________________
૧૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૬ અનુસાર વિકલ્પો કરવામાં આવે તે કુતર્ક છે.
(૩) અતીન્દ્રિય પદાર્થોમાં શાસ્ત્રાનુસારી વિકલ્પો કરવામાં આવે તે કુતર્ક નથી, પરંતુ ઇષ્ટના સાધક છે; અને અતીન્દ્રિય પદાર્થોમાં સ્વમતિ અનુસાર, વિકલ્પો કરવામાં આવે તે કુતર્ક છે.
તેથી (૧) પ્રામાણિક વ્યવહારના બાધક, (૨) પ્રામાણિક અનુભવના બાધક અને (૩) શાસ્ત્રનિરપેક્ષ વિકલ્પો અવિદ્યાનિર્મિત છે, અને એવા વિકલ્પથી સ્વઅભીષ્ટ પદાર્થનું યોજન કરવામાં આવે તે કુતર્ક છે. ક્રમશઃ વિચારીએ –
(૧) (i) પ્રામાણિક વ્યવહારસાધક વિકલ્પો અવિદ્યાનિર્મિત નથી. તે આ પ્રમાણે –
જેમ કોઈ કહે કે “ગાયનું માંસ ખવાય નહીં, તેમ ગાયનું લોહી પણ પિવાય નહીં'. આ વિકલ્પ કુતર્કરૂપ નથી, પરંતુ પ્રામાણિક વ્યવહારસાધક વિકલ્પ હોવાથી સુતર્કરૂપ છે. (ii) પ્રામાણિક વ્યવહારબાધક વિકલ્પો કુતરૂપ છે. તે આ રીતે –
ગાયનું માંસ ગાયનું અંગ હોવાથી ખવાય નહીં, તો ગાયનું દૂધ પણ ગાયનું અંગ હોવાથી પિવાય નહીં. આ વિકલ્પ પ્રામાણિક વ્યવહારબાધક હોવાથી કુતર્ક છે.
(૨) (i) પ્રામાણિક અનુભવને અનુરૂપ વિકલ્પો કુતર્કરૂપ નથી. તે આ રીતે – (ii) પ્રામાણિક અનુભવબાધક વિકલ્પો અવિદ્યાનિર્મિત છે. તે આ પ્રમાણે -
જેમ બઠર=અપરિણત ન્યાયશાસ્ત્રવાળો નૈયાયિક છાત્ર, હાથી હણે છે” તેના વિષયમાં પ્રાપ્તાપ્રાપ્ત વિકલ્પ કરે છે, તે અનુભવનિરપેક્ષ કરે છે. તેથી અવિદ્યાનિમિત છે.
હાથી હણે છે'ના વિષયમાં કોઈ વિચારક વિકલ્પ પાડે કે “અગ્રાવજીંદેન'= અગ્રભાગથી પ્રાપ્તને હાથી હણે છે, “અન્યાવચ્છેદેન'=અન્ય ભાગથી પ્રાપ્તને હાથી હણતો નથી. માટે તોફાને ચઢેલ હાથી સન્મુખ પ્રાપ્ત પુરુષને હણે છે, તેમ હું પણ સન્મુખ પ્રાપ્ત થઈશ તો મને હણશે, તે અનુભવને અનુરૂપ વિકલ્પ છે. તેથી તે વિકલ્પ અવિદ્યાનિર્મિત નથી. માટે તે કુતર્ક નથી, પરંતુ સુતર્ક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org