Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૧
૧-૪૧,૪૨
[૪૧, ર તે કરણથી નિઃશલ્ય થઇને, સર્વશલ્યનો ત્યાગ કરીને જે કોઈ નિઃશલ્યપણે ધર્મનું સેવન ક્રે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ-જન્માંતરમાં વિપુલ, સંપત્તિ અને ઋદ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખને પામે છે.
[૪૩ થી ૪૭] શલ્ય અર્થાત અતિચારાદિ દોષોને ઉદ્ધરવાની ઇચ્છાવાળો ભવ્યાત્મા સુપ્રશસ્ત યોગવાળા, શુભ દિને, સારીતિથી ક્રણ-મુહૂર્ત, સારું નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દશ દિવસ સુધી ક્રીને ૮૦૦ પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જાપ રે. તેના ઉપર અઠ્ઠમ ક્રીને પારણે આયંબિલ રે. પારણા દિને ચૈત્ય-જિનાલય અને સાધુઓને વંદના રે. સર્વ પ્રક્ટરે આત્માને ક્રોધ રહિત અને ક્ષમાવાળો બનાવે. જે કંઈ દુષ્ટ વર્તન રેલ હોય તે સર્વેનું ત્રિવિધે – મન, વચ, કયાથી, નિઃશુલ્ય ભાવે “મિચ્છામિ દુક્કડમ” આપે.
૪િ૮ થી ૫૦] ફરી પણ ચેત્યાલયમાં જઈને વિતરાગ પ્રભુની પ્રતિમાઓને એકગ્રા ભક્તિપૂર્ણ હૃદયપૂર્વક દરેકની વંદના સ્તવના રે. ચૈત્યોને સમ્યગ વિધિ સહિત વંદના કરીને છઠ્ઠ ભક્ત તપ કરીને ચેત્યાલયમાં આ મૃતદેવતા નામક વિધાનો લાખ પ્રમાણ જાપ રે. સર્વભાવથી ઉપશાંત થયેલો, એક્સગ્ર ચિત્તવાળો, દઢ નિશ્ચયવાળો, ઉપયોગવાળો, ડામાડોળ ચિત્ત રહિત, રાગ-રાતિ-અરતિથી રહિત બની ચેત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જાપ ક્રે.
પિ૧] આ સૂબમાં મંત્રાક્ષરો છે. જેનો અનુવાદ થઈ ન શકે. જિજ્ઞાસુએ અમારું સામસુત્ત િભાગ-૩૯, મહાનિરીÉપૃષ્ઠ-૫ જોવું.
પિ સિદ્ધાંતિઓએ આ વિધા – “સૂત્ર-૫૧માં આપેલ મૂળ અર્ધમાગધીમાં છે તે મહાવિધા” લીપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રના મર્મ ન સમજેલો તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ કૃતધરોએ આ પ્રવચન વિધા ન આપવી કે તેવાને ન પ્રરૂપવી.
પિ૩ થી ૫૫] આ શ્રેષ્ઠ વિધાથી સર્વ પ્રકારે પોતાને અભિમંત્રિત ક્રીને એ ક્ષમાવાન, ઇંદ્રિય દમી, જિતેન્દ્રિય સૂઇ જાય. ઉંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારે, યાદ રાખે, ત્યાં જેવું સ્વપ્ન જોયું હોય તદનુસાર શુભ કે અશુભ થાય. જો સુંદર સ્વપ્ન હોય તો મહા પરમાર્થ સારભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું.
પિ૬, પ] આ રીતે આઠ મદ સ્થાન વિરહિત, લોદ્મગ્ર ભાગે બિરાજતા સિદ્ધોને સ્તવતો હોય, તેવા નિઃશલ્ય થવાની અભિલાષણાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને ગુરુ પાસે પ્રગટ કરીને શલ્ય રહિત થાય ત્યાર પછી પણ ચૈત્યો અને સાધુઓને વંદન ક્રી, વિધિપૂર્વક ખમાવે.
પિ૮ થી દર] પાપશલ્ય ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ-અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિલપે શલ્યોદ્ધાર કરે છે. એ રીતે શલ્યરહિત થઈ સર્વ ભાવે ફરી પણ વિધિ સહિત ચૈત્યોને વાંદે, સાધર્મિકોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એક્સ વાસ કર્યો હોય ગામે ગામ વિચર્યો હોય, જેમણે ક્કોર વચનોથી સારણાદિ પ્રેરણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org