________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: પ્રસ્તાવના :
આચાર્ય કુન્દકુન્દ અને અષ્ટપાહુડ
આચાર્ય કુન્દકુન્દ
| જિન-અધ્યાત્મના પ્રતિષ્ઠાપક આચાર્ય કુન્દકુન્દનું સ્થાન દિગમ્બર જિન-આચાર્ય પરંપરામાં સર્વોપરિ છે. બે હજાર વર્ષથી આજ સુધી સતત દિગમ્બર સાધુ પોતાને કુન્દકુન્દ્રાચાર્યની પરંપરાના કહેવામાં ગૌરવ અનુભવ કરતા રહ્યા છે.
શાસ્મસભામાં ગાદી પર બેસીને પ્રવચન કરતી વખતે ગ્રંથ અને ગ્રંથકારના નામની સાથોસાથ આ ઉલ્લેખ પણ જરૂરી માનવામાં આવે છે કે આ ગ્રંથ પણ કુન્દકુન્દ આમ્નાયમાં રચવામાં આવેલ છે. પ્રવચનની શરૂઆત કરતી વખતે ઉચ્ચારવામાં આવતાં શબ્દો આ પ્રકારે છે:
"अस्य मूलग्रन्थकर्तार: श्री सर्वज्ञदेवास्तदुत्तरग्रन्थ कर्तार: श्री गणधरदेवाः प्रतिगणधरदेवाषां वचनानुसारमासाद्य श्री कुन्दकुन्दाम्नाये......विरचितम्। श्रोतारः સાવધાનતયા શુગવસ્તુ''
ઉપરની પંક્તિયો ઉપરાંત મંગલાચરણ સ્વરૂપે જે છંદ બોલવામાં આવે છે, તેમાં પણ ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની સાથે એક માત્ર આચાર્ય કુન્દકુન્દનો જ સમગ્ર આચાર્ય પરંપરામાં નામોલ્લેખપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. બાકી બધાને “આદિ' શબ્દથી ગ્રહણ કરી લેવામાં આવે છે. આ રીતે આપણે જોઈએ કે જે પ્રકારે હાથીના પગલામાં બધાના પગલાંનો સમાવેશ થઈ જાય છે તેવી રીતે આચાર્ય કુન્દકુન્દમાં સમસ્ત આચાર્ય પરંપરાનો સમાવેશ થઈ જાય છે. દિગમ્બર પરંપરાના પ્રવચનકારો દ્વારા પ્રવચનના આરંભમાં મંગલાચરણસ્વરૂપ નીચે મુજબનો છંદ બોલાય છે, તેના શબ્દો આ પ્રકારે છે:
મંાનં માવાન વીરો, મંતં તમો Thi __ मंगलं कुन्दकुन्दाद्यो, जैन धर्मोस्तु मंगल।।
| દિગમ્બર જિનમંદિરોમાં બિરાજમાન લગભગ પ્રત્યેક જિનબિંબ (જિનપ્રતિમા કે જિનમૂર્તિ) પર કુન્દકુન્દાસ્નાયનો ઉલ્લેખ જોવામાં આવે છે. પરંપરાવર્તી ગ્રંથકારોએ પોતાની જે શ્રદ્ધા સાથે સ્મરણ કર્યું છે તેનાથી પણ આ ખ્યાલ આવે છે કે દિગમ્બર પરંપરામાં કુકુન્દાચાર્યનું નામ અજોડ છે. પોતાની મહિમા બતાવનારા શિલાલેખો પણ પ્રાપ્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com