SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫o કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૪ “न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । મોદધિમુક્કીનાં તત્ત્વમેવાશ્રય તત:” | (વો . સ્નોવા-૨૦૨) ૨૪ ટીકાર્ય : તત્ત્વતો તત:” iા અને ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્યનું ગ્રહણ હોવાને કારણે તત્વથી શાસ્ત્રભેદ નથી; કેમ કે શાખાઓનો ધર્મપ્રણેતાઓનો અભેદ છે. અહીં પ્રશ્ન થાય કે સર્વદર્શનના ધર્મપ્રણેતાઓ જુદા જુદા છે, એવું લોકને પ્રતીત છે. તેથી સર્વ ધર્મપ્રણેતાઓનો અભેદ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – તે તે નયની અપેક્ષાએ દેશનાભેદ હોવાને કારણે જસ્થૂલ બુદ્ધિવાળાઓને સ્કૂલ બુદ્ધિવાળા લોકોને, તેના ભેદનું અભિમાન હોવાથી=શાસ્તાઓના ભેદતો ભ્રમ હોવાથી, પરમાર્થથી શાસ્તાઓનો અભેદ છે, એમ અવય છે. આથી જ કહે છે–પરમાર્થથી શાખાઓનો અભેદ હોવાના કારણે શાસ્ત્રનો અભેદ છે, આથી જ કહે છે – તત=સ્મા–તે કારણથી શાસ્તાઓનો પરમાર્થથી અભેદ છે તે કારણથી, તદઅધિમુક્તિઓનું શાસ્તામાં શ્રદ્ધાવાળાઓનું સ્વસ્વદર્શનના પ્રણેતામાં શ્રદ્ધાવાળાઓનું, તેના ભેદનું આશ્રયણ શાસ્તાના ભેદનું આશ્રયણ અર્થાત્ આ દર્શનના શાસ્તા બુદ્ધ છે, અને આ દર્શનના શાસ્તા કપિલ છે, અને આ દર્શનના શાસ્તા વીર પરમાત્મા છે, એ પ્રકારના શાસ્તાના ભેદનું ગ્રહણ, મોહ છે-અજ્ઞાન છે; કેમ કે નિર્દોષપણા વડે સર્વેનું સર્વ શાસ્તાઓનું, એક્યરૂપપણું છે; અર્થાત્ જેમ વીર ભગવાન, ઋષભદેવ ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન નિર્દોષ હોવાને કારણે તે સર્વમાં એક્યપણું છે, તેમ ધર્મવાદને કરતારા એવા સર્વ શાસ્તાઓ પૂર્ણપુરુષ હોવાને કારણે સર્વનું એકરૂપપણું છે. તલુવતંત્રતે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે, ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૦૨માં કહેવાયું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy