________________
૨પર
ધમ-ધમ્પિલકુમાર
--
-
હતા. સતી નારીનું આ સૌભાગ્ય કાંઈ જેવું તેવું ન ગણાય. ચંદનબાળા રાજકુંવરી હતી, કૌશીબીની બજારમાં એ વેચાઈ એના પગમાં બેડીઓ પડી, એના મસ્તકે મુંડન થયું છતાં એ પિતાના શીલથી ન ડગી, મદરેખાને એના પિતાના જેઠ ઘણી ઘણી રીતે હેરાન કરી, મદનરેખાના પતિનું ખૂન કરવામાં આવ્યું, એ વિકટ અરણ્યમાં એકલી રઝળી, છતાં પિતાનું શિયલ ન છેડયું. નર્મદા સુંદરી વેશ્યાના આવાસમાં આવી ચડવા છતાં પોતાના શિયલને અખંડિત રાખી શકી. સુભદ્રા, પોતાના પતિની શંકાનો ભોગ બની. પણ જ્યારે સુભદ્રાએ પોતાના શિયલને પ્રભાવે નગરીના દરવાજા ઉઘડાવ્યા ત્યારે તેને ખાત્રી થઈ કે સુભદ્રા સતી શિરોમણિ હતી. સતીધર્મની વ્યાખ્યા કરતાં. ઉપદેશના કરમાં એક સ્થળે કહ્યું છે કે – . या शीलभगसामग्रीसंभवे निश्चला मतिः ।
सा सती स्वपतौ रक्तेतराः सति गृहे गृहे ।
શીલને ભંગ થવાની સામગ્રીને સંભવ છતાં પણ જેની બુદ્ધિ નિશ્ચળ રહે. પિતાના પતિને વિષે જ અનુરક્ત રહે તે સ્ત્રી સતી કહેવાય. બાકી તે બીજી સ્ત્રીઓ ઘેર ઘેર છે. એ પછી એના અનુસંધાનમાં સતી શીલવતીની કથા આપવામાં આવી છે. સતી શીલવતીને લેભાવવા, સતીધર્મની પરીક્ષા કરવા મહારાજાએ પિતે ઘણું ઘણુ યુક્તિઓ કરી પણ એ યુકિતની જાળમાં મહારાજા, મંત્રી, સેનાપતિ ને કેટવાળ ફસાઈ પડયા. મહારાજા અને તેમના મંત્રીએ