Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 191
________________ ૧૯૦ મહાનિશીથછેદત્ર-અનુવાદ વિશુદ્ધ બહુ જાતિવંત એવા મોતીઓ, વિદ્યુમ, પરવાળાં આદિ લાખો ખારિ [ જાતનું તે સમયે ચાલતું પાલી સમાન માપ વિરોષ તેનાથી ભરપુર ભંડાર ચતુરંગ સેનાને આપી દો. ખાસ કરીને સુગ્રહિત, સવારના પહોરમાં ગ્રહણ કરવા લાયક નામવાળા એવા તે પુષસિંહ, વિશુદ્ધ શીલવાળા ઉત્તમ કુમારના સમાચાર લાવો જેથી હું શાંતિ પામું. હે ગૌતમ ! ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે રાજ સેવક પુરુષો ઉતાવળા ઉતાવળા, વેગથી, ચપળતાથી, પવન સમાન ગતિથી ચાલે તેવા ઉત્તમ પ્રકારના અશ્વો ઉપર આરૂઢ થઈને વનમાં ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં અને બીજા-બીજા જે કોઈ એનંત પ્રદેશો હતા ત્યાં ગયા. – ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. – ત્યારે જમણી અને ડાબી બાજુના ક્ર પલ્લવથી મસ્તક્ના કેશનો લોચ ક્રતો કુમાર જોવામાં આવ્યો. – તેની આગળ સુવર્ણના આભુષણો અને વસ્ત્રોની સજાવટ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત જતાં, જય જયારના મંગલ શબ્દો ઉચ્ચારતા, હરણ પડેલાં અને હસ્ત કમળની અંજલિ વડે યુક્ત થયેલા દેવતાઓ ઇત્યાદિને તેઓએ જોયા. . તેમને જોઈને વિસ્મય પામેલા મનવાળા, લેપર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઉભા રહ્યા. આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ હૃદયવાળા અને રોમાંચના ચૂક્યી આનંદિત થયેલાં શરીરવાળા અને આકાશમાં રહેલા - એવા પ્રવચન દેવતાએ ‘નમો અરિહંતાણં' એમ ઉચ્ચારણ કરીને તે કુમારને આ પ્રમાણે હ્યું [૧૪૯૯થી ૧૫૦ જેઓ મુષ્ટિના પ્રહાર માત્રથી મેરનું ચૂર્ણ ક્રી નાખી શકે છે, પૃથ્વીને પણ પી જઈ શકે છે અને ઇન્દ્રને પણ સ્વર્ગ થી ઢાળી દઈ શકે છે. ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ કલ્યાણ ક્રનાર થાય છે. – પરંતુ તેવો પણ અક્ષત શીલવાળાની તુલનામાં ન આવી શકે. – ખરેખર ! તે જ જન્મેલો છે એમ ગણાય – તે જ ત્રણે ભુવનમાં વંદન ક્રવા યોગ્ય છે. તે પુરુષ હોય કે સ્ત્રી, પરંતુ જે કુળમાં જન્મ પામીને શીલનું ખંડન કરતાં નથી. તિ શીલની સ્તુતિ-]. પરમ પવિત્ર પુરુષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ નાર, સર્વોત્તમ સુખનો ભંડાર એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210