SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૩૦ ટીકા : यत्नेनेति-यत्नेनासिद्धत्वादिदोषनिरासप्रयासेनानुमितोऽप्यर्थः, कुशलैर्व्याप्तिग्रहादिदक्षैरनुमातृभिरभियुक्ततरैः अधिकव्याप्त्यादिगुणदोषव्युत्पत्तिकैरन्यैरन्यथैवाસિદ્ધત્વર્નિવોપપદ્યતે રૂપા ટીકાર્ય : અત્રેનાસિદ્ધત્વતિ ..... વોપાદ્યતે વ્યાતિગ્રહાદિમાં દક્ષ એવા કુશળ અનુમાતાઓ વડે અસિદ્ધવાદિ દોષના વિરાસમાં પ્રયાસરૂપ યત્નથી અનુમિત પણ અર્થ, અભિયુક્તતર વડે અધિક વ્યાપ્તિ આદિ ગુણદોષ વ્યુત્પત્તિવાળા એવા અવ્ય વડે, અન્યથા જ અસિદ્ધત્વાદિ રૂપે જ ઉપપાદન કરાય છે. અ૩૦ આ ‘સદ્ધત્વદિ' અહીં ‘દિ' થી અનેકાન્તિક વ્યભિચારબોધનું ગ્રહણ કરવું. વ્યાતિપ્રહર' અહીં ‘ટ’ થી દૃષ્ટાંતગ્રહ-હેતુગ્રહનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અતીન્દ્રિય પદાર્થોમાં સર્વાના વચનના અવલંબન વગર તત્ત્વની અપ્રાપ્તિમાં ભર્તુહરિનું વચન : અવતરણિકામાં કહેલ કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં સર્વજ્ઞના વચનને અનુસરીને જ પ્રવર્તવું જોઈએ; પરંતુ સર્વદર્શનકારોની પરસ્પર જુદી જુદી માન્યતા છે, માટે શાસ્ત્ર પ્રમાણ નથી, તેમ સ્વીકારીને, અનુમાનાદિની આસ્થાથી અતીન્દ્રિય પદાર્થને સમજવા માટે યત્ન કરવો જોઈએ નહીં, કેમ કે સર્વજ્ઞના વચનને અનનુસારી એવાં અનુમાનાદિ અવ્યવસ્થિત છે. સર્વજ્ઞના વચનને અનનુસારી એવાં અનુમાનાદિ કઈ રીતે અવ્યવસ્થિત છે ? તે ભર્તુહરિના વચનથી બતાવે છે – જેમ કોઈક કુશળ અનુમાન કરનાર હોય, તેથી પોતે જે અનુમાન કરે તેમાં અસિદ્ધવાદિ કોઈ દોષ ન આવે તે રીતે યત્ન કરીને કોઈક અતીન્દ્રિય પદાર્થનું અનુમાન કરે, અને કોઈક અધિક દક્ષ અનુમાતા તે પદાર્થને તર્કથી અન્યથા સ્થાપન કરે. તેથી સર્વજ્ઞના વચન વગર અતીન્દ્રિય પદાર્થોમાં કરાયેલાં અનુમાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy