________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XIV
ભારતીય સમાજની પોતાની સાંસ્કૃતિક વિશેષતા રહેલી છે. મહાપુરુષોના ગામના નામોથી ઉપનામોથી સંબોધિત કરવાનું વલણ પણ તેનું જ પરિણામ છે. કૌડુકુન્દપુરના વાસી હોવાથી પોતાને પણ કીકુન્દપુરના આચાર્યના અર્થમાં કડકુન્દાચાર્ય કહેવા લાગ્યા. જે શ્રુતિ મધુરતાની દષ્ટિથી કાલાંતરે કુન્દ્રકુન્દાચાર્ય બની ગયા.
જો કે “આચાર્ય” પદ છે, તો પણ તે પોતાના નામ સાથે એવું એક રૂપ બની ગયું છે કે જાણે તે નામની સાથે એક અંગ જેવું થઈ ગયું છે. આ સંદર્ભમાં ચન્દ્રગિરિ પર્વતના શિલાલેખોમાં અનેકવાર જોડાયેલા નિમ્નાંકિત છંદ ઉલ્લેખનીય છે -
''श्रीमन्मुनीन्द्रोत्तमरत्नवर्णा श्री गौतमाद्या भविष्णावस्ते। तत्राम्बुधौ सप्तमहद्धि-युक्तास्तत्सन्ततौ नन्दिगणे बभूत।।३।। श्री पद्मनन्दीत्यनवद्यनामा ह्याचार्य शब्दौत्तरकोण्डकुन्दः।
द्रितीयमासीदभिधानमुद्य च्चरित्रसञ्जातसुचारणद्धि।।४।। મુનીન્દ્રોમાં શ્રેષ્ઠ પ્રભાવશાળી મહાન ગૌતમાદિ રત્નોના રત્નાકર આચાર્ય પરંપરામાં નંદિગણના શ્રેષ્ઠ ચરિત્રના ધણી, ચારણ ઋદ્ધિધારી પદ્મનંદી નામના મુનિરાજ થયા, જેમનું બીજું નામ-આચાર્ય શબ્દ છે અંતમાં જેમનું –એવા કડુકુન્દ હતું. અર્થાત્ કુન્દકુન્દાચાર્ય હતું.
ઉપરના છંદોમાં ત્રણ બિંદુ અત્યંત સ્પષ્ટ છે – ૧) ગૌતમ ગણધરના નામથી પછી કોઈ અન્યનો ઉલ્લેખ ન હોઈને કુન્દકુન્દનો જ
ઉલ્લેખ છે જે દિગમ્બર પરંપરામાં એમના સ્થાનને સૂચિત કરે છે. ૨) તેમને ચારણ ઋદ્ધિ પ્રાપ્ત હતી.
૩) તેમનું પદ્મનંદી પ્રથમ નામ હતું અને બીજું નામ કુન્દકુન્દાચાર્ય હતું. “આચાર્ય' શબ્દ નામનો જ ભાગ બની ગયો હતો, જો કે “કાવાર્ય શબ્દોત્તરપ્ટન્દ્ર:' પદથી અત્યંત સ્પષ્ટ છે. આ પણ સ્પષ્ટ છે કે આ નામ તેમના આચાર્યપદ પર પ્રતિષ્ઠિત થયા બાદ જ પ્રચલિત થયું, પરંતુ આ નામ એટલું બધું પ્રચલિત થયું કે મૂળ નામ પણ ભૂલાઈ ગયા જેવું થઈ ગયું.
ઉપરના કહેલા નામોથી ભિન્ન એલાચાર્ય, વક્રગ્રીવાચાર્ય અને વૃદ્ધપિચ્છાચાર્યને પણ તેમના નામો કહેવામાં આવે છે. આ સંદર્ભમાં વિજયનગરના એક શિલાલેખમાં એક શ્લોક મળી આવ્યો છે, જે આ પ્રકારે છે:
"आचार्य कुन्दकुन्दायो वक्रग्रीवो महामुनिः।
एलाचार्यो गुद्धपृच्छ इति तन्नाम पञ्चधा।। ઉપર લખેલા બધા નામોમાં કુન્દકુન્દાચાર્ય નામ જ સર્વથી અધિક પ્રસિદ્ધ નામ છે. જ્યારે એમનું મૂળનામ પદ્મનંદીને પણ ઘણા ઓછા લોકો જાણે છે. તો પછી બાકીના નામોની તો વાત જ કયાં કરવાની રહી?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com