Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ નગર પાણિનીના સમયમાં અને મિત્રોના સમયમાં સારી સ્થિતિમાં હતું.
“વિવિધ તીર્થ કલ્પ'માં તેજપાલે તંભતીર્થમાં નેમિનાથની. મૂર્તિ અને પૂર્વજોની મૂર્તિઓ અને હસ્તિશાલા કરાવ્યાનું તથા. વરધવલે વસ્તુપાલતેજપાલને બોલાવી સ્તંભતીર્થ અને ધવલહકકની સત્તા સુપ્રત કર્યાનું એમણે જણાવ્યું હતું. પુરાતન પ્રબંધસંગ્રહ'માં. કોઈ એક વેપારીને સ્તંભતીર્થ અને ધવલહક્કની સત્તા સુપ્રત કર્યાનું. એમણે જણાવ્યું હતું. “પુરાતન પ્રબંધસંગ્રહમાં કઈ એક વેપારી તંભતીર્થ ગયાને, વસ્તુપાલે સ્તંભતીર્થમાં સરસ્વતીભંડાર. કરાવ્યાને તથા કુમારપાળ ગુપ્ત વેશે ખંભાતમાં ઉદયન મંત્રી પાસે ગયાને ઉલેખ ઈતિહાસમાં મળે છે.
કવિ શાંતિકુશળ, કવિ મેઘવિજય, કવિ કષભદાસ, કવિ મહિસાગર વગેરે મધ્યકાલીન કવિઓએ પોતાની કૃતિઓમાં ખંભાતનગરીનું વર્ણન કર્યું છે. યશોવિજયજી મહારાજ અને ખંભાત
ખંભાતના પં. છબીલદાસ કેશરીચંદ સંઘવીએ ઉપરોક્તવિષય પર નિબંધ ૨જૂ કર્યો હતો. તેમણે કહ્યું કે જૈન સાહિત્યને અદ્વિતીય રીતે પ્રકાશમાં લાવવામાં ચાર મહાસ્તંભરૂપ ચાર મહાપુરુષો થયા – સિદ્ધસેન દિવાક સૂરિ, હરિભદ્રસૂરિ, કવિકાલસર્વજ્ઞ. હેમચ દ્રાચાર્ય અને “ઉપાધ્યાય'ના ટૂંકા નામથી પ્રસિદ્ધ યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજીએ ખંભાતમાં રહીને કેટલાક ગ્રન્થની રચના કરી હતી, જેમ કે : (1) સાધુવંદણા (વિ સં. ૧૭- ૧ના ચાતુર્માસમાં વિજયાદશમીના દિવસે રચના), (૨) મૌન એકાદશીના ૫૦ કલયાણકનું સ્તવન ( વિ. સં૧૭-૨નાદિવાળીના દિવસે પૂર્ણ થયું. ), (૩) નિશ્ચય વ્યવહારવિદ શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org