SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૫ બળદ, નિત્ય ભમતો પણ વિરુદ્ધઅક્ષપણું હોવાને કારણે=આંખે પાટા બાંધેલા હોવાને કારણે, તેના પરિમાણને=પ્રાપ્તિના પરિમાણને, જાણતો નથી; એ રીતે સ્વપક્ષના અભિનિવેશમાં અંધ વિચિત્ર બોલતા પણ, આ પણ વાદીઓ મોક્ષમાં જવાની ઈચ્છાવાળા પણ વાદીઓ, ઉચ્યમાન તત્ત્વને પ્રતિપક્ષ દ્વારા કહેવાતા તત્વને, પ્રાપ્ત કરતા નથી. “તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. પંપા નોંધ :- શ્લોકમાં તો શબ્દ છે, તેથી ટીકામાં તિનપવિત્' શબ્દની પૂર્વમાં તો પાઠ હોવો જોઈએ. સર્વે અહીં ‘ગ' થી એ કહેવું છે કે કોઈ એક દર્શનવાળા તો વાદ-પ્રતિવાદ કરે છે, પરંતુ સર્વ પણ દર્શનવાળાઓ વાદ-પ્રતિવાદ કરે છે. જ ‘મુમુક્ષો' અહીં 'મા' થી એ કહેવું છે કે દૃષ્ટિ બહારના સ્વસ્વદર્શનમાં બદ્ધ આગ્રહવાળા જીવો તો વાદ-પ્રતિવાદ કરતા હોય છે, પરંતુ મોક્ષમાં જવાની ઇચ્છાવાળા ચાર દૃષ્ટિવર્તી જીવો પણ સ્વદર્શનના રાગથી અવિચારક રીતે વાદપ્રતિવાદ કરતા હોય છે. વમેતેડા' જેમ બળદ નિરુદ્ધ અક્ષપણાસ્વરૂપે ફર્યા કરે છે, તેમ આ પણ વાદીઓ=બળદ તો ફરે છે, પરંતુ આ પણ વાદીઓ, પોતાના પક્ષના અભિનિવેશથી, વાદપ્રતિવાદ કર્યા કરે છે, તેનો ‘વ’ થી સમુચ્ચય છે. “ વિત્ર વત્તોડ' અહીં ‘મપિ' થી એ કહેવું છે કે જેઓ અપટુ છે, અને વિચિત્ર પ્રકારની યુક્તિઓને બોલતા નથી, તેઓ તો કહેવાતા તત્ત્વને પામતા નથી, પરંતુ વિચિત્ર યુક્તિઓને બોલતા એવા પણ વાદીઓ પ્રતિવાદી દ્વારા કહેવાતા તત્ત્વને પ્રાપ્ત કરતા નથી. ભાવાર્થ - કુતર્કના ત્યાગ માટે પતંજલિ ઋષિનું વચન : શ્લોક-૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અવેદસંવેદ્યપદને જીતવા માટે કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ શ્રુતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ; અને શ્લોક-૪માં કહ્યું કે તેમાં માર્ગાનુસારી બુદ્ધિવાળા એવા પતંજલિ ઋષિએ ભવિષ્યમાં થનારા યોગીઓના હિત માટે મોહરૂપી અંધકારનો નાશ કરાવનારું વચન કહ્યું છે. તેથી હવે પતંજલિ આદિ ઋષિનું વચન બતાવે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy