Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮/-/૧૫૧૪
૧૯૯
ત્યારે સાશિવે કહ્યું કે – ચાલો, આપણે નગરમાં જઈને આ પાંચિાનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે જઈ તેનું મૂલ્ય ક્રાવીને પછી તેની ખાત્રી કરીએ.
- ત્યાર પછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રવંત, સૂર્યન્નત મણીના શ્રેષ્ઠ જોડલાં રાજાને બતાવ્યા.
રાજાએ પણ રાના પરીક્ષોને બોલાવીને કહ્યું કે- આ શ્રેષ્ઠ મણીઓનું મૂલ્ય ક્રીને તમે અમને બતાવો.
જો મૂલ્યની પરીક્ષા કરીએ તો તેનું મૂલ્ય જણાવવા સમર્થ નથી.
ત્યારે રાજાએ કહ્યું કે- અરે ! માણિક્યના વિધાર્થી અહીં કોઈ એવો પુરુષ નથી કે જે આ મણીઓનું મૂલ્ય આંકી શકે ?
તો હવે કિંમત કરાવ્યા વિના ઉચ્ચક દશકોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશીવે હ્યું કે મહારાજની જેવી ક્યા થાય તે બરોબર છે. પણ બીજી એક વિનંતી ક્રવાની છે–
આ નાજીના પર્વતની સમીપમાં અમારું એક ગોકુળ છે. – તેમાં એક યોજન સુધી ગોચર ભૂમિ છે. - તેનો રાજ્ય તરફથી લેવાતો જ મુક્ત કરાવશો. રાજાએ ક્યું – ભલે, એમ થાઓ.
આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને ર મુક્ત ગોકુળ ક્રીને તે ઉચ્ચાર ન ક્રવા લાયક નામવાળા સુજ્ઞશીવે પોતાની જ પુત્રી એવી સુજ્ઞશ્રી સાથે લગ્ન ક્રી લીધા.
તે બંને વચ્ચે પરસ્પર પ્રતિ ઉત્પન્ન થઈ.
સ્નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા માનસવાળા પોતાનો સમય પસાર કરી રહેલાં છે.
તેટલામાં ઘરે આવેલા સાધુઓને એમને એમ વહોર્યા વિના જ પાછા ફરેલા જોઈને હા-હા પૂર્વક આકંદન ક્રતી સુશ્રીને સુડાશીવે આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે – હે પ્રિયે !
પહેલાં કોઈ વખત ન દેખેલ ભિક્ષાચર યુગલને જોઈને તું કેમ આવા પ્રકારની ઉદાસીન અવસ્થાને પામી ?
ત્યારે તેણે જણાવ્યું કે મારા શેઠાણી હતા, ત્યારે આ સાધુઓને પુષ્કળ ભય અને અન્ન-પાણી આપીને તેમના પાના ભરી દેતા હતા.
ત્યાર પછી હર્ષ પામેલી ખુશી થયેલી શેઠાણી મસ્તન્ને નીચું નમાવી તેમના ચરણાગ્ર ભાગમાં પ્રણામ ક્રતી હતી.
આ શ્રમણોને આજે જોઈને મને તે શેઠાણી યાદ આવી ગયા. ત્યારે ફરી પણ તે પાપિણીને પૂછ્યું કે- તારી સ્વામિની કેમ હતી ? ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org