________________
- ૩ જું -
બારડેલીમાં શું બન્યું?–સરકારપક્ષ જવાબ જ રહેતું નથી. આ સમજાયા પછી જ કદાચ સમજાશે કે મહેસૂલઆકારણી ખેતીના કુલ ઉત્પન્ન અને ભાવ ઉપર ન બાંધી શકાય પણ ગણોત ઉપર જ બાંધી શકાય. . . . શ્રી. જયરના રિપોર્ટના પ૭ થી ઉપમા ફકરા તે તદ્દન નકામા છે એમ કહીએ તો ચાલે, અરે, એટલું જ નહિ એમણે જે વધારે સૂચો છે તેના બચાવ માટે નહિ પણ તેની વિરુદ્ધ દલીલ એમાંથી મળે છે, એટલે એ “ફકરા તો ખરેખરા જોખમકારક છે. . . . આમ ખેતીનું ખર્ચ બાદ કર્યા વિના ખેતીનું ઉત્પન્ન ગણીને તેની ઉપર આકારણી બાંધીએ તે માર્યા જ પડીએ. એમ કરવામાં કેવી સ્થિતિ થાય છે તે ૬૫મા ફકરામાં લેવાનું મળે છે. ૬૬માં ફકરામાં શ્રી. જયારે વધારાની પિતાની જે સૂચના કરી છે તે કરતાં તેમની એ જ દશા થઈ છે. તેમણે બતાવ્યું છે કે ખર્ચ -આદ કર્યા વિનાનું ઉત્પન્ન એટલું બધું વધ્યું છે કે ૩૩ ટકા તે જરૂર વધારી શકાય. સાથે સાથે તેમને એમ પણ ખબર છે કે એના એ જ ભાવે. કદાચ કાચમ ન રહે, અને તેમ થાય તે વધારે પડતે વધારે સૂચ એ આરોપ આવે. એટલે તેમણે ડરતાં ડરતાં અને કશું કારણ બતાવ્યા વિના ૨૫ ટકા વધારે “ગ્ય અને ન્યાયયુક્ત” છે એમ જણાવ્યું છે. જે સરકારની વધારાની હદ ૭૫ ટકા હેત તે તેમણે કદાચ કહ્યું હતું કે ૬૫ ટકા વધારો “યોગ્ય અને ન્યાયયુક્ત” છે.”
આમ શ્રી. જ્યકરના રિપોર્ટને આખે પાયો જ નાબૂદ કરનારે રિપિટ સરકાર શી રીતે પ્રસિદ્ધ કરવાની હિંમત કરી
શ્રી. જ્યકરના રિપટને ઉડાડી દઈને એંડર્સને ન જ પાયે શો, એ પાયો તે “આપણું એક જ સાચું એધાણ – ગણેત.” આ પાયો શ્રી. જયકરના કરતાં કંઈ વધારે મજબૂત નહોતો, એટલો જ તે કાચો હતો. મિ. ઍડર્સન કહે છે કે શ્રી. જ્યકરના રિપોર્ટમી ખરી કિંમત એની પુરવણીમાં રહેલી છે. છતાં એ જ પુરવણીમાંની એક અગત્યની પુરવણું જી વિષે તેમની ટીકા જુઓ:
“પુરવણી જી (વેચાણના આંકડાવાળી) જેટલી કાળજીથી તૈયાર થવી જોઈએ તેટલી કાળજીથી તૈયાર નથી થઈ એથી મને ખેદ થાય છે. એમાં એટલા બધા વેચાણદસ્તાવેજો લીધા છે કે ઘડીભર વિચાર કરનારને જણાશે કે ૧૯૦૧ની અને ૧૯૧૦ વચ્ચે
(૨૧