SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કપ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧ર વડે પત=સર્યું; અતીન્દ્રિયાર્થસિદ્ધચર્થ અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે =આનો કુતર્કનો પુત્ર-ક્યાંય પણ નાવાશ=અવકાશ નથી. ૧૨ાા શ્લોકાર્ચ - તે કારણથી અસમંજસકારી એવા કુતર્ક વડે સર્યું; અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે ક્યાંય પણ આનો અર્થાત્ કુતર્કનો અવકાશ નથી. ૧ર ટીકા : तदिति-तदसमञ्जसकारिणा-प्रतीतिबाधितार्थसिद्ध्यनुधाविना पर्याप्तं कुतर्केण, अतीन्द्रियार्थानां धर्मादीनां सिद्ध्यर्थं नास्य-कुतर्कस्य कुत्रचिदવેશ: Jા૨ાા ટીકાર્ય : તસમક્ઝારિ ... ત્રચવવા મા તે કારણથી પૂર્વમાં બતાવ્યું એવો અસંબદ્ધ પ્રલાપ કરનાર કુતર્ક છે તે કારણથી, અસમંજસકારી= પ્રતીતિબાધિત પદાર્થની સિદ્ધિ માટે પ્રવર્તતા એવા, કુતર્ક વડે સર્યું; કેમ કે અતીન્દ્રિય અર્થરૂપ ધર્માદિની સિદ્ધિ માટે આલોકકુતર્કનો, ક્યાંય પણ અવકાશ નથી. ૧૨ાા ભાવાર્થ - અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં કુતર્ક અનુપયોગી : શ્લોક-૬ થી ૧૧માં સ્થાપન કર્યું તે પ્રમાણે કુતર્ક પ્રતીતિથી બાધિત અર્થની સિદ્ધિ માટે પ્રવર્તનારો છે. તેથી એવા કુતર્કથી સર્યું, કેમ કે અતીન્દ્રિય એવા ધર્માદિ પદાર્થો કુતર્કથી ક્યારેય સિદ્ધ થઈ શકતા નથી. માટે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે દૃષ્ટાંતના અવલંબનથી સ્વમતિ અનુસાર કલ્પના કરીને અતીન્દ્રિય પદાર્થોને સિદ્ધ કરવાનો પ્રયત્ન ઉચિત નથી. તો અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કઈ રીતે થઈ શકે ? તે ગ્રંથકાર સ્વયં આગળના શ્લોકમાં બતાવે છે. શા અવતરણિકા - પૂર્વશ્લોક-૧૨માં સ્થાપન કર્યું કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે કુતર્ક સમર્થ નથી; કેમ કે સ્વમતિકલ્પના પ્રમાણે પદાર્થ નક્કી કરીને દૃષ્ટાંતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy