Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
ગાથા આવી
[૮૪૧] જે ગચ્છમાં કારણે, વત્રના આંતરા સહિત હાથથી સ્ત્રીના હાથનો સ્પર્શ રવામાં પણ અરહંત પણ પોતે તે ઉર સ્પર્શ ક્રે તો તે ગછ મૂલગુણ રહિત સમજવો.
૮િ૪] ત્યારે તેમણે વિચાર્યું કે જો અહીં હું યથાર્થ પ્રરૂપણા ક્રીશ તો તે સમયે વંદના ક્રતી તે આર્યાએ પોતાના મસ્તક વડે મારા ચરણાગ્રનો સ્પર્શ ક્યોં હતો. તે સર્વે આ ચૈત્યવાસીએ મને જોવો હતો. તો જે રીતે મારું સાવધાચાર્ય નામ પડ્યું. તે પ્રમાણે બીજું પણ તેવું અવહેલના ક્રનાર નામ ઠોકી બેસાડશે. જેથી સર્વલોક્માં હું અપૂજ્ય થઈશ. તો હવે સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપું. પરંતુ એમ કરવામાં મહા આશાતના થશે તો હવે મારે શું ક્રવું? આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન ક્રવી? અથવા જુદા રૂપે ક્રવી? અથવા અરેરે આ યુક્ત નથી. બંને પ્રકારે અત્યંત ગહણીય છે.
આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણ દ્રવી એ યોગ્ય ન ગણાય કેમ કે શાસ્ત્રનો અભિપ્રાય છે કે – જે સાધુ બાર અંગરૂપ શ્રુતવયનને વારંવાર ચૂકી જાય, સાલના પામે, પ્રમાદ રે, શંકદિના ભયથી એક પણ પદ. અક્ષર, બિંદુ, માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા રે. સંદેહવાળી સૂત્ર અને અર્થની વ્યાખ્યા રે. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે સાધુ અનંત સંસારી થાય.
હવે મારે શું ક્રવું? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશાનુસાર યથાર્થ સૂત્રાર્થને જણાવું. એમ વિચારી ગૌતમ! સમગ્ર અવયવ વિશદ્ધ એવી ગાથાનું યથાર્થ વ્યાખ્યાન ક્યું. આ અવસરે હે ગૌતમ ! દુરંત, પ્રાંત, અધમ લક્ષણવાળા તે વેશધારીઓએ સાવધાચાર્યને પ્રશ્ન ક્યું કે જો એમ છે તો તમે પણ મૂળગુણથી સહિત છો કેમ કે તમે તે દિવસ યાદ ક્રો કે પેલી આયએ વંદન ક્રતા તેના મસ્તક્ટ્રી તમારા પગનો સ્પર્શ કર્યો હતો.
તે સમયે આ લોકના અપયશથી ભય પામેલા, અતિ અભિમાન પામેલા તે સાવધાચાર્ય નામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ તેવું કંઈક નામ પાડશે તો હું સર્વ લોક્માં અપૂજ્ય થઈશ. તો હવે અહીં મારે શું સમાધાન આપવું? એમ વિચારતા તેમને તીર્થક્ર વચન યાદ આવ્યું કે જે કોઈ આચાર્યાદિ મૃતધારક હોય તેણે જે કંઈપણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનકોને પ્રતિષેધ્યા હોય તે સર્વ શ્રતાનુસાર જાણીને સર્વ પ્રકારે ન આચરે કે તેને અનુમોદે.
ક્રોધ-માન-માયા-લોભથી, હાસ્ય-ગારવ-દપ-પ્રમાદ વડે વારંવાર ચૂર્ત જતાં કે ખલના થતાં દિવસે કે બે, એક્લા કે પર્ષદામાં હોય, સુતો કે જાગતો હોય, ત્રિવિધ ત્રિવિધે આ સૂત્ર કે અર્થના એક પદના વિરાધક જે કોઈ થાય, તે સાધુ વારંવાર નિંદનીય, ગહેણીય, ખીંચ, દુગંછીય, સર્વલોક્યી પરાભવ પામનાર, અનેક વ્યાધિ વેદનાથી વાત શરીરી, ઉત્કૃષ્ટ સ્થિતિક અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ નારા થાય છે. તેમાં પરિભ્રમતા ક્ષણવાર પણ ક્યાંય શાંતિ ન પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org