________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ જે વેચાણ થયાં તેની ૧૯૨૫ માં સેટલમેંટ અમલદાર સાચા તપાસણી ભાગ્યે જ કરી શક્યા હશે.” અને છતાં એ જ અમલદારે તૈયાર કરેલી (ગણતના આંકડાવાળી) પુરવણું એને આંખ મીચીને કમિશનરે સ્વીકારી, – કારણ પિતે વધારે શી રીતે સૂચવે? પિતાને પણ કાંઈ પાયો મળવો જોઈએ ના!
આમ ખોટા આંકડાનો આશ્રય લેવા ઉપરાંત મિ. ઍડર્સન એક બાબતમાં તે ભીંત જ ભૂલ્યા. પિતાની ૨૯ ટકા વધારાની ભલામણનું મંડાણ માંડતાં તેમણે પિતાના જેવા જવાબદારી અમલદારને ન છાજે એવી ગણતરીની ભૂલ કરી:
શ્રી. જયકરે ૪૨,૯૨૩ એકરનાં ગણાતે લીધાં છે. કુલ જમીન ૧,૨૬,૯૮૨ એકર છે, એટલે આખા તાલુકા અને મહાલની ત્રીજા ભાગ જેટલી જમીન ગણેતે અપાય છે. એમાં વળી આવભાગે અને બીજી રીતે અપાતી જમીન ગણીએ તે આ ગણોતે અપાયેલી જમીન અર્ધા ભાગની થઈને ઊભી રહે.”
મિ. ઍડર્સન ભૂલી ગયા કે શ્રી. જયકરે સાત વર્ષોનાં ગણતો લીધાં હતાં, અને આ ગણોતો જેટલાં વર્ષોનાં હોય તેટલાં વર્ષોએ ગુણીને પત્રક કર્યા છે. એટલે ૪૨,૯૨૩ એકર જમીનનાં ગણોતો. તે તો ૬,૦૦૦થી વધારે એકર જમીનનાં ગણતો નથી. આમ પાંચદશ ટકા ગણોતની જમીનને બદલે મિ. ઍડર્સને માની લીધું, કે અર્ધઅર્ધ જમીન ગણોતે અપાય છે !
આમ સરકારની આગળ બે ઢંગધડા વિનાના રિપોર્ટી જઈને પડ્યા. બેમાંથી કયો પસંદ કરે ? એક તરફ વાવ, બીજી તરફ કૂવો ! સરકારે કૂવો અને વાવ બંને પસંદ કર્યા; બંનેમાંથી કંઈક લીધું, ગણતનું ધોરણ પણ સ્વીકાર્યું ચડેલા ભાવનું રણ પણ સ્વીકાર્યું, અને ૨૨ ટકાની ભલામણ કરી.