Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 105
________________ .. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૪-૨૫ તેવા પ્રકારની તેઓની પ્રવૃત્તિ જોઈને સદનુષ્ઠાન જાણનારાઓને પણ તે યોગી પ્રત્યે અનુગ્રહ કરવાનો પરિણામ થાય છે અર્થાત્ ‘હું આ યોગીને વિશેષ પ્રકારનાં અનુષ્ઠાન સેવવાનો ઉપાય બતાવું, જેથી આ યોગી પણ વિશેષ અનુષ્ઠાનને પ્રાપ્ત કરીને સંસારસાગરથી શીઘ્ર પારને પામે.' આવો ઇષ્ટાદિ સદનુષ્ઠાનના જાણનારાઓનો તે યોગી ઉપર અનુગ્રહ વર્તતો હોય છે. માટે સદનુષ્ઠાન જાણનારાઓનો અનુગ્રહ એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. સદનુષ્ઠાનનાં સાત વિશેષણો બતાવ્યાં, તે સર્વથી યુક્ત અનુષ્ઠાન અનુબંધપ્રધાન બને છે. માટે તેવા અનુષ્ઠાનને સદનુષ્ઠાન કહેલ છે. ૨૪॥ અવતરણિકા : શ્લોક-૨૩માં કહ્યું કે બુદ્ધિ આદિના ભેદોથી ઇષ્ટપૂર્ત કર્મો ચિત્રફળ આપે છે. તેથી શ્ર્લોક-૨૩માં અનુષ્ઠાનવિષયક બોધના બુદ્ધિ આદિ ત્રણ ભેદોનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણ પ્રકારના અનુષ્ઠાનવિષયક બોધથી થતા અનુષ્ઠાનના ફળભેદને બતાવે છે – શ્લોક ઃ भवाय बुद्धिपूर्वाणि विपाकविरसत्वतः । कर्माणि ज्ञानपूर्वाणि श्रुतशक्त्या च मुक्तये ।। २५ ।। અન્વયાર્થ: બુદ્ધિપૂર્વાળિ માં=િબુદ્ધિપૂર્વક કરાયેલાં કર્મો વિપાવિનસત્વતઃ=વિપાકથી અર્થાત્ ફળથી વિરસપણું હોવાને કારણે મવાવ=ભવને માટે છે–સંસારને માટે થાય છે, શ્રુતાવત્યા ઘ=અને શ્રુતશક્તિને કારણે જ્ઞાનપૂર્વાળિ=જ્ઞાનપૂર્વક કરાયેયાં કર્મો મુક્તયે=મુક્તિ માટે થાય છે. ।।રપા શ્લોકાર્થ : બુદ્ધિપૂર્વક કરાયેલાં કર્મો ફળથી વિરસપણું હોવાને કારણે ભવને માટે થાય છે, અને શ્રુતશક્તિને કારણે જ્ઞાનપૂર્વક કરાયેલાં કર્મો મુક્તિ માટે થાય છે. ।।૨૫।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140