Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૧
3/૩૮૬ બ્રહ્મચારીએ ન ચલાય.
[૩૮] ભગવન! આપ કેમ કહો છો કે સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન Wવી, તેની સાથે વાતો ન ક્રવી, વસવાટ ન વો, માર્ગમાં એકલા ન ચલાવું? ગૌતમ! સર્વ સ્ત્રી સર્વ પ્રકારે અતિ ઉક્ટ મદ અને વિષયાભિલાસના રાગથી ઉત્તેજિત બનેલી હોય છે. સ્વાભાવથી તેણીનો ક્રમાગ્નિ નિરંતર સળગતો રહે છે. વિષયો પ્રતિ તેણીનું ચંચળ ચિત્ત દોડે છે. હૃદયમાં કામાગ્નિ પીડે છે. સર્વ દિશા-વિદિશામાં વિષયોને પ્રાર્થે છે. સર્વ પ્રકારે પુરુષાભિલાષી હોય છે.
તે #રણે જ્યાં સુંદર કંઠથી કોઈ સંગીન ગાય તો તે કદાચ રૂપવાન કે ક્વરૂપો હોય, તાજા યોવન વાળો કે વીતી ગયેલ યૌવનવાળો હોય, જોયેલ હોય કે ન હોય, ઋદ્ધિવાળો કે વગરનો હોય નવીન સમૃદ્ધિ મેળવેલ હોય કે ન હોય, ક્રમભોગથી કંટાળેલો કે વિષયાભિલાષી હોય, જર્જરીત દેહ હોય કે મજબૂત બાંધાવાળો, મહાસત્વી હોય કે હીનસત્વી, મહા પરાક્રમી હોય કે કાયર, શ્રમણ હોય કે ગૃહસ્થ બ્રાહ્મણ હોય કે નિંદિત અધમ હીનજાતિક, ત્યાં પોતાની શ્રોત ચક્ષ રસના પ્રાણ સ્પરશન ઇંદ્રિયના ઉપયોગથી તુરંત જ વિષય પ્રાપ્તિ માટે તર્ક, વિતર્ક, વિચાર અને એકાગ્રચિત્ત વાળી બનશે. તેનાથી તેણીનું ચિત્ત ક્ષોભાયમાન થશે. વળી ચિત્તમાં મને આ મળશે કે નહીં તેવી દ્વીઘામાં પડશે.
ત્યાર પછી શરીરે પરસેવો છૂટશે. પછી આલોકપરલોકમાં આવી અશુભ વિચારણાથી નુક્સાન હશે. તેના વિપાકો ઓછા વત્તા પ્રમાણમાં ભોગવવા પડશે. તે વાત તે સમયે તેના મગજમાંથી ભુંસાઈ જાય છે. જેવું એ વિસરાઇ જાય કે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ, મર્યાદાનો ત્યાગ ક્રીને ઉંચા સ્થાનેથી નીચા સ્થાને બેસી જાય છે. પરિણામની અપેક્ષાથી હલા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે, તેટલામાં અસંખ્યાના સમય અને આવલિકા વીતી જાય છે.
જેટલામાં અસંખ્યાતા સમય અને આવલિક ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી ર્મની જે સ્થિતિ બંધાય છે. અને બીજે, ત્રીજે સમયે, એમ દરેક સમયે થાવત અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળના સમયે સમયે સંખ્યાતઅસંખ્યાત-અનંત ગુણ કર્મ સ્થિતિ એક્કી રે છે. યાવત અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નારકતિર્યંચની ઉત્કૃષ્ટ ર્મ સ્થિતિ ઉપાર્જન રે, આ પ્રમાણે સ્ત્રી વિષયક સંલ્પાદિ યોગે કોડો લાખ કાળચક્ર સુધી ભોગવવા યોગ્ય ઉક્તિ સ્થિતિ ઉપાર્જે છે.
ત્યાંથી નીકળીને ભવાંતરમાં કેવી સ્થિતિ અનુભવી પડે તે જણાવે છે – સ્ત્રી પ્રતિ દૃષ્ટિ કે કામરાગથી, તે પાપની પરંપરાથી કદરૂપતા, શ્યામ દેહી, તેજ-કાંતિ રહિત, લાવ્ય-શોભા રહિત, વિનષ્ટ તેજ-સૌભાગ્ય, તેને જોઈ બીજા ઉદ્વેગ પામે તેવા શરીરવાળો થાય છે. તેની સ્પર્શેન્દ્રિય સીદાય છે, પછી નેત્રો અંગોપાંગ જોવાને રાગવાળા અને લાલ વણ બને છે. મદપૂર્ણ બને છે.
કામની રાગાંધતાથી અતિ ભારે દોષો, બ્રહ્મવત ભંગ, નિયમભંગને ગણતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org