SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ અને પ્રામાણિક એવા ગૌરવઆદિનું પણ અદોષપણું છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ।।૧૦|| ૩. * ‘ત્વનાોરવિમ્' - અહીં ‘આર્િ’ થી શરીરકૃત ગૌરવ અને ઉપસ્થિતિકૃત ગૌરવનું ગ્રહણ કરવું. * ‘ત્પનાસહસ્ત્રવિ’ - અહીં ‘વિ’ થી એ કહેવું છે કે બે-ચાર કલ્પનાથી તો સ્વભાવ અન્યથા કરવો શક્ય નથી, પણ હજાર પણ કલ્પનાથી સ્વભાવ અન્યથા કરવો શક્ય નથી. • ‘ત્વનાભાવેનાપિ’ – અહીં ‘પિ’ થી એ કહેવું છે કે કલ્પનાલાધવ ન હોય તો તો સ્વભાવાંતર કલ્પના ન થાય, પરંતુ કલ્પનાલાઘવથી પણ સ્વભાવાંતરની કલ્પના ન થાય. ૢ ‘ત્યન્યતેઽપીતિ’ - અહીં ‘’િ થી એ કહેવું છે કે કલ્પનાગૌરવનું જ્ઞાન ન હોય તો ત્યાગ ન થાય, પરંતુ કલ્પનાગૌરવના જ્ઞાનથી ત્યાગ પણ થાય છે. * ‘ગૌરવેઽપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ગૌરવ ન હોય તો તો અપ્રામાણિકપણાનું દુર્રહપણું છે, પણ ગૌરવ હોય તોપણ અપ્રામાણિકપણાનું દુગ્રહપણું છે. * ‘ગોરવાવેરવોષત્વાત્’ - અહીં ‘નોરવાવે.’ ના વિ થી અનવસ્થાનું ગ્રહણ કરવું, અને ‘પિ’ થી એ કહેવું છે કે પ્રામાણિક એવા લાઘવનું તો અદોષપણું છે, પણ પ્રામાણિક એવા ગૌરવનું પણ અદોષપણું છે. ભાવાર્થ: કુતર્કનું સ્વરૂપ : શ્લોક-૮-૯માં સ્થાપન કરેલ કે જો ક્ષણિકવાદી પાણીના શૈત્યસ્વભાવના દૃષ્ટાંતથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરતો હોય તો પ્રતિવાદી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ પણ લોહચુંબકના દૃષ્ટાંતના બળથી સ્થાપન કરે તો ક્ષણિકવાદી તેને ઉત્તર આપી શકે નહીં. તેનાથી શું ફલિત થાય છે ? એ બતાવે છે દૃષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે, તે પ્રકારનો અન્યથાસ્વભાવના વિકલ્પરૂપ કુતર્ક કોના દ્વારા નિવારણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy