ત્વમાર્ગને લેશ પણ સ્પર્શતી નથી, માત્ર બાહ્ય ત્યાગાદિ કરીને તેઓ લોકપાલાદિ દેવભવમાં જાય છે, અને અંતે સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારથી અતીત અવસ્થા મોક્ષ છે, અને તે અવસ્થાની પ્રાપ્તિના ઉપાયરૂપ માર્ગમાં જનારા જે યોગીઓ છે, તે યોગીઓની ભક્તિ સંસારથી અતીત Page #88 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧ ૭૧ તત્ત્વમાં છે; અને તેવા યોગીઓ અરિહંતને, બુદ્ધને કે સદાશિવને ઉપાસ્યરૂપે સ્વીકારીને ઉપાસના કરતા હોય, તોપણ મોક્ષતત્ત્વને અભિમુખ એવા યોગમાર્ગમાં રાગને ધારણ કરે છે, પરંતુ સંસારમાર્ગમાં રાગને ધારણ કરતા નથી; અને આવા યોગીઓ કદાચ દેવભવમાં જાય તોપણ તેઓની ભક્તિ દેવભવની પ્રાપ્તિરૂપ ફળમાત્રમાં વિશ્રાંત થતી નથી, પરંતુ મોક્ષમાર્ગમાં વિશ્રાંત થાય છે; અને આ ભવમાં મોક્ષમાર્ગની સાધના પૂર્ણ ન થઈ, તેથી કદાચ દેવભવમાં જાય, તોપણ ફરી તે તે ભવમાં યોગમાર્ગનું સેવન કરીને અંતે મોક્ષરૂપ ફળને પામે છે. તેથી સંસારથી અતીત અવસ્થામાં જનારાઓની ભક્તિ સંસારથી અતીત તત્ત્વમાં છે, અને તે સર્વના ઉપાસ્ય મુક્તાદિ નામભેદથી જુદા હોય તોપણ પરમાર્થથી એક ઉપાસ્ય છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. ૨૦II અવતરણિકા: પૂર્વશ્લોક-૨૦માં બતાવ્યું કે સંસારીદેવની કાયામાં જનારાઓની સાંસારિક દેવોમાં ભક્તિ છે, અને સંસારથી અતીત અવસ્થામાં જનારાઓની સંસારથી અતીતતત્વમાં ભક્તિ છે. તેથી હવે સાંસારિક કાયમાં જનારાઓની ભક્તિ અને સંસારથી અતીત અવસ્થામાં જનારાઓની ભક્તિ કેવી છે ? તે સ્પષ્ટ કરવા કહે છે – શ્લોક :चित्रा चायेषु तद्रागतदन्यद्वेषसंगता । अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ।।२१।। અન્વયાર્થ : ઘ=અને સાથે=આધમાં=સંસારી દેવોમાં તાતચષસતા તાગ અને તદવ્ય દ્વેષથી સંગત એવી ચિત્ર=ચિત્ર ભક્તિ છે. વર તુ વળી ચરમમાં સંસારથી અતીત તત્વમાં મિસીરવિનૈવ દિવિત્ર શમસાર અખિલ જ એક આકારવાળી એવી ઉષા આeભક્તિ છે. ૨૧TI શ્લોકાર્ય :અને તાગ અને તઅન્યદ્વેષથી સંગત એવી ચિત્ર, આધમાં સંસારી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૨૧ દેવોમાં, વળી ચરમમાં સંસારથી અતીતમાં, શમસાર અખિલ જ અચિત્ર આeભક્તિ છે. ૨૧]l ટીકા : चित्रा चेति-चित्रा च-नानाप्रकारा च, आयेषु सांसारिकेषु देवेषु, तद्रागतदन्यद्वेषाभ्यां स्वाभीष्टदेवतारागानभीष्टद्वेषाभ्यां सङ्गता=युक्ता, मोहगर्भत्वात्, अचित्रा एकाकारा चरमे तु-तदतीते तु, एषा-भक्तिः, शमसारा-शमप्रधाना, अखिलैव हि, तथासंमोहाभावात् इति ।।२१।। ટીકાર્ય : ચિત્રા ૨ .... માવતિ તિ ! અને આઘમાં સંસારી દેવોમાં, તાગથી અને તદચના દ્વેષથી સંગત=સ્વઅભીષ્ટ દેવતાના રાગથી અને અભીષ્ટ દેવતાના દ્વેષથી યુક્ત, ચિત્ર પ્રકારની અનેક પ્રકારની, ભક્તિ છે; કેમ કે મોહગર્ભપણું છે=ભક્તિમાં મોહગર્ભપણું છે. વળી ચરમમાં તદતીત તત્વમાં સંસારથી અતીત તત્વમાં, શમસાર શમપ્રધાન, અખિલ જ અચિત્ર એક આકારવાળી આ=ભક્તિ છે; કેમ કે તે પ્રકારના સંમોહનો અભાવ છેયોગમાર્ગના રોગને છોડીને અવિચારક રીતે સ્વદર્શનનો રાગ અને પરદર્શનનો દ્વેષ કરાવે તેવા પ્રકારના સંમોહનો અભાવ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. પારના ભાવાર્થ - મોક્ષને અનુકૂળ ભગવભક્તિ અને સંસારને અનુકૂળ ભક્તિ વચ્ચેનો ભેદ – જે જીવોને પોતાને અભીષ્ટ એવા વીર પરમાત્મા પ્રત્યે કે બુદ્ધ પ્રત્યે કે કપિલ પ્રત્યે રાગ હોય, અથવા તો લોકપાલ પ્રત્યે કે ઇન્દ્ર પ્રત્યે કે અન્ય દેવ પ્રત્યે રાગ હોય, અને તેનાથી અન્ય એવા અનભીષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય, અને તેનાથી પ્રેરાઈને કોઈપણ દેવની ભક્તિ કરતા હોય, અને તે ભક્તિ લોકપાલાદિની હોય, કે બુદ્ધાદિની હોય, કે વીર પરમાત્માની હોય; તોપણ તે ભક્તિમાં મોહગર્ભપણું છે અર્થાત્ સ્વદર્શનનો અવિચારક રાગ અને પરદર્શનનો અવિચારક Page #90 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૨૧-૨૨ ૭૩ દ્વેષ ઉત્પન્ન કરાવે તેવા પ્રકારના મોહથી યુક્તપણું છે. તેથી તે ભક્તિ પરમાર્થથી સાંસારિક દેવોના વિષયમાં છે. માટે તે ભક્તિ ચિત્ર છે. પરંતુ જેઓને સંસારથી અતીત તત્ત્વમાં ભક્તિ છે, તેઓ સંસારથી અતીત તત્ત્વની પ્રાપ્તિ અર્થે યોગમાર્ગનું સેવન કરે છે, અને યોગમાર્ગના સેવન દ્વારા રાગાદિના ઉચ્છેદમાં યત્ન કરે છે, અને તે યોગમાર્ગના સેવનકાળમાં ઉપાસ્યરૂપે કોઈક વીર ભગવાનને સ્વીકારે છે, તો કોઈક ‘તથાતાને સ્વીકારે છે, તો વળી અન્ય કોઈ સદાશિવને સ્વીકારે છે; આમ છતાં તેઓ સદાશિવ, તથાતા આદિ શબ્દો દ્વારા રાગાદિથી પર એવા પૂર્ણ પુરુષને ઉદ્દેશીને પોતાના રાગાદિના ઉચ્છેદમાં યત્ન થાય તે રીતે યોગમાર્ગનું સેવન કરે છે, તેથી તેઓની, શમપરિણામ છે પ્રધાન જેમાં એવી તથાતા' આદિ શબ્દથી વાચ્ય એવા પૂર્ણ પુરુષની ભક્તિ છે. તેથી તે સર્વ ભક્તિ મોક્ષમાર્ગનું કારણ છે, ફક્ત ઉપાસ્યરૂપે નામભેદનો આશ્રય છે; કેમ કે આવા જીવોની ભક્તિમાં સ્વદર્શનનો રાગ અને અન્ય દર્શનનો દ્વેષ ઉત્પન્ન કરાવે તેવો સંમોહ નથી; પરંતુ સંસારથી અતીત તત્ત્વના ઉપાયભૂત એવા યોગમાર્ગ પ્રત્યેનો રાગ છે, અને તે રાગથી પ્રેરાઈને પોતપોતાને અભિમત એવા ઉપાસ્યની ભક્તિ કરીને યોગમાર્ગનું સેવન કરે છે. માટે તે સર્વની ભક્તિ ચિત્ર નથી, પરંતુ અચિત્ર છે=એક પ્રકારની છે. ર૧પ અવતરણિકા – પૂર્વશ્લોક-૨૧માં કહ્યું કે સ્વઅભીષ્ટ દેવતાના રાગ અને અભીષ્ટ દેવતાના દ્વેષથી સંગત એવી ચિત્ર પ્રકારની ભક્તિ સાંસારિક દેવોમાં છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જે જીવો સ્વઅભીષ્ટ એવા વીર ભગવાન પ્રત્યે અવિચારક રાગ ધારણ કરે છે અથવા સ્વઅભિલપિતથી અન્ય દેવો પ્રત્યે દ્વેષ ધારણ કરે છે, તેઓની ભક્તિ વીરભગવાનમાં છે, સંસારી દેવામાં નથી. તેથી તેઓ સાંસારિક દેવકામગામી છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – બ્લોક : इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धितः । फलं चित्रं प्रयच्छन्ति तथा बुद्धयादिभेदतः ।।२२।। Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંચિકા/શ્લોક-૨૨ અન્વયાર્થ : નો લોકમાં ચિત્રમિન્વિત:=ચિત્રઅભિસંધિથી રાપૂર્વાન વર્માણ ઈષ્ટાપૂર્ત કર્મો વિત્ર અર્જા=ચિત્રળને પ્રવચ્છત્તિ=આપે છે, તથા=તે પ્રકારે યુદ્ધચદ્ધિમેતિ: બુદ્ધિ આદિના ભેદથી, ઇષ્ટાપૂર્ત કર્મરૂપ સદનુષ્ઠાન પણ ચિત્રફળ આપે છે. ૨૨ા શ્લોકાર્ય : લોકમાં ચિત્ર અભિસંધિથી ઈષ્ટાપૂર્ત કર્મો ચિત્રફળને આપે છે, તે પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ઈષ્ટાપૂર્ત કર્મરૂપ સદનુષ્ઠાન પણ ચિત્રફળ આપે છે. રિરા ટીકા : इष्टापूर्तानीति-इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धित: संसारिदेवस्थानादिगतविचित्राध्यवसायात् मृदुमध्याधिमात्ररागादिरूपात्, तथा बुद्ध्यादीनां वक्ष्यमाणलक्षणानां भेदतः फलं चित्रं नानारूपं प्रयच्छन्ति, विभिन्नानां नगराणामिव विभिन्नानां संसारिदेवस्थानानां प्राप्तेरुपायस्यानुष्ठानस्याभिसन्ध्यादिभेदेन विचित्रत्वात्, तदुक्तं - “संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावादौ स्थानानि प्रतिशासनम् ।। तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । નમિત્રનારાં ચાવંવત્ની વન” II(વો . સ્નો-૨૨૩, ૨૨૪) સારા ટીકાર્ય : રૂઝાપૂર્વાનિ ..... વાવન" | લોકમાં ચિત્ર અભિસંધિથી મૃદુ મધ્ય અધિમાત્રવાળા રાગાદિરૂપ સંસારી દેવસ્થાનાદિ ગત વિચિત્ર અધ્યવસાયથી, અને વફ્ટમાણલક્ષણવાળા બુદ્ધિ આદિના ભેદથી ઈષ્ટાપૂર્ત કર્મો તાનારૂપ ચિત્ર ફળ આપે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ છપ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/બ્લોક-૨૨ અહીં પ્રશ્ન થાય કે લોકમાં સમાન પ્રકારનાં ઇષ્ટાપૂર્ત કર્મો જુદી જુદી અભિસંધિથી અને બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન ભિન્ન ફળો કઈ રીતે આપે છે ? તેથી કહે છે વિભિન્ન નગરોના પ્રાપ્તિના ઉપાયોની જેમ વિભિન્ન સંસારી દેવસ્થાનોની પ્રાપ્તિના ઉપાયરૂપ અનુષ્ઠાનનું અભિસંધિ આદિના ભેદથી વિચિત્રપણું હોવાથી, એકસરખાં પણ ઈષ્ટાપૂર્ત કર્મો જુદાં જુદાં ફળને આપે છે અર્થાત્ જુદા જુદા સંસારી દેવસ્થાનની પ્રાપ્તિનું કારણ બને છે. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું તે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૧૩-૧૧૪માં કહેવાયું છે – જે કારણથી પ્રતિશાસન—દરેક બ્રહ્માંડને આશ્રયીને, અનેક પ્રકારની સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ આદિ વડે સંસારી દેવોનાં=લોકપાલાદિ દેવોનાં સ્થાનો અનેક પ્રકારનાં છે, તે કારણથી તત્સTધનોપાય:=સંસારી દેવોનાં સ્થાનની સિદ્ધિનો ઉપાય, નિયમથી ચિત્ર જ છે. ક્યારેય ભિન્ન નગરોનો માર્ગ એક ન હોય.” (યો. સ. શ્લોક-૧૧૩૧૧૪) ૨૨ા. “માઁધ્યાટિમેન' - અહીં માત્ર થી બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ એ ત્રણ ભેદમાંથી માત્ર બુદ્ધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :ઇષ્ટક અને પૂર્તકર્મોનું સ્વરૂપ અને ફળ :ઇષ્ટાપૂર્ત કર્મો :- લોકમાં ઇષ્ટ કર્મો અને પૂર્તકર્મો પ્રસિદ્ધ છે. ઇષ્ટકર્મો :- બ્રાહ્મણોની સમક્ષ વેદિકાની અંદર જે દાન અપાય છે, તે ઇષ્ટ એવા સ્વર્ગાદિની પ્રાપ્તિનું કારણ છે. તેને ઇષ્ટ કર્મ કહેવાય છે. પૂર્તકર્મો - અનેક જીવોના ઉપકારનું કારણ બને તેવાં દાનશાળાદિ કૃત્યો પૂર્તકર્મો કહેવાય છે. લોકમાં પ્રસિદ્ધ એવાં ઇષ્ટકર્મો અને પૂર્તકર્મો જુદી જુદી અભિસંધિથી= અધ્યવસાયથી, જુદા જુદા સંસારી દેવસ્થાનની-દેવલોકની પ્રાપ્તિનું કારણ છે. તેથી સમાન પણ ઇષ્ટકર્મ કે પૂર્તકર્મ કરનારા જીવો પોતાના અધ્યવસાયના ભેદથી તે ઇષ્ટકર્મ અને પૂર્તકર્મના ફળરૂપે જુદા જુદા દેવસ્થાનને પ્રાપ્ત કરે છે, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૨ તેનું કારણ તેમનો ઇષ્ટકર્મ અને પૂર્તકર્મમાં વર્તતો મૃદુ, મધ્ય કે અધિમાત્રારૂપ રાગાદિનો પરિણામ છે; અને આ રાગાદિનો પરિણામ તે તે સંસારી દેવસ્થાનની પ્રાપ્તિનું કારણ બને તેવા વિચિત્ર પ્રકારનો અધ્યવસાય છે. તેથી સમાન પણ કૃત્યથી અભિસંધિના ભેદથી ભિન્ન ભિન્ન ફળ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે બુદ્ધિ આદિના ભેદથી ઇષ્ટકર્મ કે પૂર્તકર્મરૂપ સદનુષ્ઠાન પણ ચિત્ર પ્રકારના ફળનું કારણ બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે આગળમાં કહેવાશે એ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહરૂપ ત્રણ પ્રકારના બોધના ભેદથી સેવાતાં સદનુષ્ઠાનો પણ જુદા ફળને આપે છે. તેથી કોઈ જીવ વીર ભગવાનની ઉપાસના કરતા હોય, પરંતુ બુદ્ધિપૂર્વક તે ભગવાનની ઉપાસના કરતા હોય તો તે ભગવાનની ઉપાસના સંસારફળવાળી છે, અને જ્ઞાનપૂર્વકની કે અસંમોહપૂર્વકની ઉપાસના કરતા હોય તો તે ઉપાસના મોક્ષફળવાળી છે. આનાથી એ ફલિત થાય કે વીર ભગવાનની ઉપાસના કરનારા માત્ર બુદ્ધિપૂર્વક ઉપાસના કરતા હોય અર્થાત્ તત્ત્વાતત્ત્વનો વિચાર કર્યા વગર કોઈકને જોઈને વીર ભગવાનની પૂજા કરવાની બુદ્ધિ થવાથી ઉપાસના કરતા હોય; તો તે બુદ્ધિથી કરાયેલી ઉપાસના સાંસારિક દેવગતિનું કારણ છે, મોક્ષનું કારણ નથી. માટે તે વીર ભગવાનની ઉપાસના કરનારા જીવો તે ઉપાસનાથી સંસારકાયગામી ; અને શ્લોક-૨૦માં કહ્યું તે પ્રમાણે સંસારકામગામીઓની સાંસારિક દેવોમાં ભક્તિ હોય છે. તેથી અર્થથી તે વીર ભગવાનની ઉપાસના પણ સાંસારિક એવા લોકપાલાદિની ઉપાસના છે. સદનુષ્ઠાનમાં ઇષ્ટાપૂર્તકર્મરૂપતા: લોકમાં જેમ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મ છે, તેમ આત્મકલ્યાણ અર્થે કરાતા સદનુષ્ઠાનો પણ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મરૂપ છે. ઇષ્ટકર્મ :- જે ઇષ્ટ એવા મોક્ષની પ્રાપ્તિનું કારણ હોય તેવાં સામાયિકાદિ અનુષ્ઠાન કે પૂજાદિ અનુષ્ઠાન ઇષ્ટકર્મ છે. પૂર્તકર્મ - જે અનુષ્ઠાનથી અનેક જીવોને બીજાધાન થાય તેવાં દાનશાળાદિ ત્યો પૂર્તકર્મ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨-૨૩ ૭૭ આ સદનુષ્ઠાનરૂપ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મ પણ બુદ્ધિ આદિના ભેદથી ચિત્ર ફળને આપે છે. તેથી બુદ્ધિથી કરાયેલું તે અનુષ્ઠાન સંસારફળવાળું છે, અને જ્ઞાન અને અસંમોહથી કરાયેલું તે અનુષ્ઠાન મોક્ષફળવાળું છે, તેમ ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ'માં કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે એક જ અનુષ્ઠાન ભિન્ન-ભિન્ન એવા દેવલોકની પ્રાપ્તિનું કારણ કઈ રીતે બની શકે ? તેથી કહે છે જુદા જુદા નગરોની પ્રાપ્તિના ઉપાયો જુદા જુદા માર્ગો જ છે, તેમ જુદા જુદા દેવસ્થાનની પ્રાપ્તિનો ઉપાય ઇષ્ટાપૂર્વકર્મરૂપ અનુષ્ઠાનવર્તી જુદી જુદી અભિસંધિ અને જુદી જુદી બુદ્ધિ છે; અને એક માર્ગથી ક્યારેય જુદા જુદા નગરોની પ્રાપ્તિ થતી નથી, તેમ એક અભિસંધિ આદિથી કરાયેલા અનુષ્ઠાનથી ક્યારેય જુદા જુદા દેવલોકની પ્રાપ્તિ થતી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે જુદા જુદા નગર પ્રત્યે જવાના માર્ગ જેમ જુદા જુદા છે, તેમ જુદા જુદા સંસારી દેવસ્થાનની પ્રાપ્તિના ઉપાય પણ અનુષ્ઠાનકાળમાં વર્તતી જુદી જુદી અભિસંધિ અને જુદી જુદી બુદ્ધિ છે, અને મોક્ષપ્રાપ્તિનો ઉપાય સદઅનુષ્ઠાનકાળમાં વર્તતો જ્ઞાનપૂર્વકનો અધ્યવસાય કે અસંમોહપૂર્વકનો અધ્યવસાય કથંચિત્ ભિન્ન છે તોપણ સંસારભાવથી અતીત એવા શમપરિણામરૂપે સમાન છે. || અવતરણિકા : પૂર્વશ્લોક-૨૨માં કહ્યું કે લોકમાં ઇષ્ટાપૂર્ત કર્યો જુદી જુદી અભિસંધિથી જુદું જુદું ફ્ળ આપે છે, તેમ સદનુષ્ઠાનરૂપ ઇષ્ટાપૂર્ત કર્યો પણ બુદ્ધિ આદિના ભેદથી જુદું જુદું ફળ આપે છે. તેથી હવે સદનુષ્ઠાનકાળમાં વર્તતા અધ્યવસાયરૂપ બુદ્ધિ આદિના ભેદનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ बुद्धिर्ज्ञानमसंमोहस्त्रिविधो बोध इष्यते । रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तिनिदर्शनात् ।। २३ ।। - Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અન્વયાર્થ : રત્નોપત્નમતિજ્ઞાનતાપ્તિનના રત્નનો ઉપલંભ, તેનું રત્નનું જ્ઞાન અને તેની-રત્નની પ્રાપ્તિના દાંતથી, વૃદ્ધિનમસંમોટા બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ ત્રિવિદ્યા ત્રણ પ્રકારે વોઘા=બોધ રૂ=ઈચ્છાય છે. ૨૩ શ્લોકાર્ચ - રત્નનો ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિના દષ્ટાંતથી બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એ ત્રણ પ્રકારે બોધ ઈચ્છાય છે. Imall ટીકા - बुद्धिरिति-बुद्धि:-तथाविधोहरहितं शब्दार्थश्रवणमात्रजं ज्ञानं, यदाह'इन्द्रियार्थाश्रया बुद्धिः', ज्ञानं तथाविधोहेन गृहीतार्थतत्त्वपरिच्छेदनं, तदाह - “ज्ञानं त्वागमपूर्वकम्" । असम्मोहो हेयोपादेयत्यागोपादानोपहितं ज्ञानं, यदाह - “सदनुष्ठानवच्चैतदसम्मोहोऽभिधीयते” । एवं त्रिविधो बोध इष्यते स्वस्वपूर्वाणां कर्मणां भेदसाधकः “तभेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनां" इति वचनात्, रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तीनां निदर्शनात्, यथा [पलम्भादिभेदाद्रत्नग्रहणभेदस्तथा प्रकृतेऽपि बुद्ध्यादिभेदादनुष्ठानभेद इति ।।२३।। ટીકાર્ય : બુદ્ધિ ... નુષ્ઠાનમેદ્ર તિ (૧) બુદ્ધિ - તેવા પ્રકારના ઊહથી રહિત, શબ્દના અર્થતા શ્રવણમાત્રથી થયેલું જ્ઞાન બુદ્ધિ છે, જે કારણથી કહે છે=જે કારણથી ‘યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ' શ્લોક-૧૨૧માં કહે છે – “ઈન્દ્રિયોના અર્થના આશ્રયવાળી બુદ્ધિ છે=ઈન્દ્રિયોથી દેખાતા પદાર્થોને આશ્રયીને થયેલો અધ્યવસાય બુદ્ધિ છે.” (યો. સ. શ્લોક-૧૨૧) (૨) જ્ઞાન : તેવા પ્રકારના ઊહથી=જે સદનુષ્ઠાન સેવવું છે તે અનુષ્ઠાન કઈ રીતે ઈષ્ટફળનું સાધન છે ? તેવા પ્રકારના ઊહથી, ગ્રહણ થયેલા અર્થતા Page #96 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩ પરમાર્થનો બોધ જ્ઞાન છે. તેને કહે છે-જ્ઞાનના સ્વરૂપને યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ શ્લોક-૧૨૧માં કહે છે -- “વળી આગમપૂર્વકનું જ્ઞાન છે.” (યો. સ. શ્લોક-૧૨૧) (૩) અસંમોહ : હેયના ત્યાગથી અને ઉપાદેયના ઉપાદાનથી ઉપહિત=હેયના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી યુક્ત એવું જ્ઞાન અસંમોહ છે. જે કારણથી કહે છે=જે કારણથી ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૨૧માં કહે છે ge “અને સદનુષ્ઠાનવાળું આ=જ્ઞાન, અસંમોહ કહેવાય છે.” આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સ્વસ્વ છે પૂર્વમાં જેને=બુદ્ધિ આદિ ત્રણ ભેદોમાંથી કોઈક એક ભેદ છે પૂર્વમાં જેને, એવાં કર્મોના= અનુષ્ઠાનના, ભેદનો સાધક ત્રણ પ્રકારનો બોધ ઇચ્છાય છે; કેમ કે “તેના ભેદથી=ત્રણ પ્રકારના બોધના ભેદથી, સર્વ દેહીઓનાં=સર્વ જીવોનાં, સર્વ કર્મો=ઇષ્ટ અને પૂર્વકર્મો, જુદાં પડે છે” એ પ્રકારનું વચન છે=‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૧૨૦ના ઉત્તરાર્ધનું વચન છે. આ ત્રણ પ્રકારના બોધમાં દૃષ્ટાંત આપે છે. રત્નોપતમ્મતજ્ઞાનતવવાતીનાં=રત્નનો ઉપલંભ=કેવળ બહિર્છાયાથી રત્નની પ્રાપ્તિ, તેનું જ્ઞાન=રત્નનું જ્ઞાન, તદવાપ્તિ=રત્નની પ્રાપ્તિ=રત્નની પારમાર્થિક પ્રાપ્તિ, એ ત્રણના દૃષ્ટાંતથી બોધના ત્રણ ભેદ ઇચ્છાય છે. જે પ્રમાણે ઉપલંભ આદિના ભેદથી રત્નગ્રહણનો ભેદ છે, તે પ્રમાણે પ્રકૃતમાં પણ= સદનુષ્ઠાનમાં પણ, બુદ્ધિ આદિના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૨૩।। ભાવાર્થ: બોધના પ્રકાર : (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન અને (૩) અસંમોહ : બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એ ત્રણ પ્રકારના બોધથી સદનુષ્ઠાન વિષયક પ્રવૃત્તિ થાય છે, અને આ બોધ તીર્થયાત્રાદિ સદનુષ્ઠાનના ક્રિયાકાળમાં વર્તતા જીવના અધ્યવસાયરૂપ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ co (૧) બુદ્ધિ : તેવા પ્રકારના=સઅનુષ્ઠાને સમ્યગ્ કરાવવાનું કારણ બને તેવા પ્રકારના ગ્રહથી રહિત શબ્દાર્થના શ્રવણમાત્રથી થયેલ જ્ઞાન બુદ્ધિ છે. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩ જેમ કોઈ તીર્થયાત્રાએ જતું હોય અને તીર્થયાત્રાએ જના૨ને જોઈને ‘હું પણ તીર્થયાત્રાએ જાઉં' એવા પ્રકારનો જે જ્ઞાનનો ઉપયોગ તે બુદ્ધિ છે. આ પ્રકારના જ્ઞાનના ઉપયોગમાં ‘આ તીર્થયાત્રા કઈ રીતે સંસારના નિસ્તારનું કારણ બને છે, તે જાણીને તે પ્રમાણે આ તીર્થયાત્રા કરીને હું સંસારથી મારા આત્માનો નિસ્તાર કરું' તેવા પ્રકારની વિચારણા હોતી નથી. તેથી તેવા પ્રકારના ઊહથી રહિત આ બોધ છે, અને આવા બોધથી જે અનુષ્ઠાન કરાય તે બુદ્ધિથી કરાયેલું સદનુષ્ઠાન છે. તેમાં ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથની સાક્ષી આપી. તેનો ભાવ એ છે કે ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થના આશ્રયવાળી બુદ્ધિ છે. તેથી કોઈ વ્યક્તિ તીર્થયાત્રાએ જાય છે, તેવું ચક્ષુરિન્દ્રિયથી જોઈને અથવા કોઈ તીર્થયાત્રાએ જાય છે એવું કોઈ પાસેથી શ્રોત્રેન્દ્રિયથી સાંભળીને, ‘હું પણ તીર્થયાત્રાએ જાઉં’ તેવી બુદ્ધિ કરીને તીર્થયાત્રાએ જાય છે, તે બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન છે. (2) $1101 : તેવા પ્રકારના=સઅનુષ્ઠાનને સમ્યગ્ કરવાનું કારણ બને તેવા પ્રકારના ઊહથી ગ્રહણ કરેલા અર્થના ૫૨માર્થના બોધવાળું જ્ઞાન એ બીજા પ્રકારનો બોધ છે, અને આ બોધ તેવા પ્રકારના ઊહથી યુક્ત તીર્થયાત્રાદિ ક્રિયાકાળમાં વર્તતા જીવના અધ્યવસાયરૂપ છે. આશય એ છે કે કોઈ તીર્થયાત્રાએ જતું હોય અને વિચારકને જિજ્ઞાસા થાય કે તીર્થયાત્રા કયા પ્રયોજનથી કરવાની છે ? અને ‘તીર્થયાત્રાનું પ્રયોજન સંસારસાગરથી તરવાનું છે' એમ જાણીને શાસ્ત્રમાં જે વિધિ પ્રમાણે તીર્થયાત્રા કરીને સંસારસાગર તરવાનું કહ્યું છે, તે પ્રમાણે જાણવાની જિજ્ઞાસાપૂર્વક તીર્થયાત્રાની વિધિનો શાસ્ત્રથી બોધ કરે, તે બીજા પ્રકારનો બોધ છે; અને આને બતાવવા માટે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથના સાક્ષીપાઠમાં કહ્યું કે ‘આગમપૂર્વકનું જ્ઞાન તે બીજા પ્રકારનો બોધ છે.’ અને આ બોધપૂર્વક તીર્થયાત્રા જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ (૩) અસંમોહ: હેયના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી યુક્ત એવું જ્ઞાન તે ત્રીજા પ્રકારનો બોધ છે. આ ત્રીજા પ્રકારનો બોધ પૂર્ણ શાસ્ત્રવિધિથી સેવાતા સદનુષ્ઠાનકાળમાં વર્તતા જીવના અધ્યવસાયરૂપ છે, અને તે અધ્યવસાય શાસ્ત્રવિધિમાં સંમોહ વિના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે. જેમ કોઈ તીર્થયાત્રાએ જતું હોય તેને જોઈને જિજ્ઞાસા થાય કે તીર્થયાત્રા શા માટે કરવી જોઈએ ? અને આ જિજ્ઞાસાની પૂર્તિ અર્થે તીર્થયાત્રાનું શાસ્ત્રવચનથી મહત્ત્વ જાણીને, તીર્થયાત્રાની વિધિને જાણીને, તે વિધિથી પરિપૂર્ણ તીર્થયાત્રાની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે, તીર્થયાત્રાના પ્રવૃત્તિકાળમાં જે જે પ્રવૃત્તિ હેય છે તેનો ત્યાગ કરે, અને જે જે પ્રવૃત્તિ ઉપાદેય છે તે તે પ્રવૃત્તિનું સેવન કરે, અને તે સમ્યત્યાગ અને સમ્યક સેવનથી યુક્ત એવો જે બોધનો પરિણામ તે અસંમોહ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આ ત્રણ પ્રકારમાંથી કોઈ એકના બોધથી સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે, અને એક પ્રકારનું પણ સેવાયેલું અનુષ્ઠાન આ ત્રણ બોધના ભેદથી ફળભેદવાળું થાય છે. આથી જ ટીકામાં કહ્યું કે “આ ત્રણ પ્રકારનો બોધ, કરાતી ક્રિયાઓના ભેદનો સાધક છે, અને તેમાં “યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથની સાક્ષી આપી કહ્યું કે “સર્વ જીવોનાં સર્વ કર્મો અર્થાત્ સર્વ ઇષ્ટ કર્યો અને પૂર્તકર્મો, આ ત્રણના ભેદથી જુદા જુદા ફળવાળાં થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે ધર્મનું અનુષ્ઠાન બુદ્ધિથી સેવાતું હોય તે સંસારફળવાળું છે, જ્ઞાનથી સેવાતું હોય તો પરંપરાએ મોક્ષફળવાળું છે અને અસંમોહથી સેવાતું હોય તો શીઘ્ર મોક્ષફળવાળું છે. અનુષ્ઠાનના ફળના ભેદના કારણભૂત ત્રણ પ્રકારના બોધમાં દષ્ટાંત - (૧) રત્નનો ઉપલંભ, (૨) રત્નનું જ્ઞાન, (૩) રત્નની પ્રાપ્તિ. (૧) રત્નના ઉપલંભસ્થાનીય બુદ્ધિ છે. (૨) રત્નના જ્ઞાનસ્થાનીય જ્ઞાન છે. (૩) રત્નની પ્રાપ્તિસ્થાનીય અસંમોહ છે. આ દૃષ્ટાંતનું દાર્દાન્તિક યોજન આ પ્રમાણે છે – Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ (૧) જેમ રત્નના બોધ વિનાની કોઈક વ્યક્તિને ઘણા પથ્થરોની વચ્ચે પડેલ રત્ન કંઈક ચમકતું દેખાય ત્યારે તે વ્યક્તિ સુંદર એવા તે પથ્થરને ગ્રહણ કરે, ત્યારે તેને બહિર્ષાયાથી રત્નનો ઉપલંભ છે; પરંતુ તે રત્નને પ્રાપ્ત કરીને પણ તે વ્યક્તિ તેનો રમત રમવામાં ઉપયોગ કરે, અને જ્યાં ત્યાં જેમ તેમ રત્નને મૂકી દે તો તે વ્યક્તિ રત્નના ફળને પામતી નથી; તેમ ધર્મનું અનુષ્ઠાન પણ કોઈ બહિર્ષાયાથી, શાસ્ત્રવિધિથી નિરપેક્ષ, યથાતથા સેવે, તો રત્નના ઉપલંભથી જેમ તે વ્યક્તિ રત્નના ફળને પ્રાપ્ત કરતી નથી, તેમ સદઅનુષ્ઠાન સેવનાર વ્યક્તિ સદનુષ્ઠાનના ફળને લેશ પણ પ્રાપ્ત કરતી નથી. તેથી જેમ બહિર્ષાયાથી પ્રાપ્ત થયેલું રત્ન જીવને ઉપકારક નથી, તેમ બહિર્ષાયાથી કરાયેલું સદનુષ્ઠાન જીવના કલ્યાણનું કારણ નથી. તેથી પ્રથમ પ્રકારના બોધથી થયેલું અનુષ્ઠાન સંસારફળવાળું છે. (૨) જેમ કોઈ વ્યક્તિને રત્નના ગુણ-દોષનું જ્ઞાન હોય, અને પૂર્ણ ગુણયુક્ત રત્ન કેવું મહાફળવાળું હોય અને દોષથી યુક્ત રત્ન કેવું અનર્થફળવાળું હોય, તેવું પણ જ્ઞાન હોય; અને તેને અનર્થને કરનારા દોષોથી રહિત અને યત્કિંચિત્ રત્નના ગુણોવાળું રત્ન પ્રાપ્ત થાય, પરંતુ સર્વ ગુણોથી યુક્ત એવું રત્ન પ્રાપ્ત ન થાય, તોપણ તે રત્ન રત્ન હોવાથી ધનાદિની પ્રાપ્તિમાં ઉપકારી છે. તેથી રત્નના જ્ઞાનપૂર્વક તે રત્નગ્રહણની પ્રવૃત્તિ કંઈક ઈષ્ટનું કારણ બને છે, પરંતુ રત્નના બોધ વિનાનાને રત્નના ઉપલંભની જેમ સર્વથા નિષ્ફળ નથી. તેમ કોઈ વ્યક્તિ શાસ્ત્રવચનથી ધર્મઅનુષ્ઠાનનું મહત્ત્વ જાણે, શાસ્ત્રવચનથી તે ધર્મઅનુષ્ઠાનની વિધિ જાણે, તે વિધિપૂર્વક સેવાયેલું ધર્મઅનુષ્ઠાન કેવું મહાફળવાળું છે, તે જાણે, તેથી તેને વિધિથી કરાયેલું તે અનુષ્ઠાન પરમ કલ્યાણનું કારણ છે, તેવો બોધ છે, અને તે પ્રકારે કરવાનો અભિલાષ પણ છે, છતાં તેની પ્રવૃત્તિ પરિપૂર્ણ શાસ્ત્રવિધિ અનુસાર થતી નથી, તેઓની ધર્મની પ્રવૃત્તિ બીજા પ્રકારના બોધથી યુક્ત છે, તેથી મોક્ષનું કારણ બને છે. તેથી જેમ રત્નના જ્ઞાનવાળાને રત્નનું ગ્રહણ ધનપ્રાપ્તિનું કારણ બને છે, તેમ જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન પરંપરાએ મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. (૩) જેમ કોઈ વ્યક્તિને શ્રેષ્ઠ રત્નના સર્વ ગુણોનું યથાર્થ જ્ઞાન હોય, અને તે બોધ પ્રમાણે ચિંતામણિ આદિ શ્રેષ્ઠ રત્નને પ્રાપ્ત કરે ત્યારે તે રત્નના Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૩ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ મહાફળને જેમ શીધ્ર પ્રાપ્ત કરે છે, તેમ અસંમોહપૂર્વકના બોધથી કરાયેલું અનુષ્ઠાન શીધ્ર મોક્ષફળવાળું છે. જેમ કોઈ વ્યક્તિ તીર્થયાત્રાદિ અનુષ્ઠાન શાસ્ત્રવિધિ અનુસાર કઈ રીતે કરવું જોઈએ તેનો યથાર્થ બોધ કરીને, તે વિધિ પ્રમાણે પરિપૂર્ણ તે અનુષ્ઠાન કરતી હોય ત્યારે તે અનુષ્ઠાનમાં સંમોહ નથી, તેથી તે અનુષ્ઠાન કરતાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવોને ઉત્પન્ન કરીને શીધ્ર મોક્ષફળને પામે છે. જેમ સર્વ ગુણોથી યુક્ત ચિંતામણિ આદિ રત્નને પામીને સંસારી જીવો સર્વ પ્રકારની સમૃદ્ધિને શીધ્ર પ્રાપ્ત કરે છે, તેમ અસંમોહથી કરાયેલ અનુષ્ઠાનથી શીધ્ર મોક્ષફળ પ્રાપ્ત થાય છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે : (૧) કોઈને સદનુષ્ઠાન કરતા જોઈને પોતાને તે અનુષ્ઠાન કરવાની બુદ્ધિ થાય, પરંતુ અનુષ્ઠાનથી સાધ્ય શું છે ? કઈ રીતે અનુષ્ઠાન કરવું જોઈએ ? તેવી કોઈ જિજ્ઞાસા વગર કોઈને જોઈને માત્ર અનુષ્ઠાન કરવાની બુદ્ધિ થાય, અને તે બુદ્ધિથી કરાતું અનુષ્ઠાન અનનુષ્ઠાન છે. (૨) કોઈને સદનુષ્ઠાન કરતા જોઈને તે અનુષ્ઠાનનું પ્રયોજન શું છે ? તે કઈ રીતે કરવું જોઈએ ? ઇત્યાદિ જિજ્ઞાસાપૂર્વક તેનો બોધ કરીને તે અનુષ્ઠાન કરવામાં આવે, આમ છતાં પૂર્ણ વિધિયુક્ત અનુષ્ઠાન ન હોય તે તહેતુ અનુષ્ઠાન છે. (૩) શાસ્ત્રવિધિથી સદનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું, યથાર્થ શાસ્ત્રવિધિ જાણવી અને તે શાસ્ત્રવિધિ અનુસાર તે અનુષ્ઠાનનું સેવન કરવું, તે અસંમોહવાળું અનુષ્ઠાન છે, જે અમૃતઅનુષ્ઠાન છે. આથી આ ત્રણ અનુષ્ઠાનો બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ, એ ત્રણ પ્રકારના બોધથી થનારા અનુષ્ઠાનના ભેદો છે. રક્ષા અવતરણિકા : શ્લોક-૨૩માં કહ્યું કે તેમના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી થતો બોધ અસંમોહ છે. તેથી એ પ્રાપ્ત થયું કે સદનુષ્ઠાનવાળું જ્ઞાન અસંમોહ છે. તેથી જિજ્ઞાસા થાય કે સદનુષ્ઠાન કેવું છે ? માટે છ લક્ષણથી યુક્ત સદનુષ્ઠાનને બતાવે છે – શ્લોક : आदरः करणे प्रीतिरविघ्न: सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ।।