Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭/-/૧૪૦૧
૧૬૫ છે, તેટલાં વિશેષણથી હે ગૌતમ ! અસંખ્યય પ્રમાણ પ્રજ્ઞાપના ાય છે. માટે એ પ્રમાણે સારી રીતે ધારણા ક્રવી કે હે ગૌતમ ! પ્રાયશ્ચિત્ત સૂત્રની સંખ્યાના સંખ્યા પ્રમાણ નિયુક્તિઓ, સંગ્રહણીઓ, સંખ્યાના અનુયોગો, દ્વારો, સંખ્યાના અક્ષરો, અનંતા પર્યાયો, દશવિલા છે, ઉપદેશેલા છે, હેલા છે, સમજાવેલા છે, પ્રરૂપેલા છે, કલ અભિગ્રહપણે યાવત અનુપૂર્વીથી કે અનાનપૂવથી એટલે ક્રમથી કે ક્રમ વિના યથાયોગ્ય ગુણમણાને વિશે પ્રાયશ્ચિત્તો પ્રરૂપેલા છે, એમ કહ્યું છે.
[૧૪] ભગવદ્ ! આપે લ્યા તેવા પ્રાયશ્ચિત્તની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ થાય છે. ભગવદ્ ! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ ક્રનાર એવા કોઈ હોય છે કે જે આલોચના-નિંદા-ગહ ક્રીને યાવર યથા યોગ્ય તપો ર્મ રીને, પ્રાયશ્ચિત્ત સેવીને, શ્રમણ્યને આરાધે, પ્રવચન આરાધે યાવત આત્મહિત માટે તેને અંગીકાર ક્રીને પોતાના કાર્યને આરાધે કે સ્વકાર્યની સાધના રે ?
ગૌતમ ! ચાર પ્રકારે આલોચના જાણવી, તે આ પ્રમાણે – નામ આલોચના, સ્થાપના આલોચના દ્રવ્ય આલોચના અને ભાવ આલોચના. આ ચારે પદો અનેક રીતે અને ચાર પ્રકારે યોજી શકાય છે, તેમાં નામ આલોચના નામ માત્રથી સમજવી. સ્થાપના આલોચના પુસ્તકાદિમાં લખેલી હોય, દ્રવ્ય આલોચના તેને કહેવાય કે જે સરળતાથી આલોચના ક્રીને જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્લેવાયેલ હોય તે પ્રમાણે ફ્રી ન આપે. આ ત્રણે પદો ગૌતમ ! અપ્રશસ્ત છે.
હે ગૌતમ! જે આ ચોથું ભાવ આલોચના નામક પદ છે, તે લાગેલા દોષની આલોચના ક્રીને ગુરુ પાસે યથાર્થપણે નિવેદન ક્રીને, નિંદા-ગણ-પ્રાયશ્ચિત્ત સેવન ક્રીને યાવત્ આત્મહિત માટે તેને અંગીકાર ક્રીને પોતાના આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્માની અંતિમ સાધના માટે તે ઉત્તમાર્ગની આરાધના રે.
ભગવદ્ ! તે ચોથું પદ કેવા પ્રકારનું છે ? ગૌતમ ! તે ભાવ આલોચના કહેવાય ભગવદ્ ! તે ભાવ આલોચના ક્રેને ધેવાય ?
ગૌતમ ! જે ભિક્ષુ આવા પ્રકારનો સંવેગ વૈરાગ્ય પામેલો હોય, શીલ-તપદાન-ભાવના રૂપ ચાર સ્કંધયુક્ત ઉત્તમ શ્રમણ ધર્મની આરાધનામાં એવંત રસિક બનેલો હોય, મદ-ભય-ગારવ ઇત્યાદિ દોષોથી સર્વથા મુક્ત થયેલો હોય, સર્વે ભાવો અને ભાવાંતરો વડે ક્રીને શલ્ય રહિત બની સર્વ પાપોની આલોચના ક્રીને વિશદ્ધિપદ મેળવીને “તહત્તિ' કહેવાપૂર્વક આલોચના પ્રાયશ્ચિત્તને બરાબર સેવીને સંયમક્રિયા સમ્યક્ પ્રશ્નરે પાળે, તે આ રીતે
[૧૪૦૩] હિતાર્થી આત્માઓ છે તે અલ્પ પાપ પણ બાંધતા નથી. તેમની શુદ્ધિ તો તીર્થક્ય ભગવંતના વચનોથી થાય છે.
[૧૪૦૪ થી ૧૪૦] અમારા સરખાની શુદ્ધિ કેવી રીતે થાય ? ઘોર સંસારના દુઃખો આપનાર તેવા પાપર્મોનો ત્યાગ ક્રીને મન, વચન, કાયાની ક્રિયાથી શીલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org