Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 102
________________ ૮૫ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૨૪ (૬) તજ્ઞસેવા :- તજ્ઞસેવા =અને ઈષ્ટાદિ અનુષ્ઠાનના જાણનારાની સેવા અર્થાત્ પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી અધિક-અધિક અનુષ્ઠાન જાણનારાઓની સેવા. (૭) તવદર:- “ઘ' શબ્દથી તેમના અનુગ્રહનું ગ્રહણ કરવું=ઈષ્ટાદિ જાણનારાઓના અનુગ્રહનું ગ્રહણ કરવું. નોંધ :- ટીકામાં ‘શબ્દ તિવનુuદ' શબ્દ છે ત્યાં વાત્તવનુપ્રહ એવો પાઠ યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૨૩માં છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. આ આગળ બતાવ્યું એ, સાત વિશેષણવાળું સદનુષ્ઠાનનું લક્ષણ છે; કેમ કે તેના અનુબંધનું પ્રધાનપણું છે અર્થાત્ આવા પરિણામો જેનામાં વર્તતા હોય તેનું અનુષ્ઠાન અનુબંધપ્રધાન હોય છે. ૨૪ ભાવાર્થ : સદનુષ્ઠાનનું લક્ષણ - આ શ્લોકમાં સદનુષ્ઠાન સાત વિશેષણવાળું છે તેમ બતાવેલ છે, જે આ પ્રમાણે – (૨) માતર :- યત્નાતિશય એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. સદનુષ્ઠાન ઇષ્ટકર્મરૂપ હોય કે પૂર્તકર્મરૂપ હોય, તે ઇષ્ટકર્મ કે પૂર્તકર્મ જે રીતે શાસ્ત્રમાં કરવાનાં કહ્યાં છે, તે રીતે કરવાના અભિલાષવાળા યોગી, શાસ્ત્રથી તે ઇષ્ટકર્મ અને પૂર્તકર્મના સ્વરૂપને જાણવા માટે યત્ન કરે, જાણ્યા પછી તેનો બોધ સ્થિર કરવા માટે યત્ન કરે, અને સમ્યગ્બોધ કરીને શાસ્ત્રાનુસારે તે અનુષ્ઠાન કરવા માટે યત્નાતિશય કરે, તે સદનુષ્ઠાન પ્રત્યે આદરનો પરિણામ છે, જે સદનુષ્ઠાનનું પ્રથમ સ્વરૂપ છે. (૨) સર પ્રતિ :- સદનુષ્ઠાન કરવામાં પ્રીતિ એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. અનુષ્ઠાનને જાણવા માટે, જાણીને બોધને સ્થિર કરવા માટે, અને સ્થિર થયેલા બોધ અનુસાર કોઈ મહાત્મા અનુષ્ઠાનને સેવતા હોય ત્યારે સેવનકાળમાં, તે અનુષ્ઠાનમાં પ્રીતિ ઉલ્લસિત થતી હોય, જે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140