________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XX
રહ્યો. પ્રરૂપણા પણ જેમ છે તેમ રહી; તેઓ દિગમ્બર કહેવાયા. આ સંપ્રદાય અનુસાર શ્રી વર્ધમાનસ્વામીના નિર્વાણ થયા બાદ ૬૮૩ વર્ષ પછી બીજા ભદ્રહુસ્વામી થયા. તેમની પરિપાટીમાં કેટલાય વર્ષો બાદ મુનિ થયા જેમણે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું.
એક ધરસેન નામના મુનિ થયા તેમને અગ્રાયણીપૂર્વનો પાંચમો વસ્તુ અધિકાર તેમાં મહાકર્મ પ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતનું જ્ઞાન હતું. એમણે આ પ્રાભૂત ભૂતબલી અને પુષ્પદંત નામના મુનિઓને ભણાવ્યા. એ બન્ને મુનિઓમાં આગામી કાળદોષથી બુદ્ધિની મંદતા જાણીને તે પ્રાભૃતને અનુસરીને પખંડસુત્રની રચના કરી પુસ્તકરૂપમાં લખીને તેનું પ્રતિપાદન કર્યું. તેમના પછી જે મુનિ (વીરસેન) થયા એમણે તે સુત્રો વાંચીને વિસ્તારથી ટીકા કરીને ધવળ, મહાધવળ, જયધવળ આદિ સિદ્ધાંતોની રચના કરી. તેમના પછી તેમની ટીકાઓ વાંચીને શ્રીનેમિચંદ્ર આદિ આચાર્યોએ ગોમ્મદસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો બન
આ પ્રકારે આ પ્રથમ સિદ્ધાંતની ઉત્પત્તિ છે. આમાં જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલી આત્માની સંસારપર્યાયના વિસ્તારના ગુણસ્થાન માર્ગણાસ્થાન આદિ રૂપમાં સંક્ષિણથી વર્ણન છે. આ કથન તો પર્યાયાર્થિકનયને મુખ્ય કરીને છે; આ જ નયને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયા પણ કહે છે, તથા આને જ અધ્યાત્મ ભાષામાં અશુદ્ધ નિશ્ચયનય અને વ્યવહારનય પણ કહે છે.
ભદ્રબાહુસ્વામીની પરંપરામાં જ બીજા ગુણધર નામના મુનિ થયા. તેમને જ્ઞાનપ્રવાહ પૂર્વના દસમા વસ્તુ અધિકારમાં ત્રીજા પાહુડનું જ્ઞાન હતું. તેમના આ પાહુડને નાગહસ્તી નામના મુનિએ વાંચ્યું. તેઓ બન્ને મુનિઓ યતિનાયક નામના મુનિએ વાંચીને તેની ચૂર્ણિકા રૂપે છે હજાર સૂત્રોના શાસ્ત્રની રચના કરી, તેની ટીકા સમૃદ્ધરણ નામના મુનિએ બાર હજાર સૂત્ર પ્રમાણની કરી.
આ પ્રકારે આચાર્યોની પરંપરાથી કુન્દ્રકુન્દમુનિ તે શાસ્ત્રોના જ્ઞાતા થયા. આ રીતે આ દ્વિતીય સિદ્ધાંતની ઉત્પત્તિ થઈ. તેમાં જ્ઞાનને મુખ્ય કરી શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું કથન છે. અધ્યાત્મ ભાષામાં આત્માનો જ અધિકાર હોવાથી આને શુદ્ધનિશ્ચય તથા પરમાર્થ પણ કહે છે. આમાં પર્યાયાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહીંને અસત્યાર્થ કહ્યો છે.
આ જીવને જ્યાં સુધી પર્યાયબુદ્ધિ રહે છે, ત્યાં સુધી સંસાર રહે છે, જ્યારે તે શુદ્ધનયનો ઉપદેશ પામીને દ્રવ્યબુદ્ધિ પામે છે તથા પોતાના આત્માને અનાદિ-અનંત, એક, સર્વ પર દ્રવ્યો તથા પરભાવોના નિમિત્તથી ઉત્પન્ન થતા પોતાના ભાવોથી ભિન્ન જાણે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શુદ્ધોપયોગમાં લીન થાય છે ત્યારે તે જીવ કર્મોનો અભાવ કરી નિર્વાણ (મોક્ષ)ને પ્રાપ્ત થાય છે.
આ રીતે આ બીજા સિદ્ધાંતની પરંપરામાં શુદ્ધનયનો ઉપદેશ કરવાવાળા પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, પરમાત્મ પ્રકાશ આદિ શાસ્ત્રો છે; તેમાં સમય પ્રાભૃત નામનું શાસ્ત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com