२४।। Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અન્વયાર્થ: ગવર્:=આદર, રને પ્રતિઃ=કરવામાં પ્રીતિ, અવિઘ્નઃ વિઘ્નનો અભાવ, સમ્વવાનમ:=સંપત્તિનું આગમન,નિજ્ઞાસા=જાણવાની ઇચ્છા, તખ્તસેવા=અને તેના=ઇષ્ટાદિના, જાણનારાની સેવા ==અને તેમનો અનુગ્રહ=ઇષ્ટાદિના જાણનારાઓનો અનુગ્રહ સવનુષ્ઠાનલક્ષળમ્=સદનુષ્ઠાનનું લક્ષણ છે. ।૨૪।ા શ્લોકાર્થ ઃ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૪ (૧) આદર, (૨) કરવામાં પ્રીતિ, (3) વિઘ્નનો અભાવ, (૪) સંપત્તિનું આગમન, (૫) જિજ્ઞાસા, (૬) ઇષ્ટાદિના જાણનારાઓની સેવા અને ઇષ્ટાદિના જાણનારાઓનો અનુગ્રહ, સદનુષ્ઠાનનું લક્ષણ છે. ।।૨૪।। ટીકા ઃ आदर इति - आदरो = यत्नातिशय इष्टादौ करणे प्रीतिरभिष्वङ्गात्मिका, अविघ्नः करण एवादृष्ट सामर्थ्यादपायाभाव:, सम्पदागमस्तत एव शुभभावपुण्यसिद्धेः, जिज्ञासा इष्टादिगोचरा, तज्ज्ञसेवा चेष्टादिज्ञसेवा, (चशब्दातदनुग्रहः) एतत्सदनुष्ठानलक्षणं तदनुबन्धसारत्वात् ।।२४।। ટીકાર્ય ઃआदरो સારત્વાત્ ।।સદનુષ્ઠાનનું સ્વરૂપ સાત લક્ષણથી બતાવે છે ઃ (૨) આવર: :- ઇષ્ટાદિમાં=ઇષ્ટ અને પૂર્તકર્મમાં યત્નાતિશયરૂપ આદર છે. (૨) રળે પ્રતિઃ :- કરણમાં=અનુષ્ઠાન સેવનમાં, અભિધ્વંગરૂપ પ્રીતિ છે. (૩) વિઘ્ન :- અવિઘ્ન=અનુષ્ઠાન કરવામાં જ અદૃષ્ટના સામર્થ્યથી અપાયનો અભાવ અર્થાત્ વિઘ્નનો અભાવ. (૪) સમ્પકાળમઃ :- તેનાથી જ=અનુષ્ઠાનના સેવનથી જ શુભભાવને કારણે પુણ્યની સિદ્ધિ હોવાથી સંપદાગમ=સંપત્તિનું આગમન. ..... (બ) નિજ્ઞાસા :- જિજ્ઞાસા=ઇષ્ટાદિ વિષયક જિજ્ઞાસા અર્થાત્ પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી અધિક-અધિક અનુષ્ઠાન વિષયક જિજ્ઞાસા. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૨૪ (૬) તજ્ઞસેવા :- તજ્ઞસેવા =અને ઈષ્ટાદિ અનુષ્ઠાનના જાણનારાની સેવા અર્થાત્ પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી અધિક-અધિક અનુષ્ઠાન જાણનારાઓની સેવા. (૭) તવદર:- “ઘ' શબ્દથી તેમના અનુગ્રહનું ગ્રહણ કરવું=ઈષ્ટાદિ જાણનારાઓના અનુગ્રહનું ગ્રહણ કરવું. નોંધ :- ટીકામાં ‘શબ્દ તિવનુuદ' શબ્દ છે ત્યાં વાત્તવનુપ્રહ એવો પાઠ યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૨૩માં છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. આ આગળ બતાવ્યું એ, સાત વિશેષણવાળું સદનુષ્ઠાનનું લક્ષણ છે; કેમ કે તેના અનુબંધનું પ્રધાનપણું છે અર્થાત્ આવા પરિણામો જેનામાં વર્તતા હોય તેનું અનુષ્ઠાન અનુબંધપ્રધાન હોય છે. ૨૪ ભાવાર્થ : સદનુષ્ઠાનનું લક્ષણ - આ શ્લોકમાં સદનુષ્ઠાન સાત વિશેષણવાળું છે તેમ બતાવેલ છે, જે આ પ્રમાણે – (૨) માતર :- યત્નાતિશય એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. સદનુષ્ઠાન ઇષ્ટકર્મરૂપ હોય કે પૂર્તકર્મરૂપ હોય, તે ઇષ્ટકર્મ કે પૂર્તકર્મ જે રીતે શાસ્ત્રમાં કરવાનાં કહ્યાં છે, તે રીતે કરવાના અભિલાષવાળા યોગી, શાસ્ત્રથી તે ઇષ્ટકર્મ અને પૂર્તકર્મના સ્વરૂપને જાણવા માટે યત્ન કરે, જાણ્યા પછી તેનો બોધ સ્થિર કરવા માટે યત્ન કરે, અને સમ્યગ્બોધ કરીને શાસ્ત્રાનુસારે તે અનુષ્ઠાન કરવા માટે યત્નાતિશય કરે, તે સદનુષ્ઠાન પ્રત્યે આદરનો પરિણામ છે, જે સદનુષ્ઠાનનું પ્રથમ સ્વરૂપ છે. (૨) સર પ્રતિ :- સદનુષ્ઠાન કરવામાં પ્રીતિ એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. અનુષ્ઠાનને જાણવા માટે, જાણીને બોધને સ્થિર કરવા માટે, અને સ્થિર થયેલા બોધ અનુસાર કોઈ મહાત્મા અનુષ્ઠાનને સેવતા હોય ત્યારે સેવનકાળમાં, તે અનુષ્ઠાનમાં પ્રીતિ ઉલ્લસિત થતી હોય, જે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ S કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૨૪ (૩) વિM: - અનુષ્ઠાન કરવામાં અદષ્ટના સામર્થ્યથી વિપ્નનો અભાવ, એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. જે યોગી શાસ્ત્રવચનાનુસાર બોધ કરીને, શાસ્ત્રને પરતંત્ર થઈને, સદનુષ્ઠાનમાં યત્નાતિશય કરતા હોય, અને અનુષ્ઠાનકાળમાં અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ વર્તતી હોય, તો તેનાથી અનુષ્ઠાનની સમ્યક નિષ્પત્તિનાં પ્રતિબંધક કર્મો ક્ષયોપશમભાવને પામે છે; અને ક્ષયોપશમભાવને પામેલા અદષ્ટના સામર્થ્યને કારણે તે અનુષ્ઠાનની સમ્યગૂ નિષ્પત્તિમાં વિઘ્નનો અભાવ પ્રાપ્ત થાય છે, જે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. અહીં વિશેષ એ છે કે જીવને આત્મિક ભાવોમાં જવા માટે સદનુષ્ઠાન સહાયક છે, અને તે સદનુષ્ઠાનની પ્રવૃત્તિમાં વિજ્ઞઆપાદક જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મની પ્રકૃતિઓ છે, અને જે યોગીઓ શાસ્ત્રવચનાનુસાર અનુષ્ઠાનની નિષ્પત્તિ માટે યત્નાતિશય કરતા હોય, તેઓને જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મનો ક્ષયોપશમભાવ થાય છે; જે ક્ષયોપશમભાવવાળું અદૃષ્ટ અનુષ્ઠાનની સમ્યક નિષ્પત્તિમાં વિઘ્નના અભાવને કરે છે, અને જેઓ તે કર્મનો ક્ષયોપશમ કરી શકતા નથી, તેઓને તે કર્મ વિજ્ઞભૂત થઈને અનુષ્ઠાનની સમ્યકુ નિષ્પત્તિ થવા દેતું નથી. તેમાંથી કેટલાક જીવોનાં નિરુપક્રમ કર્મ હોય છે, તેથી તેઓ સ્વપરાક્રમ ફોરવે તોપણ નિરુપક્રમ કર્મ હોવાને કારણે સમ્યક પ્રયત્ન કરી શકતા નથી, તેથી વિજ્ઞભૂત કર્મો સદનુષ્ઠાનની નિષ્પત્તિમાં પ્રતિબંધક બને છે. વળી કેટલાક જીવોનાં તે કર્મો સોપક્રમ હોવા છતાં શીધ્ર તૂટે તેવાં નથી, તેથી આવા જીવોને ઉપદેશની સમ્યક સામગ્રી મળે તો ઉપદેશથી ઉલ્લસિત થયેલા વીર્યને કારણે તે કર્મોનો ક્ષયોપશમ કરી શકે છે; અને ઉપદેશની સામગ્રી ન મળે તો ક્ષયોપશમભાવ કરી શકતા નથી, તેથી સ્વઉદ્યમ દ્વારા પણ સદનુષ્ઠાનમાં સમ્યગૂ યત્ન થતો નથી. વળી કેટલાક જીવો સિદ્ધયોગી આદિ મહાપુરુષોના સાંનિધ્યના બળથી યત્ન કરે તો તે કર્મો ક્ષયોપશમભાવને પામે છે, અને તેઓના સાંનિધ્ય વગર ઉદ્યમ કરતા હોય તો સોપક્રમ પણ કર્મ પ્રબળ હોવાથી ક્ષયોપશમભાવને પામતું નથી. (૪) સમ્પામ :- સંપત્તિનું આગમન એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શાસ્ત્રવિધિ અનુસાર સદનુષ્ઠાન સેવવામાં આવે ત્યારે તે અનુષ્ઠાનના સેવનથી જીવમાં શુભ ભાવ થાય છે, અને તેના કારણે શીધ્ર પુણ્યનો વિપાક પ્રાપ્ત થાય છે, કે જેથી સદનુષ્ઠાન સેવનારને શારીરિક, સાંયોગિક અનેક પ્રકારની સંપત્તિનું આગમન થાય છે. માટે સંપત્તિનું આગમન એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. (૫) ઉના :- ઇષ્ટાદિ વિષયક જિજ્ઞાસા સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. જે યોગીઓ સદનુષ્ઠાનને સેવતા હોય તેવા યોગીઓને પણ ઉપર-ઉપરના સદનુષ્ઠાનના પરમાર્થને જાણવાની જિજ્ઞાસા હોય છે, જે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. આનાથી એ ફલિત થાય કે જે યોગી પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેમાં યત્નાતિશય કરતા હોય, આમ છતાં ઉપર ઉપરના અનુષ્ઠાનના વિષયમાં જાણવાની જિજ્ઞાસા નથી, અને પોતે જે સેવે છે તેમાં સંતોષવાળા છે, તેઓનું અનુષ્ઠાન સદનુષ્ઠાન નથી; કેમ કે અધિકની જિજ્ઞાસાના અભાવને કારણે તે અનુષ્ઠાન સાનુબંધ બનતું નથી. માટે જિજ્ઞાસા એ સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે. (૬) સેવા - ઇષ્ટાદિ સદનુષ્ઠાનના જાણનારાઓની સેવા સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. જેઓ સદનુષ્ઠાન સેવતા હોય તેઓને ઉપર ઉપરના સદનુષ્ઠાનની નિષ્પત્તિની બળવાન ઇચ્છા હોય છે, તેથી તે અનુષ્ઠાનની પ્રાપ્તિના ઉપાયને જાણવાની જિજ્ઞાસા પણ હોય છે, વળી તેના જાણનારાઓ પ્રત્યે બહુમાનભાવ હોય છે, અને તે બહુમાનભાવની અભિવ્યક્તિરૂપે તેઓની સેવા કરે છે. જેઓ પોતાને પ્રાપ્ત થયેલું અનુષ્ઠાન સેવતા હોય, આમ છતાં તેના અધિક જાણનારાઓ પ્રત્યે ભક્તિ નથી, અને તેઓની સેવા કરવાની વૃત્તિ નથી, તેઓનું સારી રીતે સેવાયેલું પણ અનુષ્ઠાન સાનુબંધ નહીં હોવાના કારણે પરમાર્થથી સદનુષ્ઠાન નથી. માટે સદનુષ્ઠાનના જાણનારાઓની સેવા એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. (૭) તદનુગ્રહ :- સદનુષ્ઠાનના જાણનારાઓનો અનુગ્રહ તે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. - જે યોગીઓ આદરપૂર્વક અનુષ્ઠાન સેવતા હોય, ઉપર ઉપરના અનુષ્ઠાનને જાણવાની જિજ્ઞાસાવાળા હોય, અને સદનુષ્ઠાનના જાણનારાઓ પ્રત્યે ભક્તિવાળા હોય, અને તેના કારણે સદનુષ્ઠાનને જાણનારાઓની સેવા કરતા હોય, તો Page #105 -------------------------------------------------------------------------- ________________ .. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૪-૨૫ તેવા પ્રકારની તેઓની પ્રવૃત્તિ જોઈને સદનુષ્ઠાન જાણનારાઓને પણ તે યોગી પ્રત્યે અનુગ્રહ કરવાનો પરિણામ થાય છે અર્થાત્ ‘હું આ યોગીને વિશેષ પ્રકારનાં અનુષ્ઠાન સેવવાનો ઉપાય બતાવું, જેથી આ યોગી પણ વિશેષ અનુષ્ઠાનને પ્રાપ્ત કરીને સંસારસાગરથી શીઘ્ર પારને પામે.' આવો ઇષ્ટાદિ સદનુષ્ઠાનના જાણનારાઓનો તે યોગી ઉપર અનુગ્રહ વર્તતો હોય છે. માટે સદનુષ્ઠાન જાણનારાઓનો અનુગ્રહ એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. સદનુષ્ઠાનનાં સાત વિશેષણો બતાવ્યાં, તે સર્વથી યુક્ત અનુષ્ઠાન અનુબંધપ્રધાન બને છે. માટે તેવા અનુષ્ઠાનને સદનુષ્ઠાન કહેલ છે. ૨૪॥ અવતરણિકા : શ્લોક-૨૩માં કહ્યું કે બુદ્ધિ આદિના ભેદોથી ઇષ્ટપૂર્ત કર્મો ચિત્રફળ આપે છે. તેથી શ્ર્લોક-૨૩માં અનુષ્ઠાનવિષયક બોધના બુદ્ધિ આદિ ત્રણ ભેદોનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણ પ્રકારના અનુષ્ઠાનવિષયક બોધથી થતા અનુષ્ઠાનના ફળભેદને બતાવે છે – શ્લોક ઃ भवाय बुद्धिपूर्वाणि विपाकविरसत्वतः । कर्माणि ज्ञानपूर्वाणि श्रुतशक्त्या च मुक्तये ।। २५ ।। અન્વયાર્થ: બુદ્ધિપૂર્વાળિ માં=િબુદ્ધિપૂર્વક કરાયેલાં કર્મો વિપાવિનસત્વતઃ=વિપાકથી અર્થાત્ ફળથી વિરસપણું હોવાને કારણે મવાવ=ભવને માટે છે–સંસારને માટે થાય છે, શ્રુતાવત્યા ઘ=અને શ્રુતશક્તિને કારણે જ્ઞાનપૂર્વાળિ=જ્ઞાનપૂર્વક કરાયેયાં કર્મો મુક્તયે=મુક્તિ માટે થાય છે. ।।રપા શ્લોકાર્થ : બુદ્ધિપૂર્વક કરાયેલાં કર્મો ફળથી વિરસપણું હોવાને કારણે ભવને માટે થાય છે, અને શ્રુતશક્તિને કારણે જ્ઞાનપૂર્વક કરાયેલાં કર્મો મુક્તિ માટે થાય છે. ।।૨૫।। Page #106 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૨૫ ટીકા : भवायेति-बुद्धिपूर्वाणि कर्माणि स्वकल्पनाप्राधान्याच्छास्त्रविवेकानादरात् विपाकस्य विरसत्वतो भवाय-संसाराय भवन्ति । तदुक्तं - "बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । સંસારનવાવ વિપવિરસત્વત:” | (યો... સ્નો-૧૨૪) ज्ञानपूर्वाणि च तानि तथाविवेकसम्पत्तिजनितया श्रुतशक्त्या अमृतशक्तिकल्पया मुक्तये=निःश्रेयसाय । यदुक्तं - "ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । શ્રુતસમાવેશવનુવકૃત્વત:” (યોz.સ. સ્નો-ર૧) પારકા ટીકાર્ય - વૃદ્ધિપૂર્વાણ .. પત્નત્વત:” | બુદ્ધિપૂર્વકનાં કર્મો વિપાકનું વિરસપણું હોવાને કારણે ફળનું વિરસપણું હોવાને કારણે, ભવને માટે= સંસારને માટે, થાય છે; કેમ કે શાસ્ત્રવિવેકનો અનાદર છે. શાસ્ત્રવિવેકનો અનાદર કેમ છે ? તેથી કહે છે – સ્વકલ્પતાનું પ્રાધાન્ય છે. તે કહેવાયું છે=શ્લોકના પૂર્વાર્ધમાં જે કહ્યું તે યોગદષ્ટિ સમુચ્ચય શ્લોક-૧૨૪માં કહેવાયું છે – “લોકમાં જીવોનાં સર્વ જ બુદ્ધિપૂર્વકનાં કર્મો વિપાકથી વિરસપણું હોવાને કારણે સંસાર ફળ આપનારાં જ છે.” અને તેવા પ્રકારના વિવેકની સંપત્તિથી જનિત એવી અમૃતશક્તિકલ્પ શ્રુતશક્તિથી=અતીન્દ્રિય પદાર્થોમાં માત્ર સર્વજ્ઞનું વચન પ્રમાણ છે. આવા પ્રકારના વિવેકની પ્રાપ્તિથી જનિત એવી મોહવિષના નાશ માટે અમૃતશક્તિ જેવી શ્રુતશક્તિથી, જ્ઞાનપૂર્વકનાં એવાં તેઓ કર્મોત્રક્રિયાઓ, મુક્તિ માટે છે=નિઃશ્રેયસ માટે છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૨પમાં કહેવાયું છે – Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨પ શ્રુતશક્તિનો સમાવેશ હોવાને કારણે જીવમાં પ્રગટ થયેલ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જન્ય જે શ્રુતજ્ઞાન, તેનાથી નિષ્પન્ન થયેલ જે સંવેગ, તે રૂપ શ્રુતશક્તિનો અનુષ્ઠાનમાં સમાવેશ હોવાને કારણે, અનુબંધફળપણું હોવાથી, કુલયોગીઓનાં જ્ઞાનપૂર્વકનાં તે જ=કર્મો જ=ક્રિયાઓ જ, મુક્તિનું અંગ છે.” iારપા ભાવાર્થ - બુદ્ધિ આદિ ત્રણ પ્રકારના બોધથી થતા અનુષ્ઠાનનું ફળ પ્રસ્તુત શ્લોકમાં અને આગળ શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રી બતાવે છે. બુદ્ધિપૂર્વકના અનુષ્ઠાનનું ફળ > સંસાર જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનનું ફળ ) પરંપરાએ મોક્ષ અસંમોહપૂર્વકના અનુષ્ઠાનનું ફળ શીધ્ર મોક્ષ (૧) બુદ્ધિપૂર્વકના અનુષ્ઠાનનું ફળ : જે જીવો ઇષ્ટકર્મ અને પૂર્તકર્મરૂપ અનુષ્ઠાનો સેવે છે, છતાં સ્વકલ્પનાનું પ્રધાનપણું હોવાને કારણે શાસ્ત્રના વિવેકને સ્વીકારતા નથી, તેઓનું અનુષ્ઠાન ફળથી અસાર છે. તેથી તે અનુષ્ઠાન સેવીને પણ તેઓ સંસારની પ્રાપ્તિ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈને ધર્મઅનુષ્ઠાન કરતા જોઈને પોતાને ધર્મઅનુષ્ઠાન કરવાની મતિ થઈ, આમ છતાં તે અનુષ્ઠાન પોતાની રુચિ પ્રમાણે કરવાની વૃત્તિ છે; પરંતુ શાસ્ત્રને અભિમુખ લેશ પણ ભાવ નથી, તેવા જીવોનું તે અનુષ્ઠાન તુચ્છ પુણ્ય બંધાવીને ફળથી સાંસારિક દેવાદિ ભવોની પ્રાપ્તિ કરાવે છે, અને અનુબંધથી સંસારના પરિભ્રમણનું કારણ છે. તેથી તે અનુષ્ઠાન આત્મકલ્યાણ માટે લેશ પણ ઉપયોગી નથી. (૨) જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનનું ફળ : જે જીવોનો મોહ કંઈક ઓછો થયો છે અને તેથી કંઈક વિવેક ઉત્પન્ન થયો છે, જેથી તેઓ વિચારે છે કે “અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, માટે અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી હોય તો સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ.” આવા પ્રકારના વિવેકને કારણે તેઓ શ્રુતનું અવલંબન લે છે, અને કૃતવચન મોહના વિષને ઉતારવા માટેની ઉચિત દિશા બતાવનાર Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૧ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ છે, તેથી અમૃતશક્તિવાળું છે; અને અમૃતશક્તિવાળી એવી શ્રુતશક્તિથી તેઓ અનુષ્ઠાન સેવે છે અર્થાત્ પોતાની ભૂમિકા પ્રમાણે રાગાદિ પ્રતિપક્ષનું ભાવન થાય તે પ્રમાણે અનુષ્ઠાનને કરવાનું શ્રુતવચન બતાવે છે, તે પ્રમાણે તેઓ અનુષ્ઠાન સેવે છે, તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે. ગરપા અવતરણિકા : ત્રણ પ્રકારના બોધથી થતા અનુષ્ઠાનના ફળને બતાવવા અર્થે શ્લોક૨પમાં બતાવ્યું કે બુદ્ધિપૂર્વકનાં કર્મો અનુષ્ઠાનો, સંસાર માટે છે, અને જ્ઞાનપૂર્વકતાં કર્મો મોક્ષ માટે છે. હવે અસંમોહપૂર્વક કરાયેલું અનુષ્ઠાન શું ફળ આપે છે? તે શ્લોકના પૂર્વાર્ધથી બતાવે છે – અહીં વિચારકને જિજ્ઞાસા થાય કે અન્ય દર્શનવાળાના આચારો અતિ સ્કૂલબોધવાળા હોય છે, વિશેષ પ્રકારના વિવેકથી વિકલ હોય છે; જ્યારે ભગવાનના શાસનના પરમાર્થને જાણનારા યોગીઓના આચારો સૂક્ષ્મ બોધવાળા હોય છે, વિશેષ પ્રકારના વિવેકથી યુક્ત હોય છે. તેથી અવ્યદર્શનના યોગીઓ અને જેનદર્શનના પરમાર્થને જાણનારા યોગીઓ એક સર્વજ્ઞની ઉપાસના કરે છે, તેમ કેમ કહેવાય ? તેનું સ્પષ્ટીકરણ શ્લોકના ઉત્તરાર્ધથી કરે છે – શ્લોક : असंमोहसमुत्थानि योगिनामाशु मुक्तये । भेदेऽपि तेषामेकोऽध्वा जलधौ तीरमार्गवत् ।।२६।। અન્વયાર્થ : નિયોગીઓનાં સંમોહસમુસ્થાનિક અસંમોહથી ઉત્પન્ન થયેલાં અનુષ્ઠાનો, માશુ શીધ્ર મુવત્ત=મોક્ષને માટે છે. તેષાં એડપિ તેઓનો ભેદ હોવા છતાં પણ=અત્યદર્શનવાળા યોગીઓ અને જૈનદર્શનના તત્ત્વને પામેલા યોગીઓનો ગુણસ્થાનકકૃત ભેદ હોવા છતાં પણ, નથી તીરમાવ= સમુદ્રમાં તીરમાર્ગની જેમ=સમુદ્રમાં રહેલાને તીરમાર્ગની જેમ ડલ્લા એક માર્ગ છે એક મોક્ષ તરફનો માર્ગ છે. ૨૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ શ્લોકાર્ય : યોગીઓનાં અસંમોહથી ઉત્પન્ન થયેલાં અનુષ્ઠાનો શીઘ મોક્ષ માટે છે. જેનદર્શનના અને અન્યદર્શનના યોગીઓનો ગુણસ્થાનકકૃત ભેદ હોવા છતાં પણ, સમુદ્રમાં રહેલાને તીરમાર્ગની જેમ એક માર્ગ છે. રજા જ ‘બેડપિ તેષાં' – અહીંપ' થી એ કહેવું છે કે જૈનદર્શનમાં અને અન્યદર્શનમાં રહેલા યોગીઓમાં ભેદ ન હોય તો તો એકમાર્ગમાં છે; પરંતુ જૈનદર્શનમાં રહેલા વિવેકસંપન્ન યોગીઓનો અન્યદર્શનના યોગીઓ કરતાં ઊંચી ભૂમિકાની પ્રાપ્તિરૂપ ભેદ હોવા છતાં પણ તે સર્વનો મોક્ષને અનુકુળ ઉપાસનાનો એક માર્ગ છે. ટીકા - असंमोहेति-असंमोहसमुत्थानि तु कर्माणि योगिनां भवातीतार्थयायिनां, आशु= शीघ्रं न पुनर्ज्ञानपूर्वकवदभ्युदयलाभव्यवधानेनापि मुक्तये भवन्ति । यथोक्तं - "असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । નિર્વાનિંદ્રાચાલુ ખવાતીતાર્થથનામ્ II (યો... નો-ર૬) प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । નવમો વિરત્તેિ ભવાતીતાર્થના ” I (.સ. -૧૨૬) ટીકાર્ચ : સંમોહસમુત્થાન ... તાર્થ ચિન:” | ભવથી અતીત માર્ગમાં જનારા યોગીઓનાં અસંમોહથી ઊઠેલાં કર્મો-ક્રિયાઓ, આશુ શીઘ, મુક્તિ માટે થાય છે, પરંતુ જ્ઞાનપૂર્વકની જેમ-જ્ઞાનપૂર્વકનાં કર્મોની જેમ, અભ્યદયના લાભના વ્યવધાનથી પણ નહીં=અભ્યદયની પ્રાપ્તિરૂપ વ્યવધાનથી પણ ફળ આપનાર નથી. જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે યોગદૃષ્ટિ સમુચ્ચય' શ્લોક-૧૨૬-૧૨૭માં કહેવાયું છે. એકાંત પરિશુદ્ધિ હોવાથી ભવથી અતીત માર્ગમાં જનારાઓનાં વળી અસંમોહથી ઊઠેલાં અનુષ્ઠાનો શીઘ્ર નિર્વાણ ફળને આપનારાં છે.” અહીં=સંસારમાં, જેઓનું ચિત્ત પ્રાકૃત ભાવોમાં નિરુત્સુક છે, ભવભોગથી વિરક્ત એવા તેઓ ભવથી અતીત એવા મોક્ષમાર્ગમાં જનારા છે.” (યો. સ. શ્લોક૧૨૬-૧૨૭). Page #110 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ જ ‘૩ષ્ણુવત્નામવ્યવસ્થાનેનાપ' – અહીં ‘મપિ' થી એ કહેવું છે કે વ્યવધાન વગર તો મોક્ષ માટે થાય છે, પરંતુ અભ્યદયના લાભના વ્યવધાનથી પણ મોક્ષ માટે થતાં નથી. ભાવાર્થ પૂર્વશ્લોક-૨પમાં બુદ્ધિપૂર્વકનાં અનુષ્ઠાન અને જ્ઞાનપૂર્વનાં અનુષ્ઠાન કેવા ફળવાળાં છે, તે બતાવ્યું. હવે અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કેવા ફળવાળું છે, તે બતાવે છે – (૩) અસંમોહપૂર્વકના અનુષ્ઠાનનું ફળ - જે યોગીઓ ભવથી અતીત માર્ગમાં જનારા છે અને અતીત માર્ગમાં જવાને અનુકૂળ સૂક્ષ્મ બોધપૂર્વક શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં ક્યાંય સંમોહ નથી, પરંતુ શાસ્ત્રના વચનથી નિયંત્રિત મનવચન-કાયાના યોગોની પ્રવૃત્તિ છે, તેવા યોગીઓનું અનુષ્ઠાન સદંતઃકરણપૂર્વક થાય છે, અને તે સદંતઃકરણપૂર્વક થયેલું અનુષ્ઠાન અસંમોહવાળું છે, અને આવું અસંમોહવાળું અનુષ્ઠાન શીધ્ર મોક્ષફળ આપે છે, પરંતુ જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનની જેમ અમ્યુદયની પ્રાપ્તિરૂપ ફળના વ્યવધાનવાળું નથી. આશય એ છે કે જે યોગીઓને શાસ્ત્રવચન પ્રત્યે રાગ છે, અને શાસ્ત્રવચનાનુસાર ક્રિયા કરવાનો બળવાન અભિલાષ પણ છે; પરંતુ શક્તિનો સંચય નહીં હોવાથી પરિપૂર્ણ શાસ્ત્રથી નિયંત્રિત અનુષ્ઠાન કરી શકતા નથી, તેઓના અનુષ્ઠાનમાં શાસ્ત્રથી વિપરીત પ્રવૃત્તિનું કારણ સંમોહનો પરિણામ છે. આમ છતાં તેઓમાં શાસ્ત્રવચન પ્રત્યેનો જે બળવાન રાગ છે, અને શાસ્ત્રવચનાનુસાર અનુષ્ઠાનમાં યત્ન કરવાનો જે તીવ્ર અભિલાષ છે, તે પ્રશસ્ત રાગરૂપ છે; અને તે અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને આવા પ્રશસ્ત રાગથી સેવાયેલું જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન પુણ્યના ફળની પ્રાપ્તિના વ્યવધાનપૂર્વક મોક્ષપ્રાપ્તિનું કારણ છે. તેથી જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન સાક્ષાત્ અભ્યદયની પ્રાપ્તિ કરાવે છે અને અભ્યદય દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે; જ્યારે અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન પ્રવૃત્તિકાળમાં સર્વજ્ઞના વચનથી પૂર્ણ નિયંત્રિત હોવાના કારણે સાક્ષાત્ રાગાદિના ઉચ્છેદમાં પ્રવૃત્ત છે. તેથી અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન શીધ્ર મોક્ષનું કારણ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬ અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કરનારા યોગીઓ આ ભવમાં યોગની સમાપ્તિ સુધીના અનુષ્ઠાનને સેવી શકે તો આ ભવમાં જ મોક્ષમાં જાય છે, અને તે અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કરતા હોવા છતાં યોગની સમાપ્તિ સુધીના અનુષ્ઠાનને આ ભવમાં સેવી ન શકે તો દેવાદિભવની પ્રાપ્તિ પણ કરે, અને ઉત્તરોત્તર અધિક-અધિક અનુષ્ઠાન સેવવાની શક્તિપૂર્વકના મનુષ્યભવને પામીને, ફરી અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કરીને, મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું કેટલાક ભવોનું વ્યવધાન પણ સંભવે; અને જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનને સેવનારા યોગીઓ તે અનુષ્ઠાનકાળમાં અભ્યુદયને અનુકૂળ કર્મો બાંધતા હોય છે, તેથી તે અનુષ્ઠાન વ્યવધાનથી મોક્ષફળવાળું છે; છતાં પાછળથી શક્તિનો પ્રકર્ષ થાય તો તે ભવમાં પણ મોક્ષમાં જઈ શકે, અને શક્તિનો પ્રકર્ષ ન થાય તો અધિક ભવોનું વ્યવધાન પણ થાય છે, પરંતુ અસંમોહપૂર્વકના અનુષ્ઠાનની જેમ શીઘ્ર મોક્ષફળની પ્રાપ્તિ થતી નથી. ઉત્થાન : ૯૪ ત્રણ પ્રકારના બોધથી થતાં અનુષ્ઠાનોના ફળનું નિરૂપણ શ્લોકના પૂર્વાર્ધથી પૂર્ણ થયું. હવે જૈનદર્શનમાં રહેલા યોગીઓ અને અન્યદર્શનમાં રહેલા યોગીઓ તરતમતાની ભૂમિકાવાળી યોગમાર્ગની સાધના કરતા હોય, છતાં એક મોક્ષમાર્ગમાં છે, તે બતાવવા અર્થે કહે છે — ટીકા ઃ भेदेऽपि गुणस्थानपरिणतितारतम्येऽपि तेषां योगिनामेकोऽध्वा = एक एव मार्गः, जलधौ= समुद्रे तीरमार्गवत् दूरासन्नादिभेदेऽपि तत्त्वतस्तदैक्यात्, प्राप्यस्य मोक्षस्य सदाशिवपरब्रह्मसिद्धात्मतथातादिशब्दैर्वाच्यस्य शाश्वतशिवयोगातिशयितसद्भावालम्बनबृंहत्त्वबृंहकत्वनिष्ठितार्थत्वाकालतथाभावाद्यर्थाभेदेनैकत्वात्तन्मार्गस्यापि तथात्वात् । तदुक्तं - " एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।। संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्भयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।। Page #112 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૬ सदाशिव: परंब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ।। तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः || ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वत । પ્રેક્ષાવતાંન તમો વિવાર ઉપપદ્યતે” ।।(યો.ટ્ટ.સ. શ્ર્લો-૨૨૮ સેરૂ૨) ।।૨૬।। ટીકાર્ય ઃ भेदेऽपि તત્ત્વતસ્તવૈવવાત, તે યોગીઓનો ભેદ હોવા છતાં પણ= ગુણસ્થાનકની પરિણતિના તારતમ્યનો ભેદ હોવા છતાં પણ, એક જ અર્ધી છે=એક જ મોક્ષમાર્ગ છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે ૫ જલધિમાં=સમુદ્રમાં, રહેલાઓ માટે તીરમાર્ગની જેમ, દૂરાસન્નાદિ ભેદ હોવા છતાં પણ=યોગમાર્ગમાં રહેલા યોગીઓમાં પરસ્પર દૂર-આસન્નાદિ ભેદ હોવા છતાં પણ, તત્ત્વથી=પરમાર્થથી, તેવું એક્યપણું હોવાથી=મોક્ષમાર્ગનું એક્યુપણું હોવાથી=રાગાદિના પ્રતિપક્ષભાવના ગમતરૂપ મોક્ષમાર્ગનું ઐક્યપણું હોવાથી, તે સર્વ યોગીઓનો એક મોક્ષમાર્ગ છે, એ પ્રમાણે અન્વય છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે અન્ય દર્શનવાળા યોગીઓ જુદા જુદા પ્રકારના દેવોની ઉપાસના કરે છે અને જુદા જુદા પ્રકારના આચારોને પાળે છે, તેથી જૈનદર્શનના યોગીઓની સાથે અન્ય દર્શનવાળા યોગીઓનું એક મોક્ષમાર્ગના સેવનરૂપ ઐક્ય કઈ રીતે પ્રાપ્ત થાય ? તેમાં હેતુ બતાવે છે - ટીકાર્ય : प्राप्यस्य मोक्षस्य વિવાર ૩પપદ્યતે” ।। સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દથી વાચ્ય, પ્રાપ્યસ્ત=સાધનાથી પ્રાપ્ય એવા મોક્ષનું શાશ્વત શિવયોગ, અતિશયિત એવા સદ્ભાવના આલંબનરૂપ બૃહત્ત્વબૃહકત્વ, તિષ્ઠિતાર્થત્વ, આકાલતથાભાવાદિરૂપ અર્થનો અભેદ હોવાના ..... Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ કારણે એકપણું હોવાથી સાધ્ય એવા મોક્ષનું એકપણું હોવાથી, તન્માર્ગનું પણ=પ્રાપ્ય એવા મોક્ષમાર્ગનું પણ, તથાપણું છે=પ્રાપ્ય એવા યોગમાર્ગને અનુરૂપ આચરણરૂપપણું છે. તે કહેવાયું છે શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહ્યું તે “યોગદષ્ટિસમુચ્ચય શ્લોક-૧૨૮ થી ૧૩૨માં કહેવાયું છે – “અવસ્થાવિશેષનો ભેદ હોવા છતાં પણ સમુદ્રમાં કિનારાના માર્ગની જેમ તેઓનો=ભવાતીતમાર્ગમાં જનારાઓનો, શમપરાયણ માર્ગ પણ તુ એક જ છે=લક્ષ્ય તો એક છે, માર્ગ પણ એક છે.” (યો.દ.સ. શ્લોક-૧૨૮) “સંસારથી અતીત તત્ત્વ વળી પ્રધાન-નિર્વાણ-સંજ્ઞાવાનું છે. શબ્દનો ભેદ હોવા છતાં પણ=સંસારથી અતીત તત્વને કહેનારા ભિન્ન ભિન્ન દર્શનોના શબ્દોનો ભેદ હોવા છતાં પણ, પરમાર્થથી નક્કી તેઅતીત તત્ત્વ, એક જ છે.” (યો.દ.સ. શ્લોક-૧૨૯) સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા વમમિ: શ =એ વગેરે શબ્દો વડે, અવર્થથી=વ્યુત્પત્તિ અર્થના અનુસરણથી, નિર્વાણ એક જ કહેવાય છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૦) “તેના લક્ષણનો અવિસંવાદ હોવાથી–નિર્વાણના સ્વરૂપનો અવિસંવાદ હોવાથી (સદાશિવ આદિ શબ્દોથી વાચ્ય એવું નિર્વાણ એક છે. એમ પૂર્વશ્લોક સાથે અન્વય છે.) જે કારણથી જન્માદિનો અયોગ હોવાથી સંસારથી અતીત તત્વ બાધારહિત, રોગરહિત અને ક્રિયારહિત છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૧) “પરમાર્થથી અસંમોહ વડે આ નિર્વાણ તત્ત્વ જણાયે છતે વિચારકોને તેની ભક્તિ માટે નિર્વાણ તત્વની ઉપાસનામાં, વિવાદ ઉત્પન્ન થતો નથી.” (યો. સ. શ્લોક-૧૩૨) ૨૬ ભાવાર્થ : સર્વના ઉપાસ્ય એવા સર્વજ્ઞનો અભેદ સ્વીકારીએ તો યોગશાસ્ત્રોમાં બતાવાયેલ દેવવિષયક ચિત્ર-અચિત્રના વિભાગથી ભક્તિનું વર્ણન પણ ઘટે છે, એમ શ્લોક-૧૯માં કહ્યું. તેથી એ ફલિત થયું કે સર્વદર્શનમાં રહેલા યોગીઓ સર્વજ્ઞની અચિત્ર ભક્તિ કરે છે, અને તેની જ પુષ્ટિ માટે ત્યારપછીના શ્લોકોમાં સિદ્ધ Page #114 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ૯૭ કર્યું કે ઇષ્ટાપૂર્ત કર્મો જેમ ચિત્ર અભિસંધિથી ભિન્નભિન્ન ફળો આપે છે, તેમ બુદ્ધિ આદિના ભેદથી પણ ભિન્નભિન્ન ફળો આપે છે. ત્યારપછી બુદ્ધિ આદિના ભેદથી અનુષ્ઠાન જુદું ફળ કઈ રીતે આપે છે, તે બતાવી તેનું સમર્થન કર્યું. હવે સર્વદર્શનોના ઉપાસકોની અચિત્ર ભક્તિ કઈ રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહીં, કેમ કે સર્વદર્શનકારો જુદા જુદા ઉપાસ્યને માને છે, અને સર્વદર્શનકારોના આચારો પણ અત્યંત જુદા જુદા પ્રકારના છે. તેથી સર્વદર્શનકારો એક યોગમાર્ગને સેવે છે, તેમ કહી શકાય નહીં, એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે - અન્ય દર્શનકારોને સ્કૂલબોધ છે, અને યોગમાર્ગના સ્થૂલ આચારોનું સેવન છે. તેથી ગુણસ્થાનકની પરિણતિની અપેક્ષાએ મોક્ષમાર્ગમાં હોવા છતાં દૂરવર્તી છે, જ્યારે જૈનદર્શનના તત્ત્વને પામેલા અને યોગમાર્ગને સેવનારા યોગીઓ ગુણસ્થાનકની પરિણતિથી અન્ય દર્શનના યોગીઓ કરતાં ઉપરની ભૂમિકામાં છે. તેથી અન્યદર્શનના યોગીઓ અને જૈનદર્શનના પરમાર્થને જાણનારા યોગીઓમાં ગુણસ્થાનકની પરિણતિની અપેક્ષાએ તરતમતા હોવા છતાં પણ અન્યદર્શનના યોગીઓ અને જૈનદર્શનના યોગીઓ એક મોક્ષમાર્ગને સેવનારા છે. આ વાતના સમર્થનમાં દૃષ્ટાંત આપે છે -- જેમ સમુદ્રમાં તીરથી કિનારાથી, ઘણા દૂર રહેલા જીવો, અને તીરથી બહુ દૂર નહીં રહેલા જીવો, તે સર્વનો તીર તરફનો માર્ગ એક છે, ફક્ત તીર તરફના માર્ગમાં તે સર્વ કોઈક તીરથી દૂર રહેલા છે, તો કોઈક તીરથી નજીક રહેલાં છે. તેમ મોક્ષમાર્ગમાં પણ કેટલાક યોગીઓ દૂરની ભૂમિકામાં છે, તો કેટલાક યોગીઓ નજીકની ભૂમિકામાં છે, તોપણ તે સર્વનો મોક્ષમાર્ગ એક છે; કેમ કે સ્કૂલબોધવાના યોગીઓ પણ સ્થૂલથી યોગમાર્ગનું સેવન કરીને રાગાદિના પ્રતિપક્ષભાવોને પ્રગટ કરે છે, અને તત્ત્વને જાણનારા યોગીઓ પણ ઉત્તમ આચારોને પાળીને સ્વભૂમિકાથી ઉપરની ભૂમિકામાં જવા માટે રાગાદિના પ્રતિપક્ષનું ભાવન કરે છે. તેથી અન્યદર્શનવાળા યોગીઓ જે કંઈ યોગમાર્ગનું સેવન કરે છે તે યોગમાર્ગનું સેવન મોક્ષમાર્ગને અભિમુખ એવા યોગમાર્ગના સેવનરૂપ છે, અને તત્ત્વને પામેલા જૈનદર્શનના યોગીઓ જે યોગમાર્ગનું સેવન કરે છે, તે યોગમાર્ગનું સેવન મોક્ષમાર્ગના સેવનરૂપ છે, એટલો ભેદ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૨૬ પૂર્વમાં કહ્યું કે યોગમાર્ગને સેવનારા સર્વદર્શનકારો એક મોક્ષમાર્ગ ઉપર છે. હવે તેઓ મોક્ષને જુદા જુદા શબ્દથી કહે છે, તો તે કઈ રીતે સંગત થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -- કેટલાક દર્શનકારો મોક્ષને “સદાશિવ’ શબ્દથી કહે છે, તો કેટલાક દર્શનકારો મોક્ષને “પરંબ્રહ્મ' શબ્દથી કહે છે, કેટલાક દર્શનકારો મોક્ષને “સિદ્ધાત્મા’ શબ્દથી કહે છે, તો કેટલાક દર્શનકારો મોક્ષને ‘તથાતા' શબ્દથી કહે છે, પરંતુ તે સર્વ શબ્દોથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી. તે આ પ્રમાણે – (૧) સદાશિવ :- સદાશિવ એટલે શાશ્વત શિવનો યોગ અર્થાત્ શાશ્વત સુખનો યોગ. મોક્ષ પરમાર્થથી શાશ્વત સુખના યોગરૂપ છે. તેથી “સદાશિવ' શબ્દથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી. (૨) પરબ્રહ્મ :- પરંબ્રહ્મ એટલે અતિશયિત સદ્ભાવના આલંબનરૂપ બૃહત્ત્વ= સૌથી શ્રેષ્ઠ અવસ્થા, અને બૃહકત્વ=અન્યને શ્રેષ્ઠ અવસ્થાની પ્રાપ્તિ કરાવવામાં પ્રેરક, આવો મોક્ષ છે, અર્થાત્ આત્માની સૌથી શ્રેષ્ઠ અવસ્થા છે, તેથી બૃહત્ત્વરૂપ છે; અને જે જીવોને મોક્ષ પ્રાપ્તિ કરવી છે, તે જીવો માટે અતિશયિત સદ્ભાવનું આલંબન છે, તેથી બૃહત્વરૂપ છે. આ સ્વરૂપ સર્વ સિદ્ધના જીવોમાં હોવાથી પરંબ્રહ્મ' શબ્દથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી. (૩) સિદ્ધાત્મા :- સિદ્ધાત્મા એટલે નિષ્ક્રિતાર્થવાળા અર્થાત્ કરવા યોગ્ય સર્વ કાર્યો સાધી લીધાં છે, તેથી હવે કોઈ કાર્ય કરવાનું જેઓને બાકી નથી, તે સિદ્ધાત્મા. મોક્ષનું સ્વરૂપ આવે છે. તેથી ‘સિદ્ધાત્મા’ શબ્દથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી. (૪) તથાતા :- તથાતા એટલે આકાળ તથાભાવ અર્થાત્ સદા માટે સમાન ભાવ. મોક્ષ સદા માટે સમાન ભાવરૂપ છે. તેથી ‘તથાતા' શબ્દથી વાચ્યા મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી. આ રીતે જુદા જુદા શબ્દોથી પણ ઉપસ્થિત થતા અર્થનો અભેદ હોવાને કારણે સર્વ યોગીઓનું પ્રાપ્ય મોક્ષ એક છે, તેથી તેની પ્રાપ્તિના માર્ગનું પણ એકપણું છે; કેમ કે જો લક્ષ્ય એક હોય તો લક્ષ્યનો ઉપાય પણ લક્ષ્યને અનુરૂપ Page #116 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬-૨૭ એક હોઈ શકે; પરંતુ લક્ષ્યથી વિપરીત હોઈ શકે નહીં. તેથી સર્વ દર્શનકારો યોગમાર્ગનું સેવન કરીને મોક્ષની પ્રાપ્તિના ઉપાયરૂપે રાગ-દ્વેષ અને મોહનું ઉન્મૂલન થાય તે રીતે અનુષ્ઠાન કરવાનું સ્વીકારે છે, પરંતુ રાગાદિની વૃદ્ધિ થાય તે રીતે અનુષ્ઠાન કરવાનું કોઈ દર્શનકારો સ્વીકારતા નથી. તેથી સર્વનો મોક્ષમાર્ગ પણ એક છે. II૨૬ા અવતરણિકા : શ્લોક-૧૩માં કહેલ કે અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો અવકાશ છે, તેથી અતીન્દ્રિય પદાર્થોને સ્વમતિ પ્રમાણે જોડવા જોઈએ નહીં. ત્યારપછી શ્લોક-૧૪ની અવતરણિકામાં શંકા કરી કે સર્વ દર્શનકારોનાં શાસ્ત્રો જુદાં છે, તેથી શાસ્ત્રની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે ? તેનો ખુલાસો શ્લોક-૧૪માં કર્યો કે તત્ત્વથી સર્વદર્શનકારોનાં શાસ્ત્રોનો ભેદ નથી; કેમ કે સર્વદર્શનકારોના શાસ્તાઓનો અભેદ છે, અને સર્વદર્શનકારોના શાસ્તાઓનો અભેદ કેમ છે ? તેની પુષ્ટિ શ્લોક-૧૫ થી ૨૬ સુધી કરી. હવે તેનું નિગમન કરતાં કહે છે શ્લોક : - तस्मादचित्रभक्त्याप्याः सर्वज्ञा न भिदामिताः । चित्रा गीर्भववैद्यानां तेषां शिष्यानुगुण्यतः ।। २७ ।। અન્વયાર્થઃ તસ્માત્—તે કારણથી=સર્વ યોગીઓ એક મોક્ષમાર્ગગામી છે તે કારણથી, અચિત્રમસ્યા અચિત્ર ભક્તિથી આપ્યાઃપ્રાપ્ય સર્વજ્ઞા-સર્વજ્ઞો ન મિમિતાઃ= જુદા નથી, મવવેદ્યાનાં તેષાં=ભવવેધ એવા તેઓની=કપિલાદિની, ચિત્રા ની:=ચિત્ર દેશના શિષ્યાનુનુન્વત:-શિષ્યના અભિપ્રાયના અનુરોધથી છે. ।।૨૭।। ટીકા : तस्मादिति तस्मात् = सर्वेषां योगिनामेकमार्गगामित्वात्, अचित्रभक्त्या= રૂપા મત્સ્યા, આપ્યા:=પ્રાપ્યા: સર્વજ્ઞા:, 7 મિમિતા=ન મેવું પ્રાપ્તા:, તવ્રુત્ત - - ככ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭ "सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । આસન્નોડયમૃનુર્માńસ્તમેવસ્તર્યં મવેત્” ।। (યો.ટ્ટ.સ. શ્ર્લો-રૂરૂ) ટીકાર્ય ઃ તસ્માત્ ..... મવેત્” ।। તે કારણથી=સર્વ યોગીઓનું એક માર્ગગામીપણું હોવાથી, અચિત્ર ભક્તિથી-એકરૂપ ભક્તિથી, આપ્યાઃ=પ્રાપ્ય એવા સર્વજ્ઞો ન બિવામિતાઃ-ભેદ પામેલા નથી=સર્વની ભક્તિથી પ્રાપ્ય એવા સર્વજ્ઞ એક છે. તે કહેવાયું છે=સર્વ યોગીઓ એકમાર્ગગામી છે, તેથી સર્વના ઉપાસ્ય સર્વજ્ઞનો ભેદ નથી, તે યોગદૃષ્ટિસમુચ્ચય શ્લોક-૧૩૩માં કહેવાયું છે “==અને તર્=આનિર્વાણ નામનું અધિકૃત તત્ત્વ નિયમાત્ નિયમથી સર્વજ્ઞપૂર્વ સ્થિતમ્=સર્વજ્ઞપૂર્વક રહેલું છે, (અને) ઞયમ્ ૠનુમામાં=આ ઋજુમાર્ગ ગ્રાસન્ન!=નજીક છે=નિર્વાણની નજીક છે, ત–તે કારણથી તમેવ=તેનો ભેદ=સર્વજ્ઞનો ભેદ થં મવે=કેવી રીતે થાય ? અર્થાત્ સર્વજ્ઞનો ભેદ ન થાય.” (યો.દ.સ. શ્લોક-૧૩૩) ભાવાર્થ : ---- સર્વ દર્શનકારોના ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં અભેદ : શ્લોક-૧૩માં સ્થાપન કરેલ કે અતીન્દ્રિય પદાર્થમાં શાસ્ત્રનો અવકાશ છે, સ્વમતિકલ્પનાનો નહીં. ત્યાં શંકા થઈ કે સર્વદર્શનકારોનાં શાસ્ત્રો જુદાં જુદાં છે, અને પરસ્પર એકબીજાથી અન્ય દિશામાં જાય છે. તેથી શાસ્ત્રની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે ? તેનો ખુલાસો શ્લોક-૧૪માં કર્યો કે ધર્મવાદની અપેક્ષાએ સર્વદર્શનકારોના શાસ્ત્રોના તાત્પર્યને ગ્રહણ કરવામાં આવે તો શાસ્ત્રોનો ભેદ નથી; કેમ કે ધર્મવાદને કહેનારાં સર્વદર્શનોમાં રહેલા વચનો સર્વજ્ઞથી કહેવાયેલાં છે. તેથી તે તે દર્શનના પ્રણેતાનો વ્યક્તિથી ભેદ હોય તોપણ તે તે ધર્મવાદના પ્રણેતામાં સર્વજ્ઞત્વરૂપે પરસ્પર ભેદ નથી. જેમ ઋષભદેવ અને વીર ભગવાન વ્યક્તિથી જુદા છે, તોપણ એક યોગમાર્ગને બતાવનારા છે, તેથી તેઓનો અભેદ છે. આમ છતાં ધર્મવાદને કહેનારા એવા સર્વદર્શનકારોના શાસ્તાઓનો ભેદ જેઓ ગ્રહણ કરે છે, તે તેમનો મોહ છે. તેથી એ ફલિત થયું કે યોગમાર્ગને કહેનારા શાસ્તા એક સર્વજ્ઞ છે, અને તે સર્વજ્ઞએ બતાવેલ યોગમાર્ગ સર્વદર્શનકારોનાં શાસ્ત્રોમાં છે. માટે ધર્મવાદને Page #118 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૧૦૧ આશ્રયીને અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય શાસ્ત્રના વચનથી થઈ શકે, સ્વમતિકલ્પનાથી નહીં. ત્યારપછી શ્લોક-૧૫ થી ૨૦ સુધી યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વદર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક છે, માટે તે સર્વના એક શાસ્તા છે. તેથી “અચિત્ર ભક્તિથી ઉપાસ્ય એવા સર્વજ્ઞનો પરસ્પર ભેદ નથી' એમ જે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું, તેનાથી એ કહેવું છે કે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય સ્વમતિ પ્રમાણે થઈ શકે નહીં, પરંતુ શાસ્ત્રવચનથી થઈ શકે; અને સર્વનાં શાસ્ત્રો એક છે, માટે શાસ્ત્રમાં કોઈ વિવાદ નથી. ટીકા - कथं तर्हि देशनाभेदः ? इत्यत आह-तेषां सर्वज्ञानां भववैद्यानां संसाररोगभिषग्वराणां, चित्रा नानाप्रकारा गी:, शिष्यानुगुण्यतः विनेयाभिप्रायानुरोधात्, यथा वैद्या बालादीन् प्रति नैकमोषधमुपदिशन्ति, किं तु यथायोग्यं विचित्रं, तथा कपिलादीनामपि कालान्तरापायभीरून शिष्यानधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना देशना, सुगतादीनां तु भोगास्थावतोऽधिकृत्योपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना देशनेति, न तु तेऽन्वयव्यतिरेकवस्तुवेदिनो न भवन्ति, सर्वज्ञत्वानुપપ: – “વિત્ર તુ રેશનેતેષાં સ્વાદિયાનુપુષ્યત: | યસ્માતે મહાત્માનો આવવ્યfમવર:” (યો. સ. નો-રૂ૪) પારકા ટીકાર્ચ - વર્ષ તર્દિ... ઉમષવર:” મા તો દેશનાભેદ કેમ છે?=જો સર્વદર્શનકારોના શાખા એક હોય તો તેઓની દેશનાનો ભેદ કેમ છે ? એથી કહે છે – ભવવૈદ્ય-સંસાર રોગને મટાડનારા વૈદ્ય એવા સર્વજ્ઞોની જુદા જુદા પ્રકારની વાણી શિષ્યના અનુગુણથી છે=વિવેયના અભિપ્રાયના અનુરોધથી છે. જે પ્રમાણે વૈદ્યો બાલાદિને આશ્રયીને એક ઔષધ આપતા નથી, પરંતુ યથાયોગ્ય જુદું આપે છે, તે પ્રમાણે કપિલ આદિતી પણ કાલાન્તર અપાયના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ભીરુ એવા શિષ્યોને આશ્રયીને ઉપસર્જન કરાયેલ-ગૌણ કરાયેલ, પર્યાયવાળી દ્રવ્યપ્રધાન દેશના છે. વળી સુગાદિની ભોગઆસ્થાવાળા એવા જીવોને આશ્રયીને ઉપસર્જન કરાયેલ ગૌણ કરાયેલ, દ્રવ્યવાળી પર્યાયપ્રધાન દેશના છે. ત્તિ શબ્દ “યથા'થી કરાયેલા કથનની સમાપ્તિ માટે છે. અહીં પ્રશ્ન થાય કે કપિલાદિની દ્રવ્યપ્રધાન દેશના છે અને સુગાદિની પર્યાયપ્રધાન દેશના છે, એવું કેવી રીતે નક્કી થાય ? અર્થાત્ કપિલાદિએ એકાંત નિત્યદેશના નથી આપી, અને સુગાદિએ એકાંત અનિત્ય દેશના નથી આપી, પરંતુ ગૌણ-પ્રધાન ભાવથી દેશના આપી છે, તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – તેઓઃકપિલ, સુગતાદિ, અન્વય-વ્યતિરેક વસ્તુના જાણનારા નથી એમ નહીં, કેમ કે સર્વજ્ઞપણાતી અનુપપત્તિ છે=જો કપિલાદિ અવય-વ્યતિરેકી વસ્તુ જાણનારા હોય તો તેઓમાં સર્વજ્ઞપણાની અસંગતિ છે. તે કહેવાયું છે-શિષ્યના અભિપ્રાયને અનુસાર કપિલાદિતી ચિત્રદેશના છે, તે “યોગદષ્ટિસમુચ્ચય' શ્લોક-૧૩૪માં કહેવાયું છે – “તેષ કપિલ, સુગાદિની, જુદા જુદા પ્રકારની દેશના વળી શિષ્યોના અનુરૂપપણાથી છે, જે કારણથી આ મહાત્માઓ=સર્વજ્ઞ મહાત્માઓ, ભવરૂપ વ્યાધિને નાશ કરવામાં શ્રેષ્ઠ વૈદ્યો છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૪) ૨૭. ભાવાર્થસર્વજ્ઞનો ભેદ નહીં હોવા છતાં સર્વજ્ઞ એવા કપિલાદિની અને સર્વ એવા બુદ્ધાદિની દેશનાભેદની પ્રાપ્તિનું કારણ: પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વદર્શનકારોના ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી. ત્યાં પ્રશ્ન થાય કે જો સર્વદર્શનના પ્રણેતા એક હોય તો કેટલાક પ્રણેતાઓએ નિત્યવાદની દેશના આપી, તો કેટલાક પ્રણેતાઓએ ક્ષણિકવાદની દેશના આપી. આ રીતે દેશનાનો ભેદ કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – Page #120 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭ ૧૦૩ યોગમાર્ગને બતાવનારા કપિલાદિ સર્વજ્ઞો સંસારરોગને મટાડવા માટે શ્રેષ્ઠ વૈદ્યો છે. તેથી તેમની સન્મુખ જેવા શિષ્યો હતા, તેમને સામે રાખીને દેશના આપી છે. તેથી કપિલાદિ વૈદ્યોએ કાલાંતર અપાયભીરુ=‘આયુષ્યની સમાપ્તિ પછી મારું અસ્તિત્વ નથી' એ પ્રકારે માનનારા, એવા શિષ્યોને આશ્રયીને દ્રવ્યપ્રધાન દેશના આપી, જેથી તેઓને સ્થિર આસ્થા થાય કે ‘મારો આત્મા શાશ્વત છે, તેથી નિત્ય એવા મારા આત્માના હિત અર્થે મારે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ' અને કેટલાક જીવો ભોગની આસ્થાવાળા હતા, તેઓને ભોગની આસ્થા છોડાવવા માટે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને મુખ્ય કરીને ક્ષણિકવાદ સુગતાદિ મહાત્માઓએ બતાવ્યો, જેથી ભોગની આસ્થા છોડીને યોગમાર્ગમાં તેવા જીવોની પ્રવૃત્તિ થાય. તેથી કપિલાદિની કે સુગતાદિની દેશનાનો ભેદ નથી; પરંતુ શિષ્યોના અભિપ્રાયને સામે રાખીને ગૌણમુખ્યભાવથી જુદી જુદી દેશના દેખાય છે. વસ્તુતઃ તે દેશના જીવોને સંસારથી વિમુખ કરીને યોગમાર્ગની પ્રવૃત્તિનું કારણ છે, તેથી સંસારવ્યાધિને મટાડવા માટેના ઔષધ જેવી છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે કપિલાદિએ એકાંત નિત્યદેશના અને સુગતાદિએ એકાંત ક્ષણિકવાદ સ્થાપન કર્યો છે, તેમ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે - તેઓ સર્વજ્ઞ હોય તો અવશ્ય અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણે, અને જો કપિલ-સુગતાદિ અન્વયવ્યતિરેકી વસ્તુને ન જાણતા હોય તો તેઓ સર્વજ્ઞ છે, તેમ સિદ્ધ થાય નહીં; અને સર્વ દર્શનકારો પોતાના મતના સ્થાપકને સર્વજ્ઞ સ્વીકારે છે, અને સર્વજ્ઞ સ્વીકારીને તેમની ઉપાસના કરે છે. તેથી અર્થથી સિદ્ધ થાય છે કે તેઓ અન્વયવ્યતિરેકી વસ્તુને જાણે છે, અને પદાર્થ દ્રવ્યરૂપે અન્વયી છે અને પર્યાયરૂપે વ્યતિરેકી છે, અને તેથી અન્વય-વ્યતિરેકને જાણનારા સર્વજ્ઞ એવા કપિલાદિ મહાત્માઓએ જીવોના ઉપકારને સામે રાખીને જુદી જુદી દેશના આપી છે તેમ સ્વીકારીએ તો કોઈ વિરોધ નથી. તેથી સર્વદર્શનકારોના પ્રણેતા સર્વજ્ઞ છે, તેમ સિદ્ધ થઈ શકે છે, અને તેમનો બતાવેલ યોગમાર્ગ સેવીને જીવો આત્મહિત કરી શકે છે. માટે અતીન્દ્રિય પદાર્થમાં આગમના વચનનું અનુસરણ કરવું જોઈએ, એ પ્રકારનું પ્રસ્તુત શ્લોકનું શ્લોક-૧૩ સાથે જોડાણ છે. II૨૭ના Page #121 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭-૨૮ અવતરણિકા : પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વદર્શનકારોના પ્રણેતા એક સર્વજ્ઞ છે. ત્યાં પ્રશ્ન થાય કે દરેક દર્શનકારનાં શાસ્ત્રો પરસ્પર વિરોધી છે, તેથી તેમના પ્રણેતા એક સર્વજ્ઞ કઈ રીતે થઈ શકે ? તેનું સમાધાન ત્રણ રીતે કરે છે ૧૦૪ (૧) શ્લોક-૨૭માં બતાવ્યું કે યોગમાર્ગને સેવનારી વ્યક્તિઓ તેમના પ્રણેતાઓને કોઈ કપિલ કહે છે તો કોઈ બુદ્ધ કહે છે. વસ્તુતઃ આ યોગમાર્ગને બતાવનારા કપિલ શબ્દથી વાચ્ય કે બુદ્ધ શબ્દથી વાચ્ય સર્વજ્ઞ છે, અથવા (૨) શ્લોક-૨૮માં બતાવે છે કે આ કપિલાદિ શબ્દોથી વાચ્ય તીર્થંકરો છે, અથવા (૩) શ્લોક-૨૯માં બતાવ્યા પ્રમાણે આ કપિલ શબ્દથી વાચ્ય કે બુદ્ધ શબ્દથી વાચ્ય તીર્થંકરના વચનને અનુસરનારા ઋષિઓ છે. આ ત્રણ વિકલ્પો સંભવી શકે છે. તેમાં પ્રથમ વિકલ્પ સ્વીકારીને શ્લોક-૨૭માં કહ્યું કે સર્વજ્ઞ એવા કપિલાદિએ દ્રવ્યાસ્તિકપ્રધાન દેશના આપી છે અને બુદ્ધ આદિએ પર્યાયાસ્તિકપ્રધાન દેશના આપી છે. વળી સર્વજ્ઞ હંમેશાં પૂર્ણ વસ્તુને જાણનારા હોય છે, આમ છતાં શ્રોતાઓને જે રીતે ઉપકાર થાય તે રીતે ઉપદેશ આપતા હોય છે. તેથી કપિલ શબ્દથી કે બુદ્ધ શબ્દથી વાચ્ય કોઈક સર્વજ્ઞ પુરુષે લોકોના ઉપકારને સામે રાખીને યોગમાર્ગને બતાવનાર દ્રવ્યાસ્તિકપ્રધાન દેશના કે પર્યાયાસ્તિકપ્રધાન દેશના આપી છે. માટે કપિલ અને સુગતાદિની દેશનામાં પરમાર્થથી કોઈ ભેદ નથી. હવે શ્લોક-૨૮માં કપિલાદિ સર્વજ્ઞએ ચિત્રદેશના કેમ આપી છે ? તેનો ખુલાસો શ્લોકના પૂર્વાર્ધથી કરે છે, અને કપિલાદિ સર્વજ્ઞ છે, એ પ્રકારનો ખુલાસો કર્યા પછી શ્લોકના ઉત્તરાર્ધથી, કપિલાદિ શબ્દથી વાચ્ય તીર્થંકરો છે, અને તેમનાથી ચિત્રદેશના શ્રોતાઓને કેમ પ્રાપ્ત થઈ ? તે બતાવે છે - શ્લોક - तयैव बीजाधानादेर्यथाभव्यमुपक्रिया । अचिन्त्यपुण्यसामर्थ्यादेकस्या वापि भेदतः (वा विभेदतः) ।। २८ ।। Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/બ્લોક-૨૮ અન્વયાર્થ: તળેવ તેના વડે જ ચિત્રદેશના વડે જ=સર્વજ્ઞ વડે અપાયેલ ચિત્રદેશના વડે જ=વિવિધ પ્રકારની દેશના વડે જ, વીનાના =બીજાધાનાદિથી રથમવ્ય—ભવ્યસદેશ ૩ય ઉપકાર થાય છે, તે કારણે શિષ્યના અનુગુણ્યથી સર્વજ્ઞોએ ચિત્રદેશના આપી છે, તેમ શ્લોક-૨૭ના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે. વા=અથવા, પસ્યા એક એવી તીર્થકરતી દેશનાનું વિપુસા- અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાથી વિમેવતા=વિભેદને કારણે શ્રોતાના ભેદથી વિચિત્રપણે પરિણમન થવાના કારણે, યથાભવ્ય ઉપકાર થાય છે, તેમ શ્લોકના પૂર્વાર્ધથી ગ્રહણ કરવાનું છે. ૨૮ શ્લોકાર્ચ - ચિત્રદેશના વડે જ બીજાથાનાદિથી ભવ્યસદશ ઉપકાર થાય છે અથવા એક એવી તીર્થકરની દેશનાનું અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાથી વિભેદને કારણે યથાભવ્ય ઉપકાર થાય છે. ll૨૮ll નોંધ:- શ્લોકમાં વપ મેવતા' શબ્દ છે, તેના સ્થાને ટીકા અનુસાર ‘વા વિમેવતા' આ પ્રમાણે પાઠ હોવો જોઈએ, એમ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ક વીનાધાના:' - અહીં ‘૩દિ' થી અંકુર આદિનું ગ્રહણ કરવું. ટીકા : तयैवेति-तयैव-चित्रदेशनयैव, बीजाधानादेर्भवोद्वेगादिभावलक्षणात्, यथाभव्यं भव्यसदृशं, उपक्रिया उपकारो भवति । यदुक्तं - “यस्य येन प्रकारेण बीजाधानादिसम्भवः । સીનુવન્યો પવયેતે તથા તસ્ય નસ્તતા” II (યો... સ્ના-૨૩૪) ટીકાર્ચ - તવ ... નપુસ્તતા” || તેના વડે જ ચિત્રદેશના વડે જ=સર્વજ્ઞતી જુદી જુદી દેશના વડે જ, ભવઉઠેગાદિભાવલક્ષણ બીજાધાનાદિ થવાથી યથાભવ્ય ભવ્યસદેશ, ઉપક્રિયા=ઉપકાર થાય છે, તે કારણથી શિષ્યના Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૮ અનુગુણ્યથી ભવવેદ્ય એવા કપિલાદિ સર્વજ્ઞની ચિત્રદેશના છે. એમ શ્લોક૨૭ સાથે સંબંધ છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૩૪માં કહેવાયું છે – તત:=તે કારણથી=જે કારણથી કપિલાદિ મહાત્માઓ ભવરોગને મટાડવા માટે શ્રેષ્ઠ વૈદ્યો છે, તે કારણથી ચર્ચ=જેને યેન પ્રકારેT=જે પ્રકારે વીનાધાનાદિસમય:બીજાધાનાદિનો સંભવ છે, (અ) સીનુવશ્વો મત=સાનુબંધ થાય છે=બીજાથાનાદિ સાનુબંધ થાય છે. તથા તે પ્રકારે તૈ=આ કપિલાદિ સર્વજ્ઞોએ તસ્ય તેને તે જીવને ન=કહ્યું છે." ‘પવોલ્ટે દિમાવેતક્ષાત્'- અહીં આદિ' થી મોક્ષાભિલાષનું અને જિનકુશળચિત્તાદિ અન્ય બીજોનું ગ્રહણ કરવું. ઉત્થાન : શ્લોક-૨૭ના ઉત્તરાર્ધથી અને શ્લોક-૨૮ના પૂર્વાર્ધથી વિકલ્પ બતાવ્યો કે કપિલાદિ સર્વજ્ઞ હતા, અને તેમણે શ્રોતાઓના ઉપકારને સામે રાખીને દ્રવ્યાસ્તિકપ્રધાન કે પર્યાયાસ્તિકપ્રધાન દેશના આપી છે, અને તે દેશનાનાં વચનોને અવલંબીને જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે. હવે ચિત્રદેશના કેમ પ્રાપ્ત થઈ ? તેનો બીજો વિકલ્પ જણાવે છે. ટીકા - एकस्या वा तीर्थकरदेशनाया अचिन्त्यपुण्यसामर्थ्यादनिर्वचनीयपरबोधाश्रयोपात्तकर्मविपाकाद्विभेदतः श्रोतृभेदेन विचित्रतया परिणमनाद्यथाभव्यमुपक्रिया भवतीति न देशनावैचित्र्यात्सर्वज्ञवैचित्र्यसिद्धिः, यदाह - “एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामार्थ्यात्तथा चित्रावभासते ।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । નાયતેડવણ્યતાÀવમસ્ય: સર્વત્ર સ્થિતા” II (યો.. -૨૩૬-૨૩૭) ૨૮ાા Page #124 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૨૮ ટીકાર્ય ઃ एकस्या वा સુસ્થિતતા” ।। અથવા એક તીર્થંકરની દેશનાના અચિંત્ય પુણ્યસામર્થ્યથી-અનિર્વચનીય પરબોધતા આશ્રયવાળા એવા ઉપાત્ત કર્મના વિપાકથી, વિભેદને કારણે=શ્રોતાના ભેદથી વિચિત્રપણા વડે પરિણમનને કારણે, યથાભવ્ય ઉપકાર થાય છે, એથી દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞના વૈચિત્ર્યની સિદ્ધિ નથી. જે કારણથી કહે છે-જે કારણથી ‘યોગદૃષ્ટિસમુચ્ચય' શ્લોક-૧૩૬-૧૩૭માં કહે છે ..... -- “યદા=અથવા, તેષાં=આમની=સર્વજ્ઞ એવા કપિલ-સુગતાદિની, એક પણ દેશના અચિંત્ય પુણ્યના સામર્થ્યને કારણે શ્રોતાના ભેદથી તે પ્રકારે= નિત્યાદિ પ્રકારે ચિત્રા=વિવિધ પ્રકારની વમાસતે=ભાસે છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૬) “==અને સર્વેષાં=સર્વ શ્રોતાઓને યથામયં=ભવ્યસદેશ તત્કૃત ઉપારોપિ= તે દેશનાકૃત ઉપકાર પણ નાયર્ત=થાય છે. વ=એ રીતે અસ્યા:=આની=દેશનાની સર્વત્ર=સર્વ શ્રોતાઓમાં અવન્ધ્યાપિ=અવંધ્યતા પણ સુસ્થિતા=સુસંગત છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૬-૧૩૭) ૨૮૫ ૧૦૭ ભાવાર્થ: સર્વજ્ઞનો ભેદ નહીં હોવા છતાં સર્વજ્ઞ એવા કપિલાદિની અને સર્વજ્ઞ એવા બુદ્ધાદિની દેશનાભેદની પ્રાપ્તિનું કારણ : પૂર્વશ્લોક-૨૭માં કહ્યું કે સર્વદર્શનકારના ઉપાસ્ય કપિલ, બુદ્ધાદિનો નામમાત્રથી ભેદ છે, પરંતુ સર્વજ્ઞરૂપે તેઓમાં ભેદ નથી. ત્યાં પ્રશ્ન કર્યો કે તો પછી સર્વજ્ઞ એવા કપિલની દેશના નિત્ય કેમ ? અને સર્વજ્ઞ એવા બુદ્ધની દેશના અનિત્ય કેમ ? તેથી પૂર્વશ્લોકના ઉત્તરાર્ધમાં ખુલાસો કર્યો કે ભવવૈદ્ય એવા કપિલાદિ સર્વજ્ઞોએ શિષ્યના અભિપ્રાયને આશ્રયીને જુદી જુદી દેશના આપેલ છે, જેથી તેઓને ઉપકાર થાય. આ જુદી જુદી દેશનાથી શિષ્યોને ઉપકાર કઈ રીતે થાય છે ? તે બતાવે છે - તેવા પ્રકારના શ્રોતાઓને આશ્રયીને નિત્યદેશનાથી ભવઉદ્વેગાદિ ભાવો થાય છે; કેમ કે જેઓ ‘હું આ દેહ સાથે છું ત્યાં સુધી જ મારું અસ્તિત્વ છે’ તેવો ભ્રમ ધારણ કરીને યોગમાર્ગમાં અનુત્સાહી છે, તેઓને આશ્રયીને સર્વજ્ઞ એવા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૮ કપિલે નિત્યદેશના=નિત્ય તત્ત્વની દેશના આપી, જેથી હું શાશ્વત છું' તેવી બુદ્ધિ થવાથી ભવ પ્રત્યે ઉદ્વેગ થાય અને યોગમાર્ગને સેવવા માટે તત્પર થાય. વળી, કેટલાક શ્રોતાઓ ભોગ પ્રત્યેની આસ્થાવાળા છે. તેવા શ્રોતાઓને સામે રાખીને સુગાદિ સર્વજ્ઞોએ ક્ષણિકદેશના=ક્ષણિક તત્ત્વની દેશના આપી, જેથી ભવથી ઉદ્વિગ્ન થઈને તે શ્રોતાઓ યોગમાર્ગને સેવવા માટે તત્પર થાય. તેથી સર્વજ્ઞ એવા કપિલાદિની કે સુગાદિની ચિત્રદેશના જીવોની યોગ્યતાને અનુરૂપ ઉપકાર કરે છે, એ અપેક્ષાએ જુદી જુદી દેશના આપેલ છે, પરંતુ કપિલાદિની અને સુગાદિની દેશના પરસ્પર વિરુદ્ધ નથી. ઉપર્યુક્ત કથનથી એ ફલિત થયું કે કપિલાદિ શબ્દોથી વાચ્ય કોઈક સર્વજ્ઞ પુરુષોએ ભિન્ન-ભિન્ન દેશના આપી છે, આમ છતાં, તે દેશના પરસ્પર વિરુદ્ધ નથી; પરંતુ લોકોના ઉપકારને સામે રાખીને આપેલી છે. તેથી સર્વ દર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે, માત્ર નામનો ભેદ છે. સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ હોવા છતાં જુદી જુદી દેશના કેમ છે ? તેનું સમાધાન એક પ્રકારે કર્યા પછી હવે બીજા પ્રકારે સર્વદર્શનકારોના ઉપાસ્યની જુદી જુદી દેશના નહીં હોવા છતાં સર્વદર્શનકારો જુદી જુદી માન્યતા કેમ ધરાવે છે ? તે બતાવે છે -- અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાને કારણે એક તીર્થંકરની દેશના શ્રોતાના ભેદથી ભિન્ન-ભિન્નરૂપે પરિણમન પામે છે, અને તે દેશનાથી ભવ્યતાને અનુરૂપ ઉપકાર થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ખરેખર ! ચિત્રદેશના નથી, પરંતુ કોઈક તીર્થકરે દ્રવ્ય અને પર્યાય ઉભયને સામે રાખીને દેશના આપેલી, અને તીર્થકરોનું અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાથી શ્રોતાઓને જે જે પ્રકારની શંકા હોય તેનું નિવર્તન કરીને, તેમની દેશના શ્રોતાઓને આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી જે શ્રોતાઓને એવી શંકા હતી કે “આ ભવ પૂર્ણ થયા પછી મારું અસ્તિત્વ નથી' એવા શ્રોતાને ભગવાનની દેશનાથી બોધ થયો કે “હું શાશ્વત છું, માટે મારા શાશ્વત આત્માના હિત માટે મારે ઉદ્યમ કરવો જોઈએ.” વળી ભોગની આસ્થાવાળા અન્ય શ્રોતાઓને દેશના સાંભળતાં ભગવાનના વચનથી એવો Page #126 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૮ ૧૦૯ બોધ થયો કે ‘આ સર્વ પદાર્થો ક્ષણિક છે, માટે ક્ષણિક પદાર્થ પ્રત્યે આસ્થા રાખવા જેવી નથી.’ આ પ્રકારે તીર્થંકરની દેશનાથી ક્ષણિકવાદનો બોધ થવાને કારણે તેઓ યોગમાર્ગમાં ઉત્સાહી થયા. આ રીતે ભગવાનની દેશના જુદા જુદા શ્રોતાઓને ઉચિત બોધ કરાવીને હિતમાં પ્રવર્તક બને છે. માટે પરમાર્થથી તીર્થંકરની ચિત્રદેશના નથી, પરંતુ એકસરખી દેશના છે. ટીકામાં ‘ચિત્ત્વપુણ્યસામર્થ્ય'નો અર્થ કર્યો કે ‘અનિર્વચનીય પરબોધના આશ્રયવાળા ઉપાત્ત કર્મના વિપાકથી શ્રોતાઓને ભગવાનની દેશના જુદી જુદી રીતે પરિણમન પામે છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવાનનો તીર્થંકરનામકર્મનો વિપાક સ્વનો આશ્રય કરનાર નથી, પરંતુ પરના બોધનો આશ્રય કરનાર છે, જેમ કેટલીક કર્મપ્રકૃતિઓનો વિપાક પોતાના આશ્રયવાળો હોય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મનો વિપાક પોતાના જ્ઞાનને અવરોધ કરનાર છે, અને સુંદર રૂપને આપનાર નામકર્મનો વિપાક પોતાને સુંદર દેહને આપનાર છે; જ્યારે ભગવાનનું તીર્થંકરનામકર્મ ૫૨ના બોધને આશ્રય કરનાર ફળવાળું છે. વળી આ તીર્થંકરનામકર્મનો વિપાક અનિર્વચનીય છે અર્થાત્ જેનું વર્ણન કરી શકાય નહીં, તેવો અદ્ભુત છે; કેમ કે ભગવાનનો વચનાતિશયગુણ હોવાને કારણે જે જીવમાં જેટલી યોગ્યતા હોય તે યોગ્યતાને અવશ્ય ખીલવી શકે તેવા સામર્થ્યવાળું તેમનું પુણ્યકર્મ છે. તે બતાવવા માટે અનિર્વચનીય તીર્થંકરનામકર્મનો વિપાક છે, એવું વિશેષણ આપેલું છે. ટીકામાં કહ્યું કે ભગવાનના અચિંત્ય પુણ્યસામર્થ્યથી શ્રોતાના ભેદથી યથાભવ્ય ઉપકાર થાય છે, એથી દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞના વૈચિત્ર્યની સિદ્ધિ નથી. તેનું તાત્પર્ય એ છે કે તીર્થંકરે એકસરખી દેશના આપી, તેથી તેઓની દેશનામાં વૈચિત્ર્યની સિદ્ધિ નથી=વિવિધતા નથી, પરંતુ શ્રોતાના ભેદથી દેશના વિવિધરૂપે પરિણમન પામી છે. તેથી દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞના વૈચિત્ર્યની સિદ્ધિ નથી. આનાથી એ ફલિત થાય કે પ્રથમ વિકલ્પ પ્રમાણે દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞરૂપ વ્યક્તિના ભેદની સિદ્ધિ છે; કેમ કે શ્રોતાના ઉપકારને સામે રાખીને કપિલ એવા સર્વજ્ઞએ નિત્યદેશના આપી, અને ભિન્ન પ્રકારના શ્રોતાના ઉપકારને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૨૮-૨૯ સામે રાખીને સુગત એવા સર્વજ્ઞએ અનિત્યદેશના આપી. તેથી દેશનાના વૈચિત્રથી= વિવિધતાથી, સર્વજ્ઞરૂપ વ્યક્તિના ભેદની સિદ્ધિ છે; પરંતુ જ્યારે તીર્થકરની એક દેશના શ્રોતાને તે તે રૂપે પરિણમન પામે છે, તેમ સ્વીકારીએ, ત્યારે દેશનાનું વૈચિત્રવિવિધતા નથી, પરંતુ એક જ દેશના શ્રોતાને તે તે રૂપે પરિણમન પામે છે, તેનું કારણ તીર્થકરનું તેવા પ્રકારનું અચિંત્ય પુણ્ય છે. માટે દેશનાનું વૈચિત્ર્ય નહીં હોવાથી દેશના એક જ પ્રકારની હોવાથી, તેના ઉપદેશક એવા તીર્થકર છે અન્ય કોઈ નથી. પછી તે તીર્થકર વીર ભગવાન હોય કે ઋષભદેવ હોય અને તેઓ જ કપિલાદિ નામભેદથી સર્વ દર્શનકારોના ઉપાસ્ય છે. ll૨૮II અવતરણિકા : प्रकारान्तरमाह - અવતરણિકાર્ય : અન્ય પ્રકારને કહે છે – ભાવાર્થ : પૂર્વમાં શંકા કરેલ કે કપિલ, સુગાદિ સર્વજ્ઞ હોય તો કપિલે નિત્ય આત્મા અને સુગતે અનિત્ય આત્મા કેમ કહ્યો ? તેનું સમાધાન શ્લોક-૨૭થી પ્રથમ બતાવ્યું કે (૧) જુદા જુદા પ્રકારના શિષ્યોના ઉપકાર માટે કપિલ અને સુગત સર્વજ્ઞ હોવા છતાં જુદી જુદી દેશના આપી છે. આમ એક રીતે સમાધાન કર્યા પછી બીજી રીતે શ્લોક-૨૮થી સમાધાન કર્યું કે (૨) તીર્થકરોનું અચિંત્ય પુણ્ય હોવાના કારણે એક પણ દેશના શ્રોતાના ભેદથી તેના ભવ્યત્વ અનુસાર કોઈને નિત્યરૂપે અને કોઈને અનિત્યરૂપે ભાસે છે. આ રીતે બે પ્રકારે સમાધાન કર્યા પછી કપિલે આત્માને નિત્ય અને સુગતે આત્માને અનિત્ય કેમ કહ્યો ? હવે શ્લોક-૨૯થી તેનું સમાધાન ત્રીજા પ્રકારે કરે છે – શ્લોક - चित्रा वा देशना तत्तन्नयैः कालादियोगतः । यन्मूला तत्प्रतिक्षेपोऽयुक्तो भावमजानतः ।।२९।। Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૨૯ मन्वयार्थ :वा=अथवा यन्मूला=ना भूणवाणीसना भूणवाणी कालादियोगत:लानियोगथी तत्तनयः-ते तनय 43 चित्रा देशना थिटेशन छ-पिता *षिमीनी विशना छ. भावमजानतः मायने नहीं galt= शिकाना नयना मभिप्रायने नहीं ताने तत्प्रतिक्षेप: तनो प्रतिक्षे५= सर्वज्ञनो प्रतिक्षेप अयुक्त:आयुक्त छ. ॥२८॥ श्लोजार्थ : અથવા સર્વાના મૂળવાળી કાલાદિના યોગથી તે તે નય વડે ચિત્રદેશના છે, તે તે દેશનાના નયના અભિપ્રાયને નહીં જાણતાને સર્વાનો પ્રતિક્ષેપ मयुत छ. IRel टीका: चित्रेति-वा=ऽथवा, तत्तत्रयैः द्रव्यास्तिकादिभिः, कालादियोगतो दुःषमादियोगमाश्रित्य, यन्मूला यद्वचनानुसारिणी, चित्रा-नानारूपा देशना कपिलादीनामृषीणां, तस्य सर्वज्ञस्य प्रतिक्षेपः, भावं-तत्तद्देशनानयाभिप्रायमजानतोऽयुक्तः, आर्यापवादस्यानाभोगजस्यापि महापापनिबन्धनत्वात् । तदुक्तं - “यद्वा तत्तन्नयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ।। तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः । तभेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ।। न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ।। कुदृष्ट्यादि च नो सन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवच्चैव किंतुसत्त्वार्थकृत्सदा" ।।(यो.दृ.स. श्लोक-१३८-१४२) ।।२९।। Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ટીકાર્ય : વાડવા ..... ” !ા વા=અથવા,યજૂના=જેમના મૂળવાળી=સર્વજ્ઞતા વચનને અનુસરનારી, કાલાદિના યોગથી દૂષમાદિ યોગને આશ્રયીને, તે તે નય વડે=દ્રવ્યાસ્તિકાદિ નય વડે કપિલાદિ ઋષિઓની ચિત્રા-નાનારૂપ, દેશના છે. ભાવતે તે દેશનાના નયના અભિપ્રાયને, નહીં જાણનારાને તેનો પ્રતિક્ષેપ=સર્વજ્ઞનો પ્રતિક્ષેપ અયુક્ત છે; કેમ કે અનાભોગથી ઉત્પન્ન થયેલ પણ આર્યાપવાદનું મહાપાપતિબંધનપણું છે શુદ્ધમાર્ગના પ્રરૂપક આર્ય એવા સર્વજ્ઞ, તીર્થકરો, ઋષિઓ આદિના અપવાદનું મહાપાપનિબંધનપણું છે. તે કહેવાયું છે જે શ્લોકમાં કહ્યું તે ‘યોગદૃષ્ટિસમુચ્ચય' શ્લોક-૧૩૮ થી ૧૪૨માં કહેવાયું છે – અથવા તે તે કાલાદિના યોગથી=દૂષમાદિના યોગથી ઋષિઓથી તે તે નયની અપેક્ષાવાળી જુદી જુદી દેશના છે, પપ્પાડપિ આ પણ=ઋષિઓની દેશના પણ, પરમાર્થથી તમૂના સર્વજ્ઞમૂલા છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૮) તત:=તે કારણથી, તેના=સર્વજ્ઞના, અભિપ્રાયને જાણ્યા વગર મહાઅનર્થને કરવામાં પ્રધાન એવો સર્વજ્ઞનો પ્રતિક્ષેપ, છબસ્થ એવા પુરુષોને યુ તે જ યોગ્ય નથી.” (યો.દ.સ. શ્લોક-૧૩૯). જે પ્રમાણે આંધળાઓને ચંદ્રનો પ્રતિક્ષેપ અને તેના ભેદની પરિકલ્પના-ચંદ્રના ભેદની પરિકલ્પના, અસંગત છે, તથે તે પ્રમાણે જ છબસ્થોને ૩યઆ સર્વજ્ઞનો પ્રતિક્ષેપ અને સર્વજ્ઞના ભેદની પરિકલ્પના. અસંગત છે.” (યો.દ.સ. શ્લોક-૧૪૦) સામાન્યનો પણ સામાન્ય એવા કોઈ પુરુષાદિનો પણ, પ્રતિક્ષેપ કરવો યોગ્ય નથીeતેના કોઈક વિશેષ સ્વરૂપથી લોકોમાં તે વિખ્યાત હોય, તે પુરુષને તેવો નથી તેમ કહેવું યોગ્ય નથી, તત્વ=તે કારણથી સતામુનિઓને આર્યાપવાદ વળી=સર્વજ્ઞનો પરિભવ વળી જિલ્લાછેદથી અધિક મત: કહેવાયો છે.” (યો.દ.સ. શ્લોક-૧૪૧) સન્ત:=મુનિઓ ઘણું કરીને ક્યારેય યુવ્રુષ્ટાદ્રિ અસ્પષ્ટ જોવાયેલું કે કુત્સિત જોવાયેલું બોલતા નથી, પરંતુ હંમેશાં સત્ત્વાર્થને કરનારું પરના ઉપકાર કરનારું, નિર્મીત અને સારવાળું જ બોલે છે.” (યો.દ.સ. શ્લોક-૧૪૨) ૨૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ‘વ્યક્તિવામિ:' - અહીં ‘મવ'થી પર્યાયાસ્તિક નાનું ગ્રહણ કરવું. * અનામોનસ્પત્તિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે જાણીને આર્યાપવાદ કરો તો તો મહાપાપનિબંધન છે, પરંતુ અનાભોગથી પણ આર્યાપવાદ મહાપાપનિબંધન છે. દ્રઃિ “યોગદૃષ્ટિસમુચ્ચય'ના ઉદ્ધરણમાં શ્લોક-૧૪૨માં રહેલ આ શબ્દના ‘મરથી તે શ્લોકની ટીકામાં કહ્યા મુજબ કુશ્રુત અસ્પષ્ટ સાંભળેલું કે કુત્સિત સાંભળેલું અને કુજ્ઞાતકશાસ્ત્રવચનથી અસ્પષ્ટ નિર્ણાતનું ગ્રહણ કરવું. ભાવાર્થ :કપિલાદિ ઋષિઓના અભિપ્રાયને જાણ્યા વગર તેઓના વચનને મિથ્યા કહેવાથી મહાપાપની પ્રાપ્તિ : સર્વદર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ હોય તો ચિત્રદેશના કેમ છે ? તેનું સમાધાન બે રીતે કર્યું : (૧) શ્લોક-૨૭માં બતાવ્યું કે સર્વદર્શનકારોના ઉપાસ્ય સર્વજ્ઞ છે, છતાં શ્રોતાના ઉપકારને સામે રાખીને કપિલાદિ સર્વજ્ઞોએ નિત્યદેશના અને સુગાદિ સર્વજ્ઞોએ અનિત્યદેશના આપી. (૨) શ્લોક-૨૮થી બતાવ્યું કે તીર્થકરોએ એક દેશના આપી છતાં તેમના પુણ્યના સામર્થ્યથી તે તે શ્રોતાને યોગમાર્ગમાં ઉત્સાહી કરે તે રીતે કોઈને નિત્યદેશનારૂપે તો કોઈને અનિત્યદેશનારૂપે પરિણમન પામી, તેથી તે તે દર્શનકારો નિત્યદેશનાનું કે અનિત્યદેશનાનું અવલંબન લઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે; પરંતુ તે સર્વને આ નિત્યદેશના કે અનિત્યદેશના કોઈ તીર્થંકરથી પ્રાપ્ત થયેલી છે, તેથી તે સર્વના ઉપાસ્ય એક તીર્થકર છે. હવે શ્લોક-૨૯થી તે તે દર્શનમાં જુદી જુદી માન્યતાઓ કેમ પ્રવર્તે છે ? તેનું સમાધાન ત્રીજા પ્રકારે કરે છે -- (૩) કોઈ સર્વજ્ઞએ અથવા કોઈ તીર્થકરે દેશના આપી, અને તે દેશનાને સાંભળીને કપિલાદિ ઋષિઓ યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા, અને તેવા કપિલાદિ ઋષિઓએ જીવોની યોગ્યતાને સામે રાખીને સર્વજ્ઞના વચનાનુસાર નિત્યદેશના કે અનિત્યદેશના આપી, અને તે ઋષિઓની દેશનાને આશ્રયીને તે તે દર્શનમાં રહેલા યોગીઓ પોતાની ભૂમિકાને અનુરૂપ યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા. તેથી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૨૯-૩૦ કોઈ યોગી નિત્યદેશનાનું અવલંબન લઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તો કોઈ યોગી ક્ષણિકમાર્ગનું અવલંબન લઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તેઓની યોગમાર્ગની પ્રવૃત્તિ જોઈને વિચારી શકાય કે આ યોગમાર્ગની પ્રવૃત્તિ કોઈક ઋષિ પાસેથી તેઓને પ્રાપ્ત થઈ છે, અને તે ઋષિએ તેમને નિત્યદેશના દ્વારા યોગમાર્ગમાં ઉત્સાહી કર્યા છે, તો વળી અન્ય કોઈ ઋષિએ અનિત્યદેશના દ્વારા તેમને યોગમાર્ગમાં ઉત્સાહી કર્યા છે. તેથી તેઓની નિત્યદેશના કે અનિત્યદેશના છે, તેટલું માત્ર વિચારીને, તે ઋષિઓ અસંબદ્ધ કહે છે અને તેના પ્રણેતા સર્વજ્ઞ નથી, તેમ કહેવું છદ્મસ્થને ઉચિત નથી; પરંતુ વિચારવું જોઈએ કે તે તે નયઅપેક્ષાએ આ ઋષિઓની દેશના છે, અને તે તે નયો સમ્યગ્બોધ કરાવીને તેઓને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. માટે તે સર્વદર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે, તેમ માનવામાં કોઈ વિરોધ નથી. II૨૯લા અવતરણિકા : तस्मात्सर्वज्ञवचनमनुसृत्यैव प्रवर्तनीयं, न तु तद्विप्रतिपत्त्याऽनुमानाद्यास्थया स्थेयं, तदननुसारिणस्तस्याव्यवस्थितत्वादित्यत्रभर्तृहरिवचनमनुवदन्नाह અવતરણિકાર્ય : તે કારણથી સર્વજ્ઞતા વચનને અનુસરીને જ પ્રવર્તવું જોઈએ=અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં પ્રવર્તવું જોઈએ, પરંતુ તેની વિપ્રતિપત્તિથી=સર્વજ્ઞની વિપ્રતિપત્તિથી, અનુમાન આદિની આસ્થા વડે, રહેવું જોઈએ નહીં= અનુમાનાદિથી અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં યત્ન કરવો જોઈએ નહીં; કેમ કે તેના અનનુસારી એવા તેનું=સર્વજ્ઞના વચનના અનનુસારી એવા અનુમાનાદિનું, અવ્યવસ્થિતપણું છે. રૂત્યત્ર=એ કથનમાં=સર્વજ્ઞવચનના અનનુસારી અનુમાનાદિનું અવ્યવસ્થિતપણું છે એ કથનમાં, ભર્તૃહરિના વચનના અનુવાદને કરતાં ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ: - શ્લોક-૧૩માં કહેલ કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે. ત્યાં શંકા થઈ કે સર્વ દર્શનકારોનાં શાસ્ત્રો ભિન્ન-ભિન્ન છે, તેથી શાસ્ત્રશ્રદ્ધા - Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/બ્લોક-૨૯-૩૦ કેવી રીતે થઈ શકે ? તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧૪માં કરતાં કહ્યું કે ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્ય ગ્રહણ કરીએ તો શાસ્ત્રનો ભેદ નથી; કેમ કે ધર્મપ્રણેતાઓનો તત્ત્વથી અભેદ છે; અને તે ધર્મપ્રણેતાઓનો અભેદ કેમ છે ? તે શ્લોક-૨૯ સુધી યુક્તિથી સ્થાપન કર્યું. તેથી એ ફલિત થયું કે સર્વદર્શનોમાં સર્વત્તના વચનને અનુસરનારું શાસ્ત્ર એક છે. હવે તે કથનનું નિગમન કરતાં કહે છે – તે કારણથી સર્વજ્ઞના વચનને અનુસરીને જ અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં પ્રવર્તવું જોઈએ; પરંતુ સર્વદર્શનકારોનાં શાસ્ત્રો જુદાં છે, તે પ્રકારની વિપ્રતિપત્તિથી સર્વજ્ઞના વચનને છોડીને અનુમાન આદિની આસ્થા વડે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં પ્રયત્ન કરવો જોઈએ નહીં; કેમ કે સર્વજ્ઞના વચનને અનનુસારી એવા અનુમાનાદિનું અવ્યવસ્થિતપણું છે. આ કથનમાં ભર્તુહરિના વચનના અનુવાદને કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ।।३०।। અન્વયાર્થ: શનૈનનુમાતૃમિકુશળ અનુમાતાઓ વડે સ્નેન યત્નથી ગમતોડવ્યર્થ = અનુમિત કરાયેલો પણ અર્થ, મિથુવર =અભિયુક્તતર એવા અન્ય વડે કુશળ અનુમાતા કરતાં દક્ષ એવા અન્ય વડે, માથેવ અન્યથા જ=કુશળ અનુમાતા એ જે પ્રકારે સિદ્ધિ કરી તેનાથી અન્યથા જ, ૩૫પતે ઉપપાદન કરાય છે. ૩૦]. શ્લોકાર્ચ - કુશળ અનુમાતાઓ વડે યત્નથી અનુમિત કરાયેલો પણ અર્થ અભિયુક્તતર એવા અન્ય વડે અન્યથા જ ઉપપાદન કરાય છે. Il3oll - ‘યત્નનાનુમિતોડવ્યર્થ:' અહીં ‘પ' થી એ કહેવું છે કે યત્નથી અનુમાન નહીં કરાયેલો પણ યથાતથા અનુમાન કરાયેલો અર્થ તો અન્ય વડે અન્યથા કરાય છે, પરંતુ યત્ન વડે પણ અનુમાન કરાયેલો અર્થ અન્ય વડે અન્યથા ઉપપાદન કરાય છે. અe Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૩૦ ટીકા : यत्नेनेति-यत्नेनासिद्धत्वादिदोषनिरासप्रयासेनानुमितोऽप्यर्थः, कुशलैर्व्याप्तिग्रहादिदक्षैरनुमातृभिरभियुक्ततरैः अधिकव्याप्त्यादिगुणदोषव्युत्पत्तिकैरन्यैरन्यथैवाસિદ્ધત્વર્નિવોપપદ્યતે રૂપા ટીકાર્ય : અત્રેનાસિદ્ધત્વતિ ..... વોપાદ્યતે વ્યાતિગ્રહાદિમાં દક્ષ એવા કુશળ અનુમાતાઓ વડે અસિદ્ધવાદિ દોષના વિરાસમાં પ્રયાસરૂપ યત્નથી અનુમિત પણ અર્થ, અભિયુક્તતર વડે અધિક વ્યાપ્તિ આદિ ગુણદોષ વ્યુત્પત્તિવાળા એવા અવ્ય વડે, અન્યથા જ અસિદ્ધત્વાદિ રૂપે જ ઉપપાદન કરાય છે. અ૩૦ આ ‘સદ્ધત્વદિ' અહીં ‘દિ' થી અનેકાન્તિક વ્યભિચારબોધનું ગ્રહણ કરવું. વ્યાતિપ્રહર' અહીં ‘ટ’ થી દૃષ્ટાંતગ્રહ-હેતુગ્રહનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અતીન્દ્રિય પદાર્થોમાં સર્વાના વચનના અવલંબન વગર તત્ત્વની અપ્રાપ્તિમાં ભર્તુહરિનું વચન : અવતરણિકામાં કહેલ કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં સર્વજ્ઞના વચનને અનુસરીને જ પ્રવર્તવું જોઈએ; પરંતુ સર્વદર્શનકારોની પરસ્પર જુદી જુદી માન્યતા છે, માટે શાસ્ત્ર પ્રમાણ નથી, તેમ સ્વીકારીને, અનુમાનાદિની આસ્થાથી અતીન્દ્રિય પદાર્થને સમજવા માટે યત્ન કરવો જોઈએ નહીં, કેમ કે સર્વજ્ઞના વચનને અનનુસારી એવાં અનુમાનાદિ અવ્યવસ્થિત છે. સર્વજ્ઞના વચનને અનનુસારી એવાં અનુમાનાદિ કઈ રીતે અવ્યવસ્થિત છે ? તે ભર્તુહરિના વચનથી બતાવે છે – જેમ કોઈક કુશળ અનુમાન કરનાર હોય, તેથી પોતે જે અનુમાન કરે તેમાં અસિદ્ધવાદિ કોઈ દોષ ન આવે તે રીતે યત્ન કરીને કોઈક અતીન્દ્રિય પદાર્થનું અનુમાન કરે, અને કોઈક અધિક દક્ષ અનુમાતા તે પદાર્થને તર્કથી અન્યથા સ્થાપન કરે. તેથી સર્વજ્ઞના વચન વગર અતીન્દ્રિય પદાર્થોમાં કરાયેલાં અનુમાનો Page #134 -------------------------------------------------------------------------- ________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ ૧૧૭ તત્ત્વના અંતને પ્રાપ્ત કરાવી શકતાં નથી; કેમ કે કોઈક અનુમાતા એક પ્રકારે અનુમાન કરે છે, તો અન્ય વળી અનુમાતા અન્ય પ્રકારે અનુમાન કરે છે, તેથી કોઈ પદાર્થનો સ્થિર નિર્ણય થઈ શકતો નથી, પરંતુ અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞ સાક્ષાત્ જુએ છે. તેથી તેમના વચનને અનુસરીને તેનો નિર્ણય કરવા માટે યત્ન કરવામાં આવે તો સાચા તત્ત્વની પ્રાપ્તિ થાય. માટે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં સર્વજ્ઞના વચનનું જ અનુસરણ કરવું જોઈએ. II3II અવતરણિકા :अभ्युच्चयमाह - અવતરણિકાર્ય : અમ્યુચ્ચયને કહે છે – ભાવાર્થ : પૂર્વશ્લોક-૩૦માં કહ્યું કે સર્વજ્ઞના વચન વિના અતીન્દ્રિય પદાર્થોમાં અનુમાન કરવામાં આવે તો એક વડે કરાયેલ અનુમાન કરતાં અન્ય વડે અન્ય પ્રકારે પણ અનુમાન થઈ શકે છે. તેથી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય અનુમાનાદિથી થઈ શકે નહીં, પરંતુ સર્વજ્ઞના વચનથી જ થઈ શકે. તે વાતને દૃઢ કરવા માટે અભ્યશ્ચયન=સમુચ્ચયને, કહે છે – શ્લોક : ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ।।३१।। અન્વયાર્થ: દિ જો અતીન્દ્રિય પાર્થા=અતીન્દ્રિય પદાર્થો હેતુવાન હેતુવાદથી અનુમાનથી સાર=જણાય તો તાવતા અન્નેન=આટલા કાળથી તેy= તેઓમાં અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં પ્રા:=પ્રાજ્ઞ પુરુષો વડે નિશ્વા: ત: સ્થા—િનિશ્ચય કરાયેલો થાય. li૩૧TI WWW.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકાશ્લોક-૩૧ શ્લોકાર્ય : જો અતીન્દ્રિય પદાર્થો અનુમાનથી જણાય તો આટલા કાળથી અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં પ્રાજ્ઞ પુરુષો વડે નિશ્ચય કરાયેલો થાય. Il3?ll ટીકા : ज्ञायेरनिति-हेतुवादेन अनुमानवादेन, यदि अतीन्द्रिया धर्मादयः पदार्था ज्ञायेरन् तदा एतावता कालेन प्राज्ञै: तार्किकैः तेषु अतीन्द्रियेषु पदार्थेषु, निश्चयः कृतः स्यात्, उत्तरोत्तरतर्कोपचयात् ।।३१।। ટીકાર્ય - હેતુવાનનુમાનવાન .... તપથાત્ : જો અતીન્દ્રિય એવા ધર્માદિ પદાર્થો હેતુવાદથી અનુમાનવાદથી, જણાય, તો આટલા કાળથી ઉત્તરોત્તર તર્કના ઉપચયના બળથી તાર્કિક એવા પ્રાજ્ઞો વડે તેઓમાં અતીન્દ્રિય પદાર્થોમાં, નિર્ણય કરાયેલો થાય. ૩૧TI ભાવાર્થ :સર્વજ્ઞના વચન વિના યુક્તિથી અતીન્દ્રિય પદાર્થોની અપ્રાપ્તિ - અતીન્દ્રિય એવા ધર્માદિ પદાર્થો અનુમાનથી જાણી શકાતા નથી, અને જો જાણી શકાતા હોત તો અનંતકાળ પસાર થઈ ગયો, ઘણા તાર્કિકો થયા, અને જેઓ શુદ્ધ તર્ક કરનારા છે, તેઓના તર્કથી કોઈ પદાર્થ સ્થાપન કરાયેલો હોય, અને અન્ય તાર્કિક થાય તો તે તર્કને પુષ્ટ કરે; તેથી પૂર્વપૂર્વનો તર્ક ઉત્તરઉત્તરના તર્કથી પુષ્ટ-પુષ્ટતર થાય, અને તે પુષ્ટ થયેલા તર્કથી અતીન્દ્રિય પદાર્થો આટલા કાળમાં નિર્ણાંત થઈ ગયા હોત; પરંતુ સદા અતીન્દ્રિય પદાર્થોમાં વાદી અને પ્રતિવાદી ઉપલબ્ધ છે. તેથી અર્થથી એ ફલિત થાય કે અતીન્દ્રિય પદાર્થો તર્કનો વિષય નથી, પરંતુ સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, તેમ સ્વીકારીને જાણવા માટે યત્ન કરવામાં આવે તો અતીન્દ્રિય પદાર્થોનો સાચો નિર્ણય થાય. માટે કુતર્કનો આશ્રય છોડીને આગમમાં અભિનિવેશ કરવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય.II3II Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ અવતરણિકા : પ્રથમ શ્લોકમાં કહેલ કે અવેવસંવેદ્યપદ જિતાયે છતે કુતર્કની નિવૃત્તિ થાય છે, અને શ્લોક-રમાં બતાવેલ કે કુતર્ક ઘણા અર્થોને કરનાર છે. ત્યારપછી શ્લોક-૩માં કહેલ કે કુતર્કનો અભિનિવેશ છોડીને શ્રુત, શીલ અને સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ, જેથી અવેદ્યસંવેદ્યપદ જાય, અને અવેવસંવેદ્યપદ જાય તો સર્વ અનર્થ કરનાર એવા કુતર્કની નિવૃત્તિ થાય અને વેધસંવેદ્યપદની પ્રાપ્તિ થાય. તે સર્વ કથનનું નિગમત કરતાં કહે છે - શ્લોક : तत्कुतर्कग्रहस्त्याज्यो ददता दृष्टिमागमे । प्रायो धर्मा अपि त्याज्या: परमानन्दसम्पदि ।।३२।। અન્વયાર્થ : ત–તે કારણથી=પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે કુતર્ક તત્ત્વની સિદ્ધિ કરાવતો નથી, પરંતુ સર્વજ્ઞનું વચન તત્વની સિદ્ધિ કરાવે છે તે કારણથી, માષ્ટિમ્ =આગમમાં દષ્ટિને આપનારા એવા યોગીઓએ ફક્ત = શુષ્ક તર્કનો અભિનિવેશ ત્યા–ત્યાગ કરવો જોઈએ. પરમાનન્દસક્વરિત્ર મોક્ષસુખની પ્રાપ્તિમાં પ્રવ=પ્રાય થi v=ધર્મો પણ ક્ષાયોપથમિક ક્ષમાદિ ધર્મો પણ, ચાળ્યા ત્યાજ્ય છે, તેથી કુતર્ક સુતરાત્યાજ્ય છે, એમ અન્વય છે. ૩રા. શ્લોકાર્ય : તે કારણથી આગમમાં દષ્ટિને આપનારા એવા યોગીઓએ કુતર્કગ્રહ ત્યાગ કરવો જોઈએ. મોક્ષસુખની પ્રાપ્તિમાં પ્રાયઃ ધમ પણ ત્યાજ્ય છે, તેથી કુતર્ક સુતરામ્ ત્યાજ્ય છે, એમ અન્વય છે. ll૩રા ટીકા : तदिति-तत् तस्मात् कुतर्कग्रह-शुष्कतर्काभिनिवेश: त्याज्यो दृष्टिमागमे ददता, परमानन्दसम्पदि-मोक्षसुखसम्पत्तौ प्रायो धर्मा अपि क्षायोपशमिका: Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૩૨ क्षान्त्यादयस्त्याज्याः, ततः कुतर्कग्रहः सुतरां त्याज्य एव, क्वचिदपि ग्रहस्यासङ्गानुष्ठानप्रतिपन्थित्वेनाश्रेयस्त्वादिति भावः, क्षायिकव्यवच्छेदार्थं प्रायोग्रहणं, तदिदमुक्तं - “न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ।। ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत्" ।। (યો... સ્નો-૨૪૭-૪૮) રૂતિ રૂરા ટીકાર્ય : તત્તસ્મા .... મિનેન ત” | કૃતિ ત—તા–તે કારણથી આગમમાં દૃષ્ટિને આપનારા યોગીઓએ કુતર્કનો ગ્રહ=શુષ્ક તર્કનો અભિનિવેશ, ત્યાગ કરવો જોઈએ. પ્રાયઃ પરમાનંદની પ્રાપ્તિમાં=મોક્ષસુખની પ્રાપ્તિમાં, ક્ષાયોપથમિક ક્ષમાદિ ધર્મો પણ ત્યાજ્ય છે, તેથી કુતર્કગ્રહ સુતરા... ત્યાજ્ય જ છે=અત્યંત ત્યાજ્ય જ છે; કેમ કે ક્યાંય પણ ગ્રહનું અર્થાત્ પદાર્થના નિર્ણયમાં કે તત્વમાર્ગની પ્રવૃત્તિમાં ક્યાંય પણ સ્વમતિ અનુસાર આગ્રહનું અસંગઅનુષ્ઠાનનું પ્રતિપંથીપણું હોવાને કારણે અશ્રેયપણું છે, એ પ્રમાણે ભાવ છે. મોક્ષમાં પ્રાયઃ ધર્મો પણ ત્યાજ્ય છે, એ કથામાં પ્રાયનું ગ્રહણ સાયિકના વ્યવચ્છેદ માટે છે. તે આ કહેવાયું છે=શ્લોકમાં કહ્યું તે આ “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૪૭-૧૪૮માં કહેવાયું છે. “ત=જે કારણથી આ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય અનુમાનથી થાય છે એ gવં ન=આ પ્રમાણે નથી=અનુમાનથી નિર્ણય થાય છે એ પ્રમાણે નથી તસ્કૂત્રિત કારણથી મિથ્યભિમાનદેતુત્વા–મિથ્યાભિમાનનો હેતુ હોવાથી મદીનું શુઝર્વ પ્ર=અતિરૌદ્ર એવો શુષ્કતર્કનો ગ્રહ મુમુક્ષમ =મુમુક્ષુઓ વડે ત્યાન્ય પ્રવ=ત્યાજ્ય જ છે.” “મુમુક્ષુઓને પરમાર્થથી સર્વત્ર સર્વ વસ્તુમાં પ્રદ: મસત =ગ્રહ અયુક્ત છે. મુક્તિમાં ધર્મો પણ પ્રાય: ત્યાગ કરવા યોગ્ય છે; તત્સતે કારણથી, અને વિ=આના વડે શું ?=ગ્રહ વડે શું ?” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩૨ાા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ - “કુતર્કગ્રહનિવૃત્તિવાત્રિશિકા'નું નિગમન કરતાં કહે છે – આ કુતર્કગ્રહ શુષ્ક તર્કના અભિનિવેશરૂ૫ છે, તેનાથી કંઈ જ તત્ત્વની પ્રાપ્તિ થાય નહીં. માટે કલ્યાણના અર્થીએ આગમમાં દૃષ્ટિને સ્થાપન કરીને કુતર્કનો આગ્રહ ત્યાગ કરવો જોઈએ; કેમ કે મોક્ષના અર્થી જીવોને મોક્ષની પ્રાપ્તિ થયા પછી ક્ષયોપશમભાવના ક્ષમાદિ ધર્મો પણ ત્યાગ કરવા યોગ્ય છે, તો કુતર્ક તો સુતરામ્ ત્યાજ્ય છે. આશય એ છે કે ક્ષયોપશમભાવના ક્ષમાદિ ગુણો જીવ માટે કલ્યાણનું કારણ છે, આમ છતાં ક્ષયોપશમભાવના ગુણો કર્મના સાંનિધ્યથી થનારા છે. તેથી કલ્યાણના કારણભૂત પણ ક્ષયોપશમભાવના ધર્મો મોક્ષમાં જો ત્યાજ્ય હોય તો ઔદયિકભાવરૂપ કુતર્ક તો અત્યંત ત્યાજ્ય છે. કુતર્ક અત્યંત ત્યાજ્ય કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – કોઈપણ સ્થાનમાં રાગને કારણે કરાતો આગ્રહ અસંગઅનુષ્ઠાનનો પ્રતિપંથી છે, તેથી અશ્રેયનું કારણ છે; અને કુતર્ક તત્ત્વના રાગને છોડીને સ્વમાન્યતા પ્રત્યેના રાગના વશથી પદાર્થને સ્વમતિ અનુસાર જોડવા માટે યત્ન સ્વરૂપ છે, તેથી જીવને અસંગઅવસ્થાની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે; જ્યારે તત્ત્વનો રાગ તો અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ છે. તેથી કોઈપણ સ્થાને તત્ત્વના રાગને છોડીને આગ્રહ કરવામાં આવે તો તે આગ્રહ અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બને નહીં, અને તેથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય નહીં. માટે કુતર્ક પ્રત્યેનો આગ્રહ અશ્રેયનું કારણ છે. રૂચા इति कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका ।।२३।। Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ "कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिमिच्छताम्। युक्तः पुनः श्रुते शीले સમાઘ શુદ્ધ વેતસામ્ !'' “તે કારણથી મુક્તિને ઈચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓને કુતર્કમાં અભિનિવેશ યુક્ત નથી. વળી શ્રત, શીલ અને સમાધિમાં અભિનિવેશ યુક્ત છે.” : પ્રકાશક : DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. | ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 alion E-mail : gitarthganga@yahoo.co.in In 1982404959070 " 9428500401