SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/બ્લોક-૨૯-૩૦ કેવી રીતે થઈ શકે ? તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧૪માં કરતાં કહ્યું કે ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્ય ગ્રહણ કરીએ તો શાસ્ત્રનો ભેદ નથી; કેમ કે ધર્મપ્રણેતાઓનો તત્ત્વથી અભેદ છે; અને તે ધર્મપ્રણેતાઓનો અભેદ કેમ છે ? તે શ્લોક-૨૯ સુધી યુક્તિથી સ્થાપન કર્યું. તેથી એ ફલિત થયું કે સર્વદર્શનોમાં સર્વત્તના વચનને અનુસરનારું શાસ્ત્ર એક છે. હવે તે કથનનું નિગમન કરતાં કહે છે – તે કારણથી સર્વજ્ઞના વચનને અનુસરીને જ અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં પ્રવર્તવું જોઈએ; પરંતુ સર્વદર્શનકારોનાં શાસ્ત્રો જુદાં છે, તે પ્રકારની વિપ્રતિપત્તિથી સર્વજ્ઞના વચનને છોડીને અનુમાન આદિની આસ્થા વડે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં પ્રયત્ન કરવો જોઈએ નહીં; કેમ કે સર્વજ્ઞના વચનને અનનુસારી એવા અનુમાનાદિનું અવ્યવસ્થિતપણું છે. આ કથનમાં ભર્તુહરિના વચનના અનુવાદને કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ।।३०।। અન્વયાર્થ: શનૈનનુમાતૃમિકુશળ અનુમાતાઓ વડે સ્નેન યત્નથી ગમતોડવ્યર્થ = અનુમિત કરાયેલો પણ અર્થ, મિથુવર =અભિયુક્તતર એવા અન્ય વડે કુશળ અનુમાતા કરતાં દક્ષ એવા અન્ય વડે, માથેવ અન્યથા જ=કુશળ અનુમાતા એ જે પ્રકારે સિદ્ધિ કરી તેનાથી અન્યથા જ, ૩૫પતે ઉપપાદન કરાય છે. ૩૦]. શ્લોકાર્ચ - કુશળ અનુમાતાઓ વડે યત્નથી અનુમિત કરાયેલો પણ અર્થ અભિયુક્તતર એવા અન્ય વડે અન્યથા જ ઉપપાદન કરાય છે. Il3oll - ‘યત્નનાનુમિતોડવ્યર્થ:' અહીં ‘પ' થી એ કહેવું છે કે યત્નથી અનુમાન નહીં કરાયેલો પણ યથાતથા અનુમાન કરાયેલો અર્થ તો અન્ય વડે અન્યથા કરાય છે, પરંતુ યત્ન વડે પણ અનુમાન કરાયેલો અર્થ અન્ય વડે અન્યથા ઉપપાદન કરાય છે. અe Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy