________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XIII
કેટલાક મહુત્વપૂર્ણ શિલાલેખો આ પ્રકારે છે
કુન્દપુષ્પની શોભા ધારણ કરવાવાળી જિનની કીર્તિ દ્વારા દિશાઓ શણગારાઈ છે, જે ચારણો-ચારણ ઋદ્ધિધારી મહામુનિઓના સુંદર હસ્તકલોના ભ્રમર હતા અને જિન પવિત્રાત્મા એ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે તે વિભુ કુન્દુકુન્દ આ પૃથ્વી પર કોના દ્વારા બંધ નથી ? ' '
“યતીશ્વર (શ્રીકુન્દકુન્દ સ્વામી) રજ:સ્થાન પૃથ્વીતલ છોડીને ચાર આંગળ ઊંચે ગમન કરતા હતા, જેનાથી હું સમજું છું કે તેઓ અંતર અને બાહ્ય રજથી અત્યંત અસ્કૃષ્ટતા બતાવતા હતા. (અર્થાત્ તેઓ અંતરંગમાં રાગના મળથી તથા બાહ્યમાં ધૂળથી અસ્પષ્ટ હતા.)''
દિગમ્બર જૈન સમાજ કુન્દકુંદાચાર્યદેવના નામ તેમજ કામ (મહિમા)થી જેટલો પરિચિત છે એટલો એમના જીવનથી અપરિચિત છે. લોકેષણાથી દૂર રહેવાવાળા જૈનાચાર્યોની આ વિશેષતા રહી છે કે મહાનથી મહાન ઐતિહાસિક કાર્યો કરવા છતાં પણ તેઓ પોતાના વ્યક્તિગત જીવન સંબંધી કયાંય કોઈ ઉલ્લેખ કરતા નથી. આચાર્ય કુન્દુકુન્દ પણ આમાં અપવાદ નથી. તેમણે પણ પોતાના સંબંધી કયાંય કંઈપણ લખ્યું નથી. “દ્વાદશાનુપ્રેક્ષામાં માત્ર નામનો ઉલ્લેખ છે. આ જ પ્રકારે મોક્ષપાહુડમાં પોતાને દ્વાદશાંગના જ્ઞાતા તથા ચૌદ પૂર્વના વિપૂલ પ્રસાર કરનાર શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્ય છે એમ લખ્યું છે.''
આથી એમના જીવન સંબંધમાં બાહ્ય સાધનો પર આધાર રાખવો પડે છે. બાહ્ય આધારમાં પણ એમના જીવન સંબંધી વિશેષ સામગ્રી પ્રાપ્ત નથી. પરંપરાગત ગ્રંથકારોએ પણ આજ સુધી એમનો ઉલ્લેખ ખૂબજ શ્રદ્ધા તેમજ ભક્તિપૂર્વક કર્યો છે. શિલાલેખોમાં પણ તેમના નામના ઉલ્લેખો મળી આવે છે. આવા ઉલ્લેખોથી પણ તેમની મહાનતા ઉપર પ્રકાશ પડે છે તો પણ એનાથી એમના જીવન સંબંધી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી.
બાહ્ય સાધનોના રૂપમાં પ્રાપ્ત થતા ઐતિહાસિક લેખો, પ્રશસ્તિપત્રો, મૂર્તિલેખો, પરંપરાગત જનશ્રુતિઓ એમજ પરંપરાગત લેખકોએ કરેલા ઉલ્લેખો પર જ આધાર દ્વારા, વિદ્વાનો દ્વારા લખેલ આલોચના દ્વારા જે જાણકારી પ્રાપ્ત છે તેનો સાર-સંક્ષેપ બધો મળીને આ પ્રકારે છે:
આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં વિક્રમની પહેલી શતાબ્દિમાં કોન્ડકુન્દપુ (કર્ણાકટ)માં જન્મેલા કુન્દ્રકુન્દ અખિલ ભારતવર્ષીય ખ્યાતિ અને દિગ્ગજ આચાર્ય હતા. આપના માતા-પિતા કોણ હતા અને તેમના જન્મનો સમય, એમનું શું નામ રાખ્યું હતું? –આ તો જાણ નથી, પણ નંદિસંઘમાં દીક્ષા ધારણ કરતી વખતે પોતાનું નામ પદ્મનદી રાખવામાં આવ્યું હતું.
વિક્રમ સંવત ૪૯ માં પોતે નંદિસંઘના પદ પર સ્થાપિત થયા અને મુનિ પદ્મનંદી માંથી આચાર્ય પદ્મનંદી બન્યા. આ ઉપરાંત અધિક સન્માનના કારણે નામ લેવામાં સંકોચવૃત્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com