SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૨૯-૩૦ કોઈ યોગી નિત્યદેશનાનું અવલંબન લઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તો કોઈ યોગી ક્ષણિકમાર્ગનું અવલંબન લઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તેઓની યોગમાર્ગની પ્રવૃત્તિ જોઈને વિચારી શકાય કે આ યોગમાર્ગની પ્રવૃત્તિ કોઈક ઋષિ પાસેથી તેઓને પ્રાપ્ત થઈ છે, અને તે ઋષિએ તેમને નિત્યદેશના દ્વારા યોગમાર્ગમાં ઉત્સાહી કર્યા છે, તો વળી અન્ય કોઈ ઋષિએ અનિત્યદેશના દ્વારા તેમને યોગમાર્ગમાં ઉત્સાહી કર્યા છે. તેથી તેઓની નિત્યદેશના કે અનિત્યદેશના છે, તેટલું માત્ર વિચારીને, તે ઋષિઓ અસંબદ્ધ કહે છે અને તેના પ્રણેતા સર્વજ્ઞ નથી, તેમ કહેવું છદ્મસ્થને ઉચિત નથી; પરંતુ વિચારવું જોઈએ કે તે તે નયઅપેક્ષાએ આ ઋષિઓની દેશના છે, અને તે તે નયો સમ્યગ્બોધ કરાવીને તેઓને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. માટે તે સર્વદર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે, તેમ માનવામાં કોઈ વિરોધ નથી. II૨૯લા અવતરણિકા : तस्मात्सर्वज्ञवचनमनुसृत्यैव प्रवर्तनीयं, न तु तद्विप्रतिपत्त्याऽनुमानाद्यास्थया स्थेयं, तदननुसारिणस्तस्याव्यवस्थितत्वादित्यत्रभर्तृहरिवचनमनुवदन्नाह અવતરણિકાર્ય : તે કારણથી સર્વજ્ઞતા વચનને અનુસરીને જ પ્રવર્તવું જોઈએ=અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં પ્રવર્તવું જોઈએ, પરંતુ તેની વિપ્રતિપત્તિથી=સર્વજ્ઞની વિપ્રતિપત્તિથી, અનુમાન આદિની આસ્થા વડે, રહેવું જોઈએ નહીં= અનુમાનાદિથી અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં યત્ન કરવો જોઈએ નહીં; કેમ કે તેના અનનુસારી એવા તેનું=સર્વજ્ઞના વચનના અનનુસારી એવા અનુમાનાદિનું, અવ્યવસ્થિતપણું છે. રૂત્યત્ર=એ કથનમાં=સર્વજ્ઞવચનના અનનુસારી અનુમાનાદિનું અવ્યવસ્થિતપણું છે એ કથનમાં, ભર્તૃહરિના વચનના અનુવાદને કરતાં ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ: - Jain Education International શ્લોક-૧૩માં કહેલ કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે. ત્યાં શંકા થઈ કે સર્વ દર્શનકારોનાં શાસ્ત્રો ભિન્ન-ભિન્ન છે, તેથી શાસ્ત્રશ્રદ્ધા - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy