Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia
View full book text
________________
જૈનત્વ. હસવું આવશે જે મૂખ હશે તે, આશ્ચર્ય પામશે જે કમ -અક્કલના હશો તો, પણ સંતુષ્ઠ થઈ આનંદીત થશે જે જગતનો શ્વાસ વન બરાબર પારખી શક્યા હશે તે
જૂનાં બળે હમે હાસતાં જેશે. જર્ણ દિવાલે કડડ કરતી પડતી જેશે અને ભ્રમિત મગજનાં ચૂસ્ત ભૂતો હમારી હામે આક્રમણ કરવા સુસજ બનતાં જોશો. હમે ગભરાતા નથી તે ચકકસજ છે- કારણુ જગતની પોલ હમે જાણી ગયા છે. અને જાણુને જરી દૂર જઇ જગત જેવા ઉભા રહ્યા છે--હમારા મજકુત પંઝાઓથી એ ભૂત બિચારાં કબજે થશે. હમે હવે કોઇનુંયે બ્રહ્મવાક્ય નહિ માને, કારણ બ્રહ્મા હમે પોતે જ બની ગયા છે-અરે, એટલું માનવા પુરતી શક્તિ તે કયારનીયે આવી જ ગઈ છે.
મંતવ્યની દ્રઢતામાં હમે કોઇનેયે આધાર નહિ લો, શીવાય હમારૂં પિતાનું માનસ અને હદય; હમારી પિતાની વિચાર અને કલ્પના શક્તિ; હમારે પિતાને અનુભવ અને જ્ઞાન ભંડોળ. ચારિત્રના પોષણમાં પણ હમે કોઈને યે નહિ સ્વિકારે શવાય હમારી પિતાની ઘડી કહાડેલી ક્રમ સીડી. હમે કદાચ હરિશ્ચંદ્ર અને મ. ગાંધીજીની આદર્શ સૃષ્ટિને ઘેલી કહેશે. હમે કદાચ (હમારી દષ્ટિએ ઘેલા થઈ ગયેલા) લોકોએ સ્વિકારેલા મહાન પુરૂષોને મૂર્ખ કહેશે, ભાવના–ઘેલા કહેશે. હમે ખોટા હશો તે કબુલ કરતાં હમને શરમ નથી આવવાની–આ હમારી અન્ય ભૂત-પૂર્વ લોકો કરતાં એક જમ્બર વિશિષ્ઠતા. હમને હમારી પોતાની બુદ્ધિ ઉપરજ પૂર્ણ વિશ્વાસ રહેશે. હમે હેનેજ મક્કમ વળગી રહેશે. પિતાની બુદ્ધિજ વાપરી જગતની કસોટીએ હડે અને જગતને બુદ્ધિવાન બના– આ હમારા તરફથી લેકને હાલમાં પ્રખર વેગથી અપાતે મારી દષ્ટિને સબોધ.•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116