Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 134
________________ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ ૧૧૭ તત્ત્વના અંતને પ્રાપ્ત કરાવી શકતાં નથી; કેમ કે કોઈક અનુમાતા એક પ્રકારે અનુમાન કરે છે, તો અન્ય વળી અનુમાતા અન્ય પ્રકારે અનુમાન કરે છે, તેથી કોઈ પદાર્થનો સ્થિર નિર્ણય થઈ શકતો નથી, પરંતુ અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞ સાક્ષાત્ જુએ છે. તેથી તેમના વચનને અનુસરીને તેનો નિર્ણય કરવા માટે યત્ન કરવામાં આવે તો સાચા તત્ત્વની પ્રાપ્તિ થાય. માટે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં સર્વજ્ઞના વચનનું જ અનુસરણ કરવું જોઈએ. II3II અવતરણિકા :अभ्युच्चयमाह - અવતરણિકાર્ય : અમ્યુચ્ચયને કહે છે – ભાવાર્થ : પૂર્વશ્લોક-૩૦માં કહ્યું કે સર્વજ્ઞના વચન વિના અતીન્દ્રિય પદાર્થોમાં અનુમાન કરવામાં આવે તો એક વડે કરાયેલ અનુમાન કરતાં અન્ય વડે અન્ય પ્રકારે પણ અનુમાન થઈ શકે છે. તેથી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય અનુમાનાદિથી થઈ શકે નહીં, પરંતુ સર્વજ્ઞના વચનથી જ થઈ શકે. તે વાતને દૃઢ કરવા માટે અભ્યશ્ચયન=સમુચ્ચયને, કહે છે – શ્લોક : ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ।।३१।। અન્વયાર્થ: દિ જો અતીન્દ્રિય પાર્થા=અતીન્દ્રિય પદાર્થો હેતુવાન હેતુવાદથી અનુમાનથી સાર=જણાય તો તાવતા અન્નેન=આટલા કાળથી તેy= તેઓમાં અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં પ્રા:=પ્રાજ્ઞ પુરુષો વડે નિશ્વા: ત: સ્થા—િનિશ્ચય કરાયેલો થાય. li૩૧TI Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140