Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારે ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે. એમ લોકોના દુઃખને જાણનાર સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ છે.
[૮૩૮] ભગવદ્ ! જે કોઈ સાધુ-સાધ્વી અથવા નિગ્રન્થ દ્રવ્ય સ્તવ રે તેને શું કહેવાય? ગૌતમ ! તે અસંયત, અયતિ, દેવદૂત્રનો ભોગી, દેવનો પૂજારી, ઉન્માર્ગનો પ્રતિષ્ઠાયક, શીલને દૂરથી તજનાર, કુશીલ, સ્વચ્છેદાચારી એવા શબ્દોથી બોલાવાય.
[૩૯] એમ હે ગૌતમ ! આમ અનાયાસ પ્રવર્તક આચાર્યો, ગચ્છનાયકો ઘણાં થયા. તેમાં મરક્તરત્ન સમ ગંતિવાળા કુવલયપ્રભ નામે મહાતપસ્વી અણગાર હતા. તેમને જીવાદિ પદાર્થો સંબંધે ઘણું જ સૂત્ર અને અર્થાદિ જ્ઞાન હતું. આ સંસાર સમુદ્રમાં તે-તે યોનિમાં રખડવાના ભયવાળા હતા. ત્યારે તેવું અસંયમ વર્તતું હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં કુવલયપ્રભ જિનાસા ઉલ્લંઘતા ન હતા.
હવે કોઈ સમયે બળ-વીર્ય-પુરુષાર પરાક્રમ છુપાવ્યા નથી એવા તે સશિષ્ય પરિવાર સહિત સર્વરૂપે પ્રરૂપેલા. આગસૂત્રને અનુસરનાર, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વમમત્વાદિથી રહિત, સર્વ પદાર્થોમાં દૂવ્ય, ક્ષેત્ર, કળ, ભાવથી નિર્મમત્વી થયેલા, વધુ તેમના કેટલાં ગુણો વર્ણવવા ?
ગામ, ખાણ, નગર, ખેડ, ર્બટ, મંડપ, દ્રોણ મુખાદિ સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મજ્જાનો ઉપદેશ આપતા વિચરતા હતા.
હવે કોઈક સમયે તે મહાનુભવ વિહાર કરતા ક્રતા ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ ક્રનારા રહેતા હતા. આ મહાતપસ્વી છે, એમ ધારીને વદન-આસનદાન આદિ સમુચિત્ત વિનય ક્રીને તેમનું સન્માન ક્યું. એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા. બેસીને ધર્મક્યાદિ વિનોદ રાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે તે મહાનુભાગ કુવલયપ્રભ આચાર્યને તેઓએ દુરંત પ્રાંત અધમલક્ષણવાળા, વેશથી આજીવિકા રનારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર, આભિગ્રહી મિથ્યાષ્ટિએ ક્યું કે – ભગવદ્ ! જે આપ અહીં એક ચાતુર્માસ રહેવાનો નિર્ણય ક્યો તો તમારી આજ્ઞાથી અહીં આટલા જિન ચેત્યો નક્કી #ાવવા તો અમારા ઉપર કૃપા ક્રીને આપ અહીં જ રહો.
હે ગૌતમ ! ત્યારે તે મહાનુભાગ કુવલયપ્રભ ર્યું કે – અરે ! પ્રિયવચન બોલનારાઓ. જો કે જિનાલય છે, છતાં પણ એ પાપરૂપ છે. હું વચનમાત્રથી પણ તેનું આચરણ કરીશ નહીં. આ રીતે શાસ્ત્રના સારભૂત ઉત્તમ તત્વને યથાવસ્થિત અવિપરીત નિઃશંક પણે હેતા તે મિથ્યાદેષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થક્ર નામ ગોત્ર ઉપાજ્ય અને એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાંખ્યો.
ત્યાં આગળ જેનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એક્કો થયેલ. તેણે તથા ઘણાં પાપમતિવાળા વેશધારીએ પરસ્પર એકઠાં મળીને હૈ ગોતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે કુવલયપ્રભ નામ હતું, તેનો વિલાપ ક્ય. એટલું જ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org