________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XI
ભૂમિકામાં કર્યો છે. સર્વાર્થસિદ્ધિ ભાષાવચનિકા આદિ સમાન એમણે અષ્ટપાહુડમાં પણ ઘણો જ ભવ્ય પ્રયાસ કર્યો છે. એમણે અતિ કઠિન ગ્રંથોના પણ સાદી હૃદયગ્રાહી ભાષામાં અનુવાદ કરી સમાજની એક ઘણી મોટી ત્રુટિને પૂરી કરી છે. આ કારણથી એમના વિષયમાં સમાજ ઘણો જ આભારી હોય તે યોગ્ય જ છે.
આ પાહુડ ગ્રંથ યથાનામ તથા વિષયમાં આઠ વિભાગમાં વિભક્ત છે. જેમકે દર્શનપાહુડમાં દર્શન વિષયક કથન, સૂત્ર પાહુડમાં સૂત્ર (શાસ્ત્ર) સંબંધી કથન ઇત્યાદિ, પંડિતજીએ આ ગ્રંથની ટીકાની સમામિ વિક્રમ સંવત ૧૮૬૭ ભાદ્રપદ સુદી ૧૩ ના રોજ કરી છે, કે જે આ ગ્રંથની પ્રશસ્તિમાં એમણે લખ્યું છે
સંવત્સર દશ આઠ સત સતસઠિ વિક્રમરાય, માસ ભાદ્રપદ શુક્લતિથિ તેરસિ પૂરન થાય.
પંડિતજીના ગ્રંથોમાં આદિ તથા અંતમાં મંગલાચરણથી જણાય છે કે પોતે પરમ આસ્તિક હતાઃ દેવ, ગુરુ. શાસ્ત્રમાં પૂર્ણ ભક્તિ રાખતા હતા. સત્ય તો આ છે આસ્તિકતા તથા ભક્તિ છે ત્યાં સર્વેની ઉપકારકØ બુદ્ધિ પણ છે. આ વાત આપણા પંડિતજીમાં હતી. તેથી તેમનામાં પણ એવી બુદ્ધિ તથા અન્ય માન્ય ગુણ હુતા. માટે તેઓ આપણા તથા સર્વ સમાજને માન્ય છે. હવે આપણે આકાંક્ષા કરીએ કે તેઓ શીધ્ર અનંત તથા અક્ષય સુખના અનંત કાલના ભોગી થાઓ.
આ ગ્રંથની ભૂમિકાની સાથે અમે વાચકોની સગવડતા માટે ગાથા તથા વિષયસૂચિ પણ આપી છે. હવે અમારું અંતિમ નિવેદન છે કે અલ્પજ્ઞતાને કારણે આ ભૂમિકા તથા ગ્રંથસંશોધનમાં અમારી ઘણી ત્રુટિઓ રહી ગઈ હશે. તો આપ સુજ્ઞ સુધારીને અમને ક્ષમા કરશો.
મુંબઈ તા. ૧૫-૧૨-૧૯૨૩ ઈસવીસન. માગસર સુદી ૮–૧૯૮૦ વિક્રમ સંવત.
વિનીત રામપ્રસાદ જૈન, મુંબઈ
આ ગ્રંથમાં પ્રાકૃત ગાથાની ગુજરાતી પધમાં હરિગીત છંદમાં ગાથાઓ પંડિત શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે રચી છે તે બદલ તેમનો આભાર માનું છું.
અષ્ટપાહુડનો ગુજરાતી અનુવાદ તા. ૨૫-૧૦-૮૪ ના દિને કોરપસ-ક્રીસ્ટી- ટેકસાસ. યુ. એસ. એ માં સંપૂર્ણ કર્યો.
-તારાચંદ રવાણી C/o કિશન ટી. રવાણી ૩ Heritage Valley Drive, SEWELL N.J.08080 U.S.A.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com