Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 41
________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. ત્યારે “ઈશ્વર જે કરે ખરૂં” એ વાક્ય પ્રયોગ ક્યાંથી આવ્યો ? આત્માઓ મહાન કયા તે આપણે હમજ્યા. મહાન આત્માઓમાં શક્તિ થી તે આપણે જોઇ. એ આત્માઓને જ પ્રભુ માનીયે તો “પ્રભુ જાણે એ શબ્દ પ્રયોગ ત ખરે કારણ તેઓમાં અનંત જ્ઞાનની શકિત આપણે સમજી શક્યા. પણ “પ્રભુ કરે તે ખરૂં” એ વાક્ય પ્રયોગ બોટો-કારણ આપણું બાબતમાં હેને કંઇ લેવા દેવા છેજ નહિ. એ તો હેની પિતાની જ બાબતમાં તે જે કરે તે ખરૂં” એ વાક્ય પ્રયોગ સાચ્ચે હોઈ શકે છતાં સાધારણ જનતાને હમજાવવાની ખાતર આવી ગુંચવણ ભરેલી સિદ્ધાનિક ક્રિયાને કયું રૂપ આપવું તે એક મહાન પ્રશ્ન કહેવાય. કોઈ પણ પ્રકારનું મૂર્ત સ્વરૂપ (Perso ification) આપવાની ખાતર જે શકિતને લીધે જગતમાં સઘળું નિયમિત કે અનિયમિતપણે ચાલી રહ્યું છે, જુદાં જુદાં શરીર અને હેમની અવસ્થાએ બનતી રહી છે તે શકિતને ઇશ્વર અથવા તો પ્રભુ કહેવામાં આવ્યો હોય તે જરીયે અગ્ય નથી લાગતું. અને આને લીધે “ઈશ્વર કરે તે ખરૂં' એ વાકય પ્રયોગ સામાન્ય જનતાની ખાતરજ મૂકવામાં આવ્યો હોય તે સંભવિત છે. પણ હાલ તેનું પરિણામ શું આવ્યું? ઇશ્વર એક વ્યકિત બની ગઈ-સત્તા અને પ્રભાવશાળી જગત હેના હાથે રચાયું અને આપણે તે હેના બનાવેલા માટીના પૂતળા એમજ તત્વજ્ઞાન શરૂ થયું. ઇશ્વરને લુહાર. સુવાર કે પછી કુંભાર કહેવાની ઉપરના તત્વજ્ઞાનેને લીધે કે તરફથી ધૃષ્ટતા શરૂ થઈ. જે મહાન આત્મામાં સધળી શકિત છે પણ શકિતને ઉપયોગ પોતાના મોક્ષની ખાતર તે કરતો નથી અને જેને છ તથા મરી આપણે પ્રેરણાજ મેળવવાની છે તે મહાન આત્માને આવા ધંધાના ખાસ ચિહને (@alifications) લગાવવા તે તે -તત્ત્વજ્ઞાનીઓનું વિચિત્ર નહિ તો બીજુ શું? તે એવા સ્વાર્થી આત્મા જગતને શું કામના? જગત પર -હેમનો કઇ પ્રકારનો કાર ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